ફિલ્મ બ્રહ્માસ્ત્રએ બોક્સ ઑફિસમા ધૂમ મચાવી : બે દિવસમાં કેટલી કરી કમાણી જુઓ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 17:03:13

2022 શરૂ થતાં બોલિવુડમાં બોયકોટની હવા ચાલી. અનેક અભિનેતાઓની ફિલ્મોએ બોયકોટનો સામનો કર્યો છે. તે બધા વચ્ચે ભારે વિવાદમાં પડેલી રણબીર અને આલિયાની બ્રહ્યાસ્ત્રને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પહેલા દિવસે જ બ્રહ્યાસ્ત્રએ બોક્સ ઓફિસ પર સારી ઓપનિંગ કરી આશરે 40 કરોડની કમાણી કરી છે.


બોયકોટ ટ્રેન્ડથી બચી બ્રહ્માસ્ત્ર

Brahmastra: Will a Brahmastra strike turn Bollywood's fledgling fortunes  around? - The Economic Times

અનેક સમયથી બોલિવુડ ફિલ્મોને બોયકોટનો સામનો કરવો પડી રહ્યો છે. લાલ સિંહ ચડ્ડા, રક્ષાબંધન જેવી અનેક ફિલ્મો જોવાનું લોકોએ ટાળ્યું છે. ત્યારે રિલીઝ થયેલી બ્રહ્યાસ્ત્ર પણ અનેક વિવાદોમાં ઘેરાઈ હતી. લાગતું હતું કે બોક્સ ઓફિસ પર તે ફ્લોપ થશે, દર્શોકોના પણ ફાંફા પડશે પરંતુ લોકો આલિયા અને રણવીરની જોડીને પસંદ કરી રહ્યા છે. 

આશરે 400 કરોડના ખર્ચે આ ફિલ્મ બની છે. બ્રહ્યાસ્ત્રને લઈ અનેક વિવાદ સર્જાયા છે. પરંતુ આ ફિલ્મ આલિયાના હજી સુધીના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની શકે છે. 2022માં દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મ ફ્લોપ થઈ રહી છે ત્યારે આલિયાની ગંગૂબાઈ કાઠીયાવાડીએ પણ સારી કમાણી કરી હતી.


આલિયાની કમાણી કરનાર ફિલ્મ

Alia Bhatt Wallpapers

અનેક ફિલ્મોમાં આલિયાએ અભિનય કર્યો છે. ટોપ ઓપનિંગ વાળી ફિલ્મોમાં કલંક (21.60 કરોડ), ગલી બોય (19.40 કરોડ), શાનદાર (13.10 કરોડ), 2 સ્ટેટ્સ (12.42 કરોડ) છે અને હવે બ્રહ્માસ્ત્રનો સમાવેશ થવા જઈ રહ્યો છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.