પરિણીતી ચોપરા સાથે સગાઈ અંગે રાઘવ ચઢ્ઢાએ અંતે મૌન તોડ્યું, કર્યો આ મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-05-09 19:00:01

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપરા લાંબા સમયથી તેમના લગ્ન અને સગાઈને લઈને ચર્ચામાં છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. ભૂતકાળમાં પરિણીતી અને રાઘવ IPLમાં સાથે જોવા મળ્યા હતા.આ પહેલા પણ તેઓ ઘણી વખત ડિનર અને ક્યારેક એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. જો કે, હવે અટકળો લગાવવામાં આવી રહી હતી કે બંને જલ્દી સગાઈ કરવાના છે.


રાઘવ ચઢ્ઢાએ કર્યો આ ખુલાસો


રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપરાએ તેમની સગાઈ બાબતે અત્યાર સુધી મૌન પાળ્યું હતું. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઈને લઈને ઘણી અફવાઓ ઉડી ચુકી છે. જો કે તાજેતરમાં જ રાઘવ ચઢ્ઢાએ આ હકીકતનો ખુલાસો કર્યો છે અને પરિણીતી ચોપરા સાથેની સગાઈના સમાચારને સમર્થન આપ્યું છે. આ સાથે જ રાઘવે એમ પણ કહ્યું છે કે તેમની સગાઈમાં મીડિયાને એન્ટ્રી નહીં હોય.


કપલ આ દિવસે કરશે સગાઈ 


કપલના નજીકના સૂત્રોએ દાવો કર્યો છે કે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા આગામી 13 મે, શનિવારના રોજ સગાઈ કરવાના છે, તેમની સગાઈ દિલ્હીમાં થશે, જેમાં પરિવાર અને નજીકના મિત્રો સહિત કુલ 150 મહેમાનો સામેલ થશે. સગાઈની શરૂઆત 'અરદાસ' એટલે કે પ્રાર્થનાથી થશે. જો કે આ કપલના લગ્નની તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. પરંતુ રિપોર્ટ્સ અનુસાર બંને આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી શકે છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .