સાંસદ સભ્ય રદ્દ થયા બાદ રાહુલ ગાંધીએ કરી પ્રેસ કોન્ફરન્સ, કહ્યું હું પ્રશ્નો પૂછવાનું બંધ નહીં કરું...


  • Published By :
  • Published Date : 2023-03-25 15:44:59

મોદી અટકને લઈ આપેલા નિવેદનને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ સુરતની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. તે બાદ રાહુલ ગાંધીનું સાંસદપદ રદ્દ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ આજે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરી હતી જેમાં અનેક મુદ્દે સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા. પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મેં અનેક વખત કહ્યું છે કે ભારતના લોકતંત્ર પર આક્રમણ કરવામાં આવી રહ્યું છે. ગમે તે થાય હું પ્રશ્નો પૂછવાના બંધ નહીં કરુ. તે સિવાય અદાણી મુદ્દે પણ રાહુલ ગાંધી બોલ્યા હતા. 

અદાણી મુદ્દે રાહુલ ગાંધીએ કરી વાત 

હિંદુસ્તાનનું લોકતંત્ર ખતરામાં છે એ વાક્ય સાથે રાહુલ ગાંધીએ પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. એ પછી રાહુલ ગાંધીને અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ અનેક મુદ્દે ચર્ચા કરી હતી. અદાણી મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે કેટલાક નેતાઓએ મને કહ્યું કે મેં વિદેશી તાકાતની મદદ લીધી છે પરંતુ એવું કશું પણ નથી. સ્પીકરને અનેક વખત પત્રો લખ્યા છે. પરંતુ કોઈ જવાબ મળ્યા નથી. પરંતુ હું પ્રશ્નો પૂછવાનું બંધ નહીં કરું. હું પ્રશ્નો પૂછતો રહીશ.


સંસદમાં અનેક વખત પુરાવા પણ રજૂ કર્યા - રાહુલ ગાંધી

તે સિવાય તેમણે કહ્યું હતું કે મેં સંસદમાં સવાલ કર્યો હતો કે અદાણીની કંપનીમાં 20 હજાર કરોડનું કોઈએ રોકાણ કર્યું હતું તે રુપિયા કોના હતા. મેં અનેક વખત સંસદમાં કહ્યુ હતું કે પીએમ મોદી અને અદાણી વચ્ચે શું સંબંધો છે. વધુમાં તેમણે કહ્યું કે સંસદમાં મીડિયા રિપોર્ટમાંથી મળેલા પૂરાવા પણ રજૂ કર્યા હતા. પીએમ મોદી અને અદાણીના સંબંધો વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે આ સંબંધો નવા નથી જૂના છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી સંબંધો છે. મેં તેમના વિમાનમાં પ્રવાસનો ફોટો પણ બતાવ્યો હતો. પોતાના મિત્ર સાથે નરેન્દ્ર મોદી આરામથી બેઠા હોય તેવો ફોટો મેં સંસદમાં પણ બતાવ્યો છે.


હું લોકતંત્ર માટે લડતો રહીશ - રાહુલ ગાંધી 

ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રા પર મારૂં કોઈ પણ ભાષણ જૂઓ, મેં હંમેશા કહ્યું છે કે તમામ સમાજ એક છે. નફરત ન હોવી જોઈએ. ભાજપ ધ્યાન હટાવવાનું કામ કરે છે. ક્યારેક ઓબીસીની વાત કરશે તો ક્યારેક વિદેશની વાત કરશે. ઉપરાંત તેમણેએ પણ કહ્યું કે મને ફર્ક નથી પડતો કે હું સંસદની અંદર છું કે બહાર છું. મારે મારી તપસ્ચા કરવાની છે, એ હું કરીને બતાવીશ. તેમણે કહ્યું કે હું હિન્દુસ્તાનના લોકતંત્ર માટે લડી રહ્યો છું. હું લોકતંત્ર માટે લડતો રહીશ. હું કોઈનાથી નથી ડરતો. જો આ લોકો વિચારે છે કે મને અયોગ્ય સાબિત કરી. મને ધમકાવી, જેલમાં નાખી મારું મોહ બંધ કરશે તોએ મારી હિસ્ટ્રી નથી. હું હિંદુસ્તાનના લોકતંત્ર માટે લજી રહ્યો છું અને લડતો રહીશ. હું કોઈપણ વસ્તુથી ડરતો નથી.

    



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.