સંસદ પદ રદ્દ થવા પર અમેરિકામાં રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા, કહ્યું 'હું કદાચ પ્રથમ વ્યક્તિ છું જેને માનહાનિની આટલી મોટી સજા મળી'


  • Published By :
  • Published Date : 2023-06-01 12:31:34

રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. 6 દિવસના પ્રવાસ દરમિયાન અનેક જગ્યાઓની મુલાકાત કરવાના છે. બુધવારે તેમણે ભારતીય મૂળના લોકો સાથે વાતચીત કરી હતી. ત્યારે આજે રાહુલ ગાંધીએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પોતાના સંબોધનમાં તેમણે માનહાની કેસને લઈ વાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ 2004માં રાજકારણમાં આવ્યા હતા. તે સમયે મેં વિચાર્યું ન હતુંકે માત્ર કંઈક કહેવાથી સંસદ સભ્યપદ રદ્દ થઈ શકે છે. હું કદાચ પ્રથમ વ્યક્તિ છું જેને માનહાનીની આટલી મોટી સજા મળી છે.

 



પીએમ મોદી અને RSS પર સાધ્યું હતું નિશાન!

અમેરિકાના પ્રવાસ ગયેલા રાહુલ ગાંધી અનેક જગ્યાઓની મુલાકાત લેવાના છે. ગઈકાલે સેન ફ્રાન્સીસ્કોમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા હતા. પોતાના ભાષણ દરમિયાન તેમણે પીએમ મોદી તેમજ આરએસએસ પર લઈ પ્રહારો કર્યા હતા. ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ પણ કર્યો હતો. રાહુલ ગાંધીએ પીએમ પર નિશાન સાધતા કહ્યું હતું કે કેટલાક લોકો એવું વિચારે છે કે તેઓ બધું જાણે છે અને આપણા વડાપ્રધાન તેમાંથી એક છે. મોદી ભગવાનને પણ દુનિયા ચલાવતા શીખવી શકે છે, ભગવાનને પણ આંચકો લાગશે તેણે શું કર્યું. તે વૈજ્ઞાનિકોને વિજ્ઞાન શીખવી શકે છે. ઇતિહાસકારોને ઇતિહાસ શીખવી શકે છે. તેમ જ આર્મીને કેવી રીતે લડવું અને એરફોર્સને કેવી રીતે ઉડવું તે શીખવી શકે છે.



ફોન રેકોર્ડ થતો હોવાની કહી વાત!

તે બાદ રાહુલ ગાંધીએ સિલિકોન વેલીમાં એઆઈ સેક્ટરમાં સ્ટાર્ટ અપ શરૂ કરી રહેલા બિઝનેસમેન સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન પેગાસસ સ્પાયવેરને લઈ વાત કરી હતી અને કહ્યું હતું કે એક સમય હતો જ્યારે તેમને ખબર પડી કે તેમનો ફોન રેકોર્ડ થઈ રહ્યો છે. મજાકીયા અંદાજમાં રાહુલ ગાંધીએ ફોન ઉઠાવ્યો અને કહ્યું હેલો! મિસ્ટર મોદી.

 


સાંસદ સદસ્યતા રદ્દ થવા પર બોલ્યા રાહુલ ગાંધી!

મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું. જે બાદ તેમની વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સુરતની કોર્ટે તેમને દોષી જાહેર કર્યા હતા અને બે વર્ષની સજા તેમજ દંડ ફટકાર્યો હતો. તે બાદ તેમનું સાંસદ પદ રદ્દ થઈ ગયું હતું. આ વાતનો ઉલ્લેખ તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કર્યો હતો. રાહુલે કહ્યું કે તેઓ 2004માં રાજકારણમાં આવ્યા હતા. તે સમયે મેં વિચાર્યું ન હતું કે માત્ર કંઈક કહેવાથી સંસદ સભ્યપદ રદ્દ થઈ શકે છે. હું કદાચ પ્રથમ વ્યક્તિ છું જેને માનહાનીની આટલી મોટી સજા મળી છે. પરંતુ હવે મને લાગે છે કે સંસદમાં બેસવા કરતાં વધુ તક મળશે. 


ભારત જોડો યાત્રામાંથી રાહુલ ગાંધીને ઘણું શીખવા મળ્યું! 

આજે પણ ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું- 125 લોકોથી શરૂ થયેલી યાત્રામાં લાખો લોકો જોડાયા છે. ઘણા લોકોએ મને પૂછ્યું કે હું આ યાત્રામાંથી શું શીખ્યો. આ મારા જીવનનો સૌથી સુખદ અનુભવ રહ્યો છે. સરકાર પાસે પોલીસ, મીડિયા જેવી તમામ સંસ્થાઓ છે પરંતુ તેમ છતાં તેઓ અમને રોકી શક્યા નથી. અમને કહેવામાં આવ્યું હતું કે જો તમે કાશ્મીરમાં રસ્તા પર ચાલશો તો તમને 4 દિવસમાં મારી નાખવામાં આવશે. મેં કહ્યું, ઠીક છે, કોઈ વાંધો નથી. મહાત્મા ગાંધી પણ અંગ્રેજો સામે કોઈ બળ વગર એકલા હાથે લડ્યા હતા.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.