રાહુલ ગાંધીએ ભાજપ પર સાધ્યું નિશાન! સંબોધનમાં કહ્યું 'તેઓ ભવિષ્યની વાત નથી કરતા, નિષ્ફળતા માટે ભૂતકાળને દોષ આપે છે'


  • Published By :
  • Published Date : 2023-06-05 09:40:06

ઓડિશા રેલવે દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તો અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને લઈ સરકારની ટીકા વિપક્ષ દ્વારા કરવામાં  આવી રહી છે. અનેક પાર્ટીઓએ સરકાર પર નિશાન સાધ્યું છે ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ આ મામલે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે પીએમ મોદી ક્યારેય ભવિષ્યને લઈ વાતો નથી કરતા. પોતાની નિષ્ફળતાઓ માટે હંમેશા ભૂતકાળમાં કોઈ બીજાને દોષ આપે છે. પીએમ મોદી દેશને પાછળ લઈ જઈ રહ્યા છે. 

ઓડિશા ટ્રેન અકસ્માત અંગે રાહુલ ગાંધીએ કરી વાત!

કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. અમેરિકાના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ અનેક વખત પોતાના સંબોધનમાં ભાજપ પર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. ત્યારે ન્યુયોર્કમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ ઓડિશામાં બનેલી ટ્રેન અકસ્માતને લઈ વાત કરી હતી અને સરકાર પર પ્રહાર કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે કોંગ્રેસની સરકાર દરમિયાન બનેલી દુર્ઘટનાને યાદ કરી હતી ઉપરાંત રેલવે મંત્રીએ તરત પોતાનું રાજીનામું આપી દેવું જોઈએ. 

કોંગ્રેસ સરકારને લઈ રાહુલ ગાંધીએ કરી વાત! 

ઓડિશા ટ્રેન દુર્ઘટના અંગે વાત કરતા તેમણે કહ્યું કે મને એક રેલ દુર્ઘટના યાદ છે જ્યારે કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી. તે સમયે કોંગ્રેસના નેતાએ એવું ન કહ્યું હતું કે ટ્રેન દુર્ઘટના અંગ્રેજોની ભૂલને કારણે થઈ હતી. તે દરમિયાન કોંગ્રેસના તત્કાલિન મંત્રીએ કહ્યું હતું કે આ મારી જવાબદારી છે અને હું રાજીનામું આપી રહ્યો છું. પરંતુ આજે આપણી આ સમસ્યા છે, આપણે બહાના બનાવીએ છીએ અને વાસ્તવિક્તા સ્વીકારતા નથી. મૃત્યુ પછી પણ કોઈ જવાબદારી નથી. મોદી સરકાર આ દર્દનાક અકસ્માતની જવાબદારી લેવાથી ભાગી શકે નહીં. મોદી સરકારે આ દુર્ઘટનાની જવાબદારી સ્વીકારવી જોઈએ અને પીએમ મોદીએ તરત જ રેલવે મંત્રીનું રાજીનામુ લઈ લેવું જોઈએ.   


ભારતમાં બે વિચારધારા હોવાની કરી વાત! 

વધુમાં તેમણે કહ્યું કે પોતાના સંબોધનમાં મહાત્મા ગાંધી તેમજ નથ્થુરામ ગોડસેને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે ભારતમાં બે પ્રકારની વિચાર ધારા ચાલી રહી ચે. જેમાં એક તરફ નથ્થુરામ ગોડસેની વિચારધારા છે અને બીજી તરફ મહાત્મા ગાંધીની વિચારધારા છે. અમે મહાત્મા ગાંધીની વિચારધારા સાથે આગળ વધી રહ્યા છીએ.


વડાપ્રધાન મોદીએ લીધી હતી સ્થળ મુલાકાત!

મહત્વનું છે કે શુક્રવાર સાંજે ઓડિશામાં ત્રણ ટ્રેનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં 250થી વધારે લોકોના મોત થયા હતા અને ગંભીર રીતે અનેક લોકો ઘાયલ થયા હતા. દુર્ઘટનાને પગલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને શનિવાર બપોરે પીએમ મોદીએ દુર્ઘટના સર્જાઈ તે જગ્યાની મુલાકાત લીધી અને સમીક્ષા કરી હતી ઉપરાંત ઘાયલોની સાથે પણ મુલાકાત કરી હતી.      

       



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.