રાહુલ ગાંધી એકબાદ એક નેતાઓ સાથે કરી રહ્યા છે મીટીંગ, ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી શકે છે રાહુલ ગાંધી!


  • Published By :
  • Published Date : 2023-04-14 14:12:38

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી જાણે વિપક્ષને જોડવામાં લાગ્યા હોય તેવું લાગી રહ્યું છે. એક બાદ એક રાજકીય પાર્ટીના નેતાઓ સાથે બેઠક અને મુલાકાત કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ નીતીશ કુમાર અને બિહારના ડે. સીએમ સાથે દિલ્હીમાં બેઠક કરી હતી અને જાણે વિપક્ષને એક સાથે લાવવાનો પ્રયાસ કરાયો હોય તેવું લાગી રહ્યું હતું. ત્યારે એવી પણ માહિતી મળી રહી છે રાહુલ ગાંધી મહારાષ્ટ્ર જઈ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી શકે છે. 

Rahul Gandhi is a fool': Old videos of Uddhav Thackeray spewing ridicule on  Congress emerge | National News – India TV

ઉદ્ધવ ઠાકરે સાથે રાહુલ ગાંધી કરી શકે છે મુલાકાત 

છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી ચર્ચામાં રહ્યા છે. થોડા સમય પહેલા રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ થઈ હતી. જે બાદ થોડા દિવસ પહેલા નીતીશ કુમારે રાહુલ ગાંધીની મુલાકાત કરી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી ઉદ્ધવ ઠાકરે સાથે પણ મુલાકાત કરી શકે છે. વિપક્ષોને એક જૂથ કરવા પ્રયત્ન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. મુંબઈ ખાતે આવેલા માતોશ્રીમાં બેઠક કરી શકે છે. લોકસભા ચૂંટણીને લઈને પણ આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે. રણનીતિ અંગે રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરે ચર્ચા કરી શકે છે. 

Historic step to unite opposition': Rahul Gandhi after meeting Nitish Kumar  | Latest News India - Hindustan Times

Historic step to unite opposition': Rahul Gandhi after meeting Nitish Kumar,  Tejashwi Yadav - The Week


આ પહેલા નીતીશ કુમાર સાથે પણ થઈ હતી બેઠક 

ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત થાય તે પહેલા રાહુલ ગાંધીએ ગુરૂવારે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સાથે શરદ પવાર સાથે બેઠક કરી હતી. શરદ પવારે આ મીટિંગમાં તૃણુમુલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને સાથે લાવવાની વાત કરી હતી. બેઠક બાદ ત્રણેય નેતાઓએ કહ્યું કે વિપક્ષે એક થવાની જરૂર છે. ત્યારે રાહુલ ગાંધીની ઉદ્ધવ ઠાકરેની આ બેઠક મહત્વની માનવામાં  આવે છે.          



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.