સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં ઈદના દિવસે જ પવિત્ર કુરાન સળગાવાઈ, ઈસ્લામિક દેશો થયા ધૂંઆપૂંઆ


  • Published By :
  • Published Date : 2023-06-30 16:18:31

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં બકરી ઈદના તહેવારના દિવસે જ કેટલાક દેખાવકારોએ ફરીથી ઈસ્લામના પવિત્ર પુસ્તક કુરાનનું અપમાન કર્યું છે. એક વ્યક્તિએ પહેલા સેન્ટ્રલ મસ્જિદની અંદર કુરાન ફાડી નાખ્યું અને પછી તેને સળગાવી દીધું હતું. સ્વીડિશ પોલીસ તરફથી આ પ્રદર્શનને મંજૂરી મળ્યા બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જો કે, પોલીસે પાછળથી આ વ્યક્તિ પર વંશીય અને ચોક્કસ રાષ્ટ્રીય જૂથ સામે હિંસા ભડકાવવાનો આરોપ મૂક્યો હતો.


વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ


કુરાન સળગાવવાની ઘટનાએ ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. કુરાન સળગાવવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, વીડિયોના ફૂટેજમાં એક પ્રદર્શનકારી કુરાનને ઉછાળી રહ્યો છે, તેને બાળી રહ્યો છે અને સ્વીડિશ ધ્વજ લહેરાવતો જોવા મળી રહ્યો છે.


ઈરાકી શરણાર્થીએ આ ઘટનાને અંજામ આપ્યો


બુધવારે, 37 એક વ્યક્તિ જેનું નામ સલવાન મોમિકા હોવાનું કહેવાય છે, તેણે આ ઘટનાને અંજામ આપ્યો. તે સેન્ટ્રલ મસ્જિદની બહાર બે સ્વીડિશ ધ્વજ લહેરાવતા પોલીસ અધિકારીઓની પાછળ દેખાયો. તે સમયે સ્વીડનનું રાષ્ટ્રગીત વાગી રહ્યું હતું. કાનમાં એરપોડ્સ અને મોંમાંથી સિગારેટ લટકાવીને તેણે વારંવાર કુરાન ફાડી નાખી અને પછી તેને આગ લગાડી. મોમિકા એક ઈરાકી શરણાર્થી છે અને તેનો ઈરાદો સ્વીડનમાં કુરાન પર પ્રતિબંધ લગાવવાનો છે.


મુસ્લિમ વર્લ્ડ લીગે કર્યો વિરોધ


કુરાન સળગાવી દેવાની આ ઘટના પર મુસ્લિમ વર્લ્ડ લીગનું નિવેદન આવ્યું છે. નિવેદનમાં આ ઘટનાની સખત નિંદા કરવામાં આવી છે. લીગના મહાસચિવ શેખ મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઈસાને કહ્યું કે આ ઘૃણાસ્પદ કૃત્ય મુસ્લિમોની લાગણીઓને ભડકાવવાનું છે. દોષિતોને તાત્કાલિક સજા થવી જોઈએ.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.