Ravindra Jadeja: જાડેજાએ વન-ડે ક્રિકેટમાં 200 વિકેટ લઈ સર્જયો નવો કીર્તિમાન, કપિલ દેવના રેકોર્ડની કરી બરાબરી


  • Published By :
  • Published Date : 2023-09-15 20:14:13

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. રવિન્દ્ર જાડેજાએ વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત માટે ઈતિહાસ રચીને મોટી સિદ્ધિ મેળવી છે. ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ મહાન રેકોર્ડ બનાવીને પૂર્વ ભારતીય કેપ્ટન અને મહાન ઓલરાઉન્ડર કપિલ દેવની બરાબરી કરી લીધી છે.


શમીમ હુસેન બન્યો 200મો શિકાર


ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 2,000થી વધુ રન બનાવનાર અને 200 કે તેથી વધુ વિકેટ લેનાર બીજા ભારતીય અને વિશ્વનો 14મો ક્રિકેટર બન્યો છે. રવિન્દ્ર જાડેજાએ તેની 182મી વન ડે ઈન્ટરનેશનલ મેચ રમી, બાંગ્લાદેશ સામે એશિયા કપ 2023ની સુપર મેચ દરમિયાન શમીમ હુસેનને આઉટ કરીને ODIમાં તેની 200 વિકેટ પૂરી કરી હતી. ક્રિકેટના આ ફોર્મેટમાં તેના નામે 2578 રન છે.


કપિલ દેવની બરાબરી કરી


રવિન્દ્ર જાડેજા પહેલા આ સિદ્ધિ ભારતના મહાન ઓલરાઉન્ડર કપિલ દેવે હાંસલ કરી હતી. કપિલ દેવે 225 મેચમાં 3783 રન બનાવવા ઉપરાંત 253 વિકેટ પણ લીધી હતી. રવિન્દ્ર જાડેજા વનડેમાં 200 વિકેટ લેનારો સાતમો ભારતીય બોલર બની ગયો છે. રવિન્દ્ર જાડેજા પહેલા અનિલ કુંબલે (337 વિકેટ), જવાગલ શ્રીનાથ (315), અજીત અગરકર (288), ઝહીર ખાન (282), હરભજન સિંહ (269) અને કપિલ દેવ (253) એ આ માઈલસ્ટોન બનાવ્યો હતો.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.