સંસદ પદ રદ્દ થવા પર અમેરિકામાં રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા, કહ્યું 'હું કદાચ પ્રથમ વ્યક્તિ છું જેને માનહાનિની આટલી મોટી સજા મળી'


  • Published By :
  • Published Date : 2023-06-01 12:31:34

રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. 6 દિવસના પ્રવાસ દરમિયાન અનેક જગ્યાઓની મુલાકાત કરવાના છે. બુધવારે તેમણે ભારતીય મૂળના લોકો સાથે વાતચીત કરી હતી. ત્યારે આજે રાહુલ ગાંધીએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પોતાના સંબોધનમાં તેમણે માનહાની કેસને લઈ વાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ 2004માં રાજકારણમાં આવ્યા હતા. તે સમયે મેં વિચાર્યું ન હતુંકે માત્ર કંઈક કહેવાથી સંસદ સભ્યપદ રદ્દ થઈ શકે છે. હું કદાચ પ્રથમ વ્યક્તિ છું જેને માનહાનીની આટલી મોટી સજા મળી છે.

 



પીએમ મોદી અને RSS પર સાધ્યું હતું નિશાન!

અમેરિકાના પ્રવાસ ગયેલા રાહુલ ગાંધી અનેક જગ્યાઓની મુલાકાત લેવાના છે. ગઈકાલે સેન ફ્રાન્સીસ્કોમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા હતા. પોતાના ભાષણ દરમિયાન તેમણે પીએમ મોદી તેમજ આરએસએસ પર લઈ પ્રહારો કર્યા હતા. ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ પણ કર્યો હતો. રાહુલ ગાંધીએ પીએમ પર નિશાન સાધતા કહ્યું હતું કે કેટલાક લોકો એવું વિચારે છે કે તેઓ બધું જાણે છે અને આપણા વડાપ્રધાન તેમાંથી એક છે. મોદી ભગવાનને પણ દુનિયા ચલાવતા શીખવી શકે છે, ભગવાનને પણ આંચકો લાગશે તેણે શું કર્યું. તે વૈજ્ઞાનિકોને વિજ્ઞાન શીખવી શકે છે. ઇતિહાસકારોને ઇતિહાસ શીખવી શકે છે. તેમ જ આર્મીને કેવી રીતે લડવું અને એરફોર્સને કેવી રીતે ઉડવું તે શીખવી શકે છે.



ફોન રેકોર્ડ થતો હોવાની કહી વાત!

તે બાદ રાહુલ ગાંધીએ સિલિકોન વેલીમાં એઆઈ સેક્ટરમાં સ્ટાર્ટ અપ શરૂ કરી રહેલા બિઝનેસમેન સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન પેગાસસ સ્પાયવેરને લઈ વાત કરી હતી અને કહ્યું હતું કે એક સમય હતો જ્યારે તેમને ખબર પડી કે તેમનો ફોન રેકોર્ડ થઈ રહ્યો છે. મજાકીયા અંદાજમાં રાહુલ ગાંધીએ ફોન ઉઠાવ્યો અને કહ્યું હેલો! મિસ્ટર મોદી.

 


સાંસદ સદસ્યતા રદ્દ થવા પર બોલ્યા રાહુલ ગાંધી!

મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું. જે બાદ તેમની વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સુરતની કોર્ટે તેમને દોષી જાહેર કર્યા હતા અને બે વર્ષની સજા તેમજ દંડ ફટકાર્યો હતો. તે બાદ તેમનું સાંસદ પદ રદ્દ થઈ ગયું હતું. આ વાતનો ઉલ્લેખ તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કર્યો હતો. રાહુલે કહ્યું કે તેઓ 2004માં રાજકારણમાં આવ્યા હતા. તે સમયે મેં વિચાર્યું ન હતું કે માત્ર કંઈક કહેવાથી સંસદ સભ્યપદ રદ્દ થઈ શકે છે. હું કદાચ પ્રથમ વ્યક્તિ છું જેને માનહાનીની આટલી મોટી સજા મળી છે. પરંતુ હવે મને લાગે છે કે સંસદમાં બેસવા કરતાં વધુ તક મળશે. 


ભારત જોડો યાત્રામાંથી રાહુલ ગાંધીને ઘણું શીખવા મળ્યું! 

આજે પણ ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું- 125 લોકોથી શરૂ થયેલી યાત્રામાં લાખો લોકો જોડાયા છે. ઘણા લોકોએ મને પૂછ્યું કે હું આ યાત્રામાંથી શું શીખ્યો. આ મારા જીવનનો સૌથી સુખદ અનુભવ રહ્યો છે. સરકાર પાસે પોલીસ, મીડિયા જેવી તમામ સંસ્થાઓ છે પરંતુ તેમ છતાં તેઓ અમને રોકી શક્યા નથી. અમને કહેવામાં આવ્યું હતું કે જો તમે કાશ્મીરમાં રસ્તા પર ચાલશો તો તમને 4 દિવસમાં મારી નાખવામાં આવશે. મેં કહ્યું, ઠીક છે, કોઈ વાંધો નથી. મહાત્મા ગાંધી પણ અંગ્રેજો સામે કોઈ બળ વગર એકલા હાથે લડ્યા હતા.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.