અમેરિકામાં રાહુલ ગાંધીનું સંબોધન! લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું 'પીએમ મોદી ભગવાનને પણ સમજાવી શકે છે'! સાંભળો રાહુલ ગાંધીનું ભાષણ


  • Published By :
  • Published Date : 2023-05-31 09:44:48

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાલ વિદેશના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ સેન ફ્રાન્સિસ્કોમાં રહેતા ભારતીય મૂળના લોકો સાથે વાત સંવાદ કર્યો હતો. પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે દુનિયા એટલી મોટી છે કે કોઈ પણ વ્યક્તિ એવું વિચારી ન શકે કે તે દરેક વિશે બધું જાણે છે. આ એક રોગ જેવું છે કે ભારતમાં કેટલાક લોકો છે જે વિચારે છે કે તેઓ બધું જાણે છે. મને લાગે છે કે તેઓ ભગવાન કરતાં વધુ જાણે છે. તેઓ ભગવાનની સામે બેસીને પણ સમજાવી શકે છે કે શું ચાલી રહ્યું છે. પીએમ મોદી તેમાંથી એક છે.

  

ભારત જોડો યાત્રાનો સંબોધનમાં કર્યો ઉલ્લેખ! 

રાહુલ ગાંધી 6 દિવસ માટે અમેરિકાના પ્રવાસે છે. મંગળવાર રાત્રે અમેરિકા તેઓ પહોંચ્યા હતા. બુધવારે અમેરિકામાં સ્થિત ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા હતા. પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રા દરમિયાન મને થાક નતો લાગતો કારણ કે મારી સાથે સમગ્ર ભારત હતું. સરકારે મારી યાત્રાને રોકવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પોલીસ બળનો ઉપયોગ પણ કર્યો. પરંતુ તો પણ યાત્રા પર કોઈ અસર ન થઈ હતી. કોંગ્રેસની સારી વાત એ છે કે અમે બધા સાથે છીએ. કોઈ આઈને કઈ બોલવા માગે તો અમે તેમને સાંભળીએ છીએ. અમે ગુસ્સે નથી થતાં, એ અમારો નેચર નથી.  

સંબોધનમાં પીએમ મોદી વિશે કહી આ વાત!

પોતાના સંબોધનમાં ભાજપ સરકાર તેમજ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. દુનિયા એટલી મોટી છે કે કોઈ પણ વ્યક્તિ એવું વિચારી ન શકે કે તે દરેક વિશે બધું જાણે છે. આ એક રોગ જેવું છે કે ભારતમાં કેટલાક લોકો છે જે વિચારે છે કે તેઓ બધું જાણે છે. મને લાગે છે કે તેઓ ભગવાન કરતાં વધુ જાણે છે. તેઓ ભગવાનની સામે બેસીને પણ સમજાવી શકે છે કે શું ચાલી રહ્યું છે. પીએમ મોદી તેમાંથી એક છે. મોદીજી જો ભગવાન સાથે બેસાડો તો તેમને પણ સમજાવવાનું શરૂ કરી દેશે કે બ્રહ્માંડ કેવી રીતે કામ કરે છે.

          



પીએમ મોદી પણ જવાના છે અમેરિકાના પ્રવાસે!  

રાહુલ ગાંધી બાદ પીએમ મોદી પણ અમેરિકાના પ્રવાસે જવાના છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી 21 થી 23 જૂન દરમિયાન અમેરિકા જવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન પીએમ રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત કરવાના છે. ત્યારે પીએમ મોદી પહેલા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રાહુલ ગાંધી સંબોધવાના છે. મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી અમેરિકી સાંસદો સાથે પણ મુલાકાત કરી શકે છે.     




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.