રાહુલ ગાંધી અમેરિકાના 10 દિવસના પ્રવાસે જશે, 5 હજાર NRI સાથે ન્યૂ યોર્કમાં રેલી કરશે


  • Published By :
  • Published Date : 2023-05-16 15:04:36

કોંગ્રેસના નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધી 31 મેના રોજ 10 દિવસ માટે અમેરિકાની મુલાકાતે જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ 4 જૂને ન્યૂ યોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં લગભગ 5000 NRI સાથે રેલી કરશે. આ ઉપરાંત, તેઓ પેનલ ચર્ચાઓ અને ભાષણો માટે વોશિંગ્ટન અને કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની પણ મુલાકાત લેશે. અત્રે ઉલ્લેખનિય છે તે સાંસદ પદ ગયા પછી રાહુલ ગાંધીની આ પ્રથમ વિદેશ યાત્રા હશે. 11 એપ્રિલે, રાહુલને માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ સંસદ સભ્ય તરીકે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા.


રાજકારણીઓ અને બિઝનેશમેન સાથે કરશે મુલાકાત


રાહુલ તેમની મુલાકાત દરમિયાન અમેરિકાના રાજકારણીઓ અને ઉદ્યોગ સાહસિકોને પણ મળશે. આ દરમિયાન PM મોદી 22 જૂને રાજ્યની મુલાકાતે અમેરિકા જશે. વિદેશ મંત્રાલયે ગયા અઠવાડિયે એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે PM મોદીની યજમાની અમેરિકામાં રાષ્ટ્રપતિ જો બિડેન કરશે. વ્હાઇટ હાઉસમાં પીએમ મોદી માટે ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


લંડનમાં મોદી સરકારની કરી હતી ટીકા


તાજેતરમાં લંડનના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કેન્દ્ર સરકાર અને ભારતીય લોકશાહીની ટીકા કરીને ચર્ચામાં આવ્યા હતા. માર્ચ 2023 માં, તેમણે લંડનમાં કહ્યું- "દરેક જણ જાણે છે અને તે સમાચારમાં પણ છે કે ભારતીય લોકશાહી દબાણ હેઠળ છે અને તેના પર હુમલો થઈ રહ્યો છે. હું વિરોધ પક્ષનો નેતા છું. અમે તે જગ્યાને નેવિગેટ કરી રહ્યા છીએ."


સંસદમાં થયો હતો હંગામો

 

રાહુલ ગાંધીના નિવેદન બાદ સત્તારૂઢ ભાજપના નેતાઓએ તેમની પાસે માફી માંગવાની માંગ કરી હતી. સંસદના બજેટ સત્ર દરમિયાન, જ્યારે ભાજપે રાહુલ ગાંધી પાસેથી માફી માંગવાની માંગ કરી હતી, ત્યારે કોંગ્રેસે અદાણી જૂથની કંપનીઓ દ્વારા શંકાસ્પદ નાણાકીય વ્યવહારોનો આક્ષેપ કરતી સંયુક્ત સભ્ય સમિતિ (જેપીસી) ની રચનાની માંગ કરી હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.