અદાણી મુદ્દે સંસદમાં રાહુલ ગાંધી દેખાયા આક્રામક રૂપમાં, મોદી સરકારને રાહુલે પૂછ્યા આકરા સવાલ


  • Published By :
  • Published Date : 2023-02-07 17:17:25

સંસદમાં અનેક વખત અદાણીનો મુદ્દો ઉઠ્યો છે. વિપક્ષ દ્વારા આ મામલે અનેક વખત હોબાળો થયો છે. ત્યારે લોકસભામાં રાહુલ ગાંધી એકદમ આક્રામક રૂપમાં દેખાયા હતા. મંગળવારે લોકસભામાં તેમણે અદાણીનો મુદ્દો, અગ્નિવીર યોજના જેવા અનેક મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો હતો. અદાણી મુદ્દે તેમણે કહ્યું કે ગૌતમ અદાણી કે જે વર્ષ 2014માં ધનિકોની યાદીમાં 609 ક્રમાંક પર હતા, તેઓ કેવી રીતે બીજા સ્થાન પર આવી ગયા. તે સિવાય અગ્નિવીર યોજનાને લઈને પણ તેમણે પ્રહાર કર્યા હતા.


609 નંબર પરથી સીધા બીજા ક્રમ પર પહોંચી ગયા - રાહુલ ગાંધી 

હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપને કરોડો રુપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રિપોર્ટ બાદ અદાણીની સંપત્તિનું ધોવાણ થયું હતું. અદાણી મુદ્દાને લઈ સંસદમાં પણ વિપક્ષ દ્વારા હંગામો કર્યો હતો. અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે લોકસભામાં રાહુલ ગાંધી પણ અદાણી મુદ્દાને લઈ આક્રામક દેખાયા હતા. તેમણે કહ્યું કે ગૌતમ અદાણી કે જે વર્ષ 2014માં ધનિકોની યાદીમાં 609 ક્રમાંક પર હતા, તેઓ કેવી રીતે બીજા સ્થાન પર આવી ગયા.


અદાણી અને પીએમ મોદીનો રાહુલ ગાંધીએ બતાવ્યો સંબંધ 

અદાણી મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે બધા પૂછતા હતા કે અદાણી શું કરે છે, કોઈપણ બિઝનેસમાં પ્રવેશ કરે તે સફળ થાય છે.  વડાપ્રધાન મોદી અને ગૌતમ અદાણી સાથેના સંબંધો અંગે પ્રશ્ન ઉઠાવી જૂની તસવીર બતાવી હતી. અદાણીના એરપોર્ટ બિઝનેસ પર પણ તેમણે પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે અનુભવ ન હોય તેવી કંપનીઓને આ કામ આપવાની જરૂર ન હતી. 6 એરપોર્ટ તેમના હવાલે કરી દીધા હતા. તે સિવાય આરોપ મુકતા તેમણે કહ્યું કે ડ્રોન બનાવવાનો કોન્ટ્રેક્ટ અદાણી ગ્રુપને મળ્યો હતો.ઈઝરાયલ ગયા બાદ પીએમ મોદીએ આ અંગેનો કોન્ટ્રેક્ટ અદાણીને આપી દીધો. નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ જાહુ શરૂ થઈ ગયો. તેમણે કહ્યું કે લોકો તેમને પૂછી રહ્યા છે કે છેવટે ગૌતમ અદાણી પીએમ મોદી સાથે શું સંબંધ ધરાવે છે.

 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.