Rajkot :14 વર્ષનો બાળક શેરીમાં અચાનક ઢળી પડ્યો અને થઈ ગયું મોત.. શું હાર્ટ એટેકને કારણે થયું મોત?


  • Published By :
  • Published Date : 2024-04-20 13:35:02

આ ભજન સાંભળ્યું હશે કે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થાશે... આ ભજનમાં વાત મોતની થઈ રહી છે... એક દિવસ તો મરવાનું બધાને છે પરંતુ કેવી રીતે મોત આવશે તેની ખબર નથી.. આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે નાની ઉંમરના લોકોના મોત થઈ રહ્યા છે.. રાજકોટથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 14 વર્ષના બાળકનું મોત અચાનક થઈ ગયું.. બાળક ક્રિકેટ રમી રહ્યો હતો અને તે ઢળી પડ્યો અને તેનું મોત થઈ ગયું...



14 વર્ષના બાળકનું થયું મોત... 

આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં નાની ઉંમરના લોકો મોતને ભેટી રહ્યા છે... થોડા સમય પહેલા અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા હતા જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયા હતા. હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો આવ્યો હતો. નાની ઉંમરના લોકો પણ હાર્ટ એટેકનો શિકાર બન્યા હતા ત્યારે આજે રાજકોટથી એક કિસ્સો આવ્યો છે જેમાં ક્રિકેટ રમતા રમતા 14 વર્ષના બાળકનું મોત થઈ ગયું. 



ક્રિકેટ રમતા રમતા બાળક ઢળી પડ્યો અને... 

જે બાળકની વાત થઈ રહી છે તે વાવડી વિસ્તારમાં ક્રિકેટ રમી રહ્યો હતો અને ક્રિકેટ રમતા રમતા તે ઢળી પડ્યો.. મોતનું કારણ શું છે તેની જાણ પોસ્ટમોર્ટમ બાદ થશે.. પરંતુ એવી ચર્ચાઓ થવા લાગી છે કે તેનું મોત હાર્ટ એટકેને કારણે થયું છે...મોતનું કારણ જાણવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે... મહત્વનું છે કે હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. હાર્ટ એટેકને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે આ બાળકનું મોત કયા કારણોસર થયું તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણવા મળશે...  હાર્ટ એટેક આવવા પાછળના અનેક કારણો હોઈ શકે છે.




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.