અમેરિકામાં રાહુલ ગાંધીએ ભારતની રાજનીતિને લઈ કરી વાત! નેશનલ પ્રેસ ક્લબમાં લોકસભાની ચૂંટણીને લઈ આપ્યું નિવેદન કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-06-02 09:58:49

રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન ભાજપ સરકાર પર તેમજ પીએમ મોદીને લઈ અનેક નિવેદનો આપી રહ્યા છે. રાહુલ ગાંધી નિવેદન અમેરિકામાં આપે છે અને હેડલાઈન્સ ભારતમાં બને છે. અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ પહેલા પીએમ મોદીને લઈ નિવેદન આપ્યું હતું. તે બાદ તેમના સંસદ પદ રદ્દ થવા પર અમેરિકામાં વાત કરી હતી. ત્યારે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં વિપક્ષના એકજૂથ થવાની વાત કરી અને કહ્યું કે અમે ભાજપને હરાવીશું. મને નથી લાગતું કે પીએમ મોદી 2024માં જીતશે.

  

અનેક વખત કર્યો છે ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ!  

ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી ચર્ચામાં રહી રહ્યા છે. ભારત જોડો યાત્રા દરમિયાન તેમણે અનેક નિવેદનો આપ્યા જેની ચર્ચા થઈ હતી. ત્યારે હવે રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા છે. અમેરિકામાં પોતાના સંબોધન દરમિયાન તેમણે ભાજપ પર અનેક પ્રહાર કર્યા છે. અનેક લોકો સાથે મુલાકાત કરી હતી. પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ પેગાસસ મુદ્દે, ભારત જોડો યાત્રા મુદ્દે તેમજ ભારતની રાજનીતિ વિશે વાત કરી છે. ત્યારે વોશિંગ્ટનમાં નેશનલ પ્રેસ ક્લબ ખાતે મીડિયા સમક્ષ અનેક મુદ્દાઓને લઈ નિવેદન આપ્યું હતું.  

મને લાગે છે કે પીએમ મોદી 2024માં નહીં જીતે - રાહુલ ગાંધી

વિપક્ષની એકતા મુદ્દે નિવેદન આપતા તેમજ લોકસભાની ચૂંટણીને લઈ તેમણે કહ્યું કે એવી અનેક જગ્યાઓ જ્યાં વિપક્ષ સાથે મુકાબલો કરી રહ્યા છીએ. અનેક એવા મુદ્દાઓ છે જેમાં એક વિચારધારા લાવવી પડશે. પરંતુ મને વિશ્વાસ છે કે ચૂંટણી સુધી અમે જરૂર સાથે આવીશું. અમે ભાજપને હરાવીશું. મને નથી લાગતું કે પીએમ મોદી 2024માં જીતશે. તેમણે ચીન અંગે વાત કરતા કહ્યું કે એ વાત સાચી છે કે ચીને અમારી જમીન પર કબજો જમાવ્યો છે અને તે તદ્દન અસ્વીકાર્ય છે. ચીનના કબજા હેઠળના અમારા પ્રદેશ પર મને ખબર નથી કે પીએમ કેમ અલગ રીતે વિચારે છે. ભારતમાં પહેલેથી જ ખૂબ જ મજબૂત સિસ્ટમ છે. જોકે આ સિસ્ટમ નબળી પડી ગઈ છે. પરંતુ એવું નથી કે ત્યાં કોઈ વ્યવસ્થા નથી.

   

મુસ્લિમ લીગને લઈ રાહુલ ગાંધીએ આપ્યું નિવેદન!

તે સિવાય કેરળમાં મુસ્લિમ લીગના ગઠબંધનને લઈ પણ તેમણે પોતાનો વિચાર રજૂ કર્યો હતો જેમાં તેમણે કહ્યું કે મુસ્લિમ લીગ તમામ ભારતીયોને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને તેમના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતાનો અધિકાર છે. તેમણે કહ્યું કે ભાજપ નફરતને પ્રોત્સાહન આપે છે અને સમાજમાં ભાગલા પાડે છે. સરકારી સંસ્થાનો અને મીડિયા પર ચોક્કસપણે કબજો જમાવી લેવાયો છે. મેં દેશભરમાં ભારત જોડો યાત્રા યોજી હતી જેમાં મને લોકોનો ગુસ્સો દેખાયો હતો. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.