રાજસ્થાનના બજેટમાં લોકોને લ્હાણી, 100 યુનિટ મફત વીજળી,રૂ.500માં સિલિન્ડર, ગરીબોને ફ્રી રાશન


  • Published By :
  • Published Date : 2023-02-10 18:15:18

રાજસ્થાનના CM અશોક ગહેલોતે શુક્રવાર (10 ફેબ્રુઆરી, 2023)ના રોજ વિધાનસભામાં આગામી નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું છે. અશોક ગહેલોતે વર્ષ 2023ના આ બજેટમાં લોકોના હિતમાં અનેક જાહેરાતો કરી છે. બજેટમાં સસ્તો રસોઈ ગેસ, લોકો માટે 25 લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો સહિતની જાહેરાત કરી છે. તે ઉપરાંત રાજસ્થાનમાં ત્રણ નવી મેડિકલ કોલેજ ખોલવાની પણ જાહેરાત કરી છે. ઉલ્લેખનિય છે કે, રાજસ્થાનમાં આ વર્ષે ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ રાજ્યમાં મુખ્યમંત્રીની ખુરસી જળવાઈ રહે તે માટે આ લોકરંજક બજેટ જાહેરાતો કરી છે.  


લોકો માટે કરાઈ આ જાહેરાતો


1-મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે વીજળી 50 થી વધારીને 100 યુનિટ મફતમાં આપવામાં આવશે.

2-ખાદ્ય સુરક્ષા પરિવારોને મફત અન્નપૂર્ણા ફૂડ પેકેટ મળશે. કઠોળ, ખાંડ સહિતની રાશનની વસ્તુઓ પેકેટમાં સામેલ 3-કરવામાં આવશે. ચિરંજીવી વીમા યોજનાની રકમ 10 લાખથી વધારીને 25 લાખ કરવામાં આવી.

4-500 કરોડના કલ્યાણ નિધિની રચના કરવામાં આવશે. યુવાનોના કૌશલ્ય વિકાસ માટે 100 કરોડનો ખર્ચ કરવામાં આવશે.  

5-પેપર લીક જેવી ઘટનાઓ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. તમામ ભરતી પરીક્ષાઓ વિનામૂલ્યે યોજવાની જાહેરાત.

6-દરેક જિલ્લામાં વિવેકાનંદ યુથ હોસ્ટેલ બનાવવામાં આવશે. દરેક જિલ્લા મથકે ડિજિટલ લાઇબ્રેરીની સ્થાપના કરવામાંઆવશે.

7- ઓનલાઈન પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવશે.

8-76 લાખ પરિવારોને રૂ.500માં સિલિન્ડર મળશે. વિદ્યાર્થિનીઓને ફ્રી સ્કૂટી આપવાની જાહેરાત.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.