રાહુલ ગાંધીએ આ વખતે કરી ટ્રકની સવારી! અંબાલાથી ચંડીગઢ સુધીની મુસાફરી દરમિયાન ડ્રાઈવરોની સાંભળી સમસ્યા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-05-23 11:01:51

છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી ચર્ચામાં રહે છે. રાહુલ ગાંધી અનેક વખત લોકોની વચ્ચે જોવા મળે છે તો કોઈ વખત વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતા દેખાય છે. તે સિવાય કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ રાહુલ ગાંધી અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. ત્યારે રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ટ્રકની સવારી લેતા દેખાઈ રહ્યા છે. ટ્રકની મુસાફરી કરી અંબાલાથી ચંડીગઢ પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર આ વીડિયો સોમવાર રાતનો છે.

   

રાહુલ ગાંધી લોકોની સમસ્યા સમજવા માગે છે!

રાહુલ ગાંધી ઘણા સમયથી અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. લોકો સાથે સીધો સંપર્ક કરવાનો પ્રયત્ન રાહુલ ગાંધી કરી રહ્યા છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેમનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. ત્યારે અંબાલાથી ચંદીગઢ સુધીની સફર રાહુલ ગાંધીએ ટ્રકમાં કરી હતી. ચંદીગઢની યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ટ્રકને શ્રી મંજી સાહિબ ગુરૂદ્વારા પર રોકાવડાઈ હતી. કોંગ્રેસના અનેક નેતાઓ આ વીડિયોને શેર કરી રહ્યા છે. સુપ્રિયા શ્રીનેતે ટ્વિટ કરતા લખ્યું કે યુનિવર્સિટીના છાત્રો સાથે, ખિલાડીઓ સાથે, સિવિલ સર્વિસની તૈયારીઓ કરી રહેલા યુવાનો સાથે, ખેડૂતો સાથે, ડિલીવરી પાર્ટનરો સાથે, બસમાં સામાન્ય નાગરિકો સાથે અને હવે અડધી રાત્રે ટ્રકના ડાઈવરો સાથે મુલાકાત કેમ કરી રહ્યા છે રાહુલ ગાંધી? કારણ કે તે દેશના લોકોની વાત સાંભળવા માગે છે, તેમની મુશ્કેલીને સમજવા માગે છે. 

રાહુલ ગાંધી અનેક વખત રહ્યા છે ચર્ચામાં!

મહત્વનું છે કે રાહુલ ગાંધી જનતા સાથે સીધી રીતના જોડાવાની કોશિશ કરી રહ્યા છે. કોઈ વખત તે વિદ્યાર્થીઓ સાથે દેખાતા હોય છે તો કોઈ વખત ચૂંટણી પ્રચાર દરમિયાન ઘરે ઘરે જઈને લોકોને મળતા નજરે પડે છે. ત્યારે આ વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્રકની સવારી કરતા નજરે પડ્યા હતા. અંબાલાથી ચંડીગઢ ટ્રકમાં બેસી પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓ આ વીડિયોને ટ્વિટ કરી રહ્યા છે. નિષ્ણાંતોનું માનવું છે કે રાહુલ ગાંધી લોકસભાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીની ટ્રક સવારી અંગે તમે શું કહેશો?             


राहुल ने ट्रक ड्राइवरों से उनकी समस्याएं सुनीं।



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.