રાહુલ ગાંધીની જેમ 2006માં તેમના મમ્મીનું લોકસભા સભ્યપદ પદ પણ રદ્દ થયું હતું, શું હતો સમગ્ર મામલો? જાણો


  • Published By :
  • Published Date : 2023-03-24 15:46:17

રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ પદ રદ્દ થયું છે. માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરતની કોર્ટે ગઈ કાલે તેમને બે વર્ષની સજા સંભળાવતા તેમને સભ્ય ગુમાવવું પડ્યું છે. લોકસભા સચિવે નોટિફિકેશન જાહેર કરી કેરળના વાયનાડ બેઠકથી સાંસદ રાહુલ ગાંધીનું સભ્ય પદ રદ્દ કર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ જ પ્રકારે 2006માં સોનિયા ગાંધીને પણ યુપીએ-1ના શાસનકાળમાં ઓફિસ ઓફ પ્રોફિટ કેસમાં તેમને લોક સભા સભ્યપદેથી હાથ ધોવા પડ્યા હતા. 


ઓફિસ ઓફ પ્રોફિટ કેસ શું હતો?


વર્ષ 2006માં યુપીએ-1ના શાસનકાળમાં સોનિયા ગાંધી સામે ઓફિસ ઓફ પ્રોફિટનો કેસ સામે આવ્યો હતો. તે સમયે સોનિયા ગાંધી રાયબરેલીના સાંસદ હતા, તે ઉપરાંત તે મનમોહન સિંહ સરકારમાં રચાયેલી રાષ્ટ્રિય સલાહકાર પરિષદના ચેરમેન પણ હતા. જેને ઓફિસ ઓફ પ્રોફિટ ગણવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. બાદમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જો કોઈ સાંસદ અથવા ધારાસભ્યએ 'ઓફિસ ઓફ પ્રોફિટ' નો લાભ લીધો છે, તો તેમનું સભ્યપદ અયોગ્ય ગણાશે, પછી ભલે તેમણે પગાર અથવા અન્ય ભથ્થાં લીધા હોય કે ન લીધા હોય.


'ઓફિસ ઓફ પ્રોફિટ' શું છે


બંધારણના અનુચ્છેદ 102 (1) A હેઠળ, સાંસદો અથવા ધારાસભ્યો અન્ય કોઈ હોદ્દા પર રહી શકતા નથી જ્યાં પગાર, ભથ્થાં અથવા અન્ય લાભો ઉપલબ્ધ હોય.

આ ઉપરાંત સંસદસભ્યો અને ધારાસભ્યોને અન્ય પદો લેવાથી રોકવા માટે બંધારણની કલમ 191 (1) (A) અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 9 (A) હેઠળ જોગવાઈ છે.


લાભના પદને લઈ કાયદો બન્યો હતો


યુપીએ સરકારે 16 મે 2006ના દિવસે લોકસભામાં લાભના પદની વ્યાખ્યા માટે એક કાયદો બનાવ્યો હતો, ત્યાર બાદ રાષ્ટ્રિય સલાહકાર પરિષદ સહિત 45 પદને લાભના પદથી બહાર રાખવામાં આવ્યા હતા. જો કે અત્યાર સુધી લાભના પદની પરિભાષા સ્પષ્ટ થઈ નથી.


જયા બચ્ચને પણ સભ્ય પદ ગુમાવ્યું હતું 


તે જ સમયે રાજ્ય સભા સાંસદ જયા બચ્ચનની પણ સદસ્યતા ઓફિસ ઓફ પ્રોફિટના કારણે રદ્દ થઈ હતી. કારણ કે તે સમયે જયા બચ્ચન સાંસદ ઉપરાંત ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ નિગમના અધ્યક્ષ પણ હતા. આ જ કારણે તેમને પણ રાજ્ય સભા સભ્ય પદ ગુમાવવું પડ્યું હતું.



બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.