રાહુલ ગાંધી આજે વાયનાડની લેશે મુલાકાત, સાંસદ પદ રદ્દ થયા બાદ પહેલી વખત જશે વાયનાડ


  • Published By :
  • Published Date : 2023-04-11 09:28:19

રાહુલ ગાંધી આજે વાયનાડની મુલાકાત લેવાના છે. સાંસદ પદ રદ્દ થયા બાદ રાહુલ ગાંધી પહેલી વખત વાયનાડ જવાના છે. વાયનાડ ખાતે રાહુલ ગાંધી રેલી કરવાના છે ઉપરાંત જનસભા પણ સંબોધવાના છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા તેમની સંસદ સદસ્યતા રદ્દ થઈ હતી. વાયનાડની બેઠકથી તેઓ સાંસદ બન્યા હતા.


સાંસદ પદ રદ્દ થયા બાદ પ્રથમ વખત વાયનાડ જશે રાહુલ ગાંધી

2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. જેને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો હતો. જે મામલે સુરતની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અને રાહુલ ગાંધીને દોષિત જાહેર કરાયા હતા. અને બે વર્ષની સજા રાહુલ ગાંધીને ફટકારવામાં આવી હતી. સજા મળ્યા બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ્દ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સરકારી બંગલો ખાલી કરવા પણ નોટિસ આપવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 


24 માર્ચે રાહુલ ગાંધીની સદસ્યતા થઈ હતી રદ્દ 

ત્યારે સાંસદ પદ રદ્દ થયા બાદ રાહુલ ગાંધી આજે પ્રથમ વખત રાહુલ ગાંધી વાયનાડની મુલાકાત લેવાના છે. મહત્વનું છે કે વાયનાડ સીટથી રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી લડી હતી. તેમણે 4.31 લાખ જેટલા વોટોથી જીત હાંસલ કરી હતી. વાયનાડ બેઠકથી ચૂંટાઈને રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા હતા . પરંતુ સુરતની કોર્ટના ચૂકાદા બાદ 24 માર્ચના રોજ રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ કરી દેવામાં આવી હતી. માત્ર થોડા કલાક બાદ પણ લોકસભાની વેબસાઈટથી રાહુલ ગાંધીનું નામ હટાવી દેવામાં આવ્યું હતું.     

 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.