ઉજ્જૈનના મહાકાલ લોકમાં સ્થાપિત મૂર્તિઓને વરસાદે પહોંચાડ્યું નુકસાન! કોંગ્રેસના નેતાઓએ ભ્રષ્ટાચારના લગાવ્યા આરોપ! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-29 10:17:44

મધ્યપ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો જેને કારણે અનેક વસ્તુઓને નુકસાન પહોંચ્યું છે. ત્યારે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલ લોકની 6 મૂર્તિઓને નુકસાન પહોંચ્યું છે. મૂર્તિઓ ક્ષતિગ્રસ્ત થતાં રાજકારણ ગરમાયું છે. આ મામલે પૂર્વમુખ્યમંત્રી તેમજ કમલનાથે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે અને આ મામલે કડક તપાસ કરવામાં  આવે તેવી માગ કરી છે.


શિવરાજસિંહ ચૌહાણ પર સાધ્યું નિશાન!        

11 ઓક્ટોબર 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકાલેશ્વર મંદિરના પરિસરમાં 'મહાકાલ લોક'નું લોકાર્પણ કર્યું હતું. પરંતુ રવિવારે આવેલા વરસાદને કારણે મહાકાલ લોક પરિસરમાં આવેલી અનેક મૂર્તિઓને નુકસાન પહોંચ્યું હતું. મહાકાલ લોકમાં સ્થાપિત કરવામાં આવેલી 6 મૂર્તિઓ ઉડી ગઈ હતી જેને કારણે ખંડિત થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર સપ્ત ઋષિયોની મૂર્તિ સંપૂર્ણ રીતે ખંડિત થઈ ગઈ છે. ઉજ્જૈનના કલેક્ટર દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે. ત્યારે  આ મામલે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા આરોપ લગાવામાં  આવી રહ્યા છે. આ અંગેની જાણકારી મળતા કલેક્ટર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ આ મામલે રિપોર્ટ માગ્યો છે. 


કમલનાથે સરકાર પર કર્યા પ્રહાર!

આ વાતને લઈ કોંગ્રેસ દ્વારા સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે ભષ્ટાચારના આરોપ લગાવ્યા છે. તે સિવાય કમલનાથે પણ આ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે મહાકાલ લોકના નિર્માણ અંગે તપાસ થવી જોઈએ. તે સિવાય ક્ષતિગ્રસ્ત થયેલી મૂર્તિને ઠીક કરી  ફરી સ્થાપિત કરવામાં આવે.      

      



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.