સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં ઈદના દિવસે જ પવિત્ર કુરાન સળગાવાઈ, ઈસ્લામિક દેશો થયા ધૂંઆપૂંઆ


  • Published By :
  • Published Date : 2023-06-30 16:18:31

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં બકરી ઈદના તહેવારના દિવસે જ કેટલાક દેખાવકારોએ ફરીથી ઈસ્લામના પવિત્ર પુસ્તક કુરાનનું અપમાન કર્યું છે. એક વ્યક્તિએ પહેલા સેન્ટ્રલ મસ્જિદની અંદર કુરાન ફાડી નાખ્યું અને પછી તેને સળગાવી દીધું હતું. સ્વીડિશ પોલીસ તરફથી આ પ્રદર્શનને મંજૂરી મળ્યા બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જો કે, પોલીસે પાછળથી આ વ્યક્તિ પર વંશીય અને ચોક્કસ રાષ્ટ્રીય જૂથ સામે હિંસા ભડકાવવાનો આરોપ મૂક્યો હતો.


વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ


કુરાન સળગાવવાની ઘટનાએ ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. કુરાન સળગાવવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, વીડિયોના ફૂટેજમાં એક પ્રદર્શનકારી કુરાનને ઉછાળી રહ્યો છે, તેને બાળી રહ્યો છે અને સ્વીડિશ ધ્વજ લહેરાવતો જોવા મળી રહ્યો છે.


ઈરાકી શરણાર્થીએ આ ઘટનાને અંજામ આપ્યો


બુધવારે, 37 એક વ્યક્તિ જેનું નામ સલવાન મોમિકા હોવાનું કહેવાય છે, તેણે આ ઘટનાને અંજામ આપ્યો. તે સેન્ટ્રલ મસ્જિદની બહાર બે સ્વીડિશ ધ્વજ લહેરાવતા પોલીસ અધિકારીઓની પાછળ દેખાયો. તે સમયે સ્વીડનનું રાષ્ટ્રગીત વાગી રહ્યું હતું. કાનમાં એરપોડ્સ અને મોંમાંથી સિગારેટ લટકાવીને તેણે વારંવાર કુરાન ફાડી નાખી અને પછી તેને આગ લગાડી. મોમિકા એક ઈરાકી શરણાર્થી છે અને તેનો ઈરાદો સ્વીડનમાં કુરાન પર પ્રતિબંધ લગાવવાનો છે.


મુસ્લિમ વર્લ્ડ લીગે કર્યો વિરોધ


કુરાન સળગાવી દેવાની આ ઘટના પર મુસ્લિમ વર્લ્ડ લીગનું નિવેદન આવ્યું છે. નિવેદનમાં આ ઘટનાની સખત નિંદા કરવામાં આવી છે. લીગના મહાસચિવ શેખ મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઈસાને કહ્યું કે આ ઘૃણાસ્પદ કૃત્ય મુસ્લિમોની લાગણીઓને ભડકાવવાનું છે. દોષિતોને તાત્કાલિક સજા થવી જોઈએ.



પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.