રાહુલ ગાંધીની જેમ 2006માં તેમના મમ્મીનું લોકસભા સભ્યપદ પદ પણ રદ્દ થયું હતું, શું હતો સમગ્ર મામલો? જાણો


  • Published By :
  • Published Date : 2023-03-24 15:46:17

રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ પદ રદ્દ થયું છે. માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરતની કોર્ટે ગઈ કાલે તેમને બે વર્ષની સજા સંભળાવતા તેમને સભ્ય ગુમાવવું પડ્યું છે. લોકસભા સચિવે નોટિફિકેશન જાહેર કરી કેરળના વાયનાડ બેઠકથી સાંસદ રાહુલ ગાંધીનું સભ્ય પદ રદ્દ કર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ જ પ્રકારે 2006માં સોનિયા ગાંધીને પણ યુપીએ-1ના શાસનકાળમાં ઓફિસ ઓફ પ્રોફિટ કેસમાં તેમને લોક સભા સભ્યપદેથી હાથ ધોવા પડ્યા હતા. 


ઓફિસ ઓફ પ્રોફિટ કેસ શું હતો?


વર્ષ 2006માં યુપીએ-1ના શાસનકાળમાં સોનિયા ગાંધી સામે ઓફિસ ઓફ પ્રોફિટનો કેસ સામે આવ્યો હતો. તે સમયે સોનિયા ગાંધી રાયબરેલીના સાંસદ હતા, તે ઉપરાંત તે મનમોહન સિંહ સરકારમાં રચાયેલી રાષ્ટ્રિય સલાહકાર પરિષદના ચેરમેન પણ હતા. જેને ઓફિસ ઓફ પ્રોફિટ ગણવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. બાદમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જો કોઈ સાંસદ અથવા ધારાસભ્યએ 'ઓફિસ ઓફ પ્રોફિટ' નો લાભ લીધો છે, તો તેમનું સભ્યપદ અયોગ્ય ગણાશે, પછી ભલે તેમણે પગાર અથવા અન્ય ભથ્થાં લીધા હોય કે ન લીધા હોય.


'ઓફિસ ઓફ પ્રોફિટ' શું છે


બંધારણના અનુચ્છેદ 102 (1) A હેઠળ, સાંસદો અથવા ધારાસભ્યો અન્ય કોઈ હોદ્દા પર રહી શકતા નથી જ્યાં પગાર, ભથ્થાં અથવા અન્ય લાભો ઉપલબ્ધ હોય.

આ ઉપરાંત સંસદસભ્યો અને ધારાસભ્યોને અન્ય પદો લેવાથી રોકવા માટે બંધારણની કલમ 191 (1) (A) અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 9 (A) હેઠળ જોગવાઈ છે.


લાભના પદને લઈ કાયદો બન્યો હતો


યુપીએ સરકારે 16 મે 2006ના દિવસે લોકસભામાં લાભના પદની વ્યાખ્યા માટે એક કાયદો બનાવ્યો હતો, ત્યાર બાદ રાષ્ટ્રિય સલાહકાર પરિષદ સહિત 45 પદને લાભના પદથી બહાર રાખવામાં આવ્યા હતા. જો કે અત્યાર સુધી લાભના પદની પરિભાષા સ્પષ્ટ થઈ નથી.


જયા બચ્ચને પણ સભ્ય પદ ગુમાવ્યું હતું 


તે જ સમયે રાજ્ય સભા સાંસદ જયા બચ્ચનની પણ સદસ્યતા ઓફિસ ઓફ પ્રોફિટના કારણે રદ્દ થઈ હતી. કારણ કે તે સમયે જયા બચ્ચન સાંસદ ઉપરાંત ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ નિગમના અધ્યક્ષ પણ હતા. આ જ કારણે તેમને પણ રાજ્ય સભા સભ્ય પદ ગુમાવવું પડ્યું હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે