Big Breaking - રાહુલ ગાંધી સંસદમાંથી આઉટ!


  • Published By :
  • Published Date : 2023-03-24 14:48:12

Big Breaking - રાહુલ ગાંધી સંસદમાંથી આઉટ, ફાયદો લેશે કૉંગ્રેસ?


મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈ સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. ત્યારે શુક્રવારે રાહુલ ગાંધીને મોટો ઝટકો મળ્યો છે. રાહુલ ગાંધીનું સંસદનું સભ્ય પદ રદ્દ થઈ ગયું છે. લોકસભા સચિવાલય ખાતેથી આ સંબંધમાં એક પત્ર  બહાર પાડવામાં આવ્યો છે.  


2006માં સોનિયા ગાંધી સાથે આવું જ થયું હતું પણ...

વર્ષ 2006માં સોનિયા ગાંધી પર અનુચ્છેદ-102 હેઠળ જ ઓફીસ ઓફ પ્રોફીટનો આરોપ લાગ્યો હતો પણ સંસદ કાર્યવાહી કરે એ પહેલા જ એમણે રાજીનામું આપી દીધું, પોતાને કૉંગ્રેસના કાર્યકર્તાઓની વચ્ચે ત્યાગની મૂર્તિ પ્રસ્થાપિત કર્યા, સામે આવેલા પડકારને તકમાં ફેરવ્યો અને સત્તા ટકાવી રાખવામાં સફળ થયા, રાહુલ ગાંધીએ આ બધું જ જોયું હોવા છતાંય એ આવું ના કરી શક્યા અને સંસદે જ એમની સામે કાર્યવાહી કરી નાખી પણ હવે એમની પાસે રાજનીતિક તક છે પોતાને વિક્ટીમ સાબિત કરવાની, રાહુલ ગાંધી એમાં સફળ થાય છે કે કેમ એ સમય બતાવશે!

આપત્તિને અવસરમાં પલટી શકશે રાહુલ ગાંધી?

2024ની ચૂંટણી પહેલા કૉંગ્રેસને આ સૌથી મોટો મોકો મળ્યો છે, પક્ષ એને મેળવી શકે છે કે કેમ એ જોવું પડશે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.