અદાણી મુદ્દે સંસદમાં રાહુલ ગાંધી દેખાયા આક્રામક રૂપમાં, મોદી સરકારને રાહુલે પૂછ્યા આકરા સવાલ


  • Published By :
  • Published Date : 2023-02-07 17:17:25

સંસદમાં અનેક વખત અદાણીનો મુદ્દો ઉઠ્યો છે. વિપક્ષ દ્વારા આ મામલે અનેક વખત હોબાળો થયો છે. ત્યારે લોકસભામાં રાહુલ ગાંધી એકદમ આક્રામક રૂપમાં દેખાયા હતા. મંગળવારે લોકસભામાં તેમણે અદાણીનો મુદ્દો, અગ્નિવીર યોજના જેવા અનેક મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો હતો. અદાણી મુદ્દે તેમણે કહ્યું કે ગૌતમ અદાણી કે જે વર્ષ 2014માં ધનિકોની યાદીમાં 609 ક્રમાંક પર હતા, તેઓ કેવી રીતે બીજા સ્થાન પર આવી ગયા. તે સિવાય અગ્નિવીર યોજનાને લઈને પણ તેમણે પ્રહાર કર્યા હતા.


609 નંબર પરથી સીધા બીજા ક્રમ પર પહોંચી ગયા - રાહુલ ગાંધી 

હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપને કરોડો રુપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રિપોર્ટ બાદ અદાણીની સંપત્તિનું ધોવાણ થયું હતું. અદાણી મુદ્દાને લઈ સંસદમાં પણ વિપક્ષ દ્વારા હંગામો કર્યો હતો. અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે લોકસભામાં રાહુલ ગાંધી પણ અદાણી મુદ્દાને લઈ આક્રામક દેખાયા હતા. તેમણે કહ્યું કે ગૌતમ અદાણી કે જે વર્ષ 2014માં ધનિકોની યાદીમાં 609 ક્રમાંક પર હતા, તેઓ કેવી રીતે બીજા સ્થાન પર આવી ગયા.


અદાણી અને પીએમ મોદીનો રાહુલ ગાંધીએ બતાવ્યો સંબંધ 

અદાણી મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે બધા પૂછતા હતા કે અદાણી શું કરે છે, કોઈપણ બિઝનેસમાં પ્રવેશ કરે તે સફળ થાય છે.  વડાપ્રધાન મોદી અને ગૌતમ અદાણી સાથેના સંબંધો અંગે પ્રશ્ન ઉઠાવી જૂની તસવીર બતાવી હતી. અદાણીના એરપોર્ટ બિઝનેસ પર પણ તેમણે પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે અનુભવ ન હોય તેવી કંપનીઓને આ કામ આપવાની જરૂર ન હતી. 6 એરપોર્ટ તેમના હવાલે કરી દીધા હતા. તે સિવાય આરોપ મુકતા તેમણે કહ્યું કે ડ્રોન બનાવવાનો કોન્ટ્રેક્ટ અદાણી ગ્રુપને મળ્યો હતો.ઈઝરાયલ ગયા બાદ પીએમ મોદીએ આ અંગેનો કોન્ટ્રેક્ટ અદાણીને આપી દીધો. નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ જાહુ શરૂ થઈ ગયો. તેમણે કહ્યું કે લોકો તેમને પૂછી રહ્યા છે કે છેવટે ગૌતમ અદાણી પીએમ મોદી સાથે શું સંબંધ ધરાવે છે.

 




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.