રાહુલ ગાંધી એકબાદ એક નેતાઓ સાથે કરી રહ્યા છે મીટીંગ, ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી શકે છે રાહુલ ગાંધી!


  • Published By :
  • Published Date : 2023-04-14 14:12:38

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી જાણે વિપક્ષને જોડવામાં લાગ્યા હોય તેવું લાગી રહ્યું છે. એક બાદ એક રાજકીય પાર્ટીના નેતાઓ સાથે બેઠક અને મુલાકાત કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ નીતીશ કુમાર અને બિહારના ડે. સીએમ સાથે દિલ્હીમાં બેઠક કરી હતી અને જાણે વિપક્ષને એક સાથે લાવવાનો પ્રયાસ કરાયો હોય તેવું લાગી રહ્યું હતું. ત્યારે એવી પણ માહિતી મળી રહી છે રાહુલ ગાંધી મહારાષ્ટ્ર જઈ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી શકે છે. 

Rahul Gandhi is a fool': Old videos of Uddhav Thackeray spewing ridicule on  Congress emerge | National News – India TV

ઉદ્ધવ ઠાકરે સાથે રાહુલ ગાંધી કરી શકે છે મુલાકાત 

છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી ચર્ચામાં રહ્યા છે. થોડા સમય પહેલા રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ થઈ હતી. જે બાદ થોડા દિવસ પહેલા નીતીશ કુમારે રાહુલ ગાંધીની મુલાકાત કરી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી ઉદ્ધવ ઠાકરે સાથે પણ મુલાકાત કરી શકે છે. વિપક્ષોને એક જૂથ કરવા પ્રયત્ન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. મુંબઈ ખાતે આવેલા માતોશ્રીમાં બેઠક કરી શકે છે. લોકસભા ચૂંટણીને લઈને પણ આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે. રણનીતિ અંગે રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરે ચર્ચા કરી શકે છે. 

Historic step to unite opposition': Rahul Gandhi after meeting Nitish Kumar  | Latest News India - Hindustan Times

Historic step to unite opposition': Rahul Gandhi after meeting Nitish Kumar,  Tejashwi Yadav - The Week


આ પહેલા નીતીશ કુમાર સાથે પણ થઈ હતી બેઠક 

ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત થાય તે પહેલા રાહુલ ગાંધીએ ગુરૂવારે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સાથે શરદ પવાર સાથે બેઠક કરી હતી. શરદ પવારે આ મીટિંગમાં તૃણુમુલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને સાથે લાવવાની વાત કરી હતી. બેઠક બાદ ત્રણેય નેતાઓએ કહ્યું કે વિપક્ષે એક થવાની જરૂર છે. ત્યારે રાહુલ ગાંધીની ઉદ્ધવ ઠાકરેની આ બેઠક મહત્વની માનવામાં  આવે છે.          



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.