દેશના આ રાજ્યોમાં વરસાદે બગાડી પરિસ્થિતિ, આ રાજ્યમાં ફાટ્યું આભ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-17 11:30:12

દેશના અનેક રાજ્યોમાં વરસાદને કારણે પરિસ્થિતિ વણસી રહી છે. વરસાદે કહેર મચાવ્યો છે. વરસાદ અનેક લોકો માટે જીવલેણ સાબિત થયો છે. ત્યારે ઉત્તર ભારતના અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. થોડા વર્ષો પહેલા જે પરિસ્થિતિ ઉત્તરાખંડની હતી તેવી પરિસ્થિતિ હાલ અનેક રાજ્યોની થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ આવા અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. વાદળ ફાટવાને કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે  અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાને કારણે એક વ્યક્તિનું થયું મોત 

ઉત્તરભારતના અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદને કારણે પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય છે. થોડા સમય પહેલા જે હાલ હિમાચલ પ્રદેશના હતા તેવા હાલ દિલ્હીના જોવા મળી રહ્યા છે. રાજઘાટ, સુપ્રીમ કોર્ટના રસ્તાઓ સુધી વરસાદી પાણી ઘૂસી આવ્યા હતા. યમુનાનદીનું જળસ્તર પણ સતત વધતું જતું હતું. દિલ્હીમાં ખરાબ થતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સેનાની મદદ પણ લેવામાં આવશે તેવી વાત કહી હતી. ત્યારે આજે હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યું છે જેને લઈ એક વ્યક્તિનું મોત થયું છે. 


આસામમાં થયું પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ

ન માત્ર હિમાચલ પ્રદેશમાં પરંતુ પુર જેવી પરિસ્થિતિ આસામમાં પણ થઈ છે. પૂરને કારણે આસામના લાખો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. લાખો લોકો પૂરને કારણે પ્રભાવિત થયા છે. પૂરને કારણે અનેક ગામડાઓ ડૂબી ગયા છે. લોકો પાસે નથી તો ઘર નથી તો ખાવા માટે ભોજન. મહત્વનું છે કે વરસાદને કારણે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અનેક લોકો ભારે વરસાદને કારણે પ્રભાવિત થયા છે અનેક લોકોનું જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.