સંસદ પદ રદ્દ થવા પર અમેરિકામાં રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા, કહ્યું 'હું કદાચ પ્રથમ વ્યક્તિ છું જેને માનહાનિની આટલી મોટી સજા મળી'


  • Published By :
  • Published Date : 2023-06-01 12:31:34

રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. 6 દિવસના પ્રવાસ દરમિયાન અનેક જગ્યાઓની મુલાકાત કરવાના છે. બુધવારે તેમણે ભારતીય મૂળના લોકો સાથે વાતચીત કરી હતી. ત્યારે આજે રાહુલ ગાંધીએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પોતાના સંબોધનમાં તેમણે માનહાની કેસને લઈ વાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ 2004માં રાજકારણમાં આવ્યા હતા. તે સમયે મેં વિચાર્યું ન હતુંકે માત્ર કંઈક કહેવાથી સંસદ સભ્યપદ રદ્દ થઈ શકે છે. હું કદાચ પ્રથમ વ્યક્તિ છું જેને માનહાનીની આટલી મોટી સજા મળી છે.

 



પીએમ મોદી અને RSS પર સાધ્યું હતું નિશાન!

અમેરિકાના પ્રવાસ ગયેલા રાહુલ ગાંધી અનેક જગ્યાઓની મુલાકાત લેવાના છે. ગઈકાલે સેન ફ્રાન્સીસ્કોમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા હતા. પોતાના ભાષણ દરમિયાન તેમણે પીએમ મોદી તેમજ આરએસએસ પર લઈ પ્રહારો કર્યા હતા. ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ પણ કર્યો હતો. રાહુલ ગાંધીએ પીએમ પર નિશાન સાધતા કહ્યું હતું કે કેટલાક લોકો એવું વિચારે છે કે તેઓ બધું જાણે છે અને આપણા વડાપ્રધાન તેમાંથી એક છે. મોદી ભગવાનને પણ દુનિયા ચલાવતા શીખવી શકે છે, ભગવાનને પણ આંચકો લાગશે તેણે શું કર્યું. તે વૈજ્ઞાનિકોને વિજ્ઞાન શીખવી શકે છે. ઇતિહાસકારોને ઇતિહાસ શીખવી શકે છે. તેમ જ આર્મીને કેવી રીતે લડવું અને એરફોર્સને કેવી રીતે ઉડવું તે શીખવી શકે છે.



ફોન રેકોર્ડ થતો હોવાની કહી વાત!

તે બાદ રાહુલ ગાંધીએ સિલિકોન વેલીમાં એઆઈ સેક્ટરમાં સ્ટાર્ટ અપ શરૂ કરી રહેલા બિઝનેસમેન સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન પેગાસસ સ્પાયવેરને લઈ વાત કરી હતી અને કહ્યું હતું કે એક સમય હતો જ્યારે તેમને ખબર પડી કે તેમનો ફોન રેકોર્ડ થઈ રહ્યો છે. મજાકીયા અંદાજમાં રાહુલ ગાંધીએ ફોન ઉઠાવ્યો અને કહ્યું હેલો! મિસ્ટર મોદી.

 


સાંસદ સદસ્યતા રદ્દ થવા પર બોલ્યા રાહુલ ગાંધી!

મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું. જે બાદ તેમની વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સુરતની કોર્ટે તેમને દોષી જાહેર કર્યા હતા અને બે વર્ષની સજા તેમજ દંડ ફટકાર્યો હતો. તે બાદ તેમનું સાંસદ પદ રદ્દ થઈ ગયું હતું. આ વાતનો ઉલ્લેખ તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કર્યો હતો. રાહુલે કહ્યું કે તેઓ 2004માં રાજકારણમાં આવ્યા હતા. તે સમયે મેં વિચાર્યું ન હતું કે માત્ર કંઈક કહેવાથી સંસદ સભ્યપદ રદ્દ થઈ શકે છે. હું કદાચ પ્રથમ વ્યક્તિ છું જેને માનહાનીની આટલી મોટી સજા મળી છે. પરંતુ હવે મને લાગે છે કે સંસદમાં બેસવા કરતાં વધુ તક મળશે. 


ભારત જોડો યાત્રામાંથી રાહુલ ગાંધીને ઘણું શીખવા મળ્યું! 

આજે પણ ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું- 125 લોકોથી શરૂ થયેલી યાત્રામાં લાખો લોકો જોડાયા છે. ઘણા લોકોએ મને પૂછ્યું કે હું આ યાત્રામાંથી શું શીખ્યો. આ મારા જીવનનો સૌથી સુખદ અનુભવ રહ્યો છે. સરકાર પાસે પોલીસ, મીડિયા જેવી તમામ સંસ્થાઓ છે પરંતુ તેમ છતાં તેઓ અમને રોકી શક્યા નથી. અમને કહેવામાં આવ્યું હતું કે જો તમે કાશ્મીરમાં રસ્તા પર ચાલશો તો તમને 4 દિવસમાં મારી નાખવામાં આવશે. મેં કહ્યું, ઠીક છે, કોઈ વાંધો નથી. મહાત્મા ગાંધી પણ અંગ્રેજો સામે કોઈ બળ વગર એકલા હાથે લડ્યા હતા.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.