રેલવે મંત્રીએ દિલ્હી-અજમેર શતાબ્દીમાં પ્રવાસ કર્યો, મુસાફરો પાસેથી લીધો ફીડબેક, જાણો શું જવાબ મળ્યો


  • Published By :
  • Published Date : 2023-03-19 17:49:04

શું ક્યારેય એવું બની શકે કે તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોવ અને અચાનક તમને રેલ્વે મંત્રી સામેથી આવતા જોવા મળે? કોઈને પણ આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. તેમાં પણ વળી  તેમને રેલવે મંત્રી સાથે ફોટા પડાવવા અને તેમની સાથે વાર્તાલાપ કરવાની તક મળે તો? દિલ્હી-અજમેર શતાબ્દી એક્સપ્રેસના મુસાફરોને આજે આવો જ અનુભવ થયો હતો. 


અશ્વિની વૈષ્ણવ અચાનક ટ્રેનમાં દેખાયા


રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અચાનક ટ્રેનમાં દેખાયા હતા. આ દરમિયાન, તેમણે ઘણા મુસાફરો સાથે વાતચીત કરી અને રેલવેની સર્વિસ અંગે તેમનો અભિપ્રાય મેળવ્યો હતો. રેલ્વે મંત્રીએ મુસાફરો પાસેથી ટ્રેનની સ્વચ્છતા, ટ્રેન અને રેલ્વે સ્ટેશન સંબંધિત ઘણા ફીડબેક લીધા હતા. આ સિવાય રેલવે મંત્રીએ દિલ્હી-જયપુર રૂટ પર વંદે ભારત ટ્રેન વિશે પણ વાત કરી હતી.


મુસાફરો આપ્યો સકારાત્મક પ્રતિસાદ 


રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુસાફરો સાથે વાત કર્યા બાદ કહ્યું કે તેમને મુસાફરો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. મુસાફરોએ વૈષ્ણવને કહ્યું કે ટ્રેનો સ્વચ્છ રહે છે અને સમયસર પહોંચે છે. આ સાથે રેલ્વે પ્લેટફોર્મ પણ પહેલા કરતા સ્વચ્છ રહે છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.