રાહુલ ગાંધીએ આ વખતે કરી ટ્રકની સવારી! અંબાલાથી ચંડીગઢ સુધીની મુસાફરી દરમિયાન ડ્રાઈવરોની સાંભળી સમસ્યા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-05-23 11:01:51

છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી ચર્ચામાં રહે છે. રાહુલ ગાંધી અનેક વખત લોકોની વચ્ચે જોવા મળે છે તો કોઈ વખત વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતા દેખાય છે. તે સિવાય કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ રાહુલ ગાંધી અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. ત્યારે રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ટ્રકની સવારી લેતા દેખાઈ રહ્યા છે. ટ્રકની મુસાફરી કરી અંબાલાથી ચંડીગઢ પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર આ વીડિયો સોમવાર રાતનો છે.

   

રાહુલ ગાંધી લોકોની સમસ્યા સમજવા માગે છે!

રાહુલ ગાંધી ઘણા સમયથી અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. લોકો સાથે સીધો સંપર્ક કરવાનો પ્રયત્ન રાહુલ ગાંધી કરી રહ્યા છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેમનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. ત્યારે અંબાલાથી ચંદીગઢ સુધીની સફર રાહુલ ગાંધીએ ટ્રકમાં કરી હતી. ચંદીગઢની યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ટ્રકને શ્રી મંજી સાહિબ ગુરૂદ્વારા પર રોકાવડાઈ હતી. કોંગ્રેસના અનેક નેતાઓ આ વીડિયોને શેર કરી રહ્યા છે. સુપ્રિયા શ્રીનેતે ટ્વિટ કરતા લખ્યું કે યુનિવર્સિટીના છાત્રો સાથે, ખિલાડીઓ સાથે, સિવિલ સર્વિસની તૈયારીઓ કરી રહેલા યુવાનો સાથે, ખેડૂતો સાથે, ડિલીવરી પાર્ટનરો સાથે, બસમાં સામાન્ય નાગરિકો સાથે અને હવે અડધી રાત્રે ટ્રકના ડાઈવરો સાથે મુલાકાત કેમ કરી રહ્યા છે રાહુલ ગાંધી? કારણ કે તે દેશના લોકોની વાત સાંભળવા માગે છે, તેમની મુશ્કેલીને સમજવા માગે છે. 

રાહુલ ગાંધી અનેક વખત રહ્યા છે ચર્ચામાં!

મહત્વનું છે કે રાહુલ ગાંધી જનતા સાથે સીધી રીતના જોડાવાની કોશિશ કરી રહ્યા છે. કોઈ વખત તે વિદ્યાર્થીઓ સાથે દેખાતા હોય છે તો કોઈ વખત ચૂંટણી પ્રચાર દરમિયાન ઘરે ઘરે જઈને લોકોને મળતા નજરે પડે છે. ત્યારે આ વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્રકની સવારી કરતા નજરે પડ્યા હતા. અંબાલાથી ચંડીગઢ ટ્રકમાં બેસી પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓ આ વીડિયોને ટ્વિટ કરી રહ્યા છે. નિષ્ણાંતોનું માનવું છે કે રાહુલ ગાંધી લોકસભાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીની ટ્રક સવારી અંગે તમે શું કહેશો?             


राहुल ने ट्रक ड्राइवरों से उनकी समस्याएं सुनीं।



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.