લોકસભા ચૂંટણી 2024 પહેલા રામ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલી જશે, એક હજાર વર્ષ સુધી રહેશે ભવ્યતા


  • Published By :
  • Published Date : 2022-10-26 15:31:37

દેશભરના રામ ભક્તો અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના ખુલવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે મંદિર નિર્માણ સાથે જોડાયેલા અને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપચ રાયે મંગળવારે તેની માહિતી આપી છે. ચંપત રાયના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી 2024માં મંદિર ભક્તો માટે ખુલી જશે. આ ભવ્ય મંદિર 1,000થી વધુ સમય સુધી અડિખમ ઉભુ રહે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે.


રામ મંદિર કેવું બની રહ્યું છે?


રામ મંદિરના નિર્ણાણમાં 392 સ્તંભ અને 12 દરવાજા લગાવવામાં આવી રહ્યા છે. પથ્થરોને જોડવા માટે તાંબાની ચિપ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


મુખ્ય મંદિર 350x250 ફિટમાં ફૈલાયેલું હશે. પીએમ મદિરે સૂચન કર્યું હતું કે મંદિર ખુલ્યા બાદ પાંચ કિલોમીટર વિસ્તારના લોકોને આવવા-જવા માટે ખાસ વ્યવસ્ખા કરવામાં આવી છે. મંદિરના નિર્માણ પાછળ 1800 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે,  તેમણે જણાવ્યું કે 50 ટકા કામ પુર્ણ થયું છે. 


મંદિરના ગર્ભગૃહમાં 160 થાંભલા હશે, પહેલા માળે કુલ 82 થાંભલા હશે તથા કુલ 12 લાકડાના પ્રવશે દ્વાર હશે જે સાગના લાકડાના બનેલા હશે. આ મંદિરમાં એક રાજશી પ્રવેશ દ્વાર પણ હશે, જેને સિંહ દ્વાર નામથી ઓળખવામાં આવશે, તે ઉપરાંત મંદિરના પહેલા માળે નૃત્ય, રંગ અને ગૂઢ મંડપ હશે.


2.7 એકરમાં ફેલાયેલા આ મંદિરના નિર્માણમાં રાજસ્થાનથી લાવવામાં આવેલા ગ્રેનાઈટ પથ્થરોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ગર્ભગૃહનું નિર્માણ એ રીતે કરવામાં આવી છે કે રામ નવમી પર સુર્યની કિરણો રામ લલાની પ્રતિમા પર જ પડશે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.