રામ જન્મભૂમિ મંદિરની સુરક્ષામાં તૈનાત થશે CISF જવાનો, 22 જાન્યુઆરીએ થશે ઉદઘાટન, 10 દિવસ ચાલશે ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-07-06 17:57:46

અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મ ભૂમિ પરિસરમાં બની રહેલા ભવ્ય રામ મંદિરની સુરક્ષાને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રામલલાના અસ્થાયી મંદિરની સુરક્ષામાં આ સમયે ત્રીસ્તરીય સુરક્ષા ઘેરો છે. જેમાં પોલીસ, પીએસી અને સીઆરપીએફના સુરક્ષા ઘેરાનો સમાવેશ થાય છે. આગામી 11 જાન્યુઆરીના  દિવસે ભવ્ય રામ મંદિરનું ઉદઘાટન કરવામાં આવશે. જો કે CISF જવાનો પણ મંદિરની સુરક્ષા માટે તૈનાત કરાશે તેવી જાણકારી મળી છે. CISFની અન્ટ્રીએ ભારે  ચર્ચા જગાવી છે. 


CISFની આટલી ચર્ચા કેમ?


CISF ઐતિહાસિક ભવનોથી લઈને એરપોર્ટ, મેટ્રો રેલ, તથા અન્ય મોટા સરકારી ઔદ્યોગિક કારખાનાઓની સુરક્ષા પણ કરે છે. CISF આ બાબતે વિશેષજ્ઞતા ધરાવે છે. આ ફોર્સની ટેકનીકને ખુબ જ આધુનિક અને અદ્યતન માનવામાં આવે છે. રામ મંદિરની સુરક્ષામાં મોટા પ્રમાણમાં પરિવર્તન કરવા માટે ગત વર્ષથી  CISF પાસે સિક્યુરીટી ઓડિટ કરાવવામાં આવ્યું હતું. સિક્યોરીટી ઓડિટ બાદ આ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે મંદિરની સુરક્ષાની જવાબદારી CISFને મળી શકે છે. 


અયોધ્યામાં 10 દિવસ યોજાશે ભવ્ય કાર્યક્રમ


અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનું ઉદઘાટનનું શુભ મુહૂર્ત નક્કી થઈ ચુક્યું છે, આગામી 22 જાન્યુઆરી 2024ની તારીખ તેની શરૂઆત થશે. આ દિવસે ભગવાન રામને મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન કરાશે. આ જ દિવસે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી પણ ઉપસ્થિત રહેશે. મંદિર કમિટીએ દાવો કર્યો છે આગામી ડિસેમ્બર સુધી પહેલા તબક્કાનું કામ પુરૂ થઈ જશે. આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ અને વિદેશમાંથી લગભગ 5 લાખ લોકો પહોંચવાની સંભાવના છે. આ સમગ્ર કાર્યક્રમ 10 દિવસ સુધી ચાલશે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.