રેલવે મંત્રીએ દિલ્હી-અજમેર શતાબ્દીમાં પ્રવાસ કર્યો, મુસાફરો પાસેથી લીધો ફીડબેક, જાણો શું જવાબ મળ્યો


  • Published By :
  • Published Date : 2023-03-19 17:49:04

શું ક્યારેય એવું બની શકે કે તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોવ અને અચાનક તમને રેલ્વે મંત્રી સામેથી આવતા જોવા મળે? કોઈને પણ આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. તેમાં પણ વળી  તેમને રેલવે મંત્રી સાથે ફોટા પડાવવા અને તેમની સાથે વાર્તાલાપ કરવાની તક મળે તો? દિલ્હી-અજમેર શતાબ્દી એક્સપ્રેસના મુસાફરોને આજે આવો જ અનુભવ થયો હતો. 


અશ્વિની વૈષ્ણવ અચાનક ટ્રેનમાં દેખાયા


રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અચાનક ટ્રેનમાં દેખાયા હતા. આ દરમિયાન, તેમણે ઘણા મુસાફરો સાથે વાતચીત કરી અને રેલવેની સર્વિસ અંગે તેમનો અભિપ્રાય મેળવ્યો હતો. રેલ્વે મંત્રીએ મુસાફરો પાસેથી ટ્રેનની સ્વચ્છતા, ટ્રેન અને રેલ્વે સ્ટેશન સંબંધિત ઘણા ફીડબેક લીધા હતા. આ સિવાય રેલવે મંત્રીએ દિલ્હી-જયપુર રૂટ પર વંદે ભારત ટ્રેન વિશે પણ વાત કરી હતી.


મુસાફરો આપ્યો સકારાત્મક પ્રતિસાદ 


રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુસાફરો સાથે વાત કર્યા બાદ કહ્યું કે તેમને મુસાફરો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. મુસાફરોએ વૈષ્ણવને કહ્યું કે ટ્રેનો સ્વચ્છ રહે છે અને સમયસર પહોંચે છે. આ સાથે રેલ્વે પ્લેટફોર્મ પણ પહેલા કરતા સ્વચ્છ રહે છે.



સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.

ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. નલ સે જલ અને મનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે. આ પહેલા , કોંગ્રેસ ગુજરાતમાં વોટર અધિકારી યાત્રા કાઢવા જઈ રહી છે. આ બાબતે , ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજાઈ હતી .

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.