રામાયણના રામ થયા લાલઘૂમ, કહ્યું, "સંસ્કૃતિ સાથે છેડછાડ બંધ કરો"


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 17:45:28

બોલિવૂડના કેટલાક ફિલ્મમેકર્સ પર વારંવાર હિન્દુ ધર્મની મજાક બનાવાના આરોપોના કારણે બોલિવૂડની ફિલ્મો સોશિયલ મીડિયામાં છેલ્લા ઘણા સમયથી બોયકટ ટ્રેન્ડનો સામનો કરી રહ્યું છે ત્યારે આ વખતે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર પ્રભાસની બીગ બજેટ ફિલ્મ 'આદિપુરુષ'નું ટીઝર લોન્ચ થયાની સાથે જ વિવાદમાં આવી ગયું છે. સોશિયલ મીડિયામાં લોકોએ આ ફિલ્મ પર હિંદુ ધર્મની મજાક બનાવાના આરોપો લગાવ્યા છે, ઉપરાંત આ ફિલ્મના ઘણા પાત્રો પણ લોકોને પસંદ નથી આવી રહ્યા. એવામાં રામાનંદ સાગરની "રામાયણ"માં રામનું પ્રખ્યાત પાત્ર ભજવનાર અરુણ ગોવિલનું નિવેદન સામે આવ્યુ છે,


જાણો શું કહ્યું અરુણ ગોવિલે?

અરુણ ગોયલે એક વિડિઓ શેર કરતા કહ્યું હતું કે, "રામાયણ અને મહાભારત આપણો સાંસ્કૃતિક અને ધાર્મિક વારસો છે. આ ગ્રંથો માનવ સભ્યતાના મૂળ સમાન છે. તેમની સાથે છેડછાડ કરવી યોગ્ય નથી. આવા ગ્રંથોથી સંસ્કાર મળે છે. આ ધાર્મિક વારસો આપણને જીવન જીવાની કલા શીખવાડે છે. વધુમાં તેમણે ફિલ્મમેકર્સ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, "ફિલ્મ નિર્માતાઓને કોણે અધિકાર આપ્યો કે ક્રિએટિવિટીના નામ પર ધર્મનો મજાક બનાવે?".


મોદીજી આ દેશ તમારો ઋણી રહેશે: અરુણ ગોવિલ 

વધુમાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું હતું કે, "પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શન અને કુશળ નેતૃત્વના કારણે આજે દેશના દરેક ખૂણામાં આપણી સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને ઓળખ મળવાનું શરૂ થયું છે. દેશમાં ઘણા સ્થળો પર ધાર્મિક કોરિડોર બની રહ્યા છે, જેથી આપણા સાંસ્કૃતિક વારસાનું રક્ષણ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીજી આ દેશ તમારો સદૈવ ઋણી રહેશે."



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી