અમૃતપાલ કેસમાં પંજાબ સરકાર એક્શનમાં, 6 IPS અધિકારીઓની બદલી કરી, પોલીસની ભૂમિકા શંકાસ્પદ


  • Published By :
  • Published Date : 2023-03-29 17:17:26

ખાલિસ્તાન સમર્થક અને વારિસ પંજાબ દે સંગઠનના નેતા અમૃતપાલની ધરપકડ કરવા માટે પોલીસના પ્રયાસો હજુ ચાલુ જ છે. 11 દિવસ વીતી જવા છતાં પંજાબ પોલીસ તેને પકડી શકી નથી. આ દરમિયાન પંજાબની ભગવંત માન સરકારે આ મામલામાં સામેલ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે. સરકારે આ કેસ સાથે સંબંધિત 6 અધિકારીઓની બદલીના આદેશ જારી કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ અધિકારીઓની બદલી કરીને રાજ્ય સરકાર મોટા સંકેત આપવા માગે છે.


આ અધિકારીઓની બદલી થઈ


સરકારે જે 6 અધિકારીઓની બદલીના આદેશ જારી કર્યા તેમાં જાલંધરના ડીસીપી વત્સલ ગુપ્તા, એસએસપી જાલંધર સ્વર્ણદીપ સિંહ, તે ઉપરાંત એસપી જાલંધર ગ્રામીણ મંજીત કૌર,એડીસીપી જાલંધર જગજીત સિંહ સરોયા, એસપી ઈન્વેસ્ટિગેશન સર્બજીત સિંહ જાલંધર  ગ્રામીણ, ડીસીપી ઈન્વેસ્ટિગેશન જસકિરનજીત સિંહ તેજાની બદલી કરવામાં આવી છે. તે સિવાય એસપી હોંશિયાર પુર મનપ્રિત સિંહ અને જોઈન્ટ એસપી લો એન્ડ ઓર્ડર લુધિયાણા રાવ ચરણ સિંહ બરાડની પણ ટ્રાન્સફર  કરવામાં આવી છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.