Rajkot Fire Accident : રાખ થયેલા TRP ગેમઝોનની CM Bhupendra Patelએ લીધી મુલાકાત, ઘટનાને લઈ Harsh Sanghviએ કહી આ વાત...


  • Published By :
  • Published Date : 2024-05-26 09:27:37

રાજકોટમાં બનેલી દુર્ઘટનામાં 28 જિંદગીઓ બળીને ખાખ થઈ ગઈ... મૃતકોની હાલત એવી છે કે મૃતદેહ કોના છે તે જાણવા માટે ડીએનએ કરવામાં આવશે. આ ઘટનાને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે... આગ એટલી વિકરાળ હતી કે પાંચ કિલોમીટર સુધી આગના ધુમાડાઓ દેખાતા હતા.. આ ગોઝારી દુર્ઘટનાને પગલે રાજ્યમાં શોકની લાગણી વહી ઉઠી છે.. જે જગ્યા પર બાળકોની ચિચિયારી ગુંજી ઉઠી હતી તે સ્થળની મુલાકાત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી અને તેમની સાથે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ છે..  

હર્ષ સંઘવીએ ઘટનાને લઈ કહી આ વાત 

આ ઘટનાને પગલે હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે કહ્યું કે રાજકોટમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની, પરિવારના ઘણા સભ્યોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા અને આ ઘટનામાં ઘણા બાળકોના પણ મોત થયા છે... SITને સવારે 3 વાગ્યા સુધીમાં તપાસ શરૂ કરવા સૂચના આપવામાં આવી છે... તે વિભાગના તમામ અધિકારીઓ કે જેના હેઠળ ગેમ ઝોન બાંધકામ જૂઠ્ઠાણાંની જવાબદારી, આજે સવારે 3 વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરી ખાતે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. તમામ પ્રકારની તપાસ આજથી જ શરૂ થશે અને ટૂંક સમયમાં ન્યાય અપાવવા માટે કાર્યવાહી કરવામાં આવશે..." કાર્યવાહી કરવાની વાતો કરવામાં આવે છે પંરતુ શું કડકમાં કડક કાર્યવાહી થાય છે ખરી? જો સાચે થતી હોત તો આવી દુર્ઘટનાઓ ના બનતી.. 


ભૂપેન્દ્ર પટેલે લીધી સ્થળ મુલાકાત 

મુખ્યમંત્રી પણ સ્થળ મુલાકાત લેવા પહોંચી ગયા છે.. જે હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે ત્યાંની મુલાકાત સીએમ દ્વારા લેવામાં આવી છે.. મહત્વનું છે કે આ મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે. તપાસ કરાશે, તપાસ બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેની ખબર નથી.. તપાસના આદેશ તો દરેક દુર્ઘટનાઓ બાદ આપવામાં આવે છે પરંતુ કમનસીબી એ છે કે આપણે દુર્ઘટનાઓમાંથી કંઈ શીખતા નથી.. 



કાશ મુખ્યમંત્રીને બાળકોનો આક્રંદ સંભળાય!

આશા રાખીએ કે મુખ્યમંત્રીને કદાચ એ મૃતક બાળકોના દુ:ખનો અહેસાસ થાય, એ પીડા કદાચ એ સમજી શકે જ્યારે મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી હશે.. કદાચ મૃતક બાળકો પણ ઉપરથી કહેતા હશે કે અમે તો આવી દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા બીજા બાળકોના મોત આવી દુર્ઘટનાઓમાં ના થાય તેનું ધ્યાન રાખજો ભૂપેન્દ્ર દાદા...!          



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.