રાહુલ ગાંધીના તવાંગ મુદ્દે અપાયેલા નિવેદન પર સંસદમાં થઈ શકે છે હંગામો


  • Published By :
  • Published Date : 2022-12-19 10:14:41

સંસદમાં ભારત અને ચીન વચ્ચે ચાલતા વિવાદને કારણે અનેક વખત હંગામો થયો છે. જેને કારણે સંસદની કાર્યવાહીને સ્થગિત કરી દેવી પડે છે. ત્યારે તવાંગના મુદ્દાને લઈ ફરી એક વખત સંસદમાં હંગામો થઈ શકે છે તેવી સંભાવના દેખાઈ રહી છે. તવાંગના પ્રશ્નને લઈ વિપક્ષે અનેક સવાલ ઉઠાવ્યા હતા ત્યારે આ મુદ્દા પર રાહુલ ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે જેને લઈ સંસદમાં હોબાળો થઈ શકે છે.


તવાંગ મુદ્દે રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર

તવાંગ મુદ્દા પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું હતું. પરંતુ ભારતની સરકારને આ વાતની ગંભીરતા ન સમજાઈ અને ઉંઘી રહ્યું હતું.  વધુમાં તેમણે કહ્યું કે ચીનની તૈયારી યુદ્ધ કરવાની હતી ન કેવલ ઘૂસણખોરી કરવાની. આ મુદ્દોને લઈ વિપક્ષ હમેશાં આક્રામક રૂપમાં દેખાયું છે. આ ઘટનાની આલોચના કરવામાં આવી રહી છે. જ્યારે જ્યારે પણ સંસદમાં ઉઠ્યો ત્યારે હોબાળો થયો છે અને કાર્યવાહીને થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવે છે. 


તવાંગમાં ચાલતા વિવાદને લઈ સંસદમાં થઈ શકે છે હંગામો 

આ વાતને લઈ ભાજપના નેતાઓ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભાજપના નેતા મનજિંદર સિંહ લિપસાએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. ટ્વિટ કરી તેમણે લખ્યું કે આ ખરાબ નિવેદન સાંભળીને મારૂ લોહી ઊકળી રહ્યું છે. આવી દેશવિરોધી વાત કરવા બદલ સોનિયા ગાંધીએ અને પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીને ફટકારવો જોઈએ. આ ટ્વિટને કારણે નવો વિવાદ છેડાઈ ગયો છે. આ મુદ્દો જ્યારે સંસદમાં ઉઠશે ત્યારે ફરી એક વખત સંસદમાં જોરદાર હંગામો થઈ શકે છે.     




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.