દેશના આ રાજ્યોમાં વરસાદે બગાડી પરિસ્થિતિ, આ રાજ્યમાં ફાટ્યું આભ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-17 11:30:12

દેશના અનેક રાજ્યોમાં વરસાદને કારણે પરિસ્થિતિ વણસી રહી છે. વરસાદે કહેર મચાવ્યો છે. વરસાદ અનેક લોકો માટે જીવલેણ સાબિત થયો છે. ત્યારે ઉત્તર ભારતના અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. થોડા વર્ષો પહેલા જે પરિસ્થિતિ ઉત્તરાખંડની હતી તેવી પરિસ્થિતિ હાલ અનેક રાજ્યોની થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ આવા અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. વાદળ ફાટવાને કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે  અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાને કારણે એક વ્યક્તિનું થયું મોત 

ઉત્તરભારતના અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદને કારણે પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય છે. થોડા સમય પહેલા જે હાલ હિમાચલ પ્રદેશના હતા તેવા હાલ દિલ્હીના જોવા મળી રહ્યા છે. રાજઘાટ, સુપ્રીમ કોર્ટના રસ્તાઓ સુધી વરસાદી પાણી ઘૂસી આવ્યા હતા. યમુનાનદીનું જળસ્તર પણ સતત વધતું જતું હતું. દિલ્હીમાં ખરાબ થતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સેનાની મદદ પણ લેવામાં આવશે તેવી વાત કહી હતી. ત્યારે આજે હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યું છે જેને લઈ એક વ્યક્તિનું મોત થયું છે. 


આસામમાં થયું પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ

ન માત્ર હિમાચલ પ્રદેશમાં પરંતુ પુર જેવી પરિસ્થિતિ આસામમાં પણ થઈ છે. પૂરને કારણે આસામના લાખો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. લાખો લોકો પૂરને કારણે પ્રભાવિત થયા છે. પૂરને કારણે અનેક ગામડાઓ ડૂબી ગયા છે. લોકો પાસે નથી તો ઘર નથી તો ખાવા માટે ભોજન. મહત્વનું છે કે વરસાદને કારણે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અનેક લોકો ભારે વરસાદને કારણે પ્રભાવિત થયા છે અનેક લોકોનું જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .