રેલવે મંત્રીએ જણાવ્યું ભીષણ ટ્રેન દુર્ઘટના પાછળનું અસલ કારણ, અકસ્માત માટે જવાબદારો સામે થશે કડક કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-06-04 16:19:39

ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનાનું મુખ્ય કારણ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ખામી હોવાનું માનવામાં આવે છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રેલ્વે સુરક્ષા કમિશનરે આ મામલાની તપાસ કરી છે. ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આ અકસ્માત થયો હતો. તેમણે કહ્યું છે કે અકસ્માત માટે જવાબદાર લોકોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ ટ્રેકને સાફ કરવા અને પુનઃસ્થાપિત કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. બુધવાર સવારથી ટ્રેક પર વાહનવ્યવહાર પૂર્વવત શરૂ થશે. કોરોમંડલ એક્સપ્રેસને અકસ્માત થયો હતો ત્યારે તેની ઝડપ 128 કિમી પ્રતિ કલાક હતી.


275 લોકોનાં થયા મોત 


ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાના બે દિવસ બાદ ઓડિશા સરકારે દાવો કર્યો હતો કે અકસ્માતમાં 288 નહીં પરંતુ 275 લોકોનાં મોત થયા છે. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ કહ્યું કે, કેટલાક મૃતદેહોની બે વખત ગણતરી કરવામાં આવી હતી. આ અકસ્માતમાં 1175 લોકો ઘાયલ થયા છે. જેમાં 793 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. રેલવે મંત્રીએ જણાવ્યું કે દરેક ડબ્બાને પાટા પરથી હટાવી દેવામાં આવ્યા છે. મૃતદેહ પણ નીકાળી લીધા છે. હવે અમારું ધ્યાન ટ્રેક સરખા કરવા પર છે. એક હજાર મજૂર કામ કરી રહ્યા છે. આશા છે કે 5 જૂન સુધી ટ્રેક ફરી શરુ થઈ જાય.


મમતા બેનર્જીએ જે કહ્યું તે કારણ નથી


મમતા બેનર્જીના નિવેદન પર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મમતાએ કવચ સિસ્ટમ વિશે વાત કરી. મમતાએ પોતાની માહિતી અનુસાર આ વાત કહી હતી. પરંતુ અકસ્માતનું કારણ કંઈક બીજું હતું. મમતા બેનર્જીએ જે કહ્યું તે કારણ નહોતું. મમતા બેનર્જી પણ 1999માં ભાજપની આગેવાની હેઠળની નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારમાં રેલવે મંત્રી બન્યા હતા.


માલગાડીના કારણે મૃત્યુઆંક વધ્યો 


રેલવે બોર્ડના ઓપરેશન અને બિઝનેસ ડેવલપમેન્ટ મેમ્બર જયા વર્માએ જણાવ્યું કે, સિગ્નલમાં સમસ્યા હતી. કોરોમંડલ એક્સપ્રેસને અકસ્માત થયો હતો ત્યારે તેની ઝડપ 128 કિમી પ્રતિ કલાક હતી. માલગાડીમાં લોખંડ ભરેલ હોવાથી ટક્કર બાદ માલગાડી પાટા પરથી ઉતરી ન હતી. એટલા માટે કોરોમંડલ એક્સપ્રેસને સૌથી વધુ નુકસાન થયું. જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. જયા વર્માએ વધુમાં કહ્યું કે, લગભગ 8 વાગ્યા સુધીમાં 2 લાઈનો ફિક્સ થઈ જશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.