રાહુલ ગાંધીએ સરકારી બંગલો કર્યો ખાલી, સોનિયાના ઘરે રાહુલ ગાંધીનો સામાન કરાયો શિફ્ટ, સાંસદ પદ રદ્દ થયા બાદ મકાન ખાલી કરવા મળી હતી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-04-15 17:01:19

સુરત કોર્ટે મોદી સરનેમને લઈ આપેલા નિવેદન વિરૂદ્ધ રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. જે બાદ આ મામલે તરત કાર્યવાહી કરવામાં આવી હતી. રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ્દ થઈ ગયું હતું ઉપરાંત સરકારી બંગલો ખાલી કરવા આદેશ આપ્યો હતો. ત્યારે ગઈકાલે એટલે કે શુક્રવારે રાહુલ ગાંધીએ 12 તુગલક રોડ પર આવેલા સરકારી નિવાસસ્થાન ખાલી કરી દીધું છે. તેમના સામાનને સોનિયા ગાંધીના ઘરે શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. સોનિયા ગાંધીનું નિવાસસ્થાન 10 જનપથ ખાતે આવ્યું છે.

   

રાહુલનો સામાન શિફ્ટ કરવામાં લગભગ 5 કલાકનો સમય લાગ્યો હતો.

અમેઠીથી સાંસદ બન્યા બાદ 2005માં સરકારી બંગલો આપવામાં આવ્યો હતો


રાહુલ ગાંધીએ સરકારી બંગલો કર્યો ખાલી!        

2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન મોદી સરનેમને લઈ એક નિવેદન આપ્યું હચું. જેને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 23 માર્ચે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને આ મામલે દોષિત જાહેર કર્યા હતા. જે બાદ તેમનું સાંસદ પદ રદ્ કરવામાં આવ્યું હતું. અને સરકારી બંગલો ખાલી કરવા પણ આદેશ કર્યો હતો. ઘર ખાલી કરવા માટે રાહુલ ગાંધીને 24 એપ્રિલ સુધીનો સમય આપ્યો હતો. ત્યારે શુક્રવારે રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કરી દીધો છે. 


રાહુલ ગાંધીનો સામાન સોનિયા ગાંધીના ઘરે કરાયો શિફ્ટ

ઘર ખાલી કરવાની નોટિસ મળ્યા બાદ રાહુલ ગાંધી કયા ઘરમાં રહેશે તે મુદ્દો ઉઠ્યો હતો. કોંગ્રેસ દ્વારા આ મામલે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પરંતુ સરકારી બંગલો ખાલી કર્યા બાદ રાહુલ ગાંધીના સામાનને સોનિયા ગાંધીના ઘરે ખસેડવામાં આવ્યો છે. લગભગ 19 વર્ષ બાદ રાહુલ ગાંધી તેમનું સત્તાવાર નિવાસસ્થાન હતું પરંતુ સાંસદ પદ રદ્દ થયા બાદ તેમણે પોતાનું ઘર ખાલી કરી દીધું છે.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.