રાજસ્થાનના બજેટમાં લોકોને લ્હાણી, 100 યુનિટ મફત વીજળી,રૂ.500માં સિલિન્ડર, ગરીબોને ફ્રી રાશન


  • Published By :
  • Published Date : 2023-02-10 18:15:18

રાજસ્થાનના CM અશોક ગહેલોતે શુક્રવાર (10 ફેબ્રુઆરી, 2023)ના રોજ વિધાનસભામાં આગામી નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું છે. અશોક ગહેલોતે વર્ષ 2023ના આ બજેટમાં લોકોના હિતમાં અનેક જાહેરાતો કરી છે. બજેટમાં સસ્તો રસોઈ ગેસ, લોકો માટે 25 લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો સહિતની જાહેરાત કરી છે. તે ઉપરાંત રાજસ્થાનમાં ત્રણ નવી મેડિકલ કોલેજ ખોલવાની પણ જાહેરાત કરી છે. ઉલ્લેખનિય છે કે, રાજસ્થાનમાં આ વર્ષે ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ રાજ્યમાં મુખ્યમંત્રીની ખુરસી જળવાઈ રહે તે માટે આ લોકરંજક બજેટ જાહેરાતો કરી છે.  


લોકો માટે કરાઈ આ જાહેરાતો


1-મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે વીજળી 50 થી વધારીને 100 યુનિટ મફતમાં આપવામાં આવશે.

2-ખાદ્ય સુરક્ષા પરિવારોને મફત અન્નપૂર્ણા ફૂડ પેકેટ મળશે. કઠોળ, ખાંડ સહિતની રાશનની વસ્તુઓ પેકેટમાં સામેલ 3-કરવામાં આવશે. ચિરંજીવી વીમા યોજનાની રકમ 10 લાખથી વધારીને 25 લાખ કરવામાં આવી.

4-500 કરોડના કલ્યાણ નિધિની રચના કરવામાં આવશે. યુવાનોના કૌશલ્ય વિકાસ માટે 100 કરોડનો ખર્ચ કરવામાં આવશે.  

5-પેપર લીક જેવી ઘટનાઓ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. તમામ ભરતી પરીક્ષાઓ વિનામૂલ્યે યોજવાની જાહેરાત.

6-દરેક જિલ્લામાં વિવેકાનંદ યુથ હોસ્ટેલ બનાવવામાં આવશે. દરેક જિલ્લા મથકે ડિજિટલ લાઇબ્રેરીની સ્થાપના કરવામાંઆવશે.

7- ઓનલાઈન પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવશે.

8-76 લાખ પરિવારોને રૂ.500માં સિલિન્ડર મળશે. વિદ્યાર્થિનીઓને ફ્રી સ્કૂટી આપવાની જાહેરાત.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.