દેશની સુરક્ષા મુદ્દે રાહુલ ગાંધીએ આપ્યું નિવેદન


  • Published By :
  • Published Date : 2022-12-26 10:23:42

ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તવાંગ પર વધતા તનાવ વચ્ચે રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ચીન અને પાકિસ્તાન એક છે. અને જો યુદ્ધ થયું તો એક દેશ સાથે નહીં પરંતુ બંને દેશો જોડે થશે. જેને કારણે ભારતને ઘણું નુકસાન થવાનું છે.

  

ભારત અને ચીન વિવાદ પર બોલ્યા રાહુલ ગાંધી    

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓ પર વાત કરી છે. અનેક લોકો સાથે મુલાકાત પણ કરી છે. ત્યારે રાહુલ ગાંધીએ રિટાર્યડ સૈનિકો સાથે વાતચીત કરી છે. સૈનિકો સાથે વાતચીત કરતા સમયે રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત અત્યંત નાજૂક પરિસ્થિતિમાં છે. ભારતે ઠોસ કદમ ઉઠાવવા પડશે નહીં તો આવનાર સમયમાં ભારતને નુકસાન થઈ શકે છે. 


રિટાર્ટડ સૈનિકો સાથે રાહુલ ગાંધીએ કરી વાત 

રવિવારે કોંગ્રેસ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં પૂર્વ સૈનિકો સાથે રાહુલ ગાંધી ચર્ચા કરી રહ્યા છે. આ વીડિયોમાં ગલવાન અને ડોકલામ મુદ્દે વાતચીત કરવામાં આવી હતી. ભારતીય સૈનિકો અને ચીન સૈનિકો વચ્ચે ચાલતા વિવાદને લઈ રાહુલ ગાંધી વાત કરી રહ્યા હતા. રાહુલે કહ્યું કે ચીન અને પાકિસ્તાન એક થઈ ગયા છે. જો યુદ્ઘ થશે તો એક દેશ સાથે નહીં થાય પરંતુ બંને દેશો સાથે થશે.           



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.