રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને આપ્યું લેક્ચર, ભારત જોડો યાત્રાનો અનુભવ કર્યો શેર


  • Published By :
  • Published Date : 2023-03-02 14:13:27

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર લેવા પહોંચ્યા હતા. રાહુલ ગાંધી લેક્ચર આપે તે પહેલા તેમનો બદલાયેલો લૂક ચર્ચાનો વિષય બન્યો હતો. યુનિવર્સિટીમાં 21મી સદીમાં સાંભળવું શીખવું વિષય પર લેક્ચર આપ્યું હતું. બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આપણે એવી દુનિયાની કલ્પના કરી શકતા નથી, જ્યાં લોકશાહી પ્રણાલીઓ ન હોય. આપણે વિચારવાની નવી રીતની જરૂર છે. શું બળ દ્વારા માહોલ બનાવવાને બદલે, તમે લોકશાહી વાતાવરણ કેવી રીતે બનાવશો.


ભારત જોડો યાત્રાનો શેર કર્યો અનુભવ     

રાહુલ ગાંધી સાત દિવસના બ્રિટન પ્રવાસે છે. પોતાના પ્રવાસની શરૂઆત તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને લેક્ચર આપી કરી હતી. કેમ્બ્રિજ જજ બ્રિઝનેસ સ્કૂલમાં રાહુલ ગાંધી વિઝિટિંગ ફેકલ્ટિી છે. યુનિવર્સિટીમાં તેમણે 21મી સદીમાં સાંભળવું શીખવું વિષય પર લેક્યર આપ્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે ભારત જોડો યાત્રાના અનુભવ શેર કર્યા હતા. રાહુલે અનુભવ શેર કરતા જણાવ્યું કે યાત્રા દરમિયાન તેમણે ભારતમાં વધતી બેરોજગારી, અન્યાય અને વધતી અસમાનતાઓએ રાહુલનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ગયા વર્ષે રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી યાત્રા કરી હતી.   


અનેક વિષયો પર કરી ચર્ચા 

લેક્ચરના બીજા ભાગમાં રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં બીજા વિશ્વ યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે સોવિયત સંઘના વિઘટન બાદ અમેરિકા અને ચીન અલગ અલગ વિષયો પર ધ્યાન કેન્દ્રીય કરવા લાગ્યા. મેન્યુફેક્ચરિંગ નોકરીઓ નાબુદ કરવા ઉપરાંત યુએસએ 11 સપ્ટેમ્બર 2001ના આતંકવાદી હુમલા પછી અમેરિકાએ પોતાને સિમિત કરી લીધું છે. તે ઉપરાંત રાહુલ ગાંધીએ લેક્ચરના ત્રીજા ભાગમાં ઈમ્પેરેટિવ ફોર ગ્લોબલ કંજરવેશન વિષય પર ચર્ચા કરી હતી.          




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.