અમિષા પટેલને લઈ રાંચી કોર્ટે પાઠવ્યું વોરેન્ટ, ઠગાઈ મામલે શું થશે અમિષા પટેલની ધરપકડ! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-07 10:33:10

અભિનેત્રી અમિષા પટેલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કારણ કે ઠગાઈનો આરોપ અભિનેત્રી પર લગાવામાં આવ્યો છે. ઠગાઈના કેસમાં રાંચીની એક સિવિલ કોર્ટે અમિષા પટેલ અને તેમના બિઝનેસ પાર્ટનર ક્રુણાલ વિરૂદ્ધ ઠગાઈને લઈ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. ઝારખંડના ફિલ્મ નિર્માતા અજય કુમાર સિંહે આ ફરિયાદ દાખલ કરાવી છે. આ મામલાની સુનાવણી 15 એપ્રિલના રોજ કરાશે.


અમિષા પટેલ વિરુદ્ધ કરાઈ ફરિયાદ 

બોલિવુડ અભિનેત્રી અમિષા પટેલ વિરૂદ્દ ઝારખંડના ફિલ્મ નિર્માતાએ ધોખાધડીને લઈ કેસ કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર 17 નવેમ્બર 2018ના રોજ સીજેએમ કોર્ટમાં કેસ નોંધાવામાં આવ્યો હતો. જેમાં અમિષા પટેલે ઠગાઈ કરી હોય તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો. આરોપ એ છે કે અમિષા પટેલે ફિલ્મ દેસી મૈજિક બનાવવાના નામ પર નિર્માતા પાસેથી અઢી  કરોડ રૂપિયા લીધા હતા.


શું છે સમગ્ર મામલો?

ફિલ્મ નિર્માતા અજય કુમારના કહેવા પ્રમાણે અમિષા પટેલ અને તેમના બિઝનેસ પાર્ટનરે તેમને કહ્યું હતું કે ફિલ્મ પૂરી થઈ જવા બાદ પૈસા વ્યાજ સાથે ચૂકવી દેશે. દેસી મૈજિક ફિલ્મની શુટિંગ 2013માં પૂર્ણ થઈ ગઈ હતી. ઉલ્લેખનિય છે કે આ ફિલ્મ રિલીઝ થઈ ન હતી. જ્યારે ફિલ્મ નિર્માતાએ પૈસા માંગ્યા તો અભિનેત્રીએ પૈસા પાછા ન આપ્યા હતા. 


કોર્ટે અમિષા પટેલને પાઠવ્યું સમન્સ 

અમિષા પટેલે ઓક્ટોબર 2018માં અઢી કરોડ અને 50 લાખ રૂપિયાના બે ચેક આપ્યા પરંતુ ચેક બાઉન્સ થયા હતા. જે બાદ ફિલ્મ નિર્માતાએ અમિષા પટેલ અને તેમના બિઝનેસ પાર્ટનર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.રાંચીની સિવિલ કોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સમન્સ પાઠવવામાં આવ્યું હતું પરંતું કોર્ટમાં ન તો અમિષા પટેલ પહોંચી ન તો તેમના વકીલ. આ મામલે આગળની સુનાવણી 15 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. કોર્ટે આ મામલે સમન્સ જાહેર કર્યું છે. ત્યારે અવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગદર ફિલ્મ ફેમ અમિષા પટેલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. મહત્વનું છે કે ગદર-2 ફિલ્મ આવનાર સમયમાં રિલિઝ થવાની છે.             



થોડા દિવસ પહેલા પીએમ મોદીએ ત્યાં જનસભાને સંબોધી હતી ત્યારે આજે પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠાના લાખણીમાં જનસભાને સંબોધી હતી. ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોર માટે તેઓ પ્રચાર કરવા ગુજરાત આવ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે પીએમ મોદી પર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા...અનેક મુદ્દાઓને લઈ ભાજપને ઘેરવાની કોશિશ કરી હતી..

અમરેલીની જનતાનો મિજાજ જાણવા માટે અમરેલી લોકસભા બેઠક પહોંચી હતી.. અલગ અલગ મુદ્દાઓ પર અમરેલીની જનતાને સવાલ પૂછવામાં આવ્યો હતો.

અમદાવાદના બોપલ વિસ્તારમાં 80 કરોડના ખર્ચે એએમસી અને AUDA દ્વારા એક બ્રિજ બનાવવામાં આવ્યો જેનું કામ 80 ટકા જેટલું પૂર્ણ પણ થઈ ગયું. તે બાદ ખબર ઇજનેરો અને અધિકારીઓને ખબર પડી કે જ્યાં તેઓ બ્રિજ બનાવી રહ્યા છે ત્યાં તો કોઈ રોડ જ નથી. એટલે કે બ્રિજના બીજા છેડે રસ્તો જ નથી અને બ્રિજ ઉતરતાની સાથે જ ઊંચી દીવાલ આવી જાય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું.