અદાણી મુદ્દે સંસદમાં રાહુલ ગાંધી દેખાયા આક્રામક રૂપમાં, મોદી સરકારને રાહુલે પૂછ્યા આકરા સવાલ


  • Published By :
  • Published Date : 2023-02-07 17:17:25

સંસદમાં અનેક વખત અદાણીનો મુદ્દો ઉઠ્યો છે. વિપક્ષ દ્વારા આ મામલે અનેક વખત હોબાળો થયો છે. ત્યારે લોકસભામાં રાહુલ ગાંધી એકદમ આક્રામક રૂપમાં દેખાયા હતા. મંગળવારે લોકસભામાં તેમણે અદાણીનો મુદ્દો, અગ્નિવીર યોજના જેવા અનેક મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો હતો. અદાણી મુદ્દે તેમણે કહ્યું કે ગૌતમ અદાણી કે જે વર્ષ 2014માં ધનિકોની યાદીમાં 609 ક્રમાંક પર હતા, તેઓ કેવી રીતે બીજા સ્થાન પર આવી ગયા. તે સિવાય અગ્નિવીર યોજનાને લઈને પણ તેમણે પ્રહાર કર્યા હતા.


609 નંબર પરથી સીધા બીજા ક્રમ પર પહોંચી ગયા - રાહુલ ગાંધી 

હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપને કરોડો રુપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રિપોર્ટ બાદ અદાણીની સંપત્તિનું ધોવાણ થયું હતું. અદાણી મુદ્દાને લઈ સંસદમાં પણ વિપક્ષ દ્વારા હંગામો કર્યો હતો. અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે લોકસભામાં રાહુલ ગાંધી પણ અદાણી મુદ્દાને લઈ આક્રામક દેખાયા હતા. તેમણે કહ્યું કે ગૌતમ અદાણી કે જે વર્ષ 2014માં ધનિકોની યાદીમાં 609 ક્રમાંક પર હતા, તેઓ કેવી રીતે બીજા સ્થાન પર આવી ગયા.


અદાણી અને પીએમ મોદીનો રાહુલ ગાંધીએ બતાવ્યો સંબંધ 

અદાણી મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે બધા પૂછતા હતા કે અદાણી શું કરે છે, કોઈપણ બિઝનેસમાં પ્રવેશ કરે તે સફળ થાય છે.  વડાપ્રધાન મોદી અને ગૌતમ અદાણી સાથેના સંબંધો અંગે પ્રશ્ન ઉઠાવી જૂની તસવીર બતાવી હતી. અદાણીના એરપોર્ટ બિઝનેસ પર પણ તેમણે પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે અનુભવ ન હોય તેવી કંપનીઓને આ કામ આપવાની જરૂર ન હતી. 6 એરપોર્ટ તેમના હવાલે કરી દીધા હતા. તે સિવાય આરોપ મુકતા તેમણે કહ્યું કે ડ્રોન બનાવવાનો કોન્ટ્રેક્ટ અદાણી ગ્રુપને મળ્યો હતો.ઈઝરાયલ ગયા બાદ પીએમ મોદીએ આ અંગેનો કોન્ટ્રેક્ટ અદાણીને આપી દીધો. નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ જાહુ શરૂ થઈ ગયો. તેમણે કહ્યું કે લોકો તેમને પૂછી રહ્યા છે કે છેવટે ગૌતમ અદાણી પીએમ મોદી સાથે શું સંબંધ ધરાવે છે.

 




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.