રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને આપ્યું લેક્ચર, ભારત જોડો યાત્રાનો અનુભવ કર્યો શેર


  • Published By :
  • Published Date : 2023-03-02 14:13:27

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર લેવા પહોંચ્યા હતા. રાહુલ ગાંધી લેક્ચર આપે તે પહેલા તેમનો બદલાયેલો લૂક ચર્ચાનો વિષય બન્યો હતો. યુનિવર્સિટીમાં 21મી સદીમાં સાંભળવું શીખવું વિષય પર લેક્ચર આપ્યું હતું. બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આપણે એવી દુનિયાની કલ્પના કરી શકતા નથી, જ્યાં લોકશાહી પ્રણાલીઓ ન હોય. આપણે વિચારવાની નવી રીતની જરૂર છે. શું બળ દ્વારા માહોલ બનાવવાને બદલે, તમે લોકશાહી વાતાવરણ કેવી રીતે બનાવશો.


ભારત જોડો યાત્રાનો શેર કર્યો અનુભવ     

રાહુલ ગાંધી સાત દિવસના બ્રિટન પ્રવાસે છે. પોતાના પ્રવાસની શરૂઆત તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને લેક્ચર આપી કરી હતી. કેમ્બ્રિજ જજ બ્રિઝનેસ સ્કૂલમાં રાહુલ ગાંધી વિઝિટિંગ ફેકલ્ટિી છે. યુનિવર્સિટીમાં તેમણે 21મી સદીમાં સાંભળવું શીખવું વિષય પર લેક્યર આપ્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે ભારત જોડો યાત્રાના અનુભવ શેર કર્યા હતા. રાહુલે અનુભવ શેર કરતા જણાવ્યું કે યાત્રા દરમિયાન તેમણે ભારતમાં વધતી બેરોજગારી, અન્યાય અને વધતી અસમાનતાઓએ રાહુલનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ગયા વર્ષે રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી યાત્રા કરી હતી.   


અનેક વિષયો પર કરી ચર્ચા 

લેક્ચરના બીજા ભાગમાં રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં બીજા વિશ્વ યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે સોવિયત સંઘના વિઘટન બાદ અમેરિકા અને ચીન અલગ અલગ વિષયો પર ધ્યાન કેન્દ્રીય કરવા લાગ્યા. મેન્યુફેક્ચરિંગ નોકરીઓ નાબુદ કરવા ઉપરાંત યુએસએ 11 સપ્ટેમ્બર 2001ના આતંકવાદી હુમલા પછી અમેરિકાએ પોતાને સિમિત કરી લીધું છે. તે ઉપરાંત રાહુલ ગાંધીએ લેક્ચરના ત્રીજા ભાગમાં ઈમ્પેરેટિવ ફોર ગ્લોબલ કંજરવેશન વિષય પર ચર્ચા કરી હતી.          




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.