રાહુલ ગાંધીનો જોવા મળ્યો નવો અંદાજ, મિકેનિકની દુકાને પહોંચી, બાઈક રિપેર કરતા શીખ્યા! જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-06-28 12:52:39

સામાન્ય લોકો સાથે  જોડાવાનો પ્રયાસ રાહુલ ગાંધી ઘણા સમયથી કરી રહ્યા છે. ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી કોઈને કોઈ રીતે ચર્ચામાં રહ્યા છે. કોઈ વખત સ્ટૂડન્ટ સાથે વાતચીત કરતા દેખાય છે તો કોઈ વખત ટ્રકની મુસાફરી કરતા દેખાય છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દિલ્હીના કરોલ બાગના એક ગેરેજમાં પહોંચ્યા હતા અને ત્યાં મિકેનિક્સ સાથે કામ કરવા લાગ્યા હતા. મંગળવાર રાત્રે તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટો શેર કર્યા હતા. જે ફોટો શેર કરવામાં આવ્યા છે તેમાં રાહુલ ગાંધી બાઈકને ઠીક કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

લોકો સાથે જોડાવવાનો કરી રહ્યા છે પ્રયાસ 

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રાહુલ ગાંધી સામાન્ય માણસને પડતી મુશ્કેલીઓને સમજવા સામાન્ય લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે. લોકો સાથે વાતો કરી તેમની સાથે જોડાવાની તેમની કોશિશ છે. થોડા સમય પહેલા રાહુલ ગાંધી ટ્રકની મુસાફરી કરતા નજરે પડ્યા હતા. તે પહેલા પણ વિદ્યાર્થીઓની સાથે વાતચીત કરવા કેન્ટીન પહોંચ્યા હતા. ત્યારે હવે મેકેનિકની દુકાને પહોંચ્યા હતા. તેમણે મિકેનિકને બાઇક રિપેર કરતા જોયો ત્યારે તેમણે જાતે જ સ્ક્રુડ્રાઇવર ઉપાડ્યો અને બાઇક ઠીક કરવા લાગ્યા. આ પછી રાહુલ ગાંધી બીજી દુકાન પર પહોંચ્યા. ત્યાં મિકેનિકે રોયલ એનફિલ્ડ બાઇકના એન્જિનનો એક ભાગ ખોલી નાખ્યો હતો.  


રાહુલ ગાંધીને જોવા ઉમટ્યા લોકો

જ્યારે મિકેનીકની દુકાને પહોચ્યા ત્યારે લોકો તેમને જોવા માટે ઉમટ્યા હતા. લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. રાહુલે લોકો સાથે હાથ મિલાવ્યો હતો અને તેમની ખબર અંતર પૂછ્યા હતા. સ્થાનિક વેપારીઓ સાથે તેમજ દુકાનદારો સાથે પણ વાતચીત કરી હતી અને તેમની સમસ્યા જાણવાનો પ્રયત્ન કર્યો હતો. રાહુલ ગાંધી બાદ કોંગ્રેસે પણ આ ફોટો શેર કર્યા છે.      



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.