પરિણીતી ચોપરા સાથે સગાઈ અંગે રાઘવ ચઢ્ઢાએ અંતે મૌન તોડ્યું, કર્યો આ મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-05-09 19:00:01

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપરા લાંબા સમયથી તેમના લગ્ન અને સગાઈને લઈને ચર્ચામાં છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. ભૂતકાળમાં પરિણીતી અને રાઘવ IPLમાં સાથે જોવા મળ્યા હતા.આ પહેલા પણ તેઓ ઘણી વખત ડિનર અને ક્યારેક એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. જો કે, હવે અટકળો લગાવવામાં આવી રહી હતી કે બંને જલ્દી સગાઈ કરવાના છે.


રાઘવ ચઢ્ઢાએ કર્યો આ ખુલાસો


રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપરાએ તેમની સગાઈ બાબતે અત્યાર સુધી મૌન પાળ્યું હતું. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઈને લઈને ઘણી અફવાઓ ઉડી ચુકી છે. જો કે તાજેતરમાં જ રાઘવ ચઢ્ઢાએ આ હકીકતનો ખુલાસો કર્યો છે અને પરિણીતી ચોપરા સાથેની સગાઈના સમાચારને સમર્થન આપ્યું છે. આ સાથે જ રાઘવે એમ પણ કહ્યું છે કે તેમની સગાઈમાં મીડિયાને એન્ટ્રી નહીં હોય.


કપલ આ દિવસે કરશે સગાઈ 


કપલના નજીકના સૂત્રોએ દાવો કર્યો છે કે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા આગામી 13 મે, શનિવારના રોજ સગાઈ કરવાના છે, તેમની સગાઈ દિલ્હીમાં થશે, જેમાં પરિવાર અને નજીકના મિત્રો સહિત કુલ 150 મહેમાનો સામેલ થશે. સગાઈની શરૂઆત 'અરદાસ' એટલે કે પ્રાર્થનાથી થશે. જો કે આ કપલના લગ્નની તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. પરંતુ રિપોર્ટ્સ અનુસાર બંને આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી શકે છે.



મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકમાં જઈ રહી છે. ત્યારે વલસાડના વાકલ ગામ ટીમ પહોંચી હતી. ત્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું..

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી છે. ભાજપ પર પ્રહાર કર્યા હતા.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો