રાહુલ ગાંધી અમેરિકાના 10 દિવસના પ્રવાસે જશે, 5 હજાર NRI સાથે ન્યૂ યોર્કમાં રેલી કરશે


  • Published By :
  • Published Date : 2023-05-16 15:04:36

કોંગ્રેસના નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી 31 મેના રોજ 10 દિવસ માટે અમેરિકાની મુલાકાતે જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ 4 જૂને ન્યૂ યોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં લગભગ 5000 NRI સાથે રેલી કરશે. આ ઉપરાંત, તેઓ પેનલ ચર્ચાઓ અને ભાષણો માટે વોશિંગ્ટન અને કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની પણ મુલાકાત લેશે. અત્રે ઉલ્લેખનિય છે તે સાંસદ પદ ગયા પછી રાહુલ ગાંધીની આ પ્રથમ વિદેશ યાત્રા હશે. 11 એપ્રિલે, રાહુલને માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ સંસદ સભ્ય તરીકે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા.


રાજકારણીઓ અને બિઝનેશમેન સાથે કરશે મુલાકાત


રાહુલ તેમની મુલાકાત દરમિયાન અમેરિકાના રાજકારણીઓ અને ઉદ્યોગ સાહસિકોને પણ મળશે. આ દરમિયાન PM મોદી 22 જૂને રાજ્યની મુલાકાતે અમેરિકા જશે. વિદેશ મંત્રાલયે ગયા અઠવાડિયે એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે PM મોદીની યજમાની અમેરિકામાં રાષ્ટ્રપતિ જો બિડેન કરશે. વ્હાઇટ હાઉસમાં પીએમ મોદી માટે ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


લંડનમાં મોદી સરકારની કરી હતી ટીકા


તાજેતરમાં લંડનના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કેન્દ્ર સરકાર અને ભારતીય લોકશાહીની ટીકા કરીને ચર્ચામાં આવ્યા હતા. માર્ચ 2023 માં, તેમણે લંડનમાં કહ્યું- "દરેક જણ જાણે છે અને તે સમાચારમાં પણ છે કે ભારતીય લોકશાહી દબાણ હેઠળ છે અને તેના પર હુમલો થઈ રહ્યો છે. હું વિરોધ પક્ષનો નેતા છું. અમે તે જગ્યાને નેવિગેટ કરી રહ્યા છીએ."


સંસદમાં થયો હતો હંગામો

 

રાહુલ ગાંધીના નિવેદન બાદ સત્તારૂઢ ભાજપના નેતાઓએ તેમની પાસે માફી માંગવાની માંગ કરી હતી. સંસદના બજેટ સત્ર દરમિયાન, જ્યારે ભાજપે રાહુલ ગાંધી પાસેથી માફી માંગવાની માંગ કરી હતી, ત્યારે કોંગ્રેસે અદાણી જૂથની કંપનીઓ દ્વારા શંકાસ્પદ નાણાકીય વ્યવહારોનો આક્ષેપ કરતી સંયુક્ત સભ્ય સમિતિ (જેપીસી) ની રચનાની માંગ કરી હતી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.