Rajkot :14 વર્ષનો બાળક શેરીમાં અચાનક ઢળી પડ્યો અને થઈ ગયું મોત.. શું હાર્ટ એટેકને કારણે થયું મોત?


  • Published By :
  • Published Date : 2024-04-20 13:35:02

આ ભજન સાંભળ્યું હશે કે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થાશે... આ ભજનમાં વાત મોતની થઈ રહી છે... એક દિવસ તો મરવાનું બધાને છે પરંતુ કેવી રીતે મોત આવશે તેની ખબર નથી.. આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે નાની ઉંમરના લોકોના મોત થઈ રહ્યા છે.. રાજકોટથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 14 વર્ષના બાળકનું મોત અચાનક થઈ ગયું.. બાળક ક્રિકેટ રમી રહ્યો હતો અને તે ઢળી પડ્યો અને તેનું મોત થઈ ગયું...



14 વર્ષના બાળકનું થયું મોત... 

આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં નાની ઉંમરના લોકો મોતને ભેટી રહ્યા છે... થોડા સમય પહેલા અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા હતા જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયા હતા. હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો આવ્યો હતો. નાની ઉંમરના લોકો પણ હાર્ટ એટેકનો શિકાર બન્યા હતા ત્યારે આજે રાજકોટથી એક કિસ્સો આવ્યો છે જેમાં ક્રિકેટ રમતા રમતા 14 વર્ષના બાળકનું મોત થઈ ગયું. 



ક્રિકેટ રમતા રમતા બાળક ઢળી પડ્યો અને... 

જે બાળકની વાત થઈ રહી છે તે વાવડી વિસ્તારમાં ક્રિકેટ રમી રહ્યો હતો અને ક્રિકેટ રમતા રમતા તે ઢળી પડ્યો.. મોતનું કારણ શું છે તેની જાણ પોસ્ટમોર્ટમ બાદ થશે.. પરંતુ એવી ચર્ચાઓ થવા લાગી છે કે તેનું મોત હાર્ટ એટકેને કારણે થયું છે...મોતનું કારણ જાણવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે... મહત્વનું છે કે હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. હાર્ટ એટેકને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે આ બાળકનું મોત કયા કારણોસર થયું તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણવા મળશે...  હાર્ટ એટેક આવવા પાછળના અનેક કારણો હોઈ શકે છે.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે