રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને આપ્યું લેક્ચર, ભારત જોડો યાત્રાનો અનુભવ કર્યો શેર


  • Published By :
  • Published Date : 2023-03-02 14:13:27

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર લેવા પહોંચ્યા હતા. રાહુલ ગાંધી લેક્ચર આપે તે પહેલા તેમનો બદલાયેલો લૂક ચર્ચાનો વિષય બન્યો હતો. યુનિવર્સિટીમાં 21મી સદીમાં સાંભળવું શીખવું વિષય પર લેક્ચર આપ્યું હતું. બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આપણે એવી દુનિયાની કલ્પના કરી શકતા નથી, જ્યાં લોકશાહી પ્રણાલીઓ ન હોય. આપણે વિચારવાની નવી રીતની જરૂર છે. શું બળ દ્વારા માહોલ બનાવવાને બદલે, તમે લોકશાહી વાતાવરણ કેવી રીતે બનાવશો.


ભારત જોડો યાત્રાનો શેર કર્યો અનુભવ     

રાહુલ ગાંધી સાત દિવસના બ્રિટન પ્રવાસે છે. પોતાના પ્રવાસની શરૂઆત તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને લેક્ચર આપી કરી હતી. કેમ્બ્રિજ જજ બ્રિઝનેસ સ્કૂલમાં રાહુલ ગાંધી વિઝિટિંગ ફેકલ્ટિી છે. યુનિવર્સિટીમાં તેમણે 21મી સદીમાં સાંભળવું શીખવું વિષય પર લેક્યર આપ્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે ભારત જોડો યાત્રાના અનુભવ શેર કર્યા હતા. રાહુલે અનુભવ શેર કરતા જણાવ્યું કે યાત્રા દરમિયાન તેમણે ભારતમાં વધતી બેરોજગારી, અન્યાય અને વધતી અસમાનતાઓએ રાહુલનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ગયા વર્ષે રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી યાત્રા કરી હતી.   


અનેક વિષયો પર કરી ચર્ચા 

લેક્ચરના બીજા ભાગમાં રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં બીજા વિશ્વ યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે સોવિયત સંઘના વિઘટન બાદ અમેરિકા અને ચીન અલગ અલગ વિષયો પર ધ્યાન કેન્દ્રીય કરવા લાગ્યા. મેન્યુફેક્ચરિંગ નોકરીઓ નાબુદ કરવા ઉપરાંત યુએસએ 11 સપ્ટેમ્બર 2001ના આતંકવાદી હુમલા પછી અમેરિકાએ પોતાને સિમિત કરી લીધું છે. તે ઉપરાંત રાહુલ ગાંધીએ લેક્ચરના ત્રીજા ભાગમાં ઈમ્પેરેટિવ ફોર ગ્લોબલ કંજરવેશન વિષય પર ચર્ચા કરી હતી.          




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.