દેશની સુરક્ષા મુદ્દે રાહુલ ગાંધીએ આપ્યું નિવેદન


  • Published By :
  • Published Date : 2022-12-26 10:23:42

ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તવાંગ પર વધતા તનાવ વચ્ચે રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ચીન અને પાકિસ્તાન એક છે. અને જો યુદ્ધ થયું તો એક દેશ સાથે નહીં પરંતુ બંને દેશો જોડે થશે. જેને કારણે ભારતને ઘણું નુકસાન થવાનું છે.

  

ભારત અને ચીન વિવાદ પર બોલ્યા રાહુલ ગાંધી    

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓ પર વાત કરી છે. અનેક લોકો સાથે મુલાકાત પણ કરી છે. ત્યારે રાહુલ ગાંધીએ રિટાર્યડ સૈનિકો સાથે વાતચીત કરી છે. સૈનિકો સાથે વાતચીત કરતા સમયે રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત અત્યંત નાજૂક પરિસ્થિતિમાં છે. ભારતે ઠોસ કદમ ઉઠાવવા પડશે નહીં તો આવનાર સમયમાં ભારતને નુકસાન થઈ શકે છે. 


રિટાર્ટડ સૈનિકો સાથે રાહુલ ગાંધીએ કરી વાત 

રવિવારે કોંગ્રેસ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં પૂર્વ સૈનિકો સાથે રાહુલ ગાંધી ચર્ચા કરી રહ્યા છે. આ વીડિયોમાં ગલવાન અને ડોકલામ મુદ્દે વાતચીત કરવામાં આવી હતી. ભારતીય સૈનિકો અને ચીન સૈનિકો વચ્ચે ચાલતા વિવાદને લઈ રાહુલ ગાંધી વાત કરી રહ્યા હતા. રાહુલે કહ્યું કે ચીન અને પાકિસ્તાન એક થઈ ગયા છે. જો યુદ્ઘ થશે તો એક દેશ સાથે નહીં થાય પરંતુ બંને દેશો સાથે થશે.           



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.