ડ્રામા ક્વીન રાખી સાવંતની પોલીસે કરી ધરપકડ, આ બોલીવુડ અભિનેત્રીએ નોંધાવી હતી FIR


  • Published By :
  • Published Date : 2023-01-19 14:50:23

બોલિવુડની વિવાદાસ્પદ અભિનેત્રી રાખી સાવંતની મુબઈની અંબોલી પોલીસે આજે 19 જાન્યુઆરીના દિવસે ધરપકડ કરી છે. રાખીને આજે બપોરે તેની ડાન્સ એકેડેમી લોન્ચ કરવાની હતી, જો કે તે પહેલા જ શર્લિન ચોપરાની ફરિયાદના આધારે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. એક્ટ્રેસ શર્લિન ચોપરાએ પણ આ સમાચારની પુષ્ટી કરી છે. શર્લિન ચોપરાએ આ મુદ્દે ટ્વીટ પણ કર્યું હતું, તેણે ટ્વિટર પર લખ્યું, “બ્રેકિંગ ન્યૂઝ!!! અંબોલી પોલીસે FIR 883/2022ના સંબંધમાં રાખી સાવંતની ધરપકડ કરી છે. ગઈકાલે, રાખી સાવંતના ABA 1870/2022ને મુંબઈ સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યો હતો.


શર્લિન ચોપરાએ નોંધાવી હતી FIR 


રાખી સાવંત સામે બોલિવુડની જ અન્ય એક અભિનેત્રી શર્લિન ચોપરાએ FIR નોંધાવી હતી. શર્લિને આરોપ લગાવ્યો હતો કે રાખીએ એક પ્રેસ કોન્ફરન્સમાં શર્લિનનો આપત્તિજનક વીડિયો બતાવ્યો હતો અને તેના માટે ખરાબ ભાષા વાપરી હતી. પોલીસે રાખી વિરૂધ્ધ આઈપીસી અને આઈટી એક્ટના વિવિધ કલમો દાખલ કરીને તેની ધરપકડ કરી છે. 


રાખીના ABA ફગાવાયા


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ પોલીસ થોડા સમય પછી રાખીને અંધેરી કોર્ટમાં રજૂ કરશે. પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાખી સાવંત પર થોડા સમય પહેલા એક મહિલા મોડલનો વાંધાજનક વીડિયો અને ફોટો વાયરલ કરવાનો આરોપ છે. આ કેસમાં રાખીની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, બુધવારે મુંબઈની સેશન્સ કોર્ટે રાખી સાવંતના ABAને ફગાવી દીધા હતા, જેના પછી આજે એટલે કે 19 જાન્યુઆરી, ગુરુવારે તેની ધરપકડ કરવામાં આવી હતી.


રાખી અને શર્લિનની અદાવત જગજાહેર


રાખી સાવંત અને શર્લિન ચોપરા વચ્ચેની અદાવત જગજાહેર છે. રાખીએ મીડિયાને કહ્યું કે "મને  તે કહેતા બહુ જ દુખ થાય છે કે તેણે મારા અંગે અનેક નિવેદનો કર્યા તેના કારણે મારા જીવનમાં ઉથલપાથલ મચી ગઈ છે. તેના કારણે જ મારા વર્તમાન પ્રેમીએ મને કહ્યું છે કે શું શર્લિન જે કહીં રહી છે તે બાબતમાં સત્ય છે. શું ખરેખર મારા 10 બોય ફ્રેન્ડ છે. તે હમણા જ આવી અને મીડિયામાં જે કાંઈ પણ કહેવા માંગતી હતી તે કહીં દીધું હતું. તેણે તો કહીં દીધું પણ તેના  કારણે મારે ભોગવવું પડશે".



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.