રેલવે મંત્રીએ જણાવ્યું ભીષણ ટ્રેન દુર્ઘટના પાછળનું અસલ કારણ, અકસ્માત માટે જવાબદારો સામે થશે કડક કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-06-04 16:19:39

ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનાનું મુખ્ય કારણ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ખામી હોવાનું માનવામાં આવે છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રેલ્વે સુરક્ષા કમિશનરે આ મામલાની તપાસ કરી છે. ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આ અકસ્માત થયો હતો. તેમણે કહ્યું છે કે અકસ્માત માટે જવાબદાર લોકોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ ટ્રેકને સાફ કરવા અને પુનઃસ્થાપિત કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. બુધવાર સવારથી ટ્રેક પર વાહનવ્યવહાર પૂર્વવત શરૂ થશે. કોરોમંડલ એક્સપ્રેસને અકસ્માત થયો હતો ત્યારે તેની ઝડપ 128 કિમી પ્રતિ કલાક હતી.


275 લોકોનાં થયા મોત 


ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાના બે દિવસ બાદ ઓડિશા સરકારે દાવો કર્યો હતો કે અકસ્માતમાં 288 નહીં પરંતુ 275 લોકોનાં મોત થયા છે. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ કહ્યું કે, કેટલાક મૃતદેહોની બે વખત ગણતરી કરવામાં આવી હતી. આ અકસ્માતમાં 1175 લોકો ઘાયલ થયા છે. જેમાં 793 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. રેલવે મંત્રીએ જણાવ્યું કે દરેક ડબ્બાને પાટા પરથી હટાવી દેવામાં આવ્યા છે. મૃતદેહ પણ નીકાળી લીધા છે. હવે અમારું ધ્યાન ટ્રેક સરખા કરવા પર છે. એક હજાર મજૂર કામ કરી રહ્યા છે. આશા છે કે 5 જૂન સુધી ટ્રેક ફરી શરુ થઈ જાય.


મમતા બેનર્જીએ જે કહ્યું તે કારણ નથી


મમતા બેનર્જીના નિવેદન પર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મમતાએ કવચ સિસ્ટમ વિશે વાત કરી. મમતાએ પોતાની માહિતી અનુસાર આ વાત કહી હતી. પરંતુ અકસ્માતનું કારણ કંઈક બીજું હતું. મમતા બેનર્જીએ જે કહ્યું તે કારણ નહોતું. મમતા બેનર્જી પણ 1999માં ભાજપની આગેવાની હેઠળની નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારમાં રેલવે મંત્રી બન્યા હતા.


માલગાડીના કારણે મૃત્યુઆંક વધ્યો 


રેલવે બોર્ડના ઓપરેશન અને બિઝનેસ ડેવલપમેન્ટ મેમ્બર જયા વર્માએ જણાવ્યું કે, સિગ્નલમાં સમસ્યા હતી. કોરોમંડલ એક્સપ્રેસને અકસ્માત થયો હતો ત્યારે તેની ઝડપ 128 કિમી પ્રતિ કલાક હતી. માલગાડીમાં લોખંડ ભરેલ હોવાથી ટક્કર બાદ માલગાડી પાટા પરથી ઉતરી ન હતી. એટલા માટે કોરોમંડલ એક્સપ્રેસને સૌથી વધુ નુકસાન થયું. જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. જયા વર્માએ વધુમાં કહ્યું કે, લગભગ 8 વાગ્યા સુધીમાં 2 લાઈનો ફિક્સ થઈ જશે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.