રાજસ્થાનના બજેટમાં લોકોને લ્હાણી, 100 યુનિટ મફત વીજળી,રૂ.500માં સિલિન્ડર, ગરીબોને ફ્રી રાશન


  • Published By :
  • Published Date : 2023-02-10 18:15:18

રાજસ્થાનના CM અશોક ગહેલોતે શુક્રવાર (10 ફેબ્રુઆરી, 2023)ના રોજ વિધાનસભામાં આગામી નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું છે. અશોક ગહેલોતે વર્ષ 2023ના આ બજેટમાં લોકોના હિતમાં અનેક જાહેરાતો કરી છે. બજેટમાં સસ્તો રસોઈ ગેસ, લોકો માટે 25 લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો સહિતની જાહેરાત કરી છે. તે ઉપરાંત રાજસ્થાનમાં ત્રણ નવી મેડિકલ કોલેજ ખોલવાની પણ જાહેરાત કરી છે. ઉલ્લેખનિય છે કે, રાજસ્થાનમાં આ વર્ષે ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ રાજ્યમાં મુખ્યમંત્રીની ખુરસી જળવાઈ રહે તે માટે આ લોકરંજક બજેટ જાહેરાતો કરી છે.  


લોકો માટે કરાઈ આ જાહેરાતો


1-મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે વીજળી 50 થી વધારીને 100 યુનિટ મફતમાં આપવામાં આવશે.

2-ખાદ્ય સુરક્ષા પરિવારોને મફત અન્નપૂર્ણા ફૂડ પેકેટ મળશે. કઠોળ, ખાંડ સહિતની રાશનની વસ્તુઓ પેકેટમાં સામેલ 3-કરવામાં આવશે. ચિરંજીવી વીમા યોજનાની રકમ 10 લાખથી વધારીને 25 લાખ કરવામાં આવી.

4-500 કરોડના કલ્યાણ નિધિની રચના કરવામાં આવશે. યુવાનોના કૌશલ્ય વિકાસ માટે 100 કરોડનો ખર્ચ કરવામાં આવશે.  

5-પેપર લીક જેવી ઘટનાઓ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. તમામ ભરતી પરીક્ષાઓ વિનામૂલ્યે યોજવાની જાહેરાત.

6-દરેક જિલ્લામાં વિવેકાનંદ યુથ હોસ્ટેલ બનાવવામાં આવશે. દરેક જિલ્લા મથકે ડિજિટલ લાઇબ્રેરીની સ્થાપના કરવામાંઆવશે.

7- ઓનલાઈન પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવશે.

8-76 લાખ પરિવારોને રૂ.500માં સિલિન્ડર મળશે. વિદ્યાર્થિનીઓને ફ્રી સ્કૂટી આપવાની જાહેરાત.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.