ડ્રામા ક્વીન રાખી સાવંતની પોલીસે કરી ધરપકડ, આ બોલીવુડ અભિનેત્રીએ નોંધાવી હતી FIR


  • Published By :
  • Published Date : 2023-01-19 14:50:23

બોલિવુડની વિવાદાસ્પદ અભિનેત્રી રાખી સાવંતની મુબઈની અંબોલી પોલીસે આજે 19 જાન્યુઆરીના દિવસે ધરપકડ કરી છે. રાખીને આજે બપોરે તેની ડાન્સ એકેડેમી લોન્ચ કરવાની હતી, જો કે તે પહેલા જ શર્લિન ચોપરાની ફરિયાદના આધારે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. એક્ટ્રેસ શર્લિન ચોપરાએ પણ આ સમાચારની પુષ્ટી કરી છે. શર્લિન ચોપરાએ આ મુદ્દે ટ્વીટ પણ કર્યું હતું, તેણે ટ્વિટર પર લખ્યું, “બ્રેકિંગ ન્યૂઝ!!! અંબોલી પોલીસે FIR 883/2022ના સંબંધમાં રાખી સાવંતની ધરપકડ કરી છે. ગઈકાલે, રાખી સાવંતના ABA 1870/2022ને મુંબઈ સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યો હતો.


શર્લિન ચોપરાએ નોંધાવી હતી FIR 


રાખી સાવંત સામે બોલિવુડની જ અન્ય એક અભિનેત્રી શર્લિન ચોપરાએ FIR નોંધાવી હતી. શર્લિને આરોપ લગાવ્યો હતો કે રાખીએ એક પ્રેસ કોન્ફરન્સમાં શર્લિનનો આપત્તિજનક વીડિયો બતાવ્યો હતો અને તેના માટે ખરાબ ભાષા વાપરી હતી. પોલીસે રાખી વિરૂધ્ધ આઈપીસી અને આઈટી એક્ટના વિવિધ કલમો દાખલ કરીને તેની ધરપકડ કરી છે. 


રાખીના ABA ફગાવાયા


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ પોલીસ થોડા સમય પછી રાખીને અંધેરી કોર્ટમાં રજૂ કરશે. પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાખી સાવંત પર થોડા સમય પહેલા એક મહિલા મોડલનો વાંધાજનક વીડિયો અને ફોટો વાયરલ કરવાનો આરોપ છે. આ કેસમાં રાખીની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, બુધવારે મુંબઈની સેશન્સ કોર્ટે રાખી સાવંતના ABAને ફગાવી દીધા હતા, જેના પછી આજે એટલે કે 19 જાન્યુઆરી, ગુરુવારે તેની ધરપકડ કરવામાં આવી હતી.


રાખી અને શર્લિનની અદાવત જગજાહેર


રાખી સાવંત અને શર્લિન ચોપરા વચ્ચેની અદાવત જગજાહેર છે. રાખીએ મીડિયાને કહ્યું કે "મને  તે કહેતા બહુ જ દુખ થાય છે કે તેણે મારા અંગે અનેક નિવેદનો કર્યા તેના કારણે મારા જીવનમાં ઉથલપાથલ મચી ગઈ છે. તેના કારણે જ મારા વર્તમાન પ્રેમીએ મને કહ્યું છે કે શું શર્લિન જે કહીં રહી છે તે બાબતમાં સત્ય છે. શું ખરેખર મારા 10 બોય ફ્રેન્ડ છે. તે હમણા જ આવી અને મીડિયામાં જે કાંઈ પણ કહેવા માંગતી હતી તે કહીં દીધું હતું. તેણે તો કહીં દીધું પણ તેના  કારણે મારે ભોગવવું પડશે".



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.