રામ જન્મભૂમિ મંદિરની સુરક્ષામાં તૈનાત થશે CISF જવાનો, 22 જાન્યુઆરીએ થશે ઉદઘાટન, 10 દિવસ ચાલશે ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-07-06 17:57:46

અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મ ભૂમિ પરિસરમાં બની રહેલા ભવ્ય રામ મંદિરની સુરક્ષાને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રામલલાના અસ્થાયી મંદિરની સુરક્ષામાં આ સમયે ત્રીસ્તરીય સુરક્ષા ઘેરો છે. જેમાં પોલીસ, પીએસી અને સીઆરપીએફના સુરક્ષા ઘેરાનો સમાવેશ થાય છે. આગામી 11 જાન્યુઆરીના  દિવસે ભવ્ય રામ મંદિરનું ઉદઘાટન કરવામાં આવશે. જો કે CISF જવાનો પણ મંદિરની સુરક્ષા માટે તૈનાત કરાશે તેવી જાણકારી મળી છે. CISFની અન્ટ્રીએ ભારે  ચર્ચા જગાવી છે. 


CISFની આટલી ચર્ચા કેમ?


CISF ઐતિહાસિક ભવનોથી લઈને એરપોર્ટ, મેટ્રો રેલ, તથા અન્ય મોટા સરકારી ઔદ્યોગિક કારખાનાઓની સુરક્ષા પણ કરે છે. CISF આ બાબતે વિશેષજ્ઞતા ધરાવે છે. આ ફોર્સની ટેકનીકને ખુબ જ આધુનિક અને અદ્યતન માનવામાં આવે છે. રામ મંદિરની સુરક્ષામાં મોટા પ્રમાણમાં પરિવર્તન કરવા માટે ગત વર્ષથી  CISF પાસે સિક્યુરીટી ઓડિટ કરાવવામાં આવ્યું હતું. સિક્યોરીટી ઓડિટ બાદ આ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે મંદિરની સુરક્ષાની જવાબદારી CISFને મળી શકે છે. 


અયોધ્યામાં 10 દિવસ યોજાશે ભવ્ય કાર્યક્રમ


અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનું ઉદઘાટનનું શુભ મુહૂર્ત નક્કી થઈ ચુક્યું છે, આગામી 22 જાન્યુઆરી 2024ની તારીખ તેની શરૂઆત થશે. આ દિવસે ભગવાન રામને મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન કરાશે. આ જ દિવસે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી પણ ઉપસ્થિત રહેશે. મંદિર કમિટીએ દાવો કર્યો છે આગામી ડિસેમ્બર સુધી પહેલા તબક્કાનું કામ પુરૂ થઈ જશે. આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ અને વિદેશમાંથી લગભગ 5 લાખ લોકો પહોંચવાની સંભાવના છે. આ સમગ્ર કાર્યક્રમ 10 દિવસ સુધી ચાલશે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.