રાહુલ ગાંધી આજે વાયનાડની લેશે મુલાકાત, સાંસદ પદ રદ્દ થયા બાદ પહેલી વખત જશે વાયનાડ


  • Published By :
  • Published Date : 2023-04-11 09:28:19

રાહુલ ગાંધી આજે વાયનાડની મુલાકાત લેવાના છે. સાંસદ પદ રદ્દ થયા બાદ રાહુલ ગાંધી પહેલી વખત વાયનાડ જવાના છે. વાયનાડ ખાતે રાહુલ ગાંધી રેલી કરવાના છે ઉપરાંત જનસભા પણ સંબોધવાના છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા તેમની સંસદ સદસ્યતા રદ્દ થઈ હતી. વાયનાડની બેઠકથી તેઓ સાંસદ બન્યા હતા.


સાંસદ પદ રદ્દ થયા બાદ પ્રથમ વખત વાયનાડ જશે રાહુલ ગાંધી

2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. જેને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો હતો. જે મામલે સુરતની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અને રાહુલ ગાંધીને દોષિત જાહેર કરાયા હતા. અને બે વર્ષની સજા રાહુલ ગાંધીને ફટકારવામાં આવી હતી. સજા મળ્યા બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ્દ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સરકારી બંગલો ખાલી કરવા પણ નોટિસ આપવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 


24 માર્ચે રાહુલ ગાંધીની સદસ્યતા થઈ હતી રદ્દ 

ત્યારે સાંસદ પદ રદ્દ થયા બાદ રાહુલ ગાંધી આજે પ્રથમ વખત રાહુલ ગાંધી વાયનાડની મુલાકાત લેવાના છે. મહત્વનું છે કે વાયનાડ સીટથી રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી લડી હતી. તેમણે 4.31 લાખ જેટલા વોટોથી જીત હાંસલ કરી હતી. વાયનાડ બેઠકથી ચૂંટાઈને રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા હતા . પરંતુ સુરતની કોર્ટના ચૂકાદા બાદ 24 માર્ચના રોજ રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ કરી દેવામાં આવી હતી. માત્ર થોડા કલાક બાદ પણ લોકસભાની વેબસાઈટથી રાહુલ ગાંધીનું નામ હટાવી દેવામાં આવ્યું હતું.     

 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.