ઉજ્જૈનના મહાકાલ લોકમાં સ્થાપિત મૂર્તિઓને વરસાદે પહોંચાડ્યું નુકસાન! કોંગ્રેસના નેતાઓએ ભ્રષ્ટાચારના લગાવ્યા આરોપ! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-29 10:17:44

મધ્યપ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો જેને કારણે અનેક વસ્તુઓને નુકસાન પહોંચ્યું છે. ત્યારે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલ લોકની 6 મૂર્તિઓને નુકસાન પહોંચ્યું છે. મૂર્તિઓ ક્ષતિગ્રસ્ત થતાં રાજકારણ ગરમાયું છે. આ મામલે પૂર્વમુખ્યમંત્રી તેમજ કમલનાથે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે અને આ મામલે કડક તપાસ કરવામાં  આવે તેવી માગ કરી છે.


શિવરાજસિંહ ચૌહાણ પર સાધ્યું નિશાન!        

11 ઓક્ટોબર 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકાલેશ્વર મંદિરના પરિસરમાં 'મહાકાલ લોક'નું લોકાર્પણ કર્યું હતું. પરંતુ રવિવારે આવેલા વરસાદને કારણે મહાકાલ લોક પરિસરમાં આવેલી અનેક મૂર્તિઓને નુકસાન પહોંચ્યું હતું. મહાકાલ લોકમાં સ્થાપિત કરવામાં આવેલી 6 મૂર્તિઓ ઉડી ગઈ હતી જેને કારણે ખંડિત થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર સપ્ત ઋષિયોની મૂર્તિ સંપૂર્ણ રીતે ખંડિત થઈ ગઈ છે. ઉજ્જૈનના કલેક્ટર દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે. ત્યારે  આ મામલે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા આરોપ લગાવામાં  આવી રહ્યા છે. આ અંગેની જાણકારી મળતા કલેક્ટર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ આ મામલે રિપોર્ટ માગ્યો છે. 


કમલનાથે સરકાર પર કર્યા પ્રહાર!

આ વાતને લઈ કોંગ્રેસ દ્વારા સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે ભષ્ટાચારના આરોપ લગાવ્યા છે. તે સિવાય કમલનાથે પણ આ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે મહાકાલ લોકના નિર્માણ અંગે તપાસ થવી જોઈએ. તે સિવાય ક્ષતિગ્રસ્ત થયેલી મૂર્તિને ઠીક કરી  ફરી સ્થાપિત કરવામાં આવે.      

      



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.