ડ્રામા ક્વીન રાખી સાવંતની પોલીસે કરી ધરપકડ, આ બોલીવુડ અભિનેત્રીએ નોંધાવી હતી FIR


  • Published By :
  • Published Date : 2023-01-19 14:50:23

બોલિવુડની વિવાદાસ્પદ અભિનેત્રી રાખી સાવંતની મુબઈની અંબોલી પોલીસે આજે 19 જાન્યુઆરીના દિવસે ધરપકડ કરી છે. રાખીને આજે બપોરે તેની ડાન્સ એકેડેમી લોન્ચ કરવાની હતી, જો કે તે પહેલા જ શર્લિન ચોપરાની ફરિયાદના આધારે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. એક્ટ્રેસ શર્લિન ચોપરાએ પણ આ સમાચારની પુષ્ટી કરી છે. શર્લિન ચોપરાએ આ મુદ્દે ટ્વીટ પણ કર્યું હતું, તેણે ટ્વિટર પર લખ્યું, “બ્રેકિંગ ન્યૂઝ!!! અંબોલી પોલીસે FIR 883/2022ના સંબંધમાં રાખી સાવંતની ધરપકડ કરી છે. ગઈકાલે, રાખી સાવંતના ABA 1870/2022ને મુંબઈ સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યો હતો.


શર્લિન ચોપરાએ નોંધાવી હતી FIR 


રાખી સાવંત સામે બોલિવુડની જ અન્ય એક અભિનેત્રી શર્લિન ચોપરાએ FIR નોંધાવી હતી. શર્લિને આરોપ લગાવ્યો હતો કે રાખીએ એક પ્રેસ કોન્ફરન્સમાં શર્લિનનો આપત્તિજનક વીડિયો બતાવ્યો હતો અને તેના માટે ખરાબ ભાષા વાપરી હતી. પોલીસે રાખી વિરૂધ્ધ આઈપીસી અને આઈટી એક્ટના વિવિધ કલમો દાખલ કરીને તેની ધરપકડ કરી છે. 


રાખીના ABA ફગાવાયા


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ પોલીસ થોડા સમય પછી રાખીને અંધેરી કોર્ટમાં રજૂ કરશે. પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાખી સાવંત પર થોડા સમય પહેલા એક મહિલા મોડલનો વાંધાજનક વીડિયો અને ફોટો વાયરલ કરવાનો આરોપ છે. આ કેસમાં રાખીની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, બુધવારે મુંબઈની સેશન્સ કોર્ટે રાખી સાવંતના ABAને ફગાવી દીધા હતા, જેના પછી આજે એટલે કે 19 જાન્યુઆરી, ગુરુવારે તેની ધરપકડ કરવામાં આવી હતી.


રાખી અને શર્લિનની અદાવત જગજાહેર


રાખી સાવંત અને શર્લિન ચોપરા વચ્ચેની અદાવત જગજાહેર છે. રાખીએ મીડિયાને કહ્યું કે "મને  તે કહેતા બહુ જ દુખ થાય છે કે તેણે મારા અંગે અનેક નિવેદનો કર્યા તેના કારણે મારા જીવનમાં ઉથલપાથલ મચી ગઈ છે. તેના કારણે જ મારા વર્તમાન પ્રેમીએ મને કહ્યું છે કે શું શર્લિન જે કહીં રહી છે તે બાબતમાં સત્ય છે. શું ખરેખર મારા 10 બોય ફ્રેન્ડ છે. તે હમણા જ આવી અને મીડિયામાં જે કાંઈ પણ કહેવા માંગતી હતી તે કહીં દીધું હતું. તેણે તો કહીં દીધું પણ તેના  કારણે મારે ભોગવવું પડશે".



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી