અમિષા પટેલને લઈ રાંચી કોર્ટે પાઠવ્યું વોરેન્ટ, ઠગાઈ મામલે શું થશે અમિષા પટેલની ધરપકડ! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-07 10:33:10

અભિનેત્રી અમિષા પટેલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કારણ કે ઠગાઈનો આરોપ અભિનેત્રી પર લગાવામાં આવ્યો છે. ઠગાઈના કેસમાં રાંચીની એક સિવિલ કોર્ટે અમિષા પટેલ અને તેમના બિઝનેસ પાર્ટનર ક્રુણાલ વિરૂદ્ધ ઠગાઈને લઈ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. ઝારખંડના ફિલ્મ નિર્માતા અજય કુમાર સિંહે આ ફરિયાદ દાખલ કરાવી છે. આ મામલાની સુનાવણી 15 એપ્રિલના રોજ કરાશે.


અમિષા પટેલ વિરુદ્ધ કરાઈ ફરિયાદ 

બોલિવુડ અભિનેત્રી અમિષા પટેલ વિરૂદ્દ ઝારખંડના ફિલ્મ નિર્માતાએ ધોખાધડીને લઈ કેસ કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર 17 નવેમ્બર 2018ના રોજ સીજેએમ કોર્ટમાં કેસ નોંધાવામાં આવ્યો હતો. જેમાં અમિષા પટેલે ઠગાઈ કરી હોય તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો. આરોપ એ છે કે અમિષા પટેલે ફિલ્મ દેસી મૈજિક બનાવવાના નામ પર નિર્માતા પાસેથી અઢી  કરોડ રૂપિયા લીધા હતા.


શું છે સમગ્ર મામલો?

ફિલ્મ નિર્માતા અજય કુમારના કહેવા પ્રમાણે અમિષા પટેલ અને તેમના બિઝનેસ પાર્ટનરે તેમને કહ્યું હતું કે ફિલ્મ પૂરી થઈ જવા બાદ પૈસા વ્યાજ સાથે ચૂકવી દેશે. દેસી મૈજિક ફિલ્મની શુટિંગ 2013માં પૂર્ણ થઈ ગઈ હતી. ઉલ્લેખનિય છે કે આ ફિલ્મ રિલીઝ થઈ ન હતી. જ્યારે ફિલ્મ નિર્માતાએ પૈસા માંગ્યા તો અભિનેત્રીએ પૈસા પાછા ન આપ્યા હતા. 


કોર્ટે અમિષા પટેલને પાઠવ્યું સમન્સ 

અમિષા પટેલે ઓક્ટોબર 2018માં અઢી કરોડ અને 50 લાખ રૂપિયાના બે ચેક આપ્યા પરંતુ ચેક બાઉન્સ થયા હતા. જે બાદ ફિલ્મ નિર્માતાએ અમિષા પટેલ અને તેમના બિઝનેસ પાર્ટનર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.રાંચીની સિવિલ કોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સમન્સ પાઠવવામાં આવ્યું હતું પરંતું કોર્ટમાં ન તો અમિષા પટેલ પહોંચી ન તો તેમના વકીલ. આ મામલે આગળની સુનાવણી 15 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. કોર્ટે આ મામલે સમન્સ જાહેર કર્યું છે. ત્યારે અવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગદર ફિલ્મ ફેમ અમિષા પટેલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. મહત્વનું છે કે ગદર-2 ફિલ્મ આવનાર સમયમાં રિલિઝ થવાની છે.             



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી