ફિલ્મ બ્રહ્માસ્ત્રએ બોક્સ ઑફિસમા ધૂમ મચાવી : બે દિવસમાં કેટલી કરી કમાણી જુઓ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 17:03:13

2022 શરૂ થતાં બોલિવુડમાં બોયકોટની હવા ચાલી. અનેક અભિનેતાઓની ફિલ્મોએ બોયકોટનો સામનો કર્યો છે. તે બધા વચ્ચે ભારે વિવાદમાં પડેલી રણબીર અને આલિયાની બ્રહ્યાસ્ત્રને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પહેલા દિવસે જ બ્રહ્યાસ્ત્રએ બોક્સ ઓફિસ પર સારી ઓપનિંગ કરી આશરે 40 કરોડની કમાણી કરી છે.


બોયકોટ ટ્રેન્ડથી બચી બ્રહ્માસ્ત્ર

Brahmastra: Will a Brahmastra strike turn Bollywood's fledgling fortunes  around? - The Economic Times

અનેક સમયથી બોલિવુડ ફિલ્મોને બોયકોટનો સામનો કરવો પડી રહ્યો છે. લાલ સિંહ ચડ્ડા, રક્ષાબંધન જેવી અનેક ફિલ્મો જોવાનું લોકોએ ટાળ્યું છે. ત્યારે રિલીઝ થયેલી બ્રહ્યાસ્ત્ર પણ અનેક વિવાદોમાં ઘેરાઈ હતી. લાગતું હતું કે બોક્સ ઓફિસ પર તે ફ્લોપ થશે, દર્શોકોના પણ ફાંફા પડશે પરંતુ લોકો આલિયા અને રણવીરની જોડીને પસંદ કરી રહ્યા છે. 

આશરે 400 કરોડના ખર્ચે આ ફિલ્મ બની છે. બ્રહ્યાસ્ત્રને લઈ અનેક વિવાદ સર્જાયા છે. પરંતુ આ ફિલ્મ આલિયાના હજી સુધીના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની શકે છે. 2022માં દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મ ફ્લોપ થઈ રહી છે ત્યારે આલિયાની ગંગૂબાઈ કાઠીયાવાડીએ પણ સારી કમાણી કરી હતી.


આલિયાની કમાણી કરનાર ફિલ્મ

Alia Bhatt Wallpapers

અનેક ફિલ્મોમાં આલિયાએ અભિનય કર્યો છે. ટોપ ઓપનિંગ વાળી ફિલ્મોમાં કલંક (21.60 કરોડ), ગલી બોય (19.40 કરોડ), શાનદાર (13.10 કરોડ), 2 સ્ટેટ્સ (12.42 કરોડ) છે અને હવે બ્રહ્માસ્ત્રનો સમાવેશ થવા જઈ રહ્યો છે.



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.