રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને આપ્યું લેક્ચર, ભારત જોડો યાત્રાનો અનુભવ કર્યો શેર


  • Published By :
  • Published Date : 2023-03-02 14:13:27

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર લેવા પહોંચ્યા હતા. રાહુલ ગાંધી લેક્ચર આપે તે પહેલા તેમનો બદલાયેલો લૂક ચર્ચાનો વિષય બન્યો હતો. યુનિવર્સિટીમાં 21મી સદીમાં સાંભળવું શીખવું વિષય પર લેક્ચર આપ્યું હતું. બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આપણે એવી દુનિયાની કલ્પના કરી શકતા નથી, જ્યાં લોકશાહી પ્રણાલીઓ ન હોય. આપણે વિચારવાની નવી રીતની જરૂર છે. શું બળ દ્વારા માહોલ બનાવવાને બદલે, તમે લોકશાહી વાતાવરણ કેવી રીતે બનાવશો.


ભારત જોડો યાત્રાનો શેર કર્યો અનુભવ     

રાહુલ ગાંધી સાત દિવસના બ્રિટન પ્રવાસે છે. પોતાના પ્રવાસની શરૂઆત તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને લેક્ચર આપી કરી હતી. કેમ્બ્રિજ જજ બ્રિઝનેસ સ્કૂલમાં રાહુલ ગાંધી વિઝિટિંગ ફેકલ્ટિી છે. યુનિવર્સિટીમાં તેમણે 21મી સદીમાં સાંભળવું શીખવું વિષય પર લેક્યર આપ્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે ભારત જોડો યાત્રાના અનુભવ શેર કર્યા હતા. રાહુલે અનુભવ શેર કરતા જણાવ્યું કે યાત્રા દરમિયાન તેમણે ભારતમાં વધતી બેરોજગારી, અન્યાય અને વધતી અસમાનતાઓએ રાહુલનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ગયા વર્ષે રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી યાત્રા કરી હતી.   


અનેક વિષયો પર કરી ચર્ચા 

લેક્ચરના બીજા ભાગમાં રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં બીજા વિશ્વ યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે સોવિયત સંઘના વિઘટન બાદ અમેરિકા અને ચીન અલગ અલગ વિષયો પર ધ્યાન કેન્દ્રીય કરવા લાગ્યા. મેન્યુફેક્ચરિંગ નોકરીઓ નાબુદ કરવા ઉપરાંત યુએસએ 11 સપ્ટેમ્બર 2001ના આતંકવાદી હુમલા પછી અમેરિકાએ પોતાને સિમિત કરી લીધું છે. તે ઉપરાંત રાહુલ ગાંધીએ લેક્ચરના ત્રીજા ભાગમાં ઈમ્પેરેટિવ ફોર ગ્લોબલ કંજરવેશન વિષય પર ચર્ચા કરી હતી.          




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.