ફિલ્મ બ્રહ્માસ્ત્રએ બોક્સ ઑફિસમા ધૂમ મચાવી : બે દિવસમાં કેટલી કરી કમાણી જુઓ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 17:03:13

2022 શરૂ થતાં બોલિવુડમાં બોયકોટની હવા ચાલી. અનેક અભિનેતાઓની ફિલ્મોએ બોયકોટનો સામનો કર્યો છે. તે બધા વચ્ચે ભારે વિવાદમાં પડેલી રણબીર અને આલિયાની બ્રહ્યાસ્ત્રને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પહેલા દિવસે જ બ્રહ્યાસ્ત્રએ બોક્સ ઓફિસ પર સારી ઓપનિંગ કરી આશરે 40 કરોડની કમાણી કરી છે.


બોયકોટ ટ્રેન્ડથી બચી બ્રહ્માસ્ત્ર

Brahmastra: Will a Brahmastra strike turn Bollywood's fledgling fortunes  around? - The Economic Times

અનેક સમયથી બોલિવુડ ફિલ્મોને બોયકોટનો સામનો કરવો પડી રહ્યો છે. લાલ સિંહ ચડ્ડા, રક્ષાબંધન જેવી અનેક ફિલ્મો જોવાનું લોકોએ ટાળ્યું છે. ત્યારે રિલીઝ થયેલી બ્રહ્યાસ્ત્ર પણ અનેક વિવાદોમાં ઘેરાઈ હતી. લાગતું હતું કે બોક્સ ઓફિસ પર તે ફ્લોપ થશે, દર્શોકોના પણ ફાંફા પડશે પરંતુ લોકો આલિયા અને રણવીરની જોડીને પસંદ કરી રહ્યા છે. 

આશરે 400 કરોડના ખર્ચે આ ફિલ્મ બની છે. બ્રહ્યાસ્ત્રને લઈ અનેક વિવાદ સર્જાયા છે. પરંતુ આ ફિલ્મ આલિયાના હજી સુધીના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની શકે છે. 2022માં દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મ ફ્લોપ થઈ રહી છે ત્યારે આલિયાની ગંગૂબાઈ કાઠીયાવાડીએ પણ સારી કમાણી કરી હતી.


આલિયાની કમાણી કરનાર ફિલ્મ

Alia Bhatt Wallpapers

અનેક ફિલ્મોમાં આલિયાએ અભિનય કર્યો છે. ટોપ ઓપનિંગ વાળી ફિલ્મોમાં કલંક (21.60 કરોડ), ગલી બોય (19.40 કરોડ), શાનદાર (13.10 કરોડ), 2 સ્ટેટ્સ (12.42 કરોડ) છે અને હવે બ્રહ્માસ્ત્રનો સમાવેશ થવા જઈ રહ્યો છે.



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.