હવે પંજાબમાં સરકાર અને રાજ્યપાલ વચ્ચે ઘમાસાણ, જાણો શું છે સમગ્ર વિવાદ


  • Published By :
  • Published Date : 2023-02-28 15:19:13

પંજાબમાં વિધાનસભાનું બજેટ સત્ર બોલાવવાની મંજૂરી ન મળવાના વિરોધમાં આમ આદમી પાર્ટીની સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ અરજીને સ્વીકારતા કોર્ટે સુનાવણીનો સમય પણ બપોરે 3.50 કલાકે નક્કી કર્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચે કહ્યું કે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ચાલી રહેલા રાજકીય સંકટના મુદ્દાની સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટ આ મુદ્દે પણ સુનાવણી કરશે.


પંજાબમાં વિવાદ શું છે?


પંજાબ સરકારે સોમવારે એડિશનલ એડવોકેટ જનરલ શાદાન ફરાસત દ્વારા ભારતના બંધારણની કલમ 32 હેઠળ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં પંજાબના રાજ્યપાલના મુખ્ય સચિવને પ્રથમ પ્રતિવાદી તરીકે સામેલ કરવામાં આવ્યા છે. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે બંધારણીય જોગવાઈઓ મુજબ, રાજ્યપાલે સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય અને સલાહ અનુસાર વિધાનસભા બોલાવવી પડે છે.


રાજ્યપાલે બજેટ સત્રની મંજુરી ન આપી


પંજાબ સરકારે કેબિનેટનો પ્રસ્તાવ પસાર કરીને રાજ્યપાલ પાસે બજેટ સત્ર 3 માર્ચે બોલાવવાની મંજુરી માગી હતી. જો કે રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે આ બજેટ સત્ર બોલાવવાનો ઈન્કાર  કરી દીધો હતો. તે સાથે જ એક પત્ર લખીને કહ્યું કે મુખ્યમંત્રીના ટ્વીટ અને નિવેદનો ખુબ જ અપમાનજનક અને ગેરબંધારણીય હતા. આ ટ્વીટ પર કાયદેસરની સલાહ લેવામાં આવી રહી છે અને ત્યાર બાદ જ બજેટ સત્ર બોલાવવા પર વિચાર કરવામાં આવશે. 


CM ભગવંત માને ટ્વીટ કરતા વિવાદ વકર્યો


રાજ્યના રાજ્યપાલે પ્રિન્સિપાલોને સિંગાપોરમાં ટ્રેનિંગ માટે મોકલવા મુદ્દે પ્રિન્સિપાલોની પસંદગી પ્રક્રિયા અને ખર્ચ અંગે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો. રાજ્યપાલના વાંધાનો જવાબ આપતા મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યુ કે તે રાજ્યનો વિષય છે અને તેમની સરકાર 3 કરોડ પંજાબીઓ પ્રત્ય  જવાબદેહ છે કેન્દ્ર સરકારના રાજ્યપાલને નહીં. આ ટ્વીટ બાદ મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે વિવાદ વકર્યો છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.