પરિણીતી ચોપરા સાથે સગાઈ અંગે રાઘવ ચઢ્ઢાએ અંતે મૌન તોડ્યું, કર્યો આ મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-05-09 19:00:01

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપરા લાંબા સમયથી તેમના લગ્ન અને સગાઈને લઈને ચર્ચામાં છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. ભૂતકાળમાં પરિણીતી અને રાઘવ IPLમાં સાથે જોવા મળ્યા હતા.આ પહેલા પણ તેઓ ઘણી વખત ડિનર અને ક્યારેક એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. જો કે, હવે અટકળો લગાવવામાં આવી રહી હતી કે બંને જલ્દી સગાઈ કરવાના છે.


રાઘવ ચઢ્ઢાએ કર્યો આ ખુલાસો


રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપરાએ તેમની સગાઈ બાબતે અત્યાર સુધી મૌન પાળ્યું હતું. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઈને લઈને ઘણી અફવાઓ ઉડી ચુકી છે. જો કે તાજેતરમાં જ રાઘવ ચઢ્ઢાએ આ હકીકતનો ખુલાસો કર્યો છે અને પરિણીતી ચોપરા સાથેની સગાઈના સમાચારને સમર્થન આપ્યું છે. આ સાથે જ રાઘવે એમ પણ કહ્યું છે કે તેમની સગાઈમાં મીડિયાને એન્ટ્રી નહીં હોય.


કપલ આ દિવસે કરશે સગાઈ 


કપલના નજીકના સૂત્રોએ દાવો કર્યો છે કે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા આગામી 13 મે, શનિવારના રોજ સગાઈ કરવાના છે, તેમની સગાઈ દિલ્હીમાં થશે, જેમાં પરિવાર અને નજીકના મિત્રો સહિત કુલ 150 મહેમાનો સામેલ થશે. સગાઈની શરૂઆત 'અરદાસ' એટલે કે પ્રાર્થનાથી થશે. જો કે આ કપલના લગ્નની તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. પરંતુ રિપોર્ટ્સ અનુસાર બંને આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી શકે છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી