ડ્રામા ક્વીન રાખી સાવંતની પોલીસે કરી ધરપકડ, આ બોલીવુડ અભિનેત્રીએ નોંધાવી હતી FIR


  • Published By :
  • Published Date : 2023-01-19 14:50:23

બોલિવુડની વિવાદાસ્પદ અભિનેત્રી રાખી સાવંતની મુબઈની અંબોલી પોલીસે આજે 19 જાન્યુઆરીના દિવસે ધરપકડ કરી છે. રાખીને આજે બપોરે તેની ડાન્સ એકેડેમી લોન્ચ કરવાની હતી, જો કે તે પહેલા જ શર્લિન ચોપરાની ફરિયાદના આધારે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. એક્ટ્રેસ શર્લિન ચોપરાએ પણ આ સમાચારની પુષ્ટી કરી છે. શર્લિન ચોપરાએ આ મુદ્દે ટ્વીટ પણ કર્યું હતું, તેણે ટ્વિટર પર લખ્યું, “બ્રેકિંગ ન્યૂઝ!!! અંબોલી પોલીસે FIR 883/2022ના સંબંધમાં રાખી સાવંતની ધરપકડ કરી છે. ગઈકાલે, રાખી સાવંતના ABA 1870/2022ને મુંબઈ સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યો હતો.


શર્લિન ચોપરાએ નોંધાવી હતી FIR 


રાખી સાવંત સામે બોલિવુડની જ અન્ય એક અભિનેત્રી શર્લિન ચોપરાએ FIR નોંધાવી હતી. શર્લિને આરોપ લગાવ્યો હતો કે રાખીએ એક પ્રેસ કોન્ફરન્સમાં શર્લિનનો આપત્તિજનક વીડિયો બતાવ્યો હતો અને તેના માટે ખરાબ ભાષા વાપરી હતી. પોલીસે રાખી વિરૂધ્ધ આઈપીસી અને આઈટી એક્ટના વિવિધ કલમો દાખલ કરીને તેની ધરપકડ કરી છે. 


રાખીના ABA ફગાવાયા


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ પોલીસ થોડા સમય પછી રાખીને અંધેરી કોર્ટમાં રજૂ કરશે. પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાખી સાવંત પર થોડા સમય પહેલા એક મહિલા મોડલનો વાંધાજનક વીડિયો અને ફોટો વાયરલ કરવાનો આરોપ છે. આ કેસમાં રાખીની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, બુધવારે મુંબઈની સેશન્સ કોર્ટે રાખી સાવંતના ABAને ફગાવી દીધા હતા, જેના પછી આજે એટલે કે 19 જાન્યુઆરી, ગુરુવારે તેની ધરપકડ કરવામાં આવી હતી.


રાખી અને શર્લિનની અદાવત જગજાહેર


રાખી સાવંત અને શર્લિન ચોપરા વચ્ચેની અદાવત જગજાહેર છે. રાખીએ મીડિયાને કહ્યું કે "મને  તે કહેતા બહુ જ દુખ થાય છે કે તેણે મારા અંગે અનેક નિવેદનો કર્યા તેના કારણે મારા જીવનમાં ઉથલપાથલ મચી ગઈ છે. તેના કારણે જ મારા વર્તમાન પ્રેમીએ મને કહ્યું છે કે શું શર્લિન જે કહીં રહી છે તે બાબતમાં સત્ય છે. શું ખરેખર મારા 10 બોય ફ્રેન્ડ છે. તે હમણા જ આવી અને મીડિયામાં જે કાંઈ પણ કહેવા માંગતી હતી તે કહીં દીધું હતું. તેણે તો કહીં દીધું પણ તેના  કારણે મારે ભોગવવું પડશે".



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.