Rajkot Fire Accident : રાખ થયેલા TRP ગેમઝોનની CM Bhupendra Patelએ લીધી મુલાકાત, ઘટનાને લઈ Harsh Sanghviએ કહી આ વાત...


  • Published By :
  • Published Date : 2024-05-26 09:27:37

રાજકોટમાં બનેલી દુર્ઘટનામાં 28 જિંદગીઓ બળીને ખાખ થઈ ગઈ... મૃતકોની હાલત એવી છે કે મૃતદેહ કોના છે તે જાણવા માટે ડીએનએ કરવામાં આવશે. આ ઘટનાને લઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે... આગ એટલી વિકરાળ હતી કે પાંચ કિલોમીટર સુધી આગના ધુમાડાઓ દેખાતા હતા.. આ ગોઝારી દુર્ઘટનાને પગલે રાજ્યમાં શોકની લાગણી વહી ઉઠી છે.. જે જગ્યા પર બાળકોની ચિચિયારી ગુંજી ઉઠી હતી તે સ્થળની મુલાકાત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી અને તેમની સાથે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ છે..  

હર્ષ સંઘવીએ ઘટનાને લઈ કહી આ વાત 

આ ઘટનાને પગલે હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે કહ્યું કે રાજકોટમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની, પરિવારના ઘણા સભ્યોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા અને આ ઘટનામાં ઘણા બાળકોના પણ મોત થયા છે... SITને સવારે 3 વાગ્યા સુધીમાં તપાસ શરૂ કરવા સૂચના આપવામાં આવી છે... તે વિભાગના તમામ અધિકારીઓ કે જેના હેઠળ ગેમ ઝોન બાંધકામ જૂઠ્ઠાણાંની જવાબદારી, આજે સવારે 3 વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરી ખાતે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. તમામ પ્રકારની તપાસ આજથી જ શરૂ થશે અને ટૂંક સમયમાં ન્યાય અપાવવા માટે કાર્યવાહી કરવામાં આવશે..." કાર્યવાહી કરવાની વાતો કરવામાં આવે છે પંરતુ શું કડકમાં કડક કાર્યવાહી થાય છે ખરી? જો સાચે થતી હોત તો આવી દુર્ઘટનાઓ ના બનતી.. 


ભૂપેન્દ્ર પટેલે લીધી સ્થળ મુલાકાત 

મુખ્યમંત્રી પણ સ્થળ મુલાકાત લેવા પહોંચી ગયા છે.. જે હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે ત્યાંની મુલાકાત સીએમ દ્વારા લેવામાં આવી છે.. મહત્વનું છે કે આ મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે. તપાસ કરાશે, તપાસ બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેની ખબર નથી.. તપાસના આદેશ તો દરેક દુર્ઘટનાઓ બાદ આપવામાં આવે છે પરંતુ કમનસીબી એ છે કે આપણે દુર્ઘટનાઓમાંથી કંઈ શીખતા નથી.. 



કાશ મુખ્યમંત્રીને બાળકોનો આક્રંદ સંભળાય!

આશા રાખીએ કે મુખ્યમંત્રીને કદાચ એ મૃતક બાળકોના દુ:ખનો અહેસાસ થાય, એ પીડા કદાચ એ સમજી શકે જ્યારે મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી હશે.. કદાચ મૃતક બાળકો પણ ઉપરથી કહેતા હશે કે અમે તો આવી દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા બીજા બાળકોના મોત આવી દુર્ઘટનાઓમાં ના થાય તેનું ધ્યાન રાખજો ભૂપેન્દ્ર દાદા...!          



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.