Ravindra Jadeja: જાડેજાએ વન-ડે ક્રિકેટમાં 200 વિકેટ લઈ સર્જયો નવો કીર્તિમાન, કપિલ દેવના રેકોર્ડની કરી બરાબરી


  • Published By :
  • Published Date : 2023-09-15 20:14:13

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. રવિન્દ્ર જાડેજાએ વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત માટે ઈતિહાસ રચીને મોટી સિદ્ધિ મેળવી છે. ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ મહાન રેકોર્ડ બનાવીને પૂર્વ ભારતીય કેપ્ટન અને મહાન ઓલરાઉન્ડર કપિલ દેવની બરાબરી કરી લીધી છે.


શમીમ હુસેન બન્યો 200મો શિકાર


ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 2,000થી વધુ રન બનાવનાર અને 200 કે તેથી વધુ વિકેટ લેનાર બીજા ભારતીય અને વિશ્વનો 14મો ક્રિકેટર બન્યો છે. રવિન્દ્ર જાડેજાએ તેની 182મી વન ડે ઈન્ટરનેશનલ મેચ રમી, બાંગ્લાદેશ સામે એશિયા કપ 2023ની સુપર મેચ દરમિયાન શમીમ હુસેનને આઉટ કરીને ODIમાં તેની 200 વિકેટ પૂરી કરી હતી. ક્રિકેટના આ ફોર્મેટમાં તેના નામે 2578 રન છે.


કપિલ દેવની બરાબરી કરી


રવિન્દ્ર જાડેજા પહેલા આ સિદ્ધિ ભારતના મહાન ઓલરાઉન્ડર કપિલ દેવે હાંસલ કરી હતી. કપિલ દેવે 225 મેચમાં 3783 રન બનાવવા ઉપરાંત 253 વિકેટ પણ લીધી હતી. રવિન્દ્ર જાડેજા વનડેમાં 200 વિકેટ લેનારો સાતમો ભારતીય બોલર બની ગયો છે. રવિન્દ્ર જાડેજા પહેલા અનિલ કુંબલે (337 વિકેટ), જવાગલ શ્રીનાથ (315), અજીત અગરકર (288), ઝહીર ખાન (282), હરભજન સિંહ (269) અને કપિલ દેવ (253) એ આ માઈલસ્ટોન બનાવ્યો હતો.



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.