રાહુલ ગાંધીએ આ વખતે કરી ટ્રકની સવારી! અંબાલાથી ચંડીગઢ સુધીની મુસાફરી દરમિયાન ડ્રાઈવરોની સાંભળી સમસ્યા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-05-23 11:01:51

છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી ચર્ચામાં રહે છે. રાહુલ ગાંધી અનેક વખત લોકોની વચ્ચે જોવા મળે છે તો કોઈ વખત વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતા દેખાય છે. તે સિવાય કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ રાહુલ ગાંધી અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. ત્યારે રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ટ્રકની સવારી લેતા દેખાઈ રહ્યા છે. ટ્રકની મુસાફરી કરી અંબાલાથી ચંડીગઢ પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર આ વીડિયો સોમવાર રાતનો છે.

   

રાહુલ ગાંધી લોકોની સમસ્યા સમજવા માગે છે!

રાહુલ ગાંધી ઘણા સમયથી અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. લોકો સાથે સીધો સંપર્ક કરવાનો પ્રયત્ન રાહુલ ગાંધી કરી રહ્યા છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેમનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. ત્યારે અંબાલાથી ચંદીગઢ સુધીની સફર રાહુલ ગાંધીએ ટ્રકમાં કરી હતી. ચંદીગઢની યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ટ્રકને શ્રી મંજી સાહિબ ગુરૂદ્વારા પર રોકાવડાઈ હતી. કોંગ્રેસના અનેક નેતાઓ આ વીડિયોને શેર કરી રહ્યા છે. સુપ્રિયા શ્રીનેતે ટ્વિટ કરતા લખ્યું કે યુનિવર્સિટીના છાત્રો સાથે, ખિલાડીઓ સાથે, સિવિલ સર્વિસની તૈયારીઓ કરી રહેલા યુવાનો સાથે, ખેડૂતો સાથે, ડિલીવરી પાર્ટનરો સાથે, બસમાં સામાન્ય નાગરિકો સાથે અને હવે અડધી રાત્રે ટ્રકના ડાઈવરો સાથે મુલાકાત કેમ કરી રહ્યા છે રાહુલ ગાંધી? કારણ કે તે દેશના લોકોની વાત સાંભળવા માગે છે, તેમની મુશ્કેલીને સમજવા માગે છે. 

રાહુલ ગાંધી અનેક વખત રહ્યા છે ચર્ચામાં!

મહત્વનું છે કે રાહુલ ગાંધી જનતા સાથે સીધી રીતના જોડાવાની કોશિશ કરી રહ્યા છે. કોઈ વખત તે વિદ્યાર્થીઓ સાથે દેખાતા હોય છે તો કોઈ વખત ચૂંટણી પ્રચાર દરમિયાન ઘરે ઘરે જઈને લોકોને મળતા નજરે પડે છે. ત્યારે આ વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્રકની સવારી કરતા નજરે પડ્યા હતા. અંબાલાથી ચંડીગઢ ટ્રકમાં બેસી પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓ આ વીડિયોને ટ્વિટ કરી રહ્યા છે. નિષ્ણાંતોનું માનવું છે કે રાહુલ ગાંધી લોકસભાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીની ટ્રક સવારી અંગે તમે શું કહેશો?             


राहुल ने ट्रक ड्राइवरों से उनकी समस्याएं सुनीं।



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.