Rajkot Fire Accident : પીડિત પરિવારને ન્યાય અપાવા માટે કોંગ્રેસ મેદાને, આવતી કાલે Congressએ આપ્યું છે રાજકોટ બંધનું એલાન...


  • Published By :
  • Published Date : 2024-06-24 12:53:27

ગુજરાતમાં અનેક એવી ઘટનાઓ બની છે જેમાં ન્યાય માટે આજે પણ પીડિત પરિવાર ઝંખે છે. વર્ષો વીતિ ગયા પરંતુ પીડિત પરિવારને ન્યાય નથી મળ્યો.. રાજકોટ ગેમઝોનમાં બનેલી દુર્ઘટનામાં 28 લોકોના મોત થઈ ગયા છે. અનેક પરિવારો એવા છે જેમણે પોતાના એકના એક સંતાનને ગુમાવ્યા છે. પીડિત પરિવાર ન્યાય માટે ઝંખી રહ્યા છે. પીડિત પરિવારને ન્યાય મળે તે માટે કોંગ્રેસ મેદાને આવી છે. સરકાર પર દબાણ બનાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.  આવતી કાલે રાજકોટ બંધનું એલાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે

વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે અગ્નિકાંડનો મુદ્દો

એક સમય એવો હતો જ્યારે ગુજરાતમાં વિપક્ષ માટે એવું કહેવાતું કે વિપક્ષ મરી પરવારી છે. મુદ્દાઓને ઉઠાવવામાં વિપક્ષ નિષ્ફળ રહ્યું છે તેવી વાત રાજકીય નિષ્ણાતો દ્વારા કરવામાં આવતી. પરંતુ ગુજરાતમાં ફરી એક વખત વિપક્ષ છે તેનું ઉદાહરણ જોવા મળ્યું છે. રાજકોટમાં થયેલા અગ્નિકાંડને લઈ પીડિત પરિવારને ન્યાય અપાવા માટે કોંગ્રેસ મેદાને આવ્યું છે. આવતી કાલે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. જીગ્નેશ મેવાણી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે રાજકોટના લોકો આ બંધના એલાનમાં જોડાય.

આવતી કાલે કોંગ્રેસે આપ્યું છે રાજકોટ બંધનું એલાન

રાજકોટમાં બનેલી દુર્ઘટનાને લઈ કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે. કોંગ્રેસ દ્વારા જોરશોરથી આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે અને સરકાર પર પ્રેશર કરવામાં આવી રહ્યું છે કાર્યવાહી કરવાનું.. સરકાર દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આ મામલે કડક વલણ અપનાવવામાં આવ્યું છે... થોડા દિવસ પહેલા કોંગ્રેસના નેતાઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા, તે બાદ રાજકોટ પોલીસ કમિશનર ઓફિસનો ઘેરવો કરવાનો પ્રયાસ કરાયો જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ તેમજ પીડિત પરિવારના સભ્યો જોડાયા હતા..

રાહુલ ગાંધીએ કરી હતી પીડિત પરિવાર સાથે વાત 

આવતી કાલે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. જીગ્નેશ મેવાણી લોકોને આ રાજકોટ બંધમાં જોડાવા માટે અપીલ કરતા અનેક વખત દેખાયા છે. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ પણ પીડિત પરિવાર સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે સંસદમાં આ મુદ્દાને ઉઠાવવામાં આવશે. તો બીજી તરફ નીતિન પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી હતી. 



નાની માછલીઓ સામે કરાય છે કાર્યવાહી પરંતુ.. 

મહત્વનું છે કે અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં નાની માછલીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ મોટી માછલીઓ સામે કાર્યવાહી નથી કરવામાં આવતી. ખોટું કરતા લોકો, અધિકારીઓ, મંત્રીઓ ભૂલી જતા હોય છે કે બધા દિવસો સારા અને સરખા નથી હોતા...! ત્યારે આ કેસમાં પીડિત પરિવારને ન્યાય મળે છે કે નહીં તે જોવું રહ્યું..   



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.