લોકસભા ચૂંટણી 2024 પહેલા રામ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલી જશે, એક હજાર વર્ષ સુધી રહેશે ભવ્યતા


  • Published By :
  • Published Date : 2022-10-26 15:31:37

દેશભરના રામ ભક્તો અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના ખુલવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે મંદિર નિર્માણ સાથે જોડાયેલા અને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપચ રાયે મંગળવારે તેની માહિતી આપી છે. ચંપત રાયના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી 2024માં મંદિર ભક્તો માટે ખુલી જશે. આ ભવ્ય મંદિર 1,000થી વધુ સમય સુધી અડિખમ ઉભુ રહે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે.


રામ મંદિર કેવું બની રહ્યું છે?


રામ મંદિરના નિર્ણાણમાં 392 સ્તંભ અને 12 દરવાજા લગાવવામાં આવી રહ્યા છે. પથ્થરોને જોડવા માટે તાંબાની ચિપ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


મુખ્ય મંદિર 350x250 ફિટમાં ફૈલાયેલું હશે. પીએમ મદિરે સૂચન કર્યું હતું કે મંદિર ખુલ્યા બાદ પાંચ કિલોમીટર વિસ્તારના લોકોને આવવા-જવા માટે ખાસ વ્યવસ્ખા કરવામાં આવી છે. મંદિરના નિર્માણ પાછળ 1800 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે,  તેમણે જણાવ્યું કે 50 ટકા કામ પુર્ણ થયું છે. 


મંદિરના ગર્ભગૃહમાં 160 થાંભલા હશે, પહેલા માળે કુલ 82 થાંભલા હશે તથા કુલ 12 લાકડાના પ્રવશે દ્વાર હશે જે સાગના લાકડાના બનેલા હશે. આ મંદિરમાં એક રાજશી પ્રવેશ દ્વાર પણ હશે, જેને સિંહ દ્વાર નામથી ઓળખવામાં આવશે, તે ઉપરાંત મંદિરના પહેલા માળે નૃત્ય, રંગ અને ગૂઢ મંડપ હશે.


2.7 એકરમાં ફેલાયેલા આ મંદિરના નિર્માણમાં રાજસ્થાનથી લાવવામાં આવેલા ગ્રેનાઈટ પથ્થરોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ગર્ભગૃહનું નિર્માણ એ રીતે કરવામાં આવી છે કે રામ નવમી પર સુર્યની કિરણો રામ લલાની પ્રતિમા પર જ પડશે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.