ઈન્દોરમાં રામ નવમી પર મોટી દુર્ઘટના, મંદિરની વાવની છત તુટી પડી, 25-30 લોકો ખાબક્યા


  • Published By :
  • Published Date : 2023-03-30 13:56:32

મધ્ય પ્રદેશના ઈન્દોર જિલ્લામાં રામ નવમીના અવસર પર એક મોટી દુર્ઘટના થઈ છે. સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ મંદિરમાં વાવની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો વાવમાં પડી જતા હાહાકાર મચી ગયો છે. વાવમાં પડેલા લોકોને બચાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. 


મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા 


સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે  રામ નવમી પર મોટી સંખ્યામાં લોકો મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા હતા. લોકો પૂજા-અર્ચના કરી આરતી કરી રહ્યા હતા. મંદિરમાં પૂજા દરમિયાન, 20-25 લોકો વાવની છત પર ઉભા હતા, આ જ સમયે છત ધસી ગઈ હતી. છત તૂટી પડવાને કારણે લગભગ 20-25 લોકો વાવમાં પડી ગયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે મંદિરમાં એક વાવ હતી, તેના પર 10 વર્ષ પહેલા છત નાખવામાં આવી હતી. 


બચાવ કામગીરી શરૂ


વાવમાં પડેલા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. કલેક્ટર ઇલૈયારાજા, પોલીસ કમિશનર મકરંદ દેઉસ્કર અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. રેસ્ક્યુ ટીમ, પોલીસ અને સ્થાનિક લોકો લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરી રહ્યા છે. પાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, આ ઘાયલોને  નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.



ભારતીય જનતા પાર્ટીએ 400 પારનો લક્ષ્યાંક રાખ્યો છે. અનેક રાજ્યો એવા છે જ્યાં ભાજપ સંતુપ્ત અવસ્થામાં પરંતુ અનેક એવા રાજ્યો એવા છે જ્યાં પાર્ટી મહેનત કરે છે તો 400 પાર કરવામાં પાર્ટીને મદદરૂપ રહેશે. વિપક્ષ પણ જો ધ્યાન કેન્દ્રીય કરે છે તો પરિણામમાં ફેરફાર આવી શકે છે.

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નડિયાદ પાસે ટ્રેન્ડરની પાછળ ગાડી ઘૂસી જતા દુર્ઘટના સર્જાઈ અને આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થઈ ગયા છે.

ગુજરાતમાં ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે, ભાજપના અનેક કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. અનેક ઉમેદવારો ભાવુક પણ થઈ ગયા હતા. શું ચૂંટણી પહેલા શરૂ થઈ ગયું આંસુ પોલિટિક્સ?

ભરૂચ લોકસભા બેઠક પર ભાજેપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપી છે. ચૈતર વસાવાએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.