રાહુલ ગાંધી આજે વાયનાડની લેશે મુલાકાત, સાંસદ પદ રદ્દ થયા બાદ પહેલી વખત જશે વાયનાડ


  • Published By :
  • Published Date : 2023-04-11 09:28:19

રાહુલ ગાંધી આજે વાયનાડની મુલાકાત લેવાના છે. સાંસદ પદ રદ્દ થયા બાદ રાહુલ ગાંધી પહેલી વખત વાયનાડ જવાના છે. વાયનાડ ખાતે રાહુલ ગાંધી રેલી કરવાના છે ઉપરાંત જનસભા પણ સંબોધવાના છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા તેમની સંસદ સદસ્યતા રદ્દ થઈ હતી. વાયનાડની બેઠકથી તેઓ સાંસદ બન્યા હતા.


સાંસદ પદ રદ્દ થયા બાદ પ્રથમ વખત વાયનાડ જશે રાહુલ ગાંધી

2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. જેને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો હતો. જે મામલે સુરતની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અને રાહુલ ગાંધીને દોષિત જાહેર કરાયા હતા. અને બે વર્ષની સજા રાહુલ ગાંધીને ફટકારવામાં આવી હતી. સજા મળ્યા બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ્દ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સરકારી બંગલો ખાલી કરવા પણ નોટિસ આપવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 


24 માર્ચે રાહુલ ગાંધીની સદસ્યતા થઈ હતી રદ્દ 

ત્યારે સાંસદ પદ રદ્દ થયા બાદ રાહુલ ગાંધી આજે પ્રથમ વખત રાહુલ ગાંધી વાયનાડની મુલાકાત લેવાના છે. મહત્વનું છે કે વાયનાડ સીટથી રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી લડી હતી. તેમણે 4.31 લાખ જેટલા વોટોથી જીત હાંસલ કરી હતી. વાયનાડ બેઠકથી ચૂંટાઈને રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા હતા . પરંતુ સુરતની કોર્ટના ચૂકાદા બાદ 24 માર્ચના રોજ રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ કરી દેવામાં આવી હતી. માત્ર થોડા કલાક બાદ પણ લોકસભાની વેબસાઈટથી રાહુલ ગાંધીનું નામ હટાવી દેવામાં આવ્યું હતું.     

 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.