રાહુલ ગાંધીની જેમ 2006માં તેમના મમ્મીનું લોકસભા સભ્યપદ પદ પણ રદ્દ થયું હતું, શું હતો સમગ્ર મામલો? જાણો


  • Published By :
  • Published Date : 2023-03-24 15:46:17

રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ પદ રદ્દ થયું છે. માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરતની કોર્ટે ગઈ કાલે તેમને બે વર્ષની સજા સંભળાવતા તેમને સભ્ય ગુમાવવું પડ્યું છે. લોકસભા સચિવે નોટિફિકેશન જાહેર કરી કેરળના વાયનાડ બેઠકથી સાંસદ રાહુલ ગાંધીનું સભ્ય પદ રદ્દ કર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ જ પ્રકારે 2006માં સોનિયા ગાંધીને પણ યુપીએ-1ના શાસનકાળમાં ઓફિસ ઓફ પ્રોફિટ કેસમાં તેમને લોક સભા સભ્યપદેથી હાથ ધોવા પડ્યા હતા. 


ઓફિસ ઓફ પ્રોફિટ કેસ શું હતો?


વર્ષ 2006માં યુપીએ-1ના શાસનકાળમાં સોનિયા ગાંધી સામે ઓફિસ ઓફ પ્રોફિટનો કેસ સામે આવ્યો હતો. તે સમયે સોનિયા ગાંધી રાયબરેલીના સાંસદ હતા, તે ઉપરાંત તે મનમોહન સિંહ સરકારમાં રચાયેલી રાષ્ટ્રિય સલાહકાર પરિષદના ચેરમેન પણ હતા. જેને ઓફિસ ઓફ પ્રોફિટ ગણવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. બાદમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જો કોઈ સાંસદ અથવા ધારાસભ્યએ 'ઓફિસ ઓફ પ્રોફિટ' નો લાભ લીધો છે, તો તેમનું સભ્યપદ અયોગ્ય ગણાશે, પછી ભલે તેમણે પગાર અથવા અન્ય ભથ્થાં લીધા હોય કે ન લીધા હોય.


'ઓફિસ ઓફ પ્રોફિટ' શું છે


બંધારણના અનુચ્છેદ 102 (1) A હેઠળ, સાંસદો અથવા ધારાસભ્યો અન્ય કોઈ હોદ્દા પર રહી શકતા નથી જ્યાં પગાર, ભથ્થાં અથવા અન્ય લાભો ઉપલબ્ધ હોય.

આ ઉપરાંત સંસદસભ્યો અને ધારાસભ્યોને અન્ય પદો લેવાથી રોકવા માટે બંધારણની કલમ 191 (1) (A) અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 9 (A) હેઠળ જોગવાઈ છે.


લાભના પદને લઈ કાયદો બન્યો હતો


યુપીએ સરકારે 16 મે 2006ના દિવસે લોકસભામાં લાભના પદની વ્યાખ્યા માટે એક કાયદો બનાવ્યો હતો, ત્યાર બાદ રાષ્ટ્રિય સલાહકાર પરિષદ સહિત 45 પદને લાભના પદથી બહાર રાખવામાં આવ્યા હતા. જો કે અત્યાર સુધી લાભના પદની પરિભાષા સ્પષ્ટ થઈ નથી.


જયા બચ્ચને પણ સભ્ય પદ ગુમાવ્યું હતું 


તે જ સમયે રાજ્ય સભા સાંસદ જયા બચ્ચનની પણ સદસ્યતા ઓફિસ ઓફ પ્રોફિટના કારણે રદ્દ થઈ હતી. કારણ કે તે સમયે જયા બચ્ચન સાંસદ ઉપરાંત ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ નિગમના અધ્યક્ષ પણ હતા. આ જ કારણે તેમને પણ રાજ્ય સભા સભ્ય પદ ગુમાવવું પડ્યું હતું.



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.