સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં ઈદના દિવસે જ પવિત્ર કુરાન સળગાવાઈ, ઈસ્લામિક દેશો થયા ધૂંઆપૂંઆ


  • Published By :
  • Published Date : 2023-06-30 16:18:31

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં બકરી ઈદના તહેવારના દિવસે જ કેટલાક દેખાવકારોએ ફરીથી ઈસ્લામના પવિત્ર પુસ્તક કુરાનનું અપમાન કર્યું છે. એક વ્યક્તિએ પહેલા સેન્ટ્રલ મસ્જિદની અંદર કુરાન ફાડી નાખ્યું અને પછી તેને સળગાવી દીધું હતું. સ્વીડિશ પોલીસ તરફથી આ પ્રદર્શનને મંજૂરી મળ્યા બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જો કે, પોલીસે પાછળથી આ વ્યક્તિ પર વંશીય અને ચોક્કસ રાષ્ટ્રીય જૂથ સામે હિંસા ભડકાવવાનો આરોપ મૂક્યો હતો.


વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ


કુરાન સળગાવવાની ઘટનાએ ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. કુરાન સળગાવવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, વીડિયોના ફૂટેજમાં એક પ્રદર્શનકારી કુરાનને ઉછાળી રહ્યો છે, તેને બાળી રહ્યો છે અને સ્વીડિશ ધ્વજ લહેરાવતો જોવા મળી રહ્યો છે.


ઈરાકી શરણાર્થીએ આ ઘટનાને અંજામ આપ્યો


બુધવારે, 37 એક વ્યક્તિ જેનું નામ સલવાન મોમિકા હોવાનું કહેવાય છે, તેણે આ ઘટનાને અંજામ આપ્યો. તે સેન્ટ્રલ મસ્જિદની બહાર બે સ્વીડિશ ધ્વજ લહેરાવતા પોલીસ અધિકારીઓની પાછળ દેખાયો. તે સમયે સ્વીડનનું રાષ્ટ્રગીત વાગી રહ્યું હતું. કાનમાં એરપોડ્સ અને મોંમાંથી સિગારેટ લટકાવીને તેણે વારંવાર કુરાન ફાડી નાખી અને પછી તેને આગ લગાડી. મોમિકા એક ઈરાકી શરણાર્થી છે અને તેનો ઈરાદો સ્વીડનમાં કુરાન પર પ્રતિબંધ લગાવવાનો છે.


મુસ્લિમ વર્લ્ડ લીગે કર્યો વિરોધ


કુરાન સળગાવી દેવાની આ ઘટના પર મુસ્લિમ વર્લ્ડ લીગનું નિવેદન આવ્યું છે. નિવેદનમાં આ ઘટનાની સખત નિંદા કરવામાં આવી છે. લીગના મહાસચિવ શેખ મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઈસાને કહ્યું કે આ ઘૃણાસ્પદ કૃત્ય મુસ્લિમોની લાગણીઓને ભડકાવવાનું છે. દોષિતોને તાત્કાલિક સજા થવી જોઈએ.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.