ભારે હિમવર્ષા વચ્ચે શ્રીનગર ખાતે પૂર્ણ થઈ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા, અંતિમ દિવસે સંબોધી જનસભા


  • Published By :
  • Published Date : 2023-01-30 17:13:45

કન્યાકુમારીથી નિકળેલી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજે પૂર્ણ થઈ ગઈ છે. રવિવારે શ્રીનગર ખાતે તેમણે ધ્વજારોહણ કર્યું હતું. જે બાદ આજે કાશ્મીરમાં આવેલી કોંગ્રેસ પાર્ટીના કાર્યાલય ખાતે તેમણે ધ્વજારોહણ કર્યું હતું. યાત્રાના અંતિમ દિવસે પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. યાત્રાના અંતિમ દિવસે રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું.

      

અનેક રાજનેતાઓ થયા છે ભારત જોડો યાત્રામાં સામેલ 

રાહુલ ગાંધીની આગેવાનીમાં નિકળેલી ભારત જોડો યાત્રા આજે સમાપ્ત થઈ ગઈ છે. 7 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ યાત્રાએ 3570 કિલોમીટરનું અંતર કાપ્યું છે. આ યાત્રા 146 કિલોમીટર ચાલી છે. 146 દિવસ ચાલેલી આ યાત્રાએ અનેક રાજ્યો તેમજ કેન્દ્રશાસિત રાજ્યોમાંથી પસાર થઈ છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, જમ્મુ-કાશ્મીર સહિતના અનેક રાજ્યોમાં યાત્રા કરી છે. આ યાત્રાને સારુ જનસમર્થન મળ્યું છે. આ યાત્રામાં અનેક નેતાઓ સામેલ થયા હતા. જમ્મુમાં શિવસેનાના નેતા સંજય રાઉત, મહેબુબા મુફ્તી સહિતના નેતાઓએ હાજરી આપી હતી. યાત્રાના અંતિમ દિવસે અનેક રાજકીય પાર્ટીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. 


યાત્રા દરમિયાન કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન

પોતાની આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક વખત કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. અનેક મુદ્દાઓને લઈ કોંગ્રસે કેન્દ્ર સરકારને ઘેરી છે. તો બીજી તરફ ભાજપે પણ રાહુલ ગાંધીની ટી-શર્ટને લઈ અનેક વખત મુદ્દો ઉઠાવ્યો છે. યાત્રાના અંતિમ દિવસે રાહુલ ગાંધીએ શ્રીનગરના શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જનસંબોધન કર્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં રાહુલ ગાંધીની સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા.  



ભાજપના એકપણ નેતા અહીં પગપાળા નહીં ચાલી શકે, તેઓ ડરે છે - રાહુલ

જનસંબોધનમાં રાહુલે કહ્યું કે હું જમ્મુ-કાશ્મીરના લોકો અને સેનાને કહેવા માગું છું. હું હિંસાને સમજુ છું. મેં હિંસાને સહન કરી છે, જોઈ છે. જેમણે હિંસાને સહન ન કરી હોય, જેમણે હિંસા જોઈ ન હોય તેમને આ વાત સમજાશે નહીં, જેમ કે મોદીજી છે, અમિત શાહજી છે, સંઘના લોકો છે. તેમણે હિંસા જોઈ નથી. અમે અહીં ચાર દિવસ પગપાળા ચાલ્યા. હું ગેરંટી આપું છું કે ભાજપનો એકપણ નેતા અહીં પગપાળા નહીં ચાલી શકે.  



શા માટે યાત્રા દરમિયાન રાહુલે ન પહેર્યું હતું સ્વેટર તેનો પણ આપ્યો જવાબ 

યાત્રા દરમિયાન તેમણે ટી-શર્ટ શું કામ પહેરી તે અંગે પણ વાત કરી હતી. સ્વેટર ન પહેરવાનું કારણ પણ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે યાત્રા દરમિયાન તેમની પાસે ચાર બાળકો આવ્યા. તે ચારેય બાળકો મજબૂર લાગી રહ્યા હતા અને તેમના શરીર પર ધૂળ હતી. નીચે બેસી તેમને ગળે લગાવ્યા. આ દરમિયાન શિયાળાની શરૂઆત થઈ હતી, પરંતુ આ ચારેય બાળકોએ કપડા પણ ન પહેર્યા હતા. તેમને જોઈને મને અહેસાસ થયો કે આ બાળકો સ્વેટર કે જેકેટ નથી પહેરી રહ્યા તો મારે પણ સ્વેટર કે જેકેટ ન પહોરાય.  




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.