રાહુલ ગાંધીનો જોવા મળ્યો નવો અંદાજ, મિકેનિકની દુકાને પહોંચી, બાઈક રિપેર કરતા શીખ્યા! જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-06-28 12:52:39

સામાન્ય લોકો સાથે  જોડાવાનો પ્રયાસ રાહુલ ગાંધી ઘણા સમયથી કરી રહ્યા છે. ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી કોઈને કોઈ રીતે ચર્ચામાં રહ્યા છે. કોઈ વખત સ્ટૂડન્ટ સાથે વાતચીત કરતા દેખાય છે તો કોઈ વખત ટ્રકની મુસાફરી કરતા દેખાય છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દિલ્હીના કરોલ બાગના એક ગેરેજમાં પહોંચ્યા હતા અને ત્યાં મિકેનિક્સ સાથે કામ કરવા લાગ્યા હતા. મંગળવાર રાત્રે તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટો શેર કર્યા હતા. જે ફોટો શેર કરવામાં આવ્યા છે તેમાં રાહુલ ગાંધી બાઈકને ઠીક કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

લોકો સાથે જોડાવવાનો કરી રહ્યા છે પ્રયાસ 

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રાહુલ ગાંધી સામાન્ય માણસને પડતી મુશ્કેલીઓને સમજવા સામાન્ય લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે. લોકો સાથે વાતો કરી તેમની સાથે જોડાવાની તેમની કોશિશ છે. થોડા સમય પહેલા રાહુલ ગાંધી ટ્રકની મુસાફરી કરતા નજરે પડ્યા હતા. તે પહેલા પણ વિદ્યાર્થીઓની સાથે વાતચીત કરવા કેન્ટીન પહોંચ્યા હતા. ત્યારે હવે મેકેનિકની દુકાને પહોંચ્યા હતા. તેમણે મિકેનિકને બાઇક રિપેર કરતા જોયો ત્યારે તેમણે જાતે જ સ્ક્રુડ્રાઇવર ઉપાડ્યો અને બાઇક ઠીક કરવા લાગ્યા. આ પછી રાહુલ ગાંધી બીજી દુકાન પર પહોંચ્યા. ત્યાં મિકેનિકે રોયલ એનફિલ્ડ બાઇકના એન્જિનનો એક ભાગ ખોલી નાખ્યો હતો.  


રાહુલ ગાંધીને જોવા ઉમટ્યા લોકો

જ્યારે મિકેનીકની દુકાને પહોચ્યા ત્યારે લોકો તેમને જોવા માટે ઉમટ્યા હતા. લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. રાહુલે લોકો સાથે હાથ મિલાવ્યો હતો અને તેમની ખબર અંતર પૂછ્યા હતા. સ્થાનિક વેપારીઓ સાથે તેમજ દુકાનદારો સાથે પણ વાતચીત કરી હતી અને તેમની સમસ્યા જાણવાનો પ્રયત્ન કર્યો હતો. રાહુલ ગાંધી બાદ કોંગ્રેસે પણ આ ફોટો શેર કર્યા છે.      



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.