સાંસદ સભ્ય રદ્દ થયા બાદ રાહુલ ગાંધીએ કરી પ્રેસ કોન્ફરન્સ, કહ્યું હું પ્રશ્નો પૂછવાનું બંધ નહીં કરું...


  • Published By :
  • Published Date : 2023-03-25 15:44:59

મોદી અટકને લઈ આપેલા નિવેદનને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ સુરતની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. તે બાદ રાહુલ ગાંધીનું સાંસદપદ રદ્દ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ આજે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરી હતી જેમાં અનેક મુદ્દે સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા. પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મેં અનેક વખત કહ્યું છે કે ભારતના લોકતંત્ર પર આક્રમણ કરવામાં આવી રહ્યું છે. ગમે તે થાય હું પ્રશ્નો પૂછવાના બંધ નહીં કરુ. તે સિવાય અદાણી મુદ્દે પણ રાહુલ ગાંધી બોલ્યા હતા. 

અદાણી મુદ્દે રાહુલ ગાંધીએ કરી વાત 

હિંદુસ્તાનનું લોકતંત્ર ખતરામાં છે એ વાક્ય સાથે રાહુલ ગાંધીએ પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. એ પછી રાહુલ ગાંધીને અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ અનેક મુદ્દે ચર્ચા કરી હતી. અદાણી મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે કેટલાક નેતાઓએ મને કહ્યું કે મેં વિદેશી તાકાતની મદદ લીધી છે પરંતુ એવું કશું પણ નથી. સ્પીકરને અનેક વખત પત્રો લખ્યા છે. પરંતુ કોઈ જવાબ મળ્યા નથી. પરંતુ હું પ્રશ્નો પૂછવાનું બંધ નહીં કરું. હું પ્રશ્નો પૂછતો રહીશ.


સંસદમાં અનેક વખત પુરાવા પણ રજૂ કર્યા - રાહુલ ગાંધી

તે સિવાય તેમણે કહ્યું હતું કે મેં સંસદમાં સવાલ કર્યો હતો કે અદાણીની કંપનીમાં 20 હજાર કરોડનું કોઈએ રોકાણ કર્યું હતું તે રુપિયા કોના હતા. મેં અનેક વખત સંસદમાં કહ્યુ હતું કે પીએમ મોદી અને અદાણી વચ્ચે શું સંબંધો છે. વધુમાં તેમણે કહ્યું કે સંસદમાં મીડિયા રિપોર્ટમાંથી મળેલા પૂરાવા પણ રજૂ કર્યા હતા. પીએમ મોદી અને અદાણીના સંબંધો વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે આ સંબંધો નવા નથી જૂના છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી સંબંધો છે. મેં તેમના વિમાનમાં પ્રવાસનો ફોટો પણ બતાવ્યો હતો. પોતાના મિત્ર સાથે નરેન્દ્ર મોદી આરામથી બેઠા હોય તેવો ફોટો મેં સંસદમાં પણ બતાવ્યો છે.


હું લોકતંત્ર માટે લડતો રહીશ - રાહુલ ગાંધી 

ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રા પર મારૂં કોઈ પણ ભાષણ જૂઓ, મેં હંમેશા કહ્યું છે કે તમામ સમાજ એક છે. નફરત ન હોવી જોઈએ. ભાજપ ધ્યાન હટાવવાનું કામ કરે છે. ક્યારેક ઓબીસીની વાત કરશે તો ક્યારેક વિદેશની વાત કરશે. ઉપરાંત તેમણેએ પણ કહ્યું કે મને ફર્ક નથી પડતો કે હું સંસદની અંદર છું કે બહાર છું. મારે મારી તપસ્ચા કરવાની છે, એ હું કરીને બતાવીશ. તેમણે કહ્યું કે હું હિન્દુસ્તાનના લોકતંત્ર માટે લડી રહ્યો છું. હું લોકતંત્ર માટે લડતો રહીશ. હું કોઈનાથી નથી ડરતો. જો આ લોકો વિચારે છે કે મને અયોગ્ય સાબિત કરી. મને ધમકાવી, જેલમાં નાખી મારું મોહ બંધ કરશે તોએ મારી હિસ્ટ્રી નથી. હું હિંદુસ્તાનના લોકતંત્ર માટે લજી રહ્યો છું અને લડતો રહીશ. હું કોઈપણ વસ્તુથી ડરતો નથી.

    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.