રામચરિત માનસમાં બધુ બકવાસ, પુસ્તર પર પ્રતિબંધ લગાવો: સ્વામી પ્રસાદ મૌર્ય


  • Published By :
  • Published Date : 2023-01-22 18:45:28

બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે તાજેતરમાં જ રામચરિત માનસને લઈને વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું, ત્યાર બાદ બાદ ભારે હોબાળો થયો હતો. પરંતુ હવે સમાજવાદી પાર્ટીના નેતા અને MLC સ્વામી પ્રસાદ મૌર્યએ પણ રામચરિત માનસને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ધર્મ કોઈ પણ હોય, અમે તેનું સન્માન કરીએ છીએ. પરંતુ ધર્મના નામે એક ચોક્કસ જાતિ, ચોક્કસ વર્ગને અપમાનિત કરવાનું કામ કરવામાં આવ્યું છે, અમે તેના પર વાંધો નોંધાવીએ છીએ.


રામચરિત માનસ પર પ્રતિબંધ મુકો


સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે કરોડો લોકો રામચરિત માનસ વાંચતા નથી, આ બધુ બકવાસ છે. તુલસીદાસે પોતાની ખુશી માટે આ લખ્યું છે. સ્વામી પ્રસાદ મૌર્ય અહીં જ અટક્યા નહોતા, તેમણે કહ્યું કે આ બાબતનું સંજ્ઞાન લઈને સરકારે રામચરિત માનસમાંથી વાંધાજનક ભાગને બાકાત કરી દેવો જોઈએ અથવા તો આ આખા પુસ્તક પર પ્રતિબંધ મૂકવો જોઈએ.


રામચરિતમાનસનાં કેટલાક અંશો સામે વાંધો


સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે તુલસીદાસના રામચરિતમાનસમાં કેટલાક અંશો છે, જેના પર અમને વાંધો છે. કારણ કે કોઈ પણ ધર્મમાં કોઈની સાથે દુર્વ્યવહાર કરવાનો અધિકાર નથી. તુલસીદાસની રામાયણમાં ચોપાઈ છે. આમાં તે શુદ્રોને નીચી જાતિનું પ્રમાણપત્ર આપી રહ્યા છે.


બિહારના શિક્ષણમંત્રીએ પણ કરી હતી ટીકા


આ પહેલા મહાકાવ્ય રામચરિતમાનસ વિશે અપમાનજનક ટિપ્પણીઓને કારણે બિહારના શિક્ષણ પ્રધાન ચંદ્રશેખરની મુશ્કેલીઓ વધી રહી હતી. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવતી બિહારના એકથી વધુ જિલ્લાની અદાલતોમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે, જ્યારે તેમની પાર્ટીએ કહ્યું કે તેમણે વાસ્તવમાં ભાજપનો વિરોધ કર્યો હતો, જે કમંડલવાદીઓનું પ્રતિનિધિત્વ કરે છે.



અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહને ગુજરાતમાં ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ચેનલના રિપોર્ટર દ્વારા ત્યારે તેમણે કહ્યું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો....!

ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે કારણ કે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. વાઘોડિયા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે કારણ કે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે આજે અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી છે...

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચૂંટણીને અનુલક્ષીને લખાયેલા કવિતા... લોલીપોપની લ્હાણી..

ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને માગ કરાઈ રહી છે કે તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે. આવતીકાલે અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજે મહાસંમેલનનું આયોજન કર્યું છે.