રેલવે મંત્રીએ જણાવ્યું ભીષણ ટ્રેન દુર્ઘટના પાછળનું અસલ કારણ, અકસ્માત માટે જવાબદારો સામે થશે કડક કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-06-04 16:19:39

ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનાનું મુખ્ય કારણ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ખામી હોવાનું માનવામાં આવે છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રેલ્વે સુરક્ષા કમિશનરે આ મામલાની તપાસ કરી છે. ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આ અકસ્માત થયો હતો. તેમણે કહ્યું છે કે અકસ્માત માટે જવાબદાર લોકોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ ટ્રેકને સાફ કરવા અને પુનઃસ્થાપિત કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. બુધવાર સવારથી ટ્રેક પર વાહનવ્યવહાર પૂર્વવત શરૂ થશે. કોરોમંડલ એક્સપ્રેસને અકસ્માત થયો હતો ત્યારે તેની ઝડપ 128 કિમી પ્રતિ કલાક હતી.


275 લોકોનાં થયા મોત 


ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાના બે દિવસ બાદ ઓડિશા સરકારે દાવો કર્યો હતો કે અકસ્માતમાં 288 નહીં પરંતુ 275 લોકોનાં મોત થયા છે. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ કહ્યું કે, કેટલાક મૃતદેહોની બે વખત ગણતરી કરવામાં આવી હતી. આ અકસ્માતમાં 1175 લોકો ઘાયલ થયા છે. જેમાં 793 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. રેલવે મંત્રીએ જણાવ્યું કે દરેક ડબ્બાને પાટા પરથી હટાવી દેવામાં આવ્યા છે. મૃતદેહ પણ નીકાળી લીધા છે. હવે અમારું ધ્યાન ટ્રેક સરખા કરવા પર છે. એક હજાર મજૂર કામ કરી રહ્યા છે. આશા છે કે 5 જૂન સુધી ટ્રેક ફરી શરુ થઈ જાય.


મમતા બેનર્જીએ જે કહ્યું તે કારણ નથી


મમતા બેનર્જીના નિવેદન પર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મમતાએ કવચ સિસ્ટમ વિશે વાત કરી. મમતાએ પોતાની માહિતી અનુસાર આ વાત કહી હતી. પરંતુ અકસ્માતનું કારણ કંઈક બીજું હતું. મમતા બેનર્જીએ જે કહ્યું તે કારણ નહોતું. મમતા બેનર્જી પણ 1999માં ભાજપની આગેવાની હેઠળની નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારમાં રેલવે મંત્રી બન્યા હતા.


માલગાડીના કારણે મૃત્યુઆંક વધ્યો 


રેલવે બોર્ડના ઓપરેશન અને બિઝનેસ ડેવલપમેન્ટ મેમ્બર જયા વર્માએ જણાવ્યું કે, સિગ્નલમાં સમસ્યા હતી. કોરોમંડલ એક્સપ્રેસને અકસ્માત થયો હતો ત્યારે તેની ઝડપ 128 કિમી પ્રતિ કલાક હતી. માલગાડીમાં લોખંડ ભરેલ હોવાથી ટક્કર બાદ માલગાડી પાટા પરથી ઉતરી ન હતી. એટલા માટે કોરોમંડલ એક્સપ્રેસને સૌથી વધુ નુકસાન થયું. જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. જયા વર્માએ વધુમાં કહ્યું કે, લગભગ 8 વાગ્યા સુધીમાં 2 લાઈનો ફિક્સ થઈ જશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.