ભારે હિમવર્ષા વચ્ચે શ્રીનગર ખાતે પૂર્ણ થઈ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા, અંતિમ દિવસે સંબોધી જનસભા


  • Published By :
  • Published Date : 2023-01-30 17:13:45

કન્યાકુમારીથી નિકળેલી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજે પૂર્ણ થઈ ગઈ છે. રવિવારે શ્રીનગર ખાતે તેમણે ધ્વજારોહણ કર્યું હતું. જે બાદ આજે કાશ્મીરમાં આવેલી કોંગ્રેસ પાર્ટીના કાર્યાલય ખાતે તેમણે ધ્વજારોહણ કર્યું હતું. યાત્રાના અંતિમ દિવસે પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. યાત્રાના અંતિમ દિવસે રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું.

      

અનેક રાજનેતાઓ થયા છે ભારત જોડો યાત્રામાં સામેલ 

રાહુલ ગાંધીની આગેવાનીમાં નિકળેલી ભારત જોડો યાત્રા આજે સમાપ્ત થઈ ગઈ છે. 7 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ યાત્રાએ 3570 કિલોમીટરનું અંતર કાપ્યું છે. આ યાત્રા 146 કિલોમીટર ચાલી છે. 146 દિવસ ચાલેલી આ યાત્રાએ અનેક રાજ્યો તેમજ કેન્દ્રશાસિત રાજ્યોમાંથી પસાર થઈ છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, જમ્મુ-કાશ્મીર સહિતના અનેક રાજ્યોમાં યાત્રા કરી છે. આ યાત્રાને સારુ જનસમર્થન મળ્યું છે. આ યાત્રામાં અનેક નેતાઓ સામેલ થયા હતા. જમ્મુમાં શિવસેનાના નેતા સંજય રાઉત, મહેબુબા મુફ્તી સહિતના નેતાઓએ હાજરી આપી હતી. યાત્રાના અંતિમ દિવસે અનેક રાજકીય પાર્ટીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. 


યાત્રા દરમિયાન કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન

પોતાની આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક વખત કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. અનેક મુદ્દાઓને લઈ કોંગ્રસે કેન્દ્ર સરકારને ઘેરી છે. તો બીજી તરફ ભાજપે પણ રાહુલ ગાંધીની ટી-શર્ટને લઈ અનેક વખત મુદ્દો ઉઠાવ્યો છે. યાત્રાના અંતિમ દિવસે રાહુલ ગાંધીએ શ્રીનગરના શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જનસંબોધન કર્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં રાહુલ ગાંધીની સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા.  



ભાજપના એકપણ નેતા અહીં પગપાળા નહીં ચાલી શકે, તેઓ ડરે છે - રાહુલ

જનસંબોધનમાં રાહુલે કહ્યું કે હું જમ્મુ-કાશ્મીરના લોકો અને સેનાને કહેવા માગું છું. હું હિંસાને સમજુ છું. મેં હિંસાને સહન કરી છે, જોઈ છે. જેમણે હિંસાને સહન ન કરી હોય, જેમણે હિંસા જોઈ ન હોય તેમને આ વાત સમજાશે નહીં, જેમ કે મોદીજી છે, અમિત શાહજી છે, સંઘના લોકો છે. તેમણે હિંસા જોઈ નથી. અમે અહીં ચાર દિવસ પગપાળા ચાલ્યા. હું ગેરંટી આપું છું કે ભાજપનો એકપણ નેતા અહીં પગપાળા નહીં ચાલી શકે.  



શા માટે યાત્રા દરમિયાન રાહુલે ન પહેર્યું હતું સ્વેટર તેનો પણ આપ્યો જવાબ 

યાત્રા દરમિયાન તેમણે ટી-શર્ટ શું કામ પહેરી તે અંગે પણ વાત કરી હતી. સ્વેટર ન પહેરવાનું કારણ પણ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે યાત્રા દરમિયાન તેમની પાસે ચાર બાળકો આવ્યા. તે ચારેય બાળકો મજબૂર લાગી રહ્યા હતા અને તેમના શરીર પર ધૂળ હતી. નીચે બેસી તેમને ગળે લગાવ્યા. આ દરમિયાન શિયાળાની શરૂઆત થઈ હતી, પરંતુ આ ચારેય બાળકોએ કપડા પણ ન પહેર્યા હતા. તેમને જોઈને મને અહેસાસ થયો કે આ બાળકો સ્વેટર કે જેકેટ નથી પહેરી રહ્યા તો મારે પણ સ્વેટર કે જેકેટ ન પહોરાય.  




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.