લોકસભા ચૂંટણી 2024 પહેલા રામ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલી જશે, એક હજાર વર્ષ સુધી રહેશે ભવ્યતા


  • Published By :
  • Published Date : 2022-10-26 15:31:37

દેશભરના રામ ભક્તો અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના ખુલવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે મંદિર નિર્માણ સાથે જોડાયેલા અને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપચ રાયે મંગળવારે તેની માહિતી આપી છે. ચંપત રાયના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી 2024માં મંદિર ભક્તો માટે ખુલી જશે. આ ભવ્ય મંદિર 1,000થી વધુ સમય સુધી અડિખમ ઉભુ રહે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે.


રામ મંદિર કેવું બની રહ્યું છે?


રામ મંદિરના નિર્ણાણમાં 392 સ્તંભ અને 12 દરવાજા લગાવવામાં આવી રહ્યા છે. પથ્થરોને જોડવા માટે તાંબાની ચિપ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


મુખ્ય મંદિર 350x250 ફિટમાં ફૈલાયેલું હશે. પીએમ મદિરે સૂચન કર્યું હતું કે મંદિર ખુલ્યા બાદ પાંચ કિલોમીટર વિસ્તારના લોકોને આવવા-જવા માટે ખાસ વ્યવસ્ખા કરવામાં આવી છે. મંદિરના નિર્માણ પાછળ 1800 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે,  તેમણે જણાવ્યું કે 50 ટકા કામ પુર્ણ થયું છે. 


મંદિરના ગર્ભગૃહમાં 160 થાંભલા હશે, પહેલા માળે કુલ 82 થાંભલા હશે તથા કુલ 12 લાકડાના પ્રવશે દ્વાર હશે જે સાગના લાકડાના બનેલા હશે. આ મંદિરમાં એક રાજશી પ્રવેશ દ્વાર પણ હશે, જેને સિંહ દ્વાર નામથી ઓળખવામાં આવશે, તે ઉપરાંત મંદિરના પહેલા માળે નૃત્ય, રંગ અને ગૂઢ મંડપ હશે.


2.7 એકરમાં ફેલાયેલા આ મંદિરના નિર્માણમાં રાજસ્થાનથી લાવવામાં આવેલા ગ્રેનાઈટ પથ્થરોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ગર્ભગૃહનું નિર્માણ એ રીતે કરવામાં આવી છે કે રામ નવમી પર સુર્યની કિરણો રામ લલાની પ્રતિમા પર જ પડશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .