પરિણીતી ચોપરા સાથે સગાઈ અંગે રાઘવ ચઢ્ઢાએ અંતે મૌન તોડ્યું, કર્યો આ મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-05-09 19:00:01

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપરા લાંબા સમયથી તેમના લગ્ન અને સગાઈને લઈને ચર્ચામાં છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. ભૂતકાળમાં પરિણીતી અને રાઘવ IPLમાં સાથે જોવા મળ્યા હતા.આ પહેલા પણ તેઓ ઘણી વખત ડિનર અને ક્યારેક એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. જો કે, હવે અટકળો લગાવવામાં આવી રહી હતી કે બંને જલ્દી સગાઈ કરવાના છે.


રાઘવ ચઢ્ઢાએ કર્યો આ ખુલાસો


રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપરાએ તેમની સગાઈ બાબતે અત્યાર સુધી મૌન પાળ્યું હતું. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઈને લઈને ઘણી અફવાઓ ઉડી ચુકી છે. જો કે તાજેતરમાં જ રાઘવ ચઢ્ઢાએ આ હકીકતનો ખુલાસો કર્યો છે અને પરિણીતી ચોપરા સાથેની સગાઈના સમાચારને સમર્થન આપ્યું છે. આ સાથે જ રાઘવે એમ પણ કહ્યું છે કે તેમની સગાઈમાં મીડિયાને એન્ટ્રી નહીં હોય.


કપલ આ દિવસે કરશે સગાઈ 


કપલના નજીકના સૂત્રોએ દાવો કર્યો છે કે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા આગામી 13 મે, શનિવારના રોજ સગાઈ કરવાના છે, તેમની સગાઈ દિલ્હીમાં થશે, જેમાં પરિવાર અને નજીકના મિત્રો સહિત કુલ 150 મહેમાનો સામેલ થશે. સગાઈની શરૂઆત 'અરદાસ' એટલે કે પ્રાર્થનાથી થશે. જો કે આ કપલના લગ્નની તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. પરંતુ રિપોર્ટ્સ અનુસાર બંને આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી શકે છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.