રાહુલ ગાંધીએ આ વખતે કરી ટ્રકની સવારી! અંબાલાથી ચંડીગઢ સુધીની મુસાફરી દરમિયાન ડ્રાઈવરોની સાંભળી સમસ્યા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-05-23 11:01:51

છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી ચર્ચામાં રહે છે. રાહુલ ગાંધી અનેક વખત લોકોની વચ્ચે જોવા મળે છે તો કોઈ વખત વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતા દેખાય છે. તે સિવાય કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ રાહુલ ગાંધી અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. ત્યારે રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ટ્રકની સવારી લેતા દેખાઈ રહ્યા છે. ટ્રકની મુસાફરી કરી અંબાલાથી ચંડીગઢ પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર આ વીડિયો સોમવાર રાતનો છે.

   

રાહુલ ગાંધી લોકોની સમસ્યા સમજવા માગે છે!

રાહુલ ગાંધી ઘણા સમયથી અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. લોકો સાથે સીધો સંપર્ક કરવાનો પ્રયત્ન રાહુલ ગાંધી કરી રહ્યા છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેમનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. ત્યારે અંબાલાથી ચંદીગઢ સુધીની સફર રાહુલ ગાંધીએ ટ્રકમાં કરી હતી. ચંદીગઢની યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ટ્રકને શ્રી મંજી સાહિબ ગુરૂદ્વારા પર રોકાવડાઈ હતી. કોંગ્રેસના અનેક નેતાઓ આ વીડિયોને શેર કરી રહ્યા છે. સુપ્રિયા શ્રીનેતે ટ્વિટ કરતા લખ્યું કે યુનિવર્સિટીના છાત્રો સાથે, ખિલાડીઓ સાથે, સિવિલ સર્વિસની તૈયારીઓ કરી રહેલા યુવાનો સાથે, ખેડૂતો સાથે, ડિલીવરી પાર્ટનરો સાથે, બસમાં સામાન્ય નાગરિકો સાથે અને હવે અડધી રાત્રે ટ્રકના ડાઈવરો સાથે મુલાકાત કેમ કરી રહ્યા છે રાહુલ ગાંધી? કારણ કે તે દેશના લોકોની વાત સાંભળવા માગે છે, તેમની મુશ્કેલીને સમજવા માગે છે. 

રાહુલ ગાંધી અનેક વખત રહ્યા છે ચર્ચામાં!

મહત્વનું છે કે રાહુલ ગાંધી જનતા સાથે સીધી રીતના જોડાવાની કોશિશ કરી રહ્યા છે. કોઈ વખત તે વિદ્યાર્થીઓ સાથે દેખાતા હોય છે તો કોઈ વખત ચૂંટણી પ્રચાર દરમિયાન ઘરે ઘરે જઈને લોકોને મળતા નજરે પડે છે. ત્યારે આ વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્રકની સવારી કરતા નજરે પડ્યા હતા. અંબાલાથી ચંડીગઢ ટ્રકમાં બેસી પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓ આ વીડિયોને ટ્વિટ કરી રહ્યા છે. નિષ્ણાંતોનું માનવું છે કે રાહુલ ગાંધી લોકસભાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીની ટ્રક સવારી અંગે તમે શું કહેશો?             


राहुल ने ट्रक ड्राइवरों से उनकी समस्याएं सुनीं।



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.