રેલવે મંત્રીએ દિલ્હી-અજમેર શતાબ્દીમાં પ્રવાસ કર્યો, મુસાફરો પાસેથી લીધો ફીડબેક, જાણો શું જવાબ મળ્યો


  • Published By :
  • Published Date : 2023-03-19 17:49:04

શું ક્યારેય એવું બની શકે કે તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોવ અને અચાનક તમને રેલ્વે મંત્રી સામેથી આવતા જોવા મળે? કોઈને પણ આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. તેમાં પણ વળી  તેમને રેલવે મંત્રી સાથે ફોટા પડાવવા અને તેમની સાથે વાર્તાલાપ કરવાની તક મળે તો? દિલ્હી-અજમેર શતાબ્દી એક્સપ્રેસના મુસાફરોને આજે આવો જ અનુભવ થયો હતો. 


અશ્વિની વૈષ્ણવ અચાનક ટ્રેનમાં દેખાયા


રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અચાનક ટ્રેનમાં દેખાયા હતા. આ દરમિયાન, તેમણે ઘણા મુસાફરો સાથે વાતચીત કરી અને રેલવેની સર્વિસ અંગે તેમનો અભિપ્રાય મેળવ્યો હતો. રેલ્વે મંત્રીએ મુસાફરો પાસેથી ટ્રેનની સ્વચ્છતા, ટ્રેન અને રેલ્વે સ્ટેશન સંબંધિત ઘણા ફીડબેક લીધા હતા. આ સિવાય રેલવે મંત્રીએ દિલ્હી-જયપુર રૂટ પર વંદે ભારત ટ્રેન વિશે પણ વાત કરી હતી.


મુસાફરો આપ્યો સકારાત્મક પ્રતિસાદ 


રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુસાફરો સાથે વાત કર્યા બાદ કહ્યું કે તેમને મુસાફરો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. મુસાફરોએ વૈષ્ણવને કહ્યું કે ટ્રેનો સ્વચ્છ રહે છે અને સમયસર પહોંચે છે. આ સાથે રેલ્વે પ્લેટફોર્મ પણ પહેલા કરતા સ્વચ્છ રહે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.