રામચરિત માનસમાં બધુ બકવાસ, પુસ્તર પર પ્રતિબંધ લગાવો: સ્વામી પ્રસાદ મૌર્ય


  • Published By :
  • Published Date : 2023-01-22 18:45:28

બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે તાજેતરમાં જ રામચરિત માનસને લઈને વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું, ત્યાર બાદ બાદ ભારે હોબાળો થયો હતો. પરંતુ હવે સમાજવાદી પાર્ટીના નેતા અને MLC સ્વામી પ્રસાદ મૌર્યએ પણ રામચરિત માનસને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ધર્મ કોઈ પણ હોય, અમે તેનું સન્માન કરીએ છીએ. પરંતુ ધર્મના નામે એક ચોક્કસ જાતિ, ચોક્કસ વર્ગને અપમાનિત કરવાનું કામ કરવામાં આવ્યું છે, અમે તેના પર વાંધો નોંધાવીએ છીએ.


રામચરિત માનસ પર પ્રતિબંધ મુકો


સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે કરોડો લોકો રામચરિત માનસ વાંચતા નથી, આ બધુ બકવાસ છે. તુલસીદાસે પોતાની ખુશી માટે આ લખ્યું છે. સ્વામી પ્રસાદ મૌર્ય અહીં જ અટક્યા નહોતા, તેમણે કહ્યું કે આ બાબતનું સંજ્ઞાન લઈને સરકારે રામચરિત માનસમાંથી વાંધાજનક ભાગને બાકાત કરી દેવો જોઈએ અથવા તો આ આખા પુસ્તક પર પ્રતિબંધ મૂકવો જોઈએ.


રામચરિતમાનસનાં કેટલાક અંશો સામે વાંધો


સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે તુલસીદાસના રામચરિતમાનસમાં કેટલાક અંશો છે, જેના પર અમને વાંધો છે. કારણ કે કોઈ પણ ધર્મમાં કોઈની સાથે દુર્વ્યવહાર કરવાનો અધિકાર નથી. તુલસીદાસની રામાયણમાં ચોપાઈ છે. આમાં તે શુદ્રોને નીચી જાતિનું પ્રમાણપત્ર આપી રહ્યા છે.


બિહારના શિક્ષણમંત્રીએ પણ કરી હતી ટીકા


આ પહેલા મહાકાવ્ય રામચરિતમાનસ વિશે અપમાનજનક ટિપ્પણીઓને કારણે બિહારના શિક્ષણ પ્રધાન ચંદ્રશેખરની મુશ્કેલીઓ વધી રહી હતી. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવતી બિહારના એકથી વધુ જિલ્લાની અદાલતોમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે, જ્યારે તેમની પાર્ટીએ કહ્યું કે તેમણે વાસ્તવમાં ભાજપનો વિરોધ કર્યો હતો, જે કમંડલવાદીઓનું પ્રતિનિધિત્વ કરે છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.