રાહુલ ગાંધીએ 10 વર્ષ પહેલા કરેલી એક ગફલત આજે ભારે પડી, તે મોટી ભૂલ કઈ હતી? જાણો


  • Published By :
  • Published Date : 2023-03-24 20:42:53

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું લોકસભા સભ્ય પદ રદ્દ થયું છે, સૂરતની કોર્ટે ગઈ કાલે રાહુલ ગાંધીને માનહાનિનાં કેસમાં 2 વર્ષની સજા સંભળાવી હતી. જો કે કોર્ટથી તેમને તરત જ જામીન મળી ગઈ અને સજાને 30 દિવસ માટે મોકુફ કરી છે. પરંતુ રાહુલ ગાંધીની મુશ્કેલી હજુ યથાવત જ છે. આ ઘટનાક્રમ દરમિયાન રાજકીય વિશ્લેષકો રાહુલ ગાંધીએ આજથી 10 વર્ષ પહેલા કરેલી એક ભૂલને યાદ કરી રહ્યા છે. તે સમયે જો રાહુલ ગાંધીએ આ ભૂલ ન કરી હોત તો આજે તેમનું સાંસદ પદ સુરક્ષીત રહ્યું હોત, આવો જાણીએ કે રાહુલ ગાંધીએ તે સમયે શું મોટી ભૂલ કરી હતી.


શું હતો સમગ્ર મામલો?


વર્ષ 2013માં RJD સુપ્રીમો લાલુ યાદવ ચારા કૌંભાડમાં દોષીત જાહેર થયાં બાદ તેમનું લોકસભા સભ્ય પર પણ સંકટ આવી શકે તેમ હતું. તે સમયે યુપીએ-2ના શાસનમાં પીએમ મનમોહન સિંહની સરકાર એક ખરડો લઈને આવી. તેમાં કહેવામાં આવ્યું હતું કે વર્તમાન સાંસદ કે વિધાયકને જો કોઈ કોર્ટ દ્વારા દોષીત જાહેર કરવામાં આવે છે અને જો તેમણે ઉપલી અદાલતમાં અરજી કરેલ છે તો તેમની સદસ્યતા નહીં જાય. જો કે તે સમય દરમિયાન તેઓ સંસદમાં વોટ નહીં આપી શકે અને તેમને વેતન પણ નહીં મળે. રાહુલ ગાંધીએ તે સમયે આ ખરડાને બકવાસ કહ્યો હતો અને તે વટહુકમને પ્રેસ કોન્ફેરન્સમાં જ ફાંડી નાંખ્યો હતો. જો આ ખરડો તે સમયે સંસદમાં પસાર થઈને કાયદો બન્યો હોત તો રાહુલ ગાંધીને લોકસભા સભ્ય પદ ગુમાવવાનો દિવસ આવ્યો નહોત.


વર્ષ 2013નો સુપ્રીમનો ચુકાદો શું કહે છે?


વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટે બંધારણના લોક-પ્રતિનિધિ અધિનિયમ 1951ને લઈને ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે આ અધિનિયમની કલમ 8(4)ને ગેરબંધારણિય ઠેરવી હતી. આ કલમ અનુસાર ગુનાહિત મામલામાં 2 વર્ષ કે તેથી વધારે સજાની જોગવાઈવાળી કલમો અંતર્ગત કોઈ પ્રખ્યાત પ્રતિનિધિને તે  દોષીત કરાર રૂપે અયોગ્ય ન ઠેરવી શકાય જો તેના તરફથી ઉપરી કોર્ટમાં અપીલ કરવામાં આવી હોય. એટલે કે કલમ 8(4) દોષીત સાંસદ, વિધાયકને કોર્ટનાં નિર્ણયનાં વિરોધમાં અપીલ પેન્ડિગ હોય તો પણ તેમનું પદ યથાવત રહે છે. સુપ્રીમ કોર્ટે આપેલા આ ચુકાદા બાદ કોઈપણ કોર્ટમાં દોષીત જાહેર થયેલા નેતાનું ધારાસભ્ય પદ અને અને સાંસદ પદ જતું રહે છે. વળી તે નેતા આગામી 6 વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય થઈ જાય છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.