ભારે હિમવર્ષા વચ્ચે શ્રીનગર ખાતે પૂર્ણ થઈ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા, અંતિમ દિવસે સંબોધી જનસભા


  • Published By :
  • Published Date : 2023-01-30 17:13:45

કન્યાકુમારીથી નિકળેલી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજે પૂર્ણ થઈ ગઈ છે. રવિવારે શ્રીનગર ખાતે તેમણે ધ્વજારોહણ કર્યું હતું. જે બાદ આજે કાશ્મીરમાં આવેલી કોંગ્રેસ પાર્ટીના કાર્યાલય ખાતે તેમણે ધ્વજારોહણ કર્યું હતું. યાત્રાના અંતિમ દિવસે પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. યાત્રાના અંતિમ દિવસે રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું.

      

અનેક રાજનેતાઓ થયા છે ભારત જોડો યાત્રામાં સામેલ 

રાહુલ ગાંધીની આગેવાનીમાં નિકળેલી ભારત જોડો યાત્રા આજે સમાપ્ત થઈ ગઈ છે. 7 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ યાત્રાએ 3570 કિલોમીટરનું અંતર કાપ્યું છે. આ યાત્રા 146 કિલોમીટર ચાલી છે. 146 દિવસ ચાલેલી આ યાત્રાએ અનેક રાજ્યો તેમજ કેન્દ્રશાસિત રાજ્યોમાંથી પસાર થઈ છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, જમ્મુ-કાશ્મીર સહિતના અનેક રાજ્યોમાં યાત્રા કરી છે. આ યાત્રાને સારુ જનસમર્થન મળ્યું છે. આ યાત્રામાં અનેક નેતાઓ સામેલ થયા હતા. જમ્મુમાં શિવસેનાના નેતા સંજય રાઉત, મહેબુબા મુફ્તી સહિતના નેતાઓએ હાજરી આપી હતી. યાત્રાના અંતિમ દિવસે અનેક રાજકીય પાર્ટીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. 


યાત્રા દરમિયાન કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન

પોતાની આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક વખત કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. અનેક મુદ્દાઓને લઈ કોંગ્રસે કેન્દ્ર સરકારને ઘેરી છે. તો બીજી તરફ ભાજપે પણ રાહુલ ગાંધીની ટી-શર્ટને લઈ અનેક વખત મુદ્દો ઉઠાવ્યો છે. યાત્રાના અંતિમ દિવસે રાહુલ ગાંધીએ શ્રીનગરના શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જનસંબોધન કર્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં રાહુલ ગાંધીની સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા.  



ભાજપના એકપણ નેતા અહીં પગપાળા નહીં ચાલી શકે, તેઓ ડરે છે - રાહુલ

જનસંબોધનમાં રાહુલે કહ્યું કે હું જમ્મુ-કાશ્મીરના લોકો અને સેનાને કહેવા માગું છું. હું હિંસાને સમજુ છું. મેં હિંસાને સહન કરી છે, જોઈ છે. જેમણે હિંસાને સહન ન કરી હોય, જેમણે હિંસા જોઈ ન હોય તેમને આ વાત સમજાશે નહીં, જેમ કે મોદીજી છે, અમિત શાહજી છે, સંઘના લોકો છે. તેમણે હિંસા જોઈ નથી. અમે અહીં ચાર દિવસ પગપાળા ચાલ્યા. હું ગેરંટી આપું છું કે ભાજપનો એકપણ નેતા અહીં પગપાળા નહીં ચાલી શકે.  



શા માટે યાત્રા દરમિયાન રાહુલે ન પહેર્યું હતું સ્વેટર તેનો પણ આપ્યો જવાબ 

યાત્રા દરમિયાન તેમણે ટી-શર્ટ શું કામ પહેરી તે અંગે પણ વાત કરી હતી. સ્વેટર ન પહેરવાનું કારણ પણ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે યાત્રા દરમિયાન તેમની પાસે ચાર બાળકો આવ્યા. તે ચારેય બાળકો મજબૂર લાગી રહ્યા હતા અને તેમના શરીર પર ધૂળ હતી. નીચે બેસી તેમને ગળે લગાવ્યા. આ દરમિયાન શિયાળાની શરૂઆત થઈ હતી, પરંતુ આ ચારેય બાળકોએ કપડા પણ ન પહેર્યા હતા. તેમને જોઈને મને અહેસાસ થયો કે આ બાળકો સ્વેટર કે જેકેટ નથી પહેરી રહ્યા તો મારે પણ સ્વેટર કે જેકેટ ન પહોરાય.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.