લોકસભા ચૂંટણી 2024 પહેલા રામ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલી જશે, એક હજાર વર્ષ સુધી રહેશે ભવ્યતા


  • Published By :
  • Published Date : 2022-10-26 15:31:37

દેશભરના રામ ભક્તો અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના ખુલવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે મંદિર નિર્માણ સાથે જોડાયેલા અને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપચ રાયે મંગળવારે તેની માહિતી આપી છે. ચંપત રાયના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી 2024માં મંદિર ભક્તો માટે ખુલી જશે. આ ભવ્ય મંદિર 1,000થી વધુ સમય સુધી અડિખમ ઉભુ રહે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે.


રામ મંદિર કેવું બની રહ્યું છે?


રામ મંદિરના નિર્ણાણમાં 392 સ્તંભ અને 12 દરવાજા લગાવવામાં આવી રહ્યા છે. પથ્થરોને જોડવા માટે તાંબાની ચિપ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


મુખ્ય મંદિર 350x250 ફિટમાં ફૈલાયેલું હશે. પીએમ મદિરે સૂચન કર્યું હતું કે મંદિર ખુલ્યા બાદ પાંચ કિલોમીટર વિસ્તારના લોકોને આવવા-જવા માટે ખાસ વ્યવસ્ખા કરવામાં આવી છે. મંદિરના નિર્માણ પાછળ 1800 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે,  તેમણે જણાવ્યું કે 50 ટકા કામ પુર્ણ થયું છે. 


મંદિરના ગર્ભગૃહમાં 160 થાંભલા હશે, પહેલા માળે કુલ 82 થાંભલા હશે તથા કુલ 12 લાકડાના પ્રવશે દ્વાર હશે જે સાગના લાકડાના બનેલા હશે. આ મંદિરમાં એક રાજશી પ્રવેશ દ્વાર પણ હશે, જેને સિંહ દ્વાર નામથી ઓળખવામાં આવશે, તે ઉપરાંત મંદિરના પહેલા માળે નૃત્ય, રંગ અને ગૂઢ મંડપ હશે.


2.7 એકરમાં ફેલાયેલા આ મંદિરના નિર્માણમાં રાજસ્થાનથી લાવવામાં આવેલા ગ્રેનાઈટ પથ્થરોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ગર્ભગૃહનું નિર્માણ એ રીતે કરવામાં આવી છે કે રામ નવમી પર સુર્યની કિરણો રામ લલાની પ્રતિમા પર જ પડશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.