અમેરિકામાં રાહુલ ગાંધીનું સંબોધન! લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું 'પીએમ મોદી ભગવાનને પણ સમજાવી શકે છે'! સાંભળો રાહુલ ગાંધીનું ભાષણ


  • Published By :
  • Published Date : 2023-05-31 09:44:48

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાલ વિદેશના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ સેન ફ્રાન્સિસ્કોમાં રહેતા ભારતીય મૂળના લોકો સાથે વાત સંવાદ કર્યો હતો. પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે દુનિયા એટલી મોટી છે કે કોઈ પણ વ્યક્તિ એવું વિચારી ન શકે કે તે દરેક વિશે બધું જાણે છે. આ એક રોગ જેવું છે કે ભારતમાં કેટલાક લોકો છે જે વિચારે છે કે તેઓ બધું જાણે છે. મને લાગે છે કે તેઓ ભગવાન કરતાં વધુ જાણે છે. તેઓ ભગવાનની સામે બેસીને પણ સમજાવી શકે છે કે શું ચાલી રહ્યું છે. પીએમ મોદી તેમાંથી એક છે.

  

ભારત જોડો યાત્રાનો સંબોધનમાં કર્યો ઉલ્લેખ! 

રાહુલ ગાંધી 6 દિવસ માટે અમેરિકાના પ્રવાસે છે. મંગળવાર રાત્રે અમેરિકા તેઓ પહોંચ્યા હતા. બુધવારે અમેરિકામાં સ્થિત ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા હતા. પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રા દરમિયાન મને થાક નતો લાગતો કારણ કે મારી સાથે સમગ્ર ભારત હતું. સરકારે મારી યાત્રાને રોકવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પોલીસ બળનો ઉપયોગ પણ કર્યો. પરંતુ તો પણ યાત્રા પર કોઈ અસર ન થઈ હતી. કોંગ્રેસની સારી વાત એ છે કે અમે બધા સાથે છીએ. કોઈ આઈને કઈ બોલવા માગે તો અમે તેમને સાંભળીએ છીએ. અમે ગુસ્સે નથી થતાં, એ અમારો નેચર નથી.  

સંબોધનમાં પીએમ મોદી વિશે કહી આ વાત!

પોતાના સંબોધનમાં ભાજપ સરકાર તેમજ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. દુનિયા એટલી મોટી છે કે કોઈ પણ વ્યક્તિ એવું વિચારી ન શકે કે તે દરેક વિશે બધું જાણે છે. આ એક રોગ જેવું છે કે ભારતમાં કેટલાક લોકો છે જે વિચારે છે કે તેઓ બધું જાણે છે. મને લાગે છે કે તેઓ ભગવાન કરતાં વધુ જાણે છે. તેઓ ભગવાનની સામે બેસીને પણ સમજાવી શકે છે કે શું ચાલી રહ્યું છે. પીએમ મોદી તેમાંથી એક છે. મોદીજી જો ભગવાન સાથે બેસાડો તો તેમને પણ સમજાવવાનું શરૂ કરી દેશે કે બ્રહ્માંડ કેવી રીતે કામ કરે છે.

          



પીએમ મોદી પણ જવાના છે અમેરિકાના પ્રવાસે!  

રાહુલ ગાંધી બાદ પીએમ મોદી પણ અમેરિકાના પ્રવાસે જવાના છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી 21 થી 23 જૂન દરમિયાન અમેરિકા જવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન પીએમ રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત કરવાના છે. ત્યારે પીએમ મોદી પહેલા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રાહુલ ગાંધી સંબોધવાના છે. મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી અમેરિકી સાંસદો સાથે પણ મુલાકાત કરી શકે છે.     




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.