દેશની સુરક્ષા મુદ્દે રાહુલ ગાંધીએ આપ્યું નિવેદન


  • Published By :
  • Published Date : 2022-12-26 10:23:42

ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તવાંગ પર વધતા તનાવ વચ્ચે રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ચીન અને પાકિસ્તાન એક છે. અને જો યુદ્ધ થયું તો એક દેશ સાથે નહીં પરંતુ બંને દેશો જોડે થશે. જેને કારણે ભારતને ઘણું નુકસાન થવાનું છે.

  

ભારત અને ચીન વિવાદ પર બોલ્યા રાહુલ ગાંધી    

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓ પર વાત કરી છે. અનેક લોકો સાથે મુલાકાત પણ કરી છે. ત્યારે રાહુલ ગાંધીએ રિટાર્યડ સૈનિકો સાથે વાતચીત કરી છે. સૈનિકો સાથે વાતચીત કરતા સમયે રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત અત્યંત નાજૂક પરિસ્થિતિમાં છે. ભારતે ઠોસ કદમ ઉઠાવવા પડશે નહીં તો આવનાર સમયમાં ભારતને નુકસાન થઈ શકે છે. 


રિટાર્ટડ સૈનિકો સાથે રાહુલ ગાંધીએ કરી વાત 

રવિવારે કોંગ્રેસ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં પૂર્વ સૈનિકો સાથે રાહુલ ગાંધી ચર્ચા કરી રહ્યા છે. આ વીડિયોમાં ગલવાન અને ડોકલામ મુદ્દે વાતચીત કરવામાં આવી હતી. ભારતીય સૈનિકો અને ચીન સૈનિકો વચ્ચે ચાલતા વિવાદને લઈ રાહુલ ગાંધી વાત કરી રહ્યા હતા. રાહુલે કહ્યું કે ચીન અને પાકિસ્તાન એક થઈ ગયા છે. જો યુદ્ઘ થશે તો એક દેશ સાથે નહીં થાય પરંતુ બંને દેશો સાથે થશે.           



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.