અનેક રાજ્યોમાં વરસાદે મચાવી તબાહી, ક્યાંક ભૂસ્ખલન તો ક્યાંક પૂરની સ્થિતિ, આ રાજ્યો માટે કરાઈ વરસાદની આગાહી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-11 12:41:01

ચોમાસું આવે એટલે કુદરત સોળે કલાએ ખીલી ઉઠે છે વરસાદને કારણે જે કુદરતી દ્રશ્યો સર્જાય છે એ ખૂબ રમણીય હોય છે પણ જો એજ વરસાદ કહેર બનીને વરસે તો સ્થિતિ કઈક અલગ હોય છે. સમગ્ર દેશમાં ચોમાસાએ વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અનેક રાજ્યોમાં મેઘમહેર કહેર બની સામે આવી રહી છે. અનેક રાજ્યોમાં થતો અવિરત વરસાદ લોકો માટે મુસીબત બની ગયું છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં થતો વરસાદ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશ,પંજાબ, ઉત્તરાખંડ, દિલ્હી સહિતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. સતત થતાં વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં 24 કલાકમાં 39 જેટલી જગ્યાઓ પર ભૂસ્ખલન થયું છે, અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. વ્યાસ નદીમાં આવેલા પૂરને કારણે ગાડીઓ પાણીમાં તણાઈ રહી છે. ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે. અવિરત થતાં વરસાદને લઈ સરકારો એલર્ટ થઈ ગઈ છે. 

ભૂસ્ખલનને કારણે અનેક લોકોએ ગુમાવ્યો છે જીવ 

છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજા દેશના અનેક રાજ્યો પર મહેરબાન થઈ રહ્યા છે. ધોધમાર વરસાદને કારણે અનેક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અનેક નદીઓ ભયજનક સ્તર પર વહી રહી છે, જેને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું છે. ગુજરાત સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ અવિરત પણે ચાલું છે. જેને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓનું ધોવાણ થઈ જતું હોય છે જ્યારે  ભૂસ્ખલન પણ થતું હોય છે. ત્યારે ભારે વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં પૂરની, ભૂસ્ખલન સહિતની ઘટનાઓને કારણે લોકોના મોત થઈ રહ્યા છે.  મળતી માહિતી અનુસાર આવી ઘટનાઓને કારણે 56 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.  

નદીઓના સ્તર પણ સતત વધી રહ્યા છે

હિમાચલ એટલે ખૂલું આકાશ અને કુદરતે જ્યાં મન મૂકીને સોંદર્ય પાથર્યું હોય એવી જગ્યા. પણ હવે તે સોંદર્ય વરસાદને કારણે છીનવાઈ રહ્યું છે. હિમાચલ પ્રદેશની સ્થિતિ ભયાનક થઈ ગઈ છે. ત્યાંથી એવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે જે આપણને વિચલિત કરી શકે છે. 3 દિવસમાં 12 ઈંચ જેટલો વરસાદ હિમાચલ પ્રદેશમાં ખાબક્યો છે. આટલા દિવસોમાં જે વરસાદ પડ્યો છે તે સામાન્ય કરતા અનેક ઘણો વધારે છે. 24 કલાકમાં જો રાજયો માટે આપવામાં આવેલા એલર્ટની વાત કરીએ તો 24 રાજ્યો માટે આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર પણ આ બાબતે સતત ધ્યાન રાખી રહી છે. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર સતત વધતું જઈ રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતમાં ચોમાસામાં છેલ્લા ત્રણ દિવસથી મૂશળાધાર વરસાદ થયો છે. ચોમાસા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે વરસાદ વરસી રહ્યો છે. 

આ રાજ્યોમાં વરસી શકે છે વરસાદ 

આજે આ રાજ્યો માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જે મુજબ રાજસ્થાન, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય અનેક એવા રાજ્યો છે જ્યાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.      



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.