રામચરિત માનસમાં બધુ બકવાસ, પુસ્તર પર પ્રતિબંધ લગાવો: સ્વામી પ્રસાદ મૌર્ય


  • Published By :
  • Published Date : 2023-01-22 18:45:28

બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે તાજેતરમાં જ રામચરિત માનસને લઈને વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું, ત્યાર બાદ બાદ ભારે હોબાળો થયો હતો. પરંતુ હવે સમાજવાદી પાર્ટીના નેતા અને MLC સ્વામી પ્રસાદ મૌર્યએ પણ રામચરિત માનસને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ધર્મ કોઈ પણ હોય, અમે તેનું સન્માન કરીએ છીએ. પરંતુ ધર્મના નામે એક ચોક્કસ જાતિ, ચોક્કસ વર્ગને અપમાનિત કરવાનું કામ કરવામાં આવ્યું છે, અમે તેના પર વાંધો નોંધાવીએ છીએ.


રામચરિત માનસ પર પ્રતિબંધ મુકો


સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે કરોડો લોકો રામચરિત માનસ વાંચતા નથી, આ બધુ બકવાસ છે. તુલસીદાસે પોતાની ખુશી માટે આ લખ્યું છે. સ્વામી પ્રસાદ મૌર્ય અહીં જ અટક્યા નહોતા, તેમણે કહ્યું કે આ બાબતનું સંજ્ઞાન લઈને સરકારે રામચરિત માનસમાંથી વાંધાજનક ભાગને બાકાત કરી દેવો જોઈએ અથવા તો આ આખા પુસ્તક પર પ્રતિબંધ મૂકવો જોઈએ.


રામચરિતમાનસનાં કેટલાક અંશો સામે વાંધો


સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે તુલસીદાસના રામચરિતમાનસમાં કેટલાક અંશો છે, જેના પર અમને વાંધો છે. કારણ કે કોઈ પણ ધર્મમાં કોઈની સાથે દુર્વ્યવહાર કરવાનો અધિકાર નથી. તુલસીદાસની રામાયણમાં ચોપાઈ છે. આમાં તે શુદ્રોને નીચી જાતિનું પ્રમાણપત્ર આપી રહ્યા છે.


બિહારના શિક્ષણમંત્રીએ પણ કરી હતી ટીકા


આ પહેલા મહાકાવ્ય રામચરિતમાનસ વિશે અપમાનજનક ટિપ્પણીઓને કારણે બિહારના શિક્ષણ પ્રધાન ચંદ્રશેખરની મુશ્કેલીઓ વધી રહી હતી. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવતી બિહારના એકથી વધુ જિલ્લાની અદાલતોમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે, જ્યારે તેમની પાર્ટીએ કહ્યું કે તેમણે વાસ્તવમાં ભાજપનો વિરોધ કર્યો હતો, જે કમંડલવાદીઓનું પ્રતિનિધિત્વ કરે છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.