ઈન્દોરમાં રામ નવમી પર મોટી દુર્ઘટના, મંદિરની વાવની છત તુટી પડી, 25-30 લોકો ખાબક્યા


  • Published By :
  • Published Date : 2023-03-30 13:56:32

મધ્ય પ્રદેશના ઈન્દોર જિલ્લામાં રામ નવમીના અવસર પર એક મોટી દુર્ઘટના થઈ છે. સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ મંદિરમાં વાવની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો વાવમાં પડી જતા હાહાકાર મચી ગયો છે. વાવમાં પડેલા લોકોને બચાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. 


મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા 


સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે  રામ નવમી પર મોટી સંખ્યામાં લોકો મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા હતા. લોકો પૂજા-અર્ચના કરી આરતી કરી રહ્યા હતા. મંદિરમાં પૂજા દરમિયાન, 20-25 લોકો વાવની છત પર ઉભા હતા, આ જ સમયે છત ધસી ગઈ હતી. છત તૂટી પડવાને કારણે લગભગ 20-25 લોકો વાવમાં પડી ગયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે મંદિરમાં એક વાવ હતી, તેના પર 10 વર્ષ પહેલા છત નાખવામાં આવી હતી. 


બચાવ કામગીરી શરૂ


વાવમાં પડેલા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. કલેક્ટર ઇલૈયારાજા, પોલીસ કમિશનર મકરંદ દેઉસ્કર અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. રેસ્ક્યુ ટીમ, પોલીસ અને સ્થાનિક લોકો લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરી રહ્યા છે. પાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, આ ઘાયલોને  નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.