રામ જન્મભૂમિ મંદિરની સુરક્ષામાં તૈનાત થશે CISF જવાનો, 22 જાન્યુઆરીએ થશે ઉદઘાટન, 10 દિવસ ચાલશે ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-07-06 17:57:46

અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મ ભૂમિ પરિસરમાં બની રહેલા ભવ્ય રામ મંદિરની સુરક્ષાને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રામલલાના અસ્થાયી મંદિરની સુરક્ષામાં આ સમયે ત્રીસ્તરીય સુરક્ષા ઘેરો છે. જેમાં પોલીસ, પીએસી અને સીઆરપીએફના સુરક્ષા ઘેરાનો સમાવેશ થાય છે. આગામી 11 જાન્યુઆરીના  દિવસે ભવ્ય રામ મંદિરનું ઉદઘાટન કરવામાં આવશે. જો કે CISF જવાનો પણ મંદિરની સુરક્ષા માટે તૈનાત કરાશે તેવી જાણકારી મળી છે. CISFની અન્ટ્રીએ ભારે  ચર્ચા જગાવી છે. 


CISFની આટલી ચર્ચા કેમ?


CISF ઐતિહાસિક ભવનોથી લઈને એરપોર્ટ, મેટ્રો રેલ, તથા અન્ય મોટા સરકારી ઔદ્યોગિક કારખાનાઓની સુરક્ષા પણ કરે છે. CISF આ બાબતે વિશેષજ્ઞતા ધરાવે છે. આ ફોર્સની ટેકનીકને ખુબ જ આધુનિક અને અદ્યતન માનવામાં આવે છે. રામ મંદિરની સુરક્ષામાં મોટા પ્રમાણમાં પરિવર્તન કરવા માટે ગત વર્ષથી  CISF પાસે સિક્યુરીટી ઓડિટ કરાવવામાં આવ્યું હતું. સિક્યોરીટી ઓડિટ બાદ આ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે મંદિરની સુરક્ષાની જવાબદારી CISFને મળી શકે છે. 


અયોધ્યામાં 10 દિવસ યોજાશે ભવ્ય કાર્યક્રમ


અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનું ઉદઘાટનનું શુભ મુહૂર્ત નક્કી થઈ ચુક્યું છે, આગામી 22 જાન્યુઆરી 2024ની તારીખ તેની શરૂઆત થશે. આ દિવસે ભગવાન રામને મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન કરાશે. આ જ દિવસે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી પણ ઉપસ્થિત રહેશે. મંદિર કમિટીએ દાવો કર્યો છે આગામી ડિસેમ્બર સુધી પહેલા તબક્કાનું કામ પુરૂ થઈ જશે. આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ અને વિદેશમાંથી લગભગ 5 લાખ લોકો પહોંચવાની સંભાવના છે. આ સમગ્ર કાર્યક્રમ 10 દિવસ સુધી ચાલશે.  



ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.