Rajkot Fire Accident : રાખ થયેલા TRP ગેમઝોનની CM Bhupendra Patelએ લીધી મુલાકાત, ઘટનાને લઈ Harsh Sanghviએ કહી આ વાત...


  • Published By :
  • Published Date : 2024-05-26 09:27:37

રાજકોટમાં બનેલી દુર્ઘટનામાં 28 જિંદગીઓ બળીને ખાખ થઈ ગઈ... મૃતકોની હાલત એવી છે કે મૃતદેહ કોના છે તે જાણવા માટે ડીએનએ કરવામાં આવશે. આ ઘટનાને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે... આગ એટલી વિકરાળ હતી કે પાંચ કિલોમીટર સુધી આગના ધુમાડાઓ દેખાતા હતા.. આ ગોઝારી દુર્ઘટનાને પગલે રાજ્યમાં શોકની લાગણી વહી ઉઠી છે.. જે જગ્યા પર બાળકોની ચિચિયારી ગુંજી ઉઠી હતી તે સ્થળની મુલાકાત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી અને તેમની સાથે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ છે..  

હર્ષ સંઘવીએ ઘટનાને લઈ કહી આ વાત 

આ ઘટનાને પગલે હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે કહ્યું કે રાજકોટમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની, પરિવારના ઘણા સભ્યોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા અને આ ઘટનામાં ઘણા બાળકોના પણ મોત થયા છે... SITને સવારે 3 વાગ્યા સુધીમાં તપાસ શરૂ કરવા સૂચના આપવામાં આવી છે... તે વિભાગના તમામ અધિકારીઓ કે જેના હેઠળ ગેમ ઝોન બાંધકામ જૂઠ્ઠાણાંની જવાબદારી, આજે સવારે 3 વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરી ખાતે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. તમામ પ્રકારની તપાસ આજથી જ શરૂ થશે અને ટૂંક સમયમાં ન્યાય અપાવવા માટે કાર્યવાહી કરવામાં આવશે..." કાર્યવાહી કરવાની વાતો કરવામાં આવે છે પંરતુ શું કડકમાં કડક કાર્યવાહી થાય છે ખરી? જો સાચે થતી હોત તો આવી દુર્ઘટનાઓ ના બનતી.. 


ભૂપેન્દ્ર પટેલે લીધી સ્થળ મુલાકાત 

મુખ્યમંત્રી પણ સ્થળ મુલાકાત લેવા પહોંચી ગયા છે.. જે હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે ત્યાંની મુલાકાત સીએમ દ્વારા લેવામાં આવી છે.. મહત્વનું છે કે આ મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે. તપાસ કરાશે, તપાસ બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેની ખબર નથી.. તપાસના આદેશ તો દરેક દુર્ઘટનાઓ બાદ આપવામાં આવે છે પરંતુ કમનસીબી એ છે કે આપણે દુર્ઘટનાઓમાંથી કંઈ શીખતા નથી.. 



કાશ મુખ્યમંત્રીને બાળકોનો આક્રંદ સંભળાય!

આશા રાખીએ કે મુખ્યમંત્રીને કદાચ એ મૃતક બાળકોના દુ:ખનો અહેસાસ થાય, એ પીડા કદાચ એ સમજી શકે જ્યારે મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી હશે.. કદાચ મૃતક બાળકો પણ ઉપરથી કહેતા હશે કે અમે તો આવી દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા બીજા બાળકોના મોત આવી દુર્ઘટનાઓમાં ના થાય તેનું ધ્યાન રાખજો ભૂપેન્દ્ર દાદા...!          



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે