રાહુલ ગાંધીની જેમ 2006માં તેમના મમ્મીનું લોકસભા સભ્યપદ પદ પણ રદ્દ થયું હતું, શું હતો સમગ્ર મામલો? જાણો


  • Published By :
  • Published Date : 2023-03-24 15:46:17

રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ પદ રદ્દ થયું છે. માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરતની કોર્ટે ગઈ કાલે તેમને બે વર્ષની સજા સંભળાવતા તેમને સભ્ય ગુમાવવું પડ્યું છે. લોકસભા સચિવે નોટિફિકેશન જાહેર કરી કેરળના વાયનાડ બેઠકથી સાંસદ રાહુલ ગાંધીનું સભ્ય પદ રદ્દ કર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ જ પ્રકારે 2006માં સોનિયા ગાંધીને પણ યુપીએ-1ના શાસનકાળમાં ઓફિસ ઓફ પ્રોફિટ કેસમાં તેમને લોક સભા સભ્યપદેથી હાથ ધોવા પડ્યા હતા. 


ઓફિસ ઓફ પ્રોફિટ કેસ શું હતો?


વર્ષ 2006માં યુપીએ-1ના શાસનકાળમાં સોનિયા ગાંધી સામે ઓફિસ ઓફ પ્રોફિટનો કેસ સામે આવ્યો હતો. તે સમયે સોનિયા ગાંધી રાયબરેલીના સાંસદ હતા, તે ઉપરાંત તે મનમોહન સિંહ સરકારમાં રચાયેલી રાષ્ટ્રિય સલાહકાર પરિષદના ચેરમેન પણ હતા. જેને ઓફિસ ઓફ પ્રોફિટ ગણવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. બાદમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જો કોઈ સાંસદ અથવા ધારાસભ્યએ 'ઓફિસ ઓફ પ્રોફિટ' નો લાભ લીધો છે, તો તેમનું સભ્યપદ અયોગ્ય ગણાશે, પછી ભલે તેમણે પગાર અથવા અન્ય ભથ્થાં લીધા હોય કે ન લીધા હોય.


'ઓફિસ ઓફ પ્રોફિટ' શું છે


બંધારણના અનુચ્છેદ 102 (1) A હેઠળ, સાંસદો અથવા ધારાસભ્યો અન્ય કોઈ હોદ્દા પર રહી શકતા નથી જ્યાં પગાર, ભથ્થાં અથવા અન્ય લાભો ઉપલબ્ધ હોય.

આ ઉપરાંત સંસદસભ્યો અને ધારાસભ્યોને અન્ય પદો લેવાથી રોકવા માટે બંધારણની કલમ 191 (1) (A) અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 9 (A) હેઠળ જોગવાઈ છે.


લાભના પદને લઈ કાયદો બન્યો હતો


યુપીએ સરકારે 16 મે 2006ના દિવસે લોકસભામાં લાભના પદની વ્યાખ્યા માટે એક કાયદો બનાવ્યો હતો, ત્યાર બાદ રાષ્ટ્રિય સલાહકાર પરિષદ સહિત 45 પદને લાભના પદથી બહાર રાખવામાં આવ્યા હતા. જો કે અત્યાર સુધી લાભના પદની પરિભાષા સ્પષ્ટ થઈ નથી.


જયા બચ્ચને પણ સભ્ય પદ ગુમાવ્યું હતું 


તે જ સમયે રાજ્ય સભા સાંસદ જયા બચ્ચનની પણ સદસ્યતા ઓફિસ ઓફ પ્રોફિટના કારણે રદ્દ થઈ હતી. કારણ કે તે સમયે જયા બચ્ચન સાંસદ ઉપરાંત ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ નિગમના અધ્યક્ષ પણ હતા. આ જ કારણે તેમને પણ રાજ્ય સભા સભ્ય પદ ગુમાવવું પડ્યું હતું.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.