રાહુલ ગાંધીએ સરકારી બંગલો કર્યો ખાલી, સોનિયાના ઘરે રાહુલ ગાંધીનો સામાન કરાયો શિફ્ટ, સાંસદ પદ રદ્દ થયા બાદ મકાન ખાલી કરવા મળી હતી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-04-15 17:01:19

સુરત કોર્ટે મોદી સરનેમને લઈ આપેલા નિવેદન વિરૂદ્ધ રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. જે બાદ આ મામલે તરત કાર્યવાહી કરવામાં આવી હતી. રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ્દ થઈ ગયું હતું ઉપરાંત સરકારી બંગલો ખાલી કરવા આદેશ આપ્યો હતો. ત્યારે ગઈકાલે એટલે કે શુક્રવારે રાહુલ ગાંધીએ 12 તુગલક રોડ પર આવેલા સરકારી નિવાસસ્થાન ખાલી કરી દીધું છે. તેમના સામાનને સોનિયા ગાંધીના ઘરે શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. સોનિયા ગાંધીનું નિવાસસ્થાન 10 જનપથ ખાતે આવ્યું છે.

   

રાહુલનો સામાન શિફ્ટ કરવામાં લગભગ 5 કલાકનો સમય લાગ્યો હતો.

અમેઠીથી સાંસદ બન્યા બાદ 2005માં સરકારી બંગલો આપવામાં આવ્યો હતો


રાહુલ ગાંધીએ સરકારી બંગલો કર્યો ખાલી!        

2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન મોદી સરનેમને લઈ એક નિવેદન આપ્યું હચું. જેને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 23 માર્ચે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને આ મામલે દોષિત જાહેર કર્યા હતા. જે બાદ તેમનું સાંસદ પદ રદ્ કરવામાં આવ્યું હતું. અને સરકારી બંગલો ખાલી કરવા પણ આદેશ કર્યો હતો. ઘર ખાલી કરવા માટે રાહુલ ગાંધીને 24 એપ્રિલ સુધીનો સમય આપ્યો હતો. ત્યારે શુક્રવારે રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કરી દીધો છે. 


રાહુલ ગાંધીનો સામાન સોનિયા ગાંધીના ઘરે કરાયો શિફ્ટ

ઘર ખાલી કરવાની નોટિસ મળ્યા બાદ રાહુલ ગાંધી કયા ઘરમાં રહેશે તે મુદ્દો ઉઠ્યો હતો. કોંગ્રેસ દ્વારા આ મામલે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પરંતુ સરકારી બંગલો ખાલી કર્યા બાદ રાહુલ ગાંધીના સામાનને સોનિયા ગાંધીના ઘરે ખસેડવામાં આવ્યો છે. લગભગ 19 વર્ષ બાદ રાહુલ ગાંધી તેમનું સત્તાવાર નિવાસસ્થાન હતું પરંતુ સાંસદ પદ રદ્દ થયા બાદ તેમણે પોતાનું ઘર ખાલી કરી દીધું છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.