હવે પંજાબમાં સરકાર અને રાજ્યપાલ વચ્ચે ઘમાસાણ, જાણો શું છે સમગ્ર વિવાદ


  • Published By :
  • Published Date : 2023-02-28 15:19:13

પંજાબમાં વિધાનસભાનું બજેટ સત્ર બોલાવવાની મંજૂરી ન મળવાના વિરોધમાં આમ આદમી પાર્ટીની સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ અરજીને સ્વીકારતા કોર્ટે સુનાવણીનો સમય પણ બપોરે 3.50 કલાકે નક્કી કર્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચે કહ્યું કે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ચાલી રહેલા રાજકીય સંકટના મુદ્દાની સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટ આ મુદ્દે પણ સુનાવણી કરશે.


પંજાબમાં વિવાદ શું છે?


પંજાબ સરકારે સોમવારે એડિશનલ એડવોકેટ જનરલ શાદાન ફરાસત દ્વારા ભારતના બંધારણની કલમ 32 હેઠળ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં પંજાબના રાજ્યપાલના મુખ્ય સચિવને પ્રથમ પ્રતિવાદી તરીકે સામેલ કરવામાં આવ્યા છે. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે બંધારણીય જોગવાઈઓ મુજબ, રાજ્યપાલે સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય અને સલાહ અનુસાર વિધાનસભા બોલાવવી પડે છે.


રાજ્યપાલે બજેટ સત્રની મંજુરી ન આપી


પંજાબ સરકારે કેબિનેટનો પ્રસ્તાવ પસાર કરીને રાજ્યપાલ પાસે બજેટ સત્ર 3 માર્ચે બોલાવવાની મંજુરી માગી હતી. જો કે રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે આ બજેટ સત્ર બોલાવવાનો ઈન્કાર  કરી દીધો હતો. તે સાથે જ એક પત્ર લખીને કહ્યું કે મુખ્યમંત્રીના ટ્વીટ અને નિવેદનો ખુબ જ અપમાનજનક અને ગેરબંધારણીય હતા. આ ટ્વીટ પર કાયદેસરની સલાહ લેવામાં આવી રહી છે અને ત્યાર બાદ જ બજેટ સત્ર બોલાવવા પર વિચાર કરવામાં આવશે. 


CM ભગવંત માને ટ્વીટ કરતા વિવાદ વકર્યો


રાજ્યના રાજ્યપાલે પ્રિન્સિપાલોને સિંગાપોરમાં ટ્રેનિંગ માટે મોકલવા મુદ્દે પ્રિન્સિપાલોની પસંદગી પ્રક્રિયા અને ખર્ચ અંગે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો. રાજ્યપાલના વાંધાનો જવાબ આપતા મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યુ કે તે રાજ્યનો વિષય છે અને તેમની સરકાર 3 કરોડ પંજાબીઓ પ્રત્ય  જવાબદેહ છે કેન્દ્ર સરકારના રાજ્યપાલને નહીં. આ ટ્વીટ બાદ મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે વિવાદ વકર્યો છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.