રાહુલ ગાંધીએ 10 વર્ષ પહેલા કરેલી એક ગફલત આજે ભારે પડી, તે મોટી ભૂલ કઈ હતી? જાણો


  • Published By :
  • Published Date : 2023-03-24 20:42:53

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું લોકસભા સભ્ય પદ રદ્દ થયું છે, સૂરતની કોર્ટે ગઈ કાલે રાહુલ ગાંધીને માનહાનિનાં કેસમાં 2 વર્ષની સજા સંભળાવી હતી. જો કે કોર્ટથી તેમને તરત જ જામીન મળી ગઈ અને સજાને 30 દિવસ માટે મોકુફ કરી છે. પરંતુ રાહુલ ગાંધીની મુશ્કેલી હજુ યથાવત જ છે. આ ઘટનાક્રમ દરમિયાન રાજકીય વિશ્લેષકો રાહુલ ગાંધીએ આજથી 10 વર્ષ પહેલા કરેલી એક ભૂલને યાદ કરી રહ્યા છે. તે સમયે જો રાહુલ ગાંધીએ આ ભૂલ ન કરી હોત તો આજે તેમનું સાંસદ પદ સુરક્ષીત રહ્યું હોત, આવો જાણીએ કે રાહુલ ગાંધીએ તે સમયે શું મોટી ભૂલ કરી હતી.


શું હતો સમગ્ર મામલો?


વર્ષ 2013માં RJD સુપ્રીમો લાલુ યાદવ ચારા કૌંભાડમાં દોષીત જાહેર થયાં બાદ તેમનું લોકસભા સભ્ય પર પણ સંકટ આવી શકે તેમ હતું. તે સમયે યુપીએ-2ના શાસનમાં પીએમ મનમોહન સિંહની સરકાર એક ખરડો લઈને આવી. તેમાં કહેવામાં આવ્યું હતું કે વર્તમાન સાંસદ કે વિધાયકને જો કોઈ કોર્ટ દ્વારા દોષીત જાહેર કરવામાં આવે છે અને જો તેમણે ઉપલી અદાલતમાં અરજી કરેલ છે તો તેમની સદસ્યતા નહીં જાય. જો કે તે સમય દરમિયાન તેઓ સંસદમાં વોટ નહીં આપી શકે અને તેમને વેતન પણ નહીં મળે. રાહુલ ગાંધીએ તે સમયે આ ખરડાને બકવાસ કહ્યો હતો અને તે વટહુકમને પ્રેસ કોન્ફેરન્સમાં જ ફાંડી નાંખ્યો હતો. જો આ ખરડો તે સમયે સંસદમાં પસાર થઈને કાયદો બન્યો હોત તો રાહુલ ગાંધીને લોકસભા સભ્ય પદ ગુમાવવાનો દિવસ આવ્યો નહોત.


વર્ષ 2013નો સુપ્રીમનો ચુકાદો શું કહે છે?


વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટે બંધારણના લોક-પ્રતિનિધિ અધિનિયમ 1951ને લઈને ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે આ અધિનિયમની કલમ 8(4)ને ગેરબંધારણિય ઠેરવી હતી. આ કલમ અનુસાર ગુનાહિત મામલામાં 2 વર્ષ કે તેથી વધારે સજાની જોગવાઈવાળી કલમો અંતર્ગત કોઈ પ્રખ્યાત પ્રતિનિધિને તે  દોષીત કરાર રૂપે અયોગ્ય ન ઠેરવી શકાય જો તેના તરફથી ઉપરી કોર્ટમાં અપીલ કરવામાં આવી હોય. એટલે કે કલમ 8(4) દોષીત સાંસદ, વિધાયકને કોર્ટનાં નિર્ણયનાં વિરોધમાં અપીલ પેન્ડિગ હોય તો પણ તેમનું પદ યથાવત રહે છે. સુપ્રીમ કોર્ટે આપેલા આ ચુકાદા બાદ કોઈપણ કોર્ટમાં દોષીત જાહેર થયેલા નેતાનું ધારાસભ્ય પદ અને અને સાંસદ પદ જતું રહે છે. વળી તે નેતા આગામી 6 વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય થઈ જાય છે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.