રાહુલ ગાંધીએ 10 વર્ષ પહેલા કરેલી એક ગફલત આજે ભારે પડી, તે મોટી ભૂલ કઈ હતી? જાણો


  • Published By :
  • Published Date : 2023-03-24 20:42:53

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું લોકસભા સભ્ય પદ રદ્દ થયું છે, સૂરતની કોર્ટે ગઈ કાલે રાહુલ ગાંધીને માનહાનિનાં કેસમાં 2 વર્ષની સજા સંભળાવી હતી. જો કે કોર્ટથી તેમને તરત જ જામીન મળી ગઈ અને સજાને 30 દિવસ માટે મોકુફ કરી છે. પરંતુ રાહુલ ગાંધીની મુશ્કેલી હજુ યથાવત જ છે. આ ઘટનાક્રમ દરમિયાન રાજકીય વિશ્લેષકો રાહુલ ગાંધીએ આજથી 10 વર્ષ પહેલા કરેલી એક ભૂલને યાદ કરી રહ્યા છે. તે સમયે જો રાહુલ ગાંધીએ આ ભૂલ ન કરી હોત તો આજે તેમનું સાંસદ પદ સુરક્ષીત રહ્યું હોત, આવો જાણીએ કે રાહુલ ગાંધીએ તે સમયે શું મોટી ભૂલ કરી હતી.


શું હતો સમગ્ર મામલો?


વર્ષ 2013માં RJD સુપ્રીમો લાલુ યાદવ ચારા કૌંભાડમાં દોષીત જાહેર થયાં બાદ તેમનું લોકસભા સભ્ય પર પણ સંકટ આવી શકે તેમ હતું. તે સમયે યુપીએ-2ના શાસનમાં પીએમ મનમોહન સિંહની સરકાર એક ખરડો લઈને આવી. તેમાં કહેવામાં આવ્યું હતું કે વર્તમાન સાંસદ કે વિધાયકને જો કોઈ કોર્ટ દ્વારા દોષીત જાહેર કરવામાં આવે છે અને જો તેમણે ઉપલી અદાલતમાં અરજી કરેલ છે તો તેમની સદસ્યતા નહીં જાય. જો કે તે સમય દરમિયાન તેઓ સંસદમાં વોટ નહીં આપી શકે અને તેમને વેતન પણ નહીં મળે. રાહુલ ગાંધીએ તે સમયે આ ખરડાને બકવાસ કહ્યો હતો અને તે વટહુકમને પ્રેસ કોન્ફેરન્સમાં જ ફાંડી નાંખ્યો હતો. જો આ ખરડો તે સમયે સંસદમાં પસાર થઈને કાયદો બન્યો હોત તો રાહુલ ગાંધીને લોકસભા સભ્ય પદ ગુમાવવાનો દિવસ આવ્યો નહોત.


વર્ષ 2013નો સુપ્રીમનો ચુકાદો શું કહે છે?


વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટે બંધારણના લોક-પ્રતિનિધિ અધિનિયમ 1951ને લઈને ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે આ અધિનિયમની કલમ 8(4)ને ગેરબંધારણિય ઠેરવી હતી. આ કલમ અનુસાર ગુનાહિત મામલામાં 2 વર્ષ કે તેથી વધારે સજાની જોગવાઈવાળી કલમો અંતર્ગત કોઈ પ્રખ્યાત પ્રતિનિધિને તે  દોષીત કરાર રૂપે અયોગ્ય ન ઠેરવી શકાય જો તેના તરફથી ઉપરી કોર્ટમાં અપીલ કરવામાં આવી હોય. એટલે કે કલમ 8(4) દોષીત સાંસદ, વિધાયકને કોર્ટનાં નિર્ણયનાં વિરોધમાં અપીલ પેન્ડિગ હોય તો પણ તેમનું પદ યથાવત રહે છે. સુપ્રીમ કોર્ટે આપેલા આ ચુકાદા બાદ કોઈપણ કોર્ટમાં દોષીત જાહેર થયેલા નેતાનું ધારાસભ્ય પદ અને અને સાંસદ પદ જતું રહે છે. વળી તે નેતા આગામી 6 વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય થઈ જાય છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.