Big Breaking - રાહુલ ગાંધી સંસદમાંથી આઉટ!


  • Published By :
  • Published Date : 2023-03-24 14:48:12

Big Breaking - રાહુલ ગાંધી સંસદમાંથી આઉટ, ફાયદો લેશે કૉંગ્રેસ?


મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈ સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. ત્યારે શુક્રવારે રાહુલ ગાંધીને મોટો ઝટકો મળ્યો છે. રાહુલ ગાંધીનું સંસદનું સભ્ય પદ રદ્દ થઈ ગયું છે. લોકસભા સચિવાલય ખાતેથી આ સંબંધમાં એક પત્ર  બહાર પાડવામાં આવ્યો છે.  


2006માં સોનિયા ગાંધી સાથે આવું જ થયું હતું પણ...

વર્ષ 2006માં સોનિયા ગાંધી પર અનુચ્છેદ-102 હેઠળ જ ઓફીસ ઓફ પ્રોફીટનો આરોપ લાગ્યો હતો પણ સંસદ કાર્યવાહી કરે એ પહેલા જ એમણે રાજીનામું આપી દીધું, પોતાને કૉંગ્રેસના કાર્યકર્તાઓની વચ્ચે ત્યાગની મૂર્તિ પ્રસ્થાપિત કર્યા, સામે આવેલા પડકારને તકમાં ફેરવ્યો અને સત્તા ટકાવી રાખવામાં સફળ થયા, રાહુલ ગાંધીએ આ બધું જ જોયું હોવા છતાંય એ આવું ના કરી શક્યા અને સંસદે જ એમની સામે કાર્યવાહી કરી નાખી પણ હવે એમની પાસે રાજનીતિક તક છે પોતાને વિક્ટીમ સાબિત કરવાની, રાહુલ ગાંધી એમાં સફળ થાય છે કે કેમ એ સમય બતાવશે!

આપત્તિને અવસરમાં પલટી શકશે રાહુલ ગાંધી?

2024ની ચૂંટણી પહેલા કૉંગ્રેસને આ સૌથી મોટો મોકો મળ્યો છે, પક્ષ એને મેળવી શકે છે કે કેમ એ જોવું પડશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.