અમૃતપાલ કેસમાં પંજાબ સરકાર એક્શનમાં, 6 IPS અધિકારીઓની બદલી કરી, પોલીસની ભૂમિકા શંકાસ્પદ


  • Published By :
  • Published Date : 2023-03-29 17:17:26

ખાલિસ્તાન સમર્થક અને વારિસ પંજાબ દે સંગઠનના નેતા અમૃતપાલની ધરપકડ કરવા માટે પોલીસના પ્રયાસો હજુ ચાલુ જ છે. 11 દિવસ વીતી જવા છતાં પંજાબ પોલીસ તેને પકડી શકી નથી. આ દરમિયાન પંજાબની ભગવંત માન સરકારે આ મામલામાં સામેલ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે. સરકારે આ કેસ સાથે સંબંધિત 6 અધિકારીઓની બદલીના આદેશ જારી કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ અધિકારીઓની બદલી કરીને રાજ્ય સરકાર મોટા સંકેત આપવા માગે છે.


આ અધિકારીઓની બદલી થઈ


સરકારે જે 6 અધિકારીઓની બદલીના આદેશ જારી કર્યા તેમાં જાલંધરના ડીસીપી વત્સલ ગુપ્તા, એસએસપી જાલંધર સ્વર્ણદીપ સિંહ, તે ઉપરાંત એસપી જાલંધર ગ્રામીણ મંજીત કૌર,એડીસીપી જાલંધર જગજીત સિંહ સરોયા, એસપી ઈન્વેસ્ટિગેશન સર્બજીત સિંહ જાલંધર  ગ્રામીણ, ડીસીપી ઈન્વેસ્ટિગેશન જસકિરનજીત સિંહ તેજાની બદલી કરવામાં આવી છે. તે સિવાય એસપી હોંશિયાર પુર મનપ્રિત સિંહ અને જોઈન્ટ એસપી લો એન્ડ ઓર્ડર લુધિયાણા રાવ ચરણ સિંહ બરાડની પણ ટ્રાન્સફર  કરવામાં આવી છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.