રાહુલ ગાંધીએ સરકારી બંગલો કર્યો ખાલી, સોનિયાના ઘરે રાહુલ ગાંધીનો સામાન કરાયો શિફ્ટ, સાંસદ પદ રદ્દ થયા બાદ મકાન ખાલી કરવા મળી હતી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-04-15 17:01:19

સુરત કોર્ટે મોદી સરનેમને લઈ આપેલા નિવેદન વિરૂદ્ધ રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. જે બાદ આ મામલે તરત કાર્યવાહી કરવામાં આવી હતી. રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ્દ થઈ ગયું હતું ઉપરાંત સરકારી બંગલો ખાલી કરવા આદેશ આપ્યો હતો. ત્યારે ગઈકાલે એટલે કે શુક્રવારે રાહુલ ગાંધીએ 12 તુગલક રોડ પર આવેલા સરકારી નિવાસસ્થાન ખાલી કરી દીધું છે. તેમના સામાનને સોનિયા ગાંધીના ઘરે શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. સોનિયા ગાંધીનું નિવાસસ્થાન 10 જનપથ ખાતે આવ્યું છે.

   

રાહુલનો સામાન શિફ્ટ કરવામાં લગભગ 5 કલાકનો સમય લાગ્યો હતો.

અમેઠીથી સાંસદ બન્યા બાદ 2005માં સરકારી બંગલો આપવામાં આવ્યો હતો


રાહુલ ગાંધીએ સરકારી બંગલો કર્યો ખાલી!        

2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન મોદી સરનેમને લઈ એક નિવેદન આપ્યું હચું. જેને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 23 માર્ચે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને આ મામલે દોષિત જાહેર કર્યા હતા. જે બાદ તેમનું સાંસદ પદ રદ્ કરવામાં આવ્યું હતું. અને સરકારી બંગલો ખાલી કરવા પણ આદેશ કર્યો હતો. ઘર ખાલી કરવા માટે રાહુલ ગાંધીને 24 એપ્રિલ સુધીનો સમય આપ્યો હતો. ત્યારે શુક્રવારે રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કરી દીધો છે. 


રાહુલ ગાંધીનો સામાન સોનિયા ગાંધીના ઘરે કરાયો શિફ્ટ

ઘર ખાલી કરવાની નોટિસ મળ્યા બાદ રાહુલ ગાંધી કયા ઘરમાં રહેશે તે મુદ્દો ઉઠ્યો હતો. કોંગ્રેસ દ્વારા આ મામલે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પરંતુ સરકારી બંગલો ખાલી કર્યા બાદ રાહુલ ગાંધીના સામાનને સોનિયા ગાંધીના ઘરે ખસેડવામાં આવ્યો છે. લગભગ 19 વર્ષ બાદ રાહુલ ગાંધી તેમનું સત્તાવાર નિવાસસ્થાન હતું પરંતુ સાંસદ પદ રદ્દ થયા બાદ તેમણે પોતાનું ઘર ખાલી કરી દીધું છે.    



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.