ઈન્દોરમાં રામ નવમી પર મોટી દુર્ઘટના, મંદિરની વાવની છત તુટી પડી, 25-30 લોકો ખાબક્યા


  • Published By :
  • Published Date : 2023-03-30 13:56:32

મધ્ય પ્રદેશના ઈન્દોર જિલ્લામાં રામ નવમીના અવસર પર એક મોટી દુર્ઘટના થઈ છે. સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ મંદિરમાં વાવની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો વાવમાં પડી જતા હાહાકાર મચી ગયો છે. વાવમાં પડેલા લોકોને બચાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. 


મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા 


સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે  રામ નવમી પર મોટી સંખ્યામાં લોકો મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા હતા. લોકો પૂજા-અર્ચના કરી આરતી કરી રહ્યા હતા. મંદિરમાં પૂજા દરમિયાન, 20-25 લોકો વાવની છત પર ઉભા હતા, આ જ સમયે છત ધસી ગઈ હતી. છત તૂટી પડવાને કારણે લગભગ 20-25 લોકો વાવમાં પડી ગયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે મંદિરમાં એક વાવ હતી, તેના પર 10 વર્ષ પહેલા છત નાખવામાં આવી હતી. 


બચાવ કામગીરી શરૂ


વાવમાં પડેલા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. કલેક્ટર ઇલૈયારાજા, પોલીસ કમિશનર મકરંદ દેઉસ્કર અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. રેસ્ક્યુ ટીમ, પોલીસ અને સ્થાનિક લોકો લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરી રહ્યા છે. પાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, આ ઘાયલોને  નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.