અમેરિકામાં રાહુલ ગાંધીનું સંબોધન! લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું 'પીએમ મોદી ભગવાનને પણ સમજાવી શકે છે'! સાંભળો રાહુલ ગાંધીનું ભાષણ


  • Published By :
  • Published Date : 2023-05-31 09:44:48

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાલ વિદેશના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ સેન ફ્રાન્સિસ્કોમાં રહેતા ભારતીય મૂળના લોકો સાથે વાત સંવાદ કર્યો હતો. પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે દુનિયા એટલી મોટી છે કે કોઈ પણ વ્યક્તિ એવું વિચારી ન શકે કે તે દરેક વિશે બધું જાણે છે. આ એક રોગ જેવું છે કે ભારતમાં કેટલાક લોકો છે જે વિચારે છે કે તેઓ બધું જાણે છે. મને લાગે છે કે તેઓ ભગવાન કરતાં વધુ જાણે છે. તેઓ ભગવાનની સામે બેસીને પણ સમજાવી શકે છે કે શું ચાલી રહ્યું છે. પીએમ મોદી તેમાંથી એક છે.

  

ભારત જોડો યાત્રાનો સંબોધનમાં કર્યો ઉલ્લેખ! 

રાહુલ ગાંધી 6 દિવસ માટે અમેરિકાના પ્રવાસે છે. મંગળવાર રાત્રે અમેરિકા તેઓ પહોંચ્યા હતા. બુધવારે અમેરિકામાં સ્થિત ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા હતા. પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રા દરમિયાન મને થાક નતો લાગતો કારણ કે મારી સાથે સમગ્ર ભારત હતું. સરકારે મારી યાત્રાને રોકવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પોલીસ બળનો ઉપયોગ પણ કર્યો. પરંતુ તો પણ યાત્રા પર કોઈ અસર ન થઈ હતી. કોંગ્રેસની સારી વાત એ છે કે અમે બધા સાથે છીએ. કોઈ આઈને કઈ બોલવા માગે તો અમે તેમને સાંભળીએ છીએ. અમે ગુસ્સે નથી થતાં, એ અમારો નેચર નથી.  

સંબોધનમાં પીએમ મોદી વિશે કહી આ વાત!

પોતાના સંબોધનમાં ભાજપ સરકાર તેમજ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. દુનિયા એટલી મોટી છે કે કોઈ પણ વ્યક્તિ એવું વિચારી ન શકે કે તે દરેક વિશે બધું જાણે છે. આ એક રોગ જેવું છે કે ભારતમાં કેટલાક લોકો છે જે વિચારે છે કે તેઓ બધું જાણે છે. મને લાગે છે કે તેઓ ભગવાન કરતાં વધુ જાણે છે. તેઓ ભગવાનની સામે બેસીને પણ સમજાવી શકે છે કે શું ચાલી રહ્યું છે. પીએમ મોદી તેમાંથી એક છે. મોદીજી જો ભગવાન સાથે બેસાડો તો તેમને પણ સમજાવવાનું શરૂ કરી દેશે કે બ્રહ્માંડ કેવી રીતે કામ કરે છે.

          



પીએમ મોદી પણ જવાના છે અમેરિકાના પ્રવાસે!  

રાહુલ ગાંધી બાદ પીએમ મોદી પણ અમેરિકાના પ્રવાસે જવાના છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી 21 થી 23 જૂન દરમિયાન અમેરિકા જવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન પીએમ રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત કરવાના છે. ત્યારે પીએમ મોદી પહેલા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રાહુલ ગાંધી સંબોધવાના છે. મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી અમેરિકી સાંસદો સાથે પણ મુલાકાત કરી શકે છે.     




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.