Rajkot Fire Accident : રાખ થયેલા TRP ગેમઝોનની CM Bhupendra Patelએ લીધી મુલાકાત, ઘટનાને લઈ Harsh Sanghviએ કહી આ વાત...


  • Published By :
  • Published Date : 2024-05-26 09:27:37

રાજકોટમાં બનેલી દુર્ઘટનામાં 28 જિંદગીઓ બળીને ખાખ થઈ ગઈ... મૃતકોની હાલત એવી છે કે મૃતદેહ કોના છે તે જાણવા માટે ડીએનએ કરવામાં આવશે. આ ઘટનાને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે... આગ એટલી વિકરાળ હતી કે પાંચ કિલોમીટર સુધી આગના ધુમાડાઓ દેખાતા હતા.. આ ગોઝારી દુર્ઘટનાને પગલે રાજ્યમાં શોકની લાગણી વહી ઉઠી છે.. જે જગ્યા પર બાળકોની ચિચિયારી ગુંજી ઉઠી હતી તે સ્થળની મુલાકાત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી અને તેમની સાથે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ છે..  

હર્ષ સંઘવીએ ઘટનાને લઈ કહી આ વાત 

આ ઘટનાને પગલે હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે કહ્યું કે રાજકોટમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની, પરિવારના ઘણા સભ્યોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા અને આ ઘટનામાં ઘણા બાળકોના પણ મોત થયા છે... SITને સવારે 3 વાગ્યા સુધીમાં તપાસ શરૂ કરવા સૂચના આપવામાં આવી છે... તે વિભાગના તમામ અધિકારીઓ કે જેના હેઠળ ગેમ ઝોન બાંધકામ જૂઠ્ઠાણાંની જવાબદારી, આજે સવારે 3 વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરી ખાતે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. તમામ પ્રકારની તપાસ આજથી જ શરૂ થશે અને ટૂંક સમયમાં ન્યાય અપાવવા માટે કાર્યવાહી કરવામાં આવશે..." કાર્યવાહી કરવાની વાતો કરવામાં આવે છે પંરતુ શું કડકમાં કડક કાર્યવાહી થાય છે ખરી? જો સાચે થતી હોત તો આવી દુર્ઘટનાઓ ના બનતી.. 


ભૂપેન્દ્ર પટેલે લીધી સ્થળ મુલાકાત 

મુખ્યમંત્રી પણ સ્થળ મુલાકાત લેવા પહોંચી ગયા છે.. જે હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે ત્યાંની મુલાકાત સીએમ દ્વારા લેવામાં આવી છે.. મહત્વનું છે કે આ મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે. તપાસ કરાશે, તપાસ બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેની ખબર નથી.. તપાસના આદેશ તો દરેક દુર્ઘટનાઓ બાદ આપવામાં આવે છે પરંતુ કમનસીબી એ છે કે આપણે દુર્ઘટનાઓમાંથી કંઈ શીખતા નથી.. 



કાશ મુખ્યમંત્રીને બાળકોનો આક્રંદ સંભળાય!

આશા રાખીએ કે મુખ્યમંત્રીને કદાચ એ મૃતક બાળકોના દુ:ખનો અહેસાસ થાય, એ પીડા કદાચ એ સમજી શકે જ્યારે મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી હશે.. કદાચ મૃતક બાળકો પણ ઉપરથી કહેતા હશે કે અમે તો આવી દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા બીજા બાળકોના મોત આવી દુર્ઘટનાઓમાં ના થાય તેનું ધ્યાન રાખજો ભૂપેન્દ્ર દાદા...!          



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.