Big Breaking - રાહુલ ગાંધી સંસદમાંથી આઉટ!


  • Published By :
  • Published Date : 2023-03-24 14:48:12

Big Breaking - રાહુલ ગાંધી સંસદમાંથી આઉટ, ફાયદો લેશે કૉંગ્રેસ?


મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈ સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. ત્યારે શુક્રવારે રાહુલ ગાંધીને મોટો ઝટકો મળ્યો છે. રાહુલ ગાંધીનું સંસદનું સભ્ય પદ રદ્દ થઈ ગયું છે. લોકસભા સચિવાલય ખાતેથી આ સંબંધમાં એક પત્ર  બહાર પાડવામાં આવ્યો છે.  


2006માં સોનિયા ગાંધી સાથે આવું જ થયું હતું પણ...

વર્ષ 2006માં સોનિયા ગાંધી પર અનુચ્છેદ-102 હેઠળ જ ઓફીસ ઓફ પ્રોફીટનો આરોપ લાગ્યો હતો પણ સંસદ કાર્યવાહી કરે એ પહેલા જ એમણે રાજીનામું આપી દીધું, પોતાને કૉંગ્રેસના કાર્યકર્તાઓની વચ્ચે ત્યાગની મૂર્તિ પ્રસ્થાપિત કર્યા, સામે આવેલા પડકારને તકમાં ફેરવ્યો અને સત્તા ટકાવી રાખવામાં સફળ થયા, રાહુલ ગાંધીએ આ બધું જ જોયું હોવા છતાંય એ આવું ના કરી શક્યા અને સંસદે જ એમની સામે કાર્યવાહી કરી નાખી પણ હવે એમની પાસે રાજનીતિક તક છે પોતાને વિક્ટીમ સાબિત કરવાની, રાહુલ ગાંધી એમાં સફળ થાય છે કે કેમ એ સમય બતાવશે!

આપત્તિને અવસરમાં પલટી શકશે રાહુલ ગાંધી?

2024ની ચૂંટણી પહેલા કૉંગ્રેસને આ સૌથી મોટો મોકો મળ્યો છે, પક્ષ એને મેળવી શકે છે કે કેમ એ જોવું પડશે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.