સંસદ પદ રદ્દ થવા પર અમેરિકામાં રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા, કહ્યું 'હું કદાચ પ્રથમ વ્યક્તિ છું જેને માનહાનિની આટલી મોટી સજા મળી'


  • Published By :
  • Published Date : 2023-06-01 12:31:34

રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. 6 દિવસના પ્રવાસ દરમિયાન અનેક જગ્યાઓની મુલાકાત કરવાના છે. બુધવારે તેમણે ભારતીય મૂળના લોકો સાથે વાતચીત કરી હતી. ત્યારે આજે રાહુલ ગાંધીએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પોતાના સંબોધનમાં તેમણે માનહાની કેસને લઈ વાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ 2004માં રાજકારણમાં આવ્યા હતા. તે સમયે મેં વિચાર્યું ન હતુંકે માત્ર કંઈક કહેવાથી સંસદ સભ્યપદ રદ્દ થઈ શકે છે. હું કદાચ પ્રથમ વ્યક્તિ છું જેને માનહાનીની આટલી મોટી સજા મળી છે.

 



પીએમ મોદી અને RSS પર સાધ્યું હતું નિશાન!

અમેરિકાના પ્રવાસ ગયેલા રાહુલ ગાંધી અનેક જગ્યાઓની મુલાકાત લેવાના છે. ગઈકાલે સેન ફ્રાન્સીસ્કોમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા હતા. પોતાના ભાષણ દરમિયાન તેમણે પીએમ મોદી તેમજ આરએસએસ પર લઈ પ્રહારો કર્યા હતા. ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ પણ કર્યો હતો. રાહુલ ગાંધીએ પીએમ પર નિશાન સાધતા કહ્યું હતું કે કેટલાક લોકો એવું વિચારે છે કે તેઓ બધું જાણે છે અને આપણા વડાપ્રધાન તેમાંથી એક છે. મોદી ભગવાનને પણ દુનિયા ચલાવતા શીખવી શકે છે, ભગવાનને પણ આંચકો લાગશે તેણે શું કર્યું. તે વૈજ્ઞાનિકોને વિજ્ઞાન શીખવી શકે છે. ઇતિહાસકારોને ઇતિહાસ શીખવી શકે છે. તેમ જ આર્મીને કેવી રીતે લડવું અને એરફોર્સને કેવી રીતે ઉડવું તે શીખવી શકે છે.



ફોન રેકોર્ડ થતો હોવાની કહી વાત!

તે બાદ રાહુલ ગાંધીએ સિલિકોન વેલીમાં એઆઈ સેક્ટરમાં સ્ટાર્ટ અપ શરૂ કરી રહેલા બિઝનેસમેન સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન પેગાસસ સ્પાયવેરને લઈ વાત કરી હતી અને કહ્યું હતું કે એક સમય હતો જ્યારે તેમને ખબર પડી કે તેમનો ફોન રેકોર્ડ થઈ રહ્યો છે. મજાકીયા અંદાજમાં રાહુલ ગાંધીએ ફોન ઉઠાવ્યો અને કહ્યું હેલો! મિસ્ટર મોદી.

 


સાંસદ સદસ્યતા રદ્દ થવા પર બોલ્યા રાહુલ ગાંધી!

મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું. જે બાદ તેમની વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સુરતની કોર્ટે તેમને દોષી જાહેર કર્યા હતા અને બે વર્ષની સજા તેમજ દંડ ફટકાર્યો હતો. તે બાદ તેમનું સાંસદ પદ રદ્દ થઈ ગયું હતું. આ વાતનો ઉલ્લેખ તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કર્યો હતો. રાહુલે કહ્યું કે તેઓ 2004માં રાજકારણમાં આવ્યા હતા. તે સમયે મેં વિચાર્યું ન હતું કે માત્ર કંઈક કહેવાથી સંસદ સભ્યપદ રદ્દ થઈ શકે છે. હું કદાચ પ્રથમ વ્યક્તિ છું જેને માનહાનીની આટલી મોટી સજા મળી છે. પરંતુ હવે મને લાગે છે કે સંસદમાં બેસવા કરતાં વધુ તક મળશે. 


ભારત જોડો યાત્રામાંથી રાહુલ ગાંધીને ઘણું શીખવા મળ્યું! 

આજે પણ ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું- 125 લોકોથી શરૂ થયેલી યાત્રામાં લાખો લોકો જોડાયા છે. ઘણા લોકોએ મને પૂછ્યું કે હું આ યાત્રામાંથી શું શીખ્યો. આ મારા જીવનનો સૌથી સુખદ અનુભવ રહ્યો છે. સરકાર પાસે પોલીસ, મીડિયા જેવી તમામ સંસ્થાઓ છે પરંતુ તેમ છતાં તેઓ અમને રોકી શક્યા નથી. અમને કહેવામાં આવ્યું હતું કે જો તમે કાશ્મીરમાં રસ્તા પર ચાલશો તો તમને 4 દિવસમાં મારી નાખવામાં આવશે. મેં કહ્યું, ઠીક છે, કોઈ વાંધો નથી. મહાત્મા ગાંધી પણ અંગ્રેજો સામે કોઈ બળ વગર એકલા હાથે લડ્યા હતા.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.