અમિષા પટેલને લઈ રાંચી કોર્ટે પાઠવ્યું વોરેન્ટ, ઠગાઈ મામલે શું થશે અમિષા પટેલની ધરપકડ! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-07 10:33:10

અભિનેત્રી અમિષા પટેલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કારણ કે ઠગાઈનો આરોપ અભિનેત્રી પર લગાવામાં આવ્યો છે. ઠગાઈના કેસમાં રાંચીની એક સિવિલ કોર્ટે અમિષા પટેલ અને તેમના બિઝનેસ પાર્ટનર ક્રુણાલ વિરૂદ્ધ ઠગાઈને લઈ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. ઝારખંડના ફિલ્મ નિર્માતા અજય કુમાર સિંહે આ ફરિયાદ દાખલ કરાવી છે. આ મામલાની સુનાવણી 15 એપ્રિલના રોજ કરાશે.


અમિષા પટેલ વિરુદ્ધ કરાઈ ફરિયાદ 

બોલિવુડ અભિનેત્રી અમિષા પટેલ વિરૂદ્દ ઝારખંડના ફિલ્મ નિર્માતાએ ધોખાધડીને લઈ કેસ કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર 17 નવેમ્બર 2018ના રોજ સીજેએમ કોર્ટમાં કેસ નોંધાવામાં આવ્યો હતો. જેમાં અમિષા પટેલે ઠગાઈ કરી હોય તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો. આરોપ એ છે કે અમિષા પટેલે ફિલ્મ દેસી મૈજિક બનાવવાના નામ પર નિર્માતા પાસેથી અઢી  કરોડ રૂપિયા લીધા હતા.


શું છે સમગ્ર મામલો?

ફિલ્મ નિર્માતા અજય કુમારના કહેવા પ્રમાણે અમિષા પટેલ અને તેમના બિઝનેસ પાર્ટનરે તેમને કહ્યું હતું કે ફિલ્મ પૂરી થઈ જવા બાદ પૈસા વ્યાજ સાથે ચૂકવી દેશે. દેસી મૈજિક ફિલ્મની શુટિંગ 2013માં પૂર્ણ થઈ ગઈ હતી. ઉલ્લેખનિય છે કે આ ફિલ્મ રિલીઝ થઈ ન હતી. જ્યારે ફિલ્મ નિર્માતાએ પૈસા માંગ્યા તો અભિનેત્રીએ પૈસા પાછા ન આપ્યા હતા. 


કોર્ટે અમિષા પટેલને પાઠવ્યું સમન્સ 

અમિષા પટેલે ઓક્ટોબર 2018માં અઢી કરોડ અને 50 લાખ રૂપિયાના બે ચેક આપ્યા પરંતુ ચેક બાઉન્સ થયા હતા. જે બાદ ફિલ્મ નિર્માતાએ અમિષા પટેલ અને તેમના બિઝનેસ પાર્ટનર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.રાંચીની સિવિલ કોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સમન્સ પાઠવવામાં આવ્યું હતું પરંતું કોર્ટમાં ન તો અમિષા પટેલ પહોંચી ન તો તેમના વકીલ. આ મામલે આગળની સુનાવણી 15 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. કોર્ટે આ મામલે સમન્સ જાહેર કર્યું છે. ત્યારે અવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગદર ફિલ્મ ફેમ અમિષા પટેલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. મહત્વનું છે કે ગદર-2 ફિલ્મ આવનાર સમયમાં રિલિઝ થવાની છે.             



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.