ફિલ્મ બ્રહ્માસ્ત્રએ બોક્સ ઑફિસમા ધૂમ મચાવી : બે દિવસમાં કેટલી કરી કમાણી જુઓ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 17:03:13

2022 શરૂ થતાં બોલિવુડમાં બોયકોટની હવા ચાલી. અનેક અભિનેતાઓની ફિલ્મોએ બોયકોટનો સામનો કર્યો છે. તે બધા વચ્ચે ભારે વિવાદમાં પડેલી રણબીર અને આલિયાની બ્રહ્યાસ્ત્રને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પહેલા દિવસે જ બ્રહ્યાસ્ત્રએ બોક્સ ઓફિસ પર સારી ઓપનિંગ કરી આશરે 40 કરોડની કમાણી કરી છે.


બોયકોટ ટ્રેન્ડથી બચી બ્રહ્માસ્ત્ર

Brahmastra: Will a Brahmastra strike turn Bollywood's fledgling fortunes  around? - The Economic Times

અનેક સમયથી બોલિવુડ ફિલ્મોને બોયકોટનો સામનો કરવો પડી રહ્યો છે. લાલ સિંહ ચડ્ડા, રક્ષાબંધન જેવી અનેક ફિલ્મો જોવાનું લોકોએ ટાળ્યું છે. ત્યારે રિલીઝ થયેલી બ્રહ્યાસ્ત્ર પણ અનેક વિવાદોમાં ઘેરાઈ હતી. લાગતું હતું કે બોક્સ ઓફિસ પર તે ફ્લોપ થશે, દર્શોકોના પણ ફાંફા પડશે પરંતુ લોકો આલિયા અને રણવીરની જોડીને પસંદ કરી રહ્યા છે. 

આશરે 400 કરોડના ખર્ચે આ ફિલ્મ બની છે. બ્રહ્યાસ્ત્રને લઈ અનેક વિવાદ સર્જાયા છે. પરંતુ આ ફિલ્મ આલિયાના હજી સુધીના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની શકે છે. 2022માં દિગ્ગજ અભિનેતાઓની ફિલ્મ ફ્લોપ થઈ રહી છે ત્યારે આલિયાની ગંગૂબાઈ કાઠીયાવાડીએ પણ સારી કમાણી કરી હતી.


આલિયાની કમાણી કરનાર ફિલ્મ

Alia Bhatt Wallpapers

અનેક ફિલ્મોમાં આલિયાએ અભિનય કર્યો છે. ટોપ ઓપનિંગ વાળી ફિલ્મોમાં કલંક (21.60 કરોડ), ગલી બોય (19.40 કરોડ), શાનદાર (13.10 કરોડ), 2 સ્ટેટ્સ (12.42 કરોડ) છે અને હવે બ્રહ્માસ્ત્રનો સમાવેશ થવા જઈ રહ્યો છે.



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'