અમિષા પટેલને લઈ રાંચી કોર્ટે પાઠવ્યું વોરેન્ટ, ઠગાઈ મામલે શું થશે અમિષા પટેલની ધરપકડ! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-07 10:33:10

અભિનેત્રી અમિષા પટેલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કારણ કે ઠગાઈનો આરોપ અભિનેત્રી પર લગાવામાં આવ્યો છે. ઠગાઈના કેસમાં રાંચીની એક સિવિલ કોર્ટે અમિષા પટેલ અને તેમના બિઝનેસ પાર્ટનર ક્રુણાલ વિરૂદ્ધ ઠગાઈને લઈ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. ઝારખંડના ફિલ્મ નિર્માતા અજય કુમાર સિંહે આ ફરિયાદ દાખલ કરાવી છે. આ મામલાની સુનાવણી 15 એપ્રિલના રોજ કરાશે.


અમિષા પટેલ વિરુદ્ધ કરાઈ ફરિયાદ 

બોલિવુડ અભિનેત્રી અમિષા પટેલ વિરૂદ્દ ઝારખંડના ફિલ્મ નિર્માતાએ ધોખાધડીને લઈ કેસ કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર 17 નવેમ્બર 2018ના રોજ સીજેએમ કોર્ટમાં કેસ નોંધાવામાં આવ્યો હતો. જેમાં અમિષા પટેલે ઠગાઈ કરી હોય તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો. આરોપ એ છે કે અમિષા પટેલે ફિલ્મ દેસી મૈજિક બનાવવાના નામ પર નિર્માતા પાસેથી અઢી  કરોડ રૂપિયા લીધા હતા.


શું છે સમગ્ર મામલો?

ફિલ્મ નિર્માતા અજય કુમારના કહેવા પ્રમાણે અમિષા પટેલ અને તેમના બિઝનેસ પાર્ટનરે તેમને કહ્યું હતું કે ફિલ્મ પૂરી થઈ જવા બાદ પૈસા વ્યાજ સાથે ચૂકવી દેશે. દેસી મૈજિક ફિલ્મની શુટિંગ 2013માં પૂર્ણ થઈ ગઈ હતી. ઉલ્લેખનિય છે કે આ ફિલ્મ રિલીઝ થઈ ન હતી. જ્યારે ફિલ્મ નિર્માતાએ પૈસા માંગ્યા તો અભિનેત્રીએ પૈસા પાછા ન આપ્યા હતા. 


કોર્ટે અમિષા પટેલને પાઠવ્યું સમન્સ 

અમિષા પટેલે ઓક્ટોબર 2018માં અઢી કરોડ અને 50 લાખ રૂપિયાના બે ચેક આપ્યા પરંતુ ચેક બાઉન્સ થયા હતા. જે બાદ ફિલ્મ નિર્માતાએ અમિષા પટેલ અને તેમના બિઝનેસ પાર્ટનર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.રાંચીની સિવિલ કોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સમન્સ પાઠવવામાં આવ્યું હતું પરંતું કોર્ટમાં ન તો અમિષા પટેલ પહોંચી ન તો તેમના વકીલ. આ મામલે આગળની સુનાવણી 15 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. કોર્ટે આ મામલે સમન્સ જાહેર કર્યું છે. ત્યારે અવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગદર ફિલ્મ ફેમ અમિષા પટેલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. મહત્વનું છે કે ગદર-2 ફિલ્મ આવનાર સમયમાં રિલિઝ થવાની છે.             



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.