Rajkot :14 વર્ષનો બાળક શેરીમાં અચાનક ઢળી પડ્યો અને થઈ ગયું મોત.. શું હાર્ટ એટેકને કારણે થયું મોત?


  • Published By :
  • Published Date : 2024-04-20 13:35:02

આ ભજન સાંભળ્યું હશે કે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થાશે... આ ભજનમાં વાત મોતની થઈ રહી છે... એક દિવસ તો મરવાનું બધાને છે પરંતુ કેવી રીતે મોત આવશે તેની ખબર નથી.. આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે નાની ઉંમરના લોકોના મોત થઈ રહ્યા છે.. રાજકોટથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 14 વર્ષના બાળકનું મોત અચાનક થઈ ગયું.. બાળક ક્રિકેટ રમી રહ્યો હતો અને તે ઢળી પડ્યો અને તેનું મોત થઈ ગયું...



14 વર્ષના બાળકનું થયું મોત... 

આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં નાની ઉંમરના લોકો મોતને ભેટી રહ્યા છે... થોડા સમય પહેલા અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા હતા જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયા હતા. હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો આવ્યો હતો. નાની ઉંમરના લોકો પણ હાર્ટ એટેકનો શિકાર બન્યા હતા ત્યારે આજે રાજકોટથી એક કિસ્સો આવ્યો છે જેમાં ક્રિકેટ રમતા રમતા 14 વર્ષના બાળકનું મોત થઈ ગયું. 



ક્રિકેટ રમતા રમતા બાળક ઢળી પડ્યો અને... 

જે બાળકની વાત થઈ રહી છે તે વાવડી વિસ્તારમાં ક્રિકેટ રમી રહ્યો હતો અને ક્રિકેટ રમતા રમતા તે ઢળી પડ્યો.. મોતનું કારણ શું છે તેની જાણ પોસ્ટમોર્ટમ બાદ થશે.. પરંતુ એવી ચર્ચાઓ થવા લાગી છે કે તેનું મોત હાર્ટ એટકેને કારણે થયું છે...મોતનું કારણ જાણવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે... મહત્વનું છે કે હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. હાર્ટ એટેકને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે આ બાળકનું મોત કયા કારણોસર થયું તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણવા મળશે...  હાર્ટ એટેક આવવા પાછળના અનેક કારણો હોઈ શકે છે.




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.