અનેક રાજ્યોમાં વરસાદે મચાવી તબાહી, ક્યાંક ભૂસ્ખલન તો ક્યાંક પૂરની સ્થિતિ, આ રાજ્યો માટે કરાઈ વરસાદની આગાહી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-11 12:41:01

ચોમાસું આવે એટલે કુદરત સોળે કલાએ ખીલી ઉઠે છે વરસાદને કારણે જે કુદરતી દ્રશ્યો સર્જાય છે એ ખૂબ રમણીય હોય છે પણ જો એજ વરસાદ કહેર બનીને વરસે તો સ્થિતિ કઈક અલગ હોય છે. સમગ્ર દેશમાં ચોમાસાએ વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અનેક રાજ્યોમાં મેઘમહેર કહેર બની સામે આવી રહી છે. અનેક રાજ્યોમાં થતો અવિરત વરસાદ લોકો માટે મુસીબત બની ગયું છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં થતો વરસાદ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશ,પંજાબ, ઉત્તરાખંડ, દિલ્હી સહિતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. સતત થતાં વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં 24 કલાકમાં 39 જેટલી જગ્યાઓ પર ભૂસ્ખલન થયું છે, અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. વ્યાસ નદીમાં આવેલા પૂરને કારણે ગાડીઓ પાણીમાં તણાઈ રહી છે. ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે. અવિરત થતાં વરસાદને લઈ સરકારો એલર્ટ થઈ ગઈ છે. 

ભૂસ્ખલનને કારણે અનેક લોકોએ ગુમાવ્યો છે જીવ 

છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજા દેશના અનેક રાજ્યો પર મહેરબાન થઈ રહ્યા છે. ધોધમાર વરસાદને કારણે અનેક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અનેક નદીઓ ભયજનક સ્તર પર વહી રહી છે, જેને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું છે. ગુજરાત સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ અવિરત પણે ચાલું છે. જેને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓનું ધોવાણ થઈ જતું હોય છે જ્યારે  ભૂસ્ખલન પણ થતું હોય છે. ત્યારે ભારે વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં પૂરની, ભૂસ્ખલન સહિતની ઘટનાઓને કારણે લોકોના મોત થઈ રહ્યા છે.  મળતી માહિતી અનુસાર આવી ઘટનાઓને કારણે 56 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.  

નદીઓના સ્તર પણ સતત વધી રહ્યા છે

હિમાચલ એટલે ખૂલું આકાશ અને કુદરતે જ્યાં મન મૂકીને સોંદર્ય પાથર્યું હોય એવી જગ્યા. પણ હવે તે સોંદર્ય વરસાદને કારણે છીનવાઈ રહ્યું છે. હિમાચલ પ્રદેશની સ્થિતિ ભયાનક થઈ ગઈ છે. ત્યાંથી એવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે જે આપણને વિચલિત કરી શકે છે. 3 દિવસમાં 12 ઈંચ જેટલો વરસાદ હિમાચલ પ્રદેશમાં ખાબક્યો છે. આટલા દિવસોમાં જે વરસાદ પડ્યો છે તે સામાન્ય કરતા અનેક ઘણો વધારે છે. 24 કલાકમાં જો રાજયો માટે આપવામાં આવેલા એલર્ટની વાત કરીએ તો 24 રાજ્યો માટે આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર પણ આ બાબતે સતત ધ્યાન રાખી રહી છે. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર સતત વધતું જઈ રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતમાં ચોમાસામાં છેલ્લા ત્રણ દિવસથી મૂશળાધાર વરસાદ થયો છે. ચોમાસા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે વરસાદ વરસી રહ્યો છે. 

આ રાજ્યોમાં વરસી શકે છે વરસાદ 

આજે આ રાજ્યો માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જે મુજબ રાજસ્થાન, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય અનેક એવા રાજ્યો છે જ્યાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.      



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.