અમેરિકામાં રાહુલ ગાંધીનું સંબોધન! લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું 'પીએમ મોદી ભગવાનને પણ સમજાવી શકે છે'! સાંભળો રાહુલ ગાંધીનું ભાષણ


  • Published By :
  • Published Date : 2023-05-31 09:44:48

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાલ વિદેશના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ સેન ફ્રાન્સિસ્કોમાં રહેતા ભારતીય મૂળના લોકો સાથે વાત સંવાદ કર્યો હતો. પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે દુનિયા એટલી મોટી છે કે કોઈ પણ વ્યક્તિ એવું વિચારી ન શકે કે તે દરેક વિશે બધું જાણે છે. આ એક રોગ જેવું છે કે ભારતમાં કેટલાક લોકો છે જે વિચારે છે કે તેઓ બધું જાણે છે. મને લાગે છે કે તેઓ ભગવાન કરતાં વધુ જાણે છે. તેઓ ભગવાનની સામે બેસીને પણ સમજાવી શકે છે કે શું ચાલી રહ્યું છે. પીએમ મોદી તેમાંથી એક છે.

  

ભારત જોડો યાત્રાનો સંબોધનમાં કર્યો ઉલ્લેખ! 

રાહુલ ગાંધી 6 દિવસ માટે અમેરિકાના પ્રવાસે છે. મંગળવાર રાત્રે અમેરિકા તેઓ પહોંચ્યા હતા. બુધવારે અમેરિકામાં સ્થિત ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા હતા. પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રા દરમિયાન મને થાક નતો લાગતો કારણ કે મારી સાથે સમગ્ર ભારત હતું. સરકારે મારી યાત્રાને રોકવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પોલીસ બળનો ઉપયોગ પણ કર્યો. પરંતુ તો પણ યાત્રા પર કોઈ અસર ન થઈ હતી. કોંગ્રેસની સારી વાત એ છે કે અમે બધા સાથે છીએ. કોઈ આઈને કઈ બોલવા માગે તો અમે તેમને સાંભળીએ છીએ. અમે ગુસ્સે નથી થતાં, એ અમારો નેચર નથી.  

સંબોધનમાં પીએમ મોદી વિશે કહી આ વાત!

પોતાના સંબોધનમાં ભાજપ સરકાર તેમજ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. દુનિયા એટલી મોટી છે કે કોઈ પણ વ્યક્તિ એવું વિચારી ન શકે કે તે દરેક વિશે બધું જાણે છે. આ એક રોગ જેવું છે કે ભારતમાં કેટલાક લોકો છે જે વિચારે છે કે તેઓ બધું જાણે છે. મને લાગે છે કે તેઓ ભગવાન કરતાં વધુ જાણે છે. તેઓ ભગવાનની સામે બેસીને પણ સમજાવી શકે છે કે શું ચાલી રહ્યું છે. પીએમ મોદી તેમાંથી એક છે. મોદીજી જો ભગવાન સાથે બેસાડો તો તેમને પણ સમજાવવાનું શરૂ કરી દેશે કે બ્રહ્માંડ કેવી રીતે કામ કરે છે.

          



પીએમ મોદી પણ જવાના છે અમેરિકાના પ્રવાસે!  

રાહુલ ગાંધી બાદ પીએમ મોદી પણ અમેરિકાના પ્રવાસે જવાના છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી 21 થી 23 જૂન દરમિયાન અમેરિકા જવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન પીએમ રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત કરવાના છે. ત્યારે પીએમ મોદી પહેલા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રાહુલ ગાંધી સંબોધવાના છે. મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી અમેરિકી સાંસદો સાથે પણ મુલાકાત કરી શકે છે.     




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.