રાહુલ ગાંધી એકબાદ એક નેતાઓ સાથે કરી રહ્યા છે મીટીંગ, ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી શકે છે રાહુલ ગાંધી!


  • Published By :
  • Published Date : 2023-04-14 14:12:38

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી જાણે વિપક્ષને જોડવામાં લાગ્યા હોય તેવું લાગી રહ્યું છે. એક બાદ એક રાજકીય પાર્ટીના નેતાઓ સાથે બેઠક અને મુલાકાત કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ નીતીશ કુમાર અને બિહારના ડે. સીએમ સાથે દિલ્હીમાં બેઠક કરી હતી અને જાણે વિપક્ષને એક સાથે લાવવાનો પ્રયાસ કરાયો હોય તેવું લાગી રહ્યું હતું. ત્યારે એવી પણ માહિતી મળી રહી છે રાહુલ ગાંધી મહારાષ્ટ્ર જઈ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી શકે છે. 

Rahul Gandhi is a fool': Old videos of Uddhav Thackeray spewing ridicule on  Congress emerge | National News – India TV

ઉદ્ધવ ઠાકરે સાથે રાહુલ ગાંધી કરી શકે છે મુલાકાત 

છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી ચર્ચામાં રહ્યા છે. થોડા સમય પહેલા રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ થઈ હતી. જે બાદ થોડા દિવસ પહેલા નીતીશ કુમારે રાહુલ ગાંધીની મુલાકાત કરી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી ઉદ્ધવ ઠાકરે સાથે પણ મુલાકાત કરી શકે છે. વિપક્ષોને એક જૂથ કરવા પ્રયત્ન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. મુંબઈ ખાતે આવેલા માતોશ્રીમાં બેઠક કરી શકે છે. લોકસભા ચૂંટણીને લઈને પણ આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે. રણનીતિ અંગે રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરે ચર્ચા કરી શકે છે. 

Historic step to unite opposition': Rahul Gandhi after meeting Nitish Kumar  | Latest News India - Hindustan Times

Historic step to unite opposition': Rahul Gandhi after meeting Nitish Kumar,  Tejashwi Yadav - The Week


આ પહેલા નીતીશ કુમાર સાથે પણ થઈ હતી બેઠક 

ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત થાય તે પહેલા રાહુલ ગાંધીએ ગુરૂવારે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સાથે શરદ પવાર સાથે બેઠક કરી હતી. શરદ પવારે આ મીટિંગમાં તૃણુમુલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને સાથે લાવવાની વાત કરી હતી. બેઠક બાદ ત્રણેય નેતાઓએ કહ્યું કે વિપક્ષે એક થવાની જરૂર છે. ત્યારે રાહુલ ગાંધીની ઉદ્ધવ ઠાકરેની આ બેઠક મહત્વની માનવામાં  આવે છે.          



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.