રાજસ્થાનના બજેટમાં લોકોને લ્હાણી, 100 યુનિટ મફત વીજળી,રૂ.500માં સિલિન્ડર, ગરીબોને ફ્રી રાશન


  • Published By :
  • Published Date : 2023-02-10 18:15:18

રાજસ્થાનના CM અશોક ગહેલોતે શુક્રવાર (10 ફેબ્રુઆરી, 2023)ના રોજ વિધાનસભામાં આગામી નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું છે. અશોક ગહેલોતે વર્ષ 2023ના આ બજેટમાં લોકોના હિતમાં અનેક જાહેરાતો કરી છે. બજેટમાં સસ્તો રસોઈ ગેસ, લોકો માટે 25 લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો સહિતની જાહેરાત કરી છે. તે ઉપરાંત રાજસ્થાનમાં ત્રણ નવી મેડિકલ કોલેજ ખોલવાની પણ જાહેરાત કરી છે. ઉલ્લેખનિય છે કે, રાજસ્થાનમાં આ વર્ષે ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ રાજ્યમાં મુખ્યમંત્રીની ખુરસી જળવાઈ રહે તે માટે આ લોકરંજક બજેટ જાહેરાતો કરી છે.  


લોકો માટે કરાઈ આ જાહેરાતો


1-મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે વીજળી 50 થી વધારીને 100 યુનિટ મફતમાં આપવામાં આવશે.

2-ખાદ્ય સુરક્ષા પરિવારોને મફત અન્નપૂર્ણા ફૂડ પેકેટ મળશે. કઠોળ, ખાંડ સહિતની રાશનની વસ્તુઓ પેકેટમાં સામેલ 3-કરવામાં આવશે. ચિરંજીવી વીમા યોજનાની રકમ 10 લાખથી વધારીને 25 લાખ કરવામાં આવી.

4-500 કરોડના કલ્યાણ નિધિની રચના કરવામાં આવશે. યુવાનોના કૌશલ્ય વિકાસ માટે 100 કરોડનો ખર્ચ કરવામાં આવશે.  

5-પેપર લીક જેવી ઘટનાઓ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. તમામ ભરતી પરીક્ષાઓ વિનામૂલ્યે યોજવાની જાહેરાત.

6-દરેક જિલ્લામાં વિવેકાનંદ યુથ હોસ્ટેલ બનાવવામાં આવશે. દરેક જિલ્લા મથકે ડિજિટલ લાઇબ્રેરીની સ્થાપના કરવામાંઆવશે.

7- ઓનલાઈન પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવશે.

8-76 લાખ પરિવારોને રૂ.500માં સિલિન્ડર મળશે. વિદ્યાર્થિનીઓને ફ્રી સ્કૂટી આપવાની જાહેરાત.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.