રાહુલ ગાંધીના તવાંગ મુદ્દે અપાયેલા નિવેદન પર સંસદમાં થઈ શકે છે હંગામો


  • Published By :
  • Published Date : 2022-12-19 10:14:41

સંસદમાં ભારત અને ચીન વચ્ચે ચાલતા વિવાદને કારણે અનેક વખત હંગામો થયો છે. જેને કારણે સંસદની કાર્યવાહીને સ્થગિત કરી દેવી પડે છે. ત્યારે તવાંગના મુદ્દાને લઈ ફરી એક વખત સંસદમાં હંગામો થઈ શકે છે તેવી સંભાવના દેખાઈ રહી છે. તવાંગના પ્રશ્નને લઈ વિપક્ષે અનેક સવાલ ઉઠાવ્યા હતા ત્યારે આ મુદ્દા પર રાહુલ ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે જેને લઈ સંસદમાં હોબાળો થઈ શકે છે.


તવાંગ મુદ્દે રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર

તવાંગ મુદ્દા પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું હતું. પરંતુ ભારતની સરકારને આ વાતની ગંભીરતા ન સમજાઈ અને ઉંઘી રહ્યું હતું.  વધુમાં તેમણે કહ્યું કે ચીનની તૈયારી યુદ્ધ કરવાની હતી ન કેવલ ઘૂસણખોરી કરવાની. આ મુદ્દોને લઈ વિપક્ષ હમેશાં આક્રામક રૂપમાં દેખાયું છે. આ ઘટનાની આલોચના કરવામાં આવી રહી છે. જ્યારે જ્યારે પણ સંસદમાં ઉઠ્યો ત્યારે હોબાળો થયો છે અને કાર્યવાહીને થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવે છે. 


તવાંગમાં ચાલતા વિવાદને લઈ સંસદમાં થઈ શકે છે હંગામો 

આ વાતને લઈ ભાજપના નેતાઓ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભાજપના નેતા મનજિંદર સિંહ લિપસાએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. ટ્વિટ કરી તેમણે લખ્યું કે આ ખરાબ નિવેદન સાંભળીને મારૂ લોહી ઊકળી રહ્યું છે. આવી દેશવિરોધી વાત કરવા બદલ સોનિયા ગાંધીએ અને પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીને ફટકારવો જોઈએ. આ ટ્વિટને કારણે નવો વિવાદ છેડાઈ ગયો છે. આ મુદ્દો જ્યારે સંસદમાં ઉઠશે ત્યારે ફરી એક વખત સંસદમાં જોરદાર હંગામો થઈ શકે છે.     




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.