ભારે હિમવર્ષા વચ્ચે શ્રીનગર ખાતે પૂર્ણ થઈ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા, અંતિમ દિવસે સંબોધી જનસભા


  • Published By :
  • Published Date : 2023-01-30 17:13:45

કન્યાકુમારીથી નિકળેલી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજે પૂર્ણ થઈ ગઈ છે. રવિવારે શ્રીનગર ખાતે તેમણે ધ્વજારોહણ કર્યું હતું. જે બાદ આજે કાશ્મીરમાં આવેલી કોંગ્રેસ પાર્ટીના કાર્યાલય ખાતે તેમણે ધ્વજારોહણ કર્યું હતું. યાત્રાના અંતિમ દિવસે પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. યાત્રાના અંતિમ દિવસે રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું.

      

અનેક રાજનેતાઓ થયા છે ભારત જોડો યાત્રામાં સામેલ 

રાહુલ ગાંધીની આગેવાનીમાં નિકળેલી ભારત જોડો યાત્રા આજે સમાપ્ત થઈ ગઈ છે. 7 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ યાત્રાએ 3570 કિલોમીટરનું અંતર કાપ્યું છે. આ યાત્રા 146 કિલોમીટર ચાલી છે. 146 દિવસ ચાલેલી આ યાત્રાએ અનેક રાજ્યો તેમજ કેન્દ્રશાસિત રાજ્યોમાંથી પસાર થઈ છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, જમ્મુ-કાશ્મીર સહિતના અનેક રાજ્યોમાં યાત્રા કરી છે. આ યાત્રાને સારુ જનસમર્થન મળ્યું છે. આ યાત્રામાં અનેક નેતાઓ સામેલ થયા હતા. જમ્મુમાં શિવસેનાના નેતા સંજય રાઉત, મહેબુબા મુફ્તી સહિતના નેતાઓએ હાજરી આપી હતી. યાત્રાના અંતિમ દિવસે અનેક રાજકીય પાર્ટીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. 


યાત્રા દરમિયાન કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન

પોતાની આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક વખત કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. અનેક મુદ્દાઓને લઈ કોંગ્રસે કેન્દ્ર સરકારને ઘેરી છે. તો બીજી તરફ ભાજપે પણ રાહુલ ગાંધીની ટી-શર્ટને લઈ અનેક વખત મુદ્દો ઉઠાવ્યો છે. યાત્રાના અંતિમ દિવસે રાહુલ ગાંધીએ શ્રીનગરના શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જનસંબોધન કર્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં રાહુલ ગાંધીની સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા.  



ભાજપના એકપણ નેતા અહીં પગપાળા નહીં ચાલી શકે, તેઓ ડરે છે - રાહુલ

જનસંબોધનમાં રાહુલે કહ્યું કે હું જમ્મુ-કાશ્મીરના લોકો અને સેનાને કહેવા માગું છું. હું હિંસાને સમજુ છું. મેં હિંસાને સહન કરી છે, જોઈ છે. જેમણે હિંસાને સહન ન કરી હોય, જેમણે હિંસા જોઈ ન હોય તેમને આ વાત સમજાશે નહીં, જેમ કે મોદીજી છે, અમિત શાહજી છે, સંઘના લોકો છે. તેમણે હિંસા જોઈ નથી. અમે અહીં ચાર દિવસ પગપાળા ચાલ્યા. હું ગેરંટી આપું છું કે ભાજપનો એકપણ નેતા અહીં પગપાળા નહીં ચાલી શકે.  



શા માટે યાત્રા દરમિયાન રાહુલે ન પહેર્યું હતું સ્વેટર તેનો પણ આપ્યો જવાબ 

યાત્રા દરમિયાન તેમણે ટી-શર્ટ શું કામ પહેરી તે અંગે પણ વાત કરી હતી. સ્વેટર ન પહેરવાનું કારણ પણ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે યાત્રા દરમિયાન તેમની પાસે ચાર બાળકો આવ્યા. તે ચારેય બાળકો મજબૂર લાગી રહ્યા હતા અને તેમના શરીર પર ધૂળ હતી. નીચે બેસી તેમને ગળે લગાવ્યા. આ દરમિયાન શિયાળાની શરૂઆત થઈ હતી, પરંતુ આ ચારેય બાળકોએ કપડા પણ ન પહેર્યા હતા. તેમને જોઈને મને અહેસાસ થયો કે આ બાળકો સ્વેટર કે જેકેટ નથી પહેરી રહ્યા તો મારે પણ સ્વેટર કે જેકેટ ન પહોરાય.  




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.