રાહુલ ગાંધીએ 10 વર્ષ પહેલા કરેલી એક ગફલત આજે ભારે પડી, તે મોટી ભૂલ કઈ હતી? જાણો


  • Published By :
  • Published Date : 2023-03-24 20:42:53

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું લોકસભા સભ્ય પદ રદ્દ થયું છે, સૂરતની કોર્ટે ગઈ કાલે રાહુલ ગાંધીને માનહાનિનાં કેસમાં 2 વર્ષની સજા સંભળાવી હતી. જો કે કોર્ટથી તેમને તરત જ જામીન મળી ગઈ અને સજાને 30 દિવસ માટે મોકુફ કરી છે. પરંતુ રાહુલ ગાંધીની મુશ્કેલી હજુ યથાવત જ છે. આ ઘટનાક્રમ દરમિયાન રાજકીય વિશ્લેષકો રાહુલ ગાંધીએ આજથી 10 વર્ષ પહેલા કરેલી એક ભૂલને યાદ કરી રહ્યા છે. તે સમયે જો રાહુલ ગાંધીએ આ ભૂલ ન કરી હોત તો આજે તેમનું સાંસદ પદ સુરક્ષીત રહ્યું હોત, આવો જાણીએ કે રાહુલ ગાંધીએ તે સમયે શું મોટી ભૂલ કરી હતી.


શું હતો સમગ્ર મામલો?


વર્ષ 2013માં RJD સુપ્રીમો લાલુ યાદવ ચારા કૌંભાડમાં દોષીત જાહેર થયાં બાદ તેમનું લોકસભા સભ્ય પર પણ સંકટ આવી શકે તેમ હતું. તે સમયે યુપીએ-2ના શાસનમાં પીએમ મનમોહન સિંહની સરકાર એક ખરડો લઈને આવી. તેમાં કહેવામાં આવ્યું હતું કે વર્તમાન સાંસદ કે વિધાયકને જો કોઈ કોર્ટ દ્વારા દોષીત જાહેર કરવામાં આવે છે અને જો તેમણે ઉપલી અદાલતમાં અરજી કરેલ છે તો તેમની સદસ્યતા નહીં જાય. જો કે તે સમય દરમિયાન તેઓ સંસદમાં વોટ નહીં આપી શકે અને તેમને વેતન પણ નહીં મળે. રાહુલ ગાંધીએ તે સમયે આ ખરડાને બકવાસ કહ્યો હતો અને તે વટહુકમને પ્રેસ કોન્ફેરન્સમાં જ ફાંડી નાંખ્યો હતો. જો આ ખરડો તે સમયે સંસદમાં પસાર થઈને કાયદો બન્યો હોત તો રાહુલ ગાંધીને લોકસભા સભ્ય પદ ગુમાવવાનો દિવસ આવ્યો નહોત.


વર્ષ 2013નો સુપ્રીમનો ચુકાદો શું કહે છે?


વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટે બંધારણના લોક-પ્રતિનિધિ અધિનિયમ 1951ને લઈને ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે આ અધિનિયમની કલમ 8(4)ને ગેરબંધારણિય ઠેરવી હતી. આ કલમ અનુસાર ગુનાહિત મામલામાં 2 વર્ષ કે તેથી વધારે સજાની જોગવાઈવાળી કલમો અંતર્ગત કોઈ પ્રખ્યાત પ્રતિનિધિને તે  દોષીત કરાર રૂપે અયોગ્ય ન ઠેરવી શકાય જો તેના તરફથી ઉપરી કોર્ટમાં અપીલ કરવામાં આવી હોય. એટલે કે કલમ 8(4) દોષીત સાંસદ, વિધાયકને કોર્ટનાં નિર્ણયનાં વિરોધમાં અપીલ પેન્ડિગ હોય તો પણ તેમનું પદ યથાવત રહે છે. સુપ્રીમ કોર્ટે આપેલા આ ચુકાદા બાદ કોઈપણ કોર્ટમાં દોષીત જાહેર થયેલા નેતાનું ધારાસભ્ય પદ અને અને સાંસદ પદ જતું રહે છે. વળી તે નેતા આગામી 6 વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય થઈ જાય છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.