અમેરિકામાં રાહુલ ગાંધીએ ભારતની રાજનીતિને લઈ કરી વાત! નેશનલ પ્રેસ ક્લબમાં લોકસભાની ચૂંટણીને લઈ આપ્યું નિવેદન કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-06-02 09:58:49

રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન ભાજપ સરકાર પર તેમજ પીએમ મોદીને લઈ અનેક નિવેદનો આપી રહ્યા છે. રાહુલ ગાંધી નિવેદન અમેરિકામાં આપે છે અને હેડલાઈન્સ ભારતમાં બને છે. અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ પહેલા પીએમ મોદીને લઈ નિવેદન આપ્યું હતું. તે બાદ તેમના સંસદ પદ રદ્દ થવા પર અમેરિકામાં વાત કરી હતી. ત્યારે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં વિપક્ષના એકજૂથ થવાની વાત કરી અને કહ્યું કે અમે ભાજપને હરાવીશું. મને નથી લાગતું કે પીએમ મોદી 2024માં જીતશે.

  

અનેક વખત કર્યો છે ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ!  

ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી ચર્ચામાં રહી રહ્યા છે. ભારત જોડો યાત્રા દરમિયાન તેમણે અનેક નિવેદનો આપ્યા જેની ચર્ચા થઈ હતી. ત્યારે હવે રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા છે. અમેરિકામાં પોતાના સંબોધન દરમિયાન તેમણે ભાજપ પર અનેક પ્રહાર કર્યા છે. અનેક લોકો સાથે મુલાકાત કરી હતી. પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ પેગાસસ મુદ્દે, ભારત જોડો યાત્રા મુદ્દે તેમજ ભારતની રાજનીતિ વિશે વાત કરી છે. ત્યારે વોશિંગ્ટનમાં નેશનલ પ્રેસ ક્લબ ખાતે મીડિયા સમક્ષ અનેક મુદ્દાઓને લઈ નિવેદન આપ્યું હતું.  

મને લાગે છે કે પીએમ મોદી 2024માં નહીં જીતે - રાહુલ ગાંધી

વિપક્ષની એકતા મુદ્દે નિવેદન આપતા તેમજ લોકસભાની ચૂંટણીને લઈ તેમણે કહ્યું કે એવી અનેક જગ્યાઓ જ્યાં વિપક્ષ સાથે મુકાબલો કરી રહ્યા છીએ. અનેક એવા મુદ્દાઓ છે જેમાં એક વિચારધારા લાવવી પડશે. પરંતુ મને વિશ્વાસ છે કે ચૂંટણી સુધી અમે જરૂર સાથે આવીશું. અમે ભાજપને હરાવીશું. મને નથી લાગતું કે પીએમ મોદી 2024માં જીતશે. તેમણે ચીન અંગે વાત કરતા કહ્યું કે એ વાત સાચી છે કે ચીને અમારી જમીન પર કબજો જમાવ્યો છે અને તે તદ્દન અસ્વીકાર્ય છે. ચીનના કબજા હેઠળના અમારા પ્રદેશ પર મને ખબર નથી કે પીએમ કેમ અલગ રીતે વિચારે છે. ભારતમાં પહેલેથી જ ખૂબ જ મજબૂત સિસ્ટમ છે. જોકે આ સિસ્ટમ નબળી પડી ગઈ છે. પરંતુ એવું નથી કે ત્યાં કોઈ વ્યવસ્થા નથી.

   

મુસ્લિમ લીગને લઈ રાહુલ ગાંધીએ આપ્યું નિવેદન!

તે સિવાય કેરળમાં મુસ્લિમ લીગના ગઠબંધનને લઈ પણ તેમણે પોતાનો વિચાર રજૂ કર્યો હતો જેમાં તેમણે કહ્યું કે મુસ્લિમ લીગ તમામ ભારતીયોને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને તેમના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતાનો અધિકાર છે. તેમણે કહ્યું કે ભાજપ નફરતને પ્રોત્સાહન આપે છે અને સમાજમાં ભાગલા પાડે છે. સરકારી સંસ્થાનો અને મીડિયા પર ચોક્કસપણે કબજો જમાવી લેવાયો છે. મેં દેશભરમાં ભારત જોડો યાત્રા યોજી હતી જેમાં મને લોકોનો ગુસ્સો દેખાયો હતો. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.