બ્રિટિશ સંસદમાં રાહુલ ગાંધીનું ભાષણ, સંબોધનમાં કેન્દ્ર સરકાર અને આરએસએસ પર સાધ્યું નિશાન, કહ્યું


  • Published By :
  • Published Date : 2023-03-07 11:12:05

રાહુલ ગાંધી હાલ બ્રિટનના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. પ્રવાસની શરૂઆતમાં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપ્યો હતો જેમાં વિવિધ મુદ્દાઓને લઈ તેમણે ચર્ચા કરી હતી. ત્યારે સોમવારે રાહુલ ગાંધીએ લંડનમાં ચેથમ હાઉસ થિંક ટેન્કમાં હાજરી આપી હતી. બ્રિટિશ સાંસદો સાથે વાતચીત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે આરએસએસ, જીએસટી, નોટબંધી જેવા મુદ્દાઓને ઉઠાવ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સરખામણી મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી હતી. તેમણે કહ્યું કે આરએસએસ એક ગુપ્ત સમાજ છે. તે મુસ્લિમ બ્રધરહુ઼ડ પર આધારિત છે અને તેમનો વિચાર સત્તામાં આવવા માટે લોકશાહી સ્પર્ધાનો ઉપયોગ કરવાનો છે.

  

નોટબંધી તેમજ જીએસટીનો કર્યો ઉલ્લેખ 

પોતાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ અનેક વખત ભારતના રાજનીતિની વાત કરી છે. કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. ત્યારે આ વખતે પણ રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં નોટબંધી તેમજ જીએસટી પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે ભારતમાં નોટબંધીનો નિર્ણય એક વિનાશકારી નિર્ણય હતો, પરંતુ અમને આ મુદ્દા પર ચર્ચા કરવાની પરવાનગી નથી. જીએસટી પર પણ ચર્ચા કરવાની પરવાનગી નથી મળતી. ઉપરાંત ચીનના સૈનિકો મુદ્દે પણ ચર્ચા કરવાની પરમિશન નથી. આવા સમયે ગુંગળામણની લાગણીનો અનુભવ થાય છે. 


ભારતમાં વિપક્ષનું દમન થઈ રહ્યું છે - રાહુલ ગાંધી  

રાહુલ ગાંધીના સંબોધનમાં જે માઈક્રોફોનનો ઉપયોગ થઈ રહ્યા હતો તે ખરાબ થઈ ગયું. બગડેલા માઈકથી જ રાહુલે બોલવાની શરૂઆત કરી. તેમણે કહ્યું કે ભારતમાં અમારા માઈક ખરાબ નથી, એ કામ પણ કરી રહ્યા છે પણ તમે માઈકને ચાલુ ન કરી શકો. ભારતની સંસદમાં જ્યારે મેં વાત રજૂ કરવાની કોશિશ કરી તો આવું મારી સાથે ઘણી બધી વાર થયું છે. ભારતમાં વિપક્ષનું દમન કરવામાં આવી રહ્યું છે.   


આરએસએસ અંગે કરી ટિપ્પણી 

આરએસએસનો ઉલ્લેખ રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કરતા કહ્યું કે આરએસએસ એક ગુપ્ત સોસાયટી જેવી છે.  તે એક કટ્ટરવાદી, ફાસીવાદ સંગઠન છે. જેણે મૂળભૂત ભારતની લગભગ તમામ સંસ્થાઓ પર કબજો જમાવી લીધો છે. ભારતીય જનતા પાર્ટીને વિશ્વાસ છે કે તે ભારતમાં હંમેશા સત્તામાં રહેશે. પરંતુ અમે માનીએ છીએ કે તેમની વિચારસરણી હાસ્યાસ્પદ છે. 


કોંગ્રેસના શાસન અંગે કરી રાહુલ ગાંધીએ વાત 

કોંગ્રેસનો અંત થઈ ગયો છે તેવું માનવું પણ એક ખોટો વિચાર છે. ભાજપ 10 વર્ષ સુધી સત્તામાં હતી તે પહેલા કોંગ્રેસ 10 વર્ષ સત્તામાં હતી. યુપીએ સરકારે ગ્રામીણ ક્ષેત્ર પર ઘણું ધ્યાન કેન્દ્રીચ કર્યું છે. અમે શરૂઆતમાં શહેરી વિસ્તારને ચૂકી ગયા. આ એક હકીકત છે, પરંતુ ભાજપ સત્તામાં છે અને કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે એમ કહેવું ખરેખર હાસ્યાસ્પદ વિચાર છે. તમે જોઈ શકો છો કે ભારતમાં દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓ સાથે શું કરવામાં આવી રહ્યું છે? એવું નથી માત્ર કોંગ્રેસ જ આવું કહી રહી છે. વિદેશી અખબારો પણ આ અંગે અવારનવાર લેખ લખે છે.    




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.