દેશના આ રાજ્યોમાં વરસાદે બગાડી પરિસ્થિતિ, આ રાજ્યમાં ફાટ્યું આભ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-17 11:30:12

દેશના અનેક રાજ્યોમાં વરસાદને કારણે પરિસ્થિતિ વણસી રહી છે. વરસાદે કહેર મચાવ્યો છે. વરસાદ અનેક લોકો માટે જીવલેણ સાબિત થયો છે. ત્યારે ઉત્તર ભારતના અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. થોડા વર્ષો પહેલા જે પરિસ્થિતિ ઉત્તરાખંડની હતી તેવી પરિસ્થિતિ હાલ અનેક રાજ્યોની થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ આવા અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. વાદળ ફાટવાને કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે  અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાને કારણે એક વ્યક્તિનું થયું મોત 

ઉત્તરભારતના અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદને કારણે પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય છે. થોડા સમય પહેલા જે હાલ હિમાચલ પ્રદેશના હતા તેવા હાલ દિલ્હીના જોવા મળી રહ્યા છે. રાજઘાટ, સુપ્રીમ કોર્ટના રસ્તાઓ સુધી વરસાદી પાણી ઘૂસી આવ્યા હતા. યમુનાનદીનું જળસ્તર પણ સતત વધતું જતું હતું. દિલ્હીમાં ખરાબ થતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સેનાની મદદ પણ લેવામાં આવશે તેવી વાત કહી હતી. ત્યારે આજે હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યું છે જેને લઈ એક વ્યક્તિનું મોત થયું છે. 


આસામમાં થયું પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ

ન માત્ર હિમાચલ પ્રદેશમાં પરંતુ પુર જેવી પરિસ્થિતિ આસામમાં પણ થઈ છે. પૂરને કારણે આસામના લાખો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. લાખો લોકો પૂરને કારણે પ્રભાવિત થયા છે. પૂરને કારણે અનેક ગામડાઓ ડૂબી ગયા છે. લોકો પાસે નથી તો ઘર નથી તો ખાવા માટે ભોજન. મહત્વનું છે કે વરસાદને કારણે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અનેક લોકો ભારે વરસાદને કારણે પ્રભાવિત થયા છે અનેક લોકોનું જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે. 



ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.