રેલવે મંત્રીએ જણાવ્યું ભીષણ ટ્રેન દુર્ઘટના પાછળનું અસલ કારણ, અકસ્માત માટે જવાબદારો સામે થશે કડક કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-06-04 16:19:39

ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનાનું મુખ્ય કારણ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ખામી હોવાનું માનવામાં આવે છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રેલ્વે સુરક્ષા કમિશનરે આ મામલાની તપાસ કરી છે. ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આ અકસ્માત થયો હતો. તેમણે કહ્યું છે કે અકસ્માત માટે જવાબદાર લોકોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ ટ્રેકને સાફ કરવા અને પુનઃસ્થાપિત કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. બુધવાર સવારથી ટ્રેક પર વાહનવ્યવહાર પૂર્વવત શરૂ થશે. કોરોમંડલ એક્સપ્રેસને અકસ્માત થયો હતો ત્યારે તેની ઝડપ 128 કિમી પ્રતિ કલાક હતી.


275 લોકોનાં થયા મોત 


ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાના બે દિવસ બાદ ઓડિશા સરકારે દાવો કર્યો હતો કે અકસ્માતમાં 288 નહીં પરંતુ 275 લોકોનાં મોત થયા છે. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ કહ્યું કે, કેટલાક મૃતદેહોની બે વખત ગણતરી કરવામાં આવી હતી. આ અકસ્માતમાં 1175 લોકો ઘાયલ થયા છે. જેમાં 793 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. રેલવે મંત્રીએ જણાવ્યું કે દરેક ડબ્બાને પાટા પરથી હટાવી દેવામાં આવ્યા છે. મૃતદેહ પણ નીકાળી લીધા છે. હવે અમારું ધ્યાન ટ્રેક સરખા કરવા પર છે. એક હજાર મજૂર કામ કરી રહ્યા છે. આશા છે કે 5 જૂન સુધી ટ્રેક ફરી શરુ થઈ જાય.


મમતા બેનર્જીએ જે કહ્યું તે કારણ નથી


મમતા બેનર્જીના નિવેદન પર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મમતાએ કવચ સિસ્ટમ વિશે વાત કરી. મમતાએ પોતાની માહિતી અનુસાર આ વાત કહી હતી. પરંતુ અકસ્માતનું કારણ કંઈક બીજું હતું. મમતા બેનર્જીએ જે કહ્યું તે કારણ નહોતું. મમતા બેનર્જી પણ 1999માં ભાજપની આગેવાની હેઠળની નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારમાં રેલવે મંત્રી બન્યા હતા.


માલગાડીના કારણે મૃત્યુઆંક વધ્યો 


રેલવે બોર્ડના ઓપરેશન અને બિઝનેસ ડેવલપમેન્ટ મેમ્બર જયા વર્માએ જણાવ્યું કે, સિગ્નલમાં સમસ્યા હતી. કોરોમંડલ એક્સપ્રેસને અકસ્માત થયો હતો ત્યારે તેની ઝડપ 128 કિમી પ્રતિ કલાક હતી. માલગાડીમાં લોખંડ ભરેલ હોવાથી ટક્કર બાદ માલગાડી પાટા પરથી ઉતરી ન હતી. એટલા માટે કોરોમંડલ એક્સપ્રેસને સૌથી વધુ નુકસાન થયું. જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. જયા વર્માએ વધુમાં કહ્યું કે, લગભગ 8 વાગ્યા સુધીમાં 2 લાઈનો ફિક્સ થઈ જશે.



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.