દેશની સુરક્ષા મુદ્દે રાહુલ ગાંધીએ આપ્યું નિવેદન


  • Published By :
  • Published Date : 2022-12-26 10:23:42

ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તવાંગ પર વધતા તનાવ વચ્ચે રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ચીન અને પાકિસ્તાન એક છે. અને જો યુદ્ધ થયું તો એક દેશ સાથે નહીં પરંતુ બંને દેશો જોડે થશે. જેને કારણે ભારતને ઘણું નુકસાન થવાનું છે.

  

ભારત અને ચીન વિવાદ પર બોલ્યા રાહુલ ગાંધી    

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓ પર વાત કરી છે. અનેક લોકો સાથે મુલાકાત પણ કરી છે. ત્યારે રાહુલ ગાંધીએ રિટાર્યડ સૈનિકો સાથે વાતચીત કરી છે. સૈનિકો સાથે વાતચીત કરતા સમયે રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત અત્યંત નાજૂક પરિસ્થિતિમાં છે. ભારતે ઠોસ કદમ ઉઠાવવા પડશે નહીં તો આવનાર સમયમાં ભારતને નુકસાન થઈ શકે છે. 


રિટાર્ટડ સૈનિકો સાથે રાહુલ ગાંધીએ કરી વાત 

રવિવારે કોંગ્રેસ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં પૂર્વ સૈનિકો સાથે રાહુલ ગાંધી ચર્ચા કરી રહ્યા છે. આ વીડિયોમાં ગલવાન અને ડોકલામ મુદ્દે વાતચીત કરવામાં આવી હતી. ભારતીય સૈનિકો અને ચીન સૈનિકો વચ્ચે ચાલતા વિવાદને લઈ રાહુલ ગાંધી વાત કરી રહ્યા હતા. રાહુલે કહ્યું કે ચીન અને પાકિસ્તાન એક થઈ ગયા છે. જો યુદ્ઘ થશે તો એક દેશ સાથે નહીં થાય પરંતુ બંને દેશો સાથે થશે.           



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.