બ્રિટિશ સંસદમાં રાહુલ ગાંધીનું ભાષણ, સંબોધનમાં કેન્દ્ર સરકાર અને આરએસએસ પર સાધ્યું નિશાન, કહ્યું


  • Published By :
  • Published Date : 2023-03-07 11:12:05

રાહુલ ગાંધી હાલ બ્રિટનના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. પ્રવાસની શરૂઆતમાં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપ્યો હતો જેમાં વિવિધ મુદ્દાઓને લઈ તેમણે ચર્ચા કરી હતી. ત્યારે સોમવારે રાહુલ ગાંધીએ લંડનમાં ચેથમ હાઉસ થિંક ટેન્કમાં હાજરી આપી હતી. બ્રિટિશ સાંસદો સાથે વાતચીત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે આરએસએસ, જીએસટી, નોટબંધી જેવા મુદ્દાઓને ઉઠાવ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સરખામણી મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી હતી. તેમણે કહ્યું કે આરએસએસ એક ગુપ્ત સમાજ છે. તે મુસ્લિમ બ્રધરહુ઼ડ પર આધારિત છે અને તેમનો વિચાર સત્તામાં આવવા માટે લોકશાહી સ્પર્ધાનો ઉપયોગ કરવાનો છે.

  

નોટબંધી તેમજ જીએસટીનો કર્યો ઉલ્લેખ 

પોતાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ અનેક વખત ભારતના રાજનીતિની વાત કરી છે. કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. ત્યારે આ વખતે પણ રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં નોટબંધી તેમજ જીએસટી પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે ભારતમાં નોટબંધીનો નિર્ણય એક વિનાશકારી નિર્ણય હતો, પરંતુ અમને આ મુદ્દા પર ચર્ચા કરવાની પરવાનગી નથી. જીએસટી પર પણ ચર્ચા કરવાની પરવાનગી નથી મળતી. ઉપરાંત ચીનના સૈનિકો મુદ્દે પણ ચર્ચા કરવાની પરમિશન નથી. આવા સમયે ગુંગળામણની લાગણીનો અનુભવ થાય છે. 


ભારતમાં વિપક્ષનું દમન થઈ રહ્યું છે - રાહુલ ગાંધી  

રાહુલ ગાંધીના સંબોધનમાં જે માઈક્રોફોનનો ઉપયોગ થઈ રહ્યા હતો તે ખરાબ થઈ ગયું. બગડેલા માઈકથી જ રાહુલે બોલવાની શરૂઆત કરી. તેમણે કહ્યું કે ભારતમાં અમારા માઈક ખરાબ નથી, એ કામ પણ કરી રહ્યા છે પણ તમે માઈકને ચાલુ ન કરી શકો. ભારતની સંસદમાં જ્યારે મેં વાત રજૂ કરવાની કોશિશ કરી તો આવું મારી સાથે ઘણી બધી વાર થયું છે. ભારતમાં વિપક્ષનું દમન કરવામાં આવી રહ્યું છે.   


આરએસએસ અંગે કરી ટિપ્પણી 

આરએસએસનો ઉલ્લેખ રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કરતા કહ્યું કે આરએસએસ એક ગુપ્ત સોસાયટી જેવી છે.  તે એક કટ્ટરવાદી, ફાસીવાદ સંગઠન છે. જેણે મૂળભૂત ભારતની લગભગ તમામ સંસ્થાઓ પર કબજો જમાવી લીધો છે. ભારતીય જનતા પાર્ટીને વિશ્વાસ છે કે તે ભારતમાં હંમેશા સત્તામાં રહેશે. પરંતુ અમે માનીએ છીએ કે તેમની વિચારસરણી હાસ્યાસ્પદ છે. 


કોંગ્રેસના શાસન અંગે કરી રાહુલ ગાંધીએ વાત 

કોંગ્રેસનો અંત થઈ ગયો છે તેવું માનવું પણ એક ખોટો વિચાર છે. ભાજપ 10 વર્ષ સુધી સત્તામાં હતી તે પહેલા કોંગ્રેસ 10 વર્ષ સત્તામાં હતી. યુપીએ સરકારે ગ્રામીણ ક્ષેત્ર પર ઘણું ધ્યાન કેન્દ્રીચ કર્યું છે. અમે શરૂઆતમાં શહેરી વિસ્તારને ચૂકી ગયા. આ એક હકીકત છે, પરંતુ ભાજપ સત્તામાં છે અને કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે એમ કહેવું ખરેખર હાસ્યાસ્પદ વિચાર છે. તમે જોઈ શકો છો કે ભારતમાં દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓ સાથે શું કરવામાં આવી રહ્યું છે? એવું નથી માત્ર કોંગ્રેસ જ આવું કહી રહી છે. વિદેશી અખબારો પણ આ અંગે અવારનવાર લેખ લખે છે.    




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.