અદાણી મુદ્દે સંસદમાં રાહુલ ગાંધી દેખાયા આક્રામક રૂપમાં, મોદી સરકારને રાહુલે પૂછ્યા આકરા સવાલ


  • Published By :
  • Published Date : 2023-02-07 17:17:25

સંસદમાં અનેક વખત અદાણીનો મુદ્દો ઉઠ્યો છે. વિપક્ષ દ્વારા આ મામલે અનેક વખત હોબાળો થયો છે. ત્યારે લોકસભામાં રાહુલ ગાંધી એકદમ આક્રામક રૂપમાં દેખાયા હતા. મંગળવારે લોકસભામાં તેમણે અદાણીનો મુદ્દો, અગ્નિવીર યોજના જેવા અનેક મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો હતો. અદાણી મુદ્દે તેમણે કહ્યું કે ગૌતમ અદાણી કે જે વર્ષ 2014માં ધનિકોની યાદીમાં 609 ક્રમાંક પર હતા, તેઓ કેવી રીતે બીજા સ્થાન પર આવી ગયા. તે સિવાય અગ્નિવીર યોજનાને લઈને પણ તેમણે પ્રહાર કર્યા હતા.


609 નંબર પરથી સીધા બીજા ક્રમ પર પહોંચી ગયા - રાહુલ ગાંધી 

હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપને કરોડો રુપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રિપોર્ટ બાદ અદાણીની સંપત્તિનું ધોવાણ થયું હતું. અદાણી મુદ્દાને લઈ સંસદમાં પણ વિપક્ષ દ્વારા હંગામો કર્યો હતો. અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે લોકસભામાં રાહુલ ગાંધી પણ અદાણી મુદ્દાને લઈ આક્રામક દેખાયા હતા. તેમણે કહ્યું કે ગૌતમ અદાણી કે જે વર્ષ 2014માં ધનિકોની યાદીમાં 609 ક્રમાંક પર હતા, તેઓ કેવી રીતે બીજા સ્થાન પર આવી ગયા.


અદાણી અને પીએમ મોદીનો રાહુલ ગાંધીએ બતાવ્યો સંબંધ 

અદાણી મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે બધા પૂછતા હતા કે અદાણી શું કરે છે, કોઈપણ બિઝનેસમાં પ્રવેશ કરે તે સફળ થાય છે.  વડાપ્રધાન મોદી અને ગૌતમ અદાણી સાથેના સંબંધો અંગે પ્રશ્ન ઉઠાવી જૂની તસવીર બતાવી હતી. અદાણીના એરપોર્ટ બિઝનેસ પર પણ તેમણે પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે અનુભવ ન હોય તેવી કંપનીઓને આ કામ આપવાની જરૂર ન હતી. 6 એરપોર્ટ તેમના હવાલે કરી દીધા હતા. તે સિવાય આરોપ મુકતા તેમણે કહ્યું કે ડ્રોન બનાવવાનો કોન્ટ્રેક્ટ અદાણી ગ્રુપને મળ્યો હતો.ઈઝરાયલ ગયા બાદ પીએમ મોદીએ આ અંગેનો કોન્ટ્રેક્ટ અદાણીને આપી દીધો. નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ જાહુ શરૂ થઈ ગયો. તેમણે કહ્યું કે લોકો તેમને પૂછી રહ્યા છે કે છેવટે ગૌતમ અદાણી પીએમ મોદી સાથે શું સંબંધ ધરાવે છે.

 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.