Ravindra Jadeja: જાડેજાએ વન-ડે ક્રિકેટમાં 200 વિકેટ લઈ સર્જયો નવો કીર્તિમાન, કપિલ દેવના રેકોર્ડની કરી બરાબરી


  • Published By :
  • Published Date : 2023-09-15 20:14:13

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. રવિન્દ્ર જાડેજાએ વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત માટે ઈતિહાસ રચીને મોટી સિદ્ધિ મેળવી છે. ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ મહાન રેકોર્ડ બનાવીને પૂર્વ ભારતીય કેપ્ટન અને મહાન ઓલરાઉન્ડર કપિલ દેવની બરાબરી કરી લીધી છે.


શમીમ હુસેન બન્યો 200મો શિકાર


ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 2,000થી વધુ રન બનાવનાર અને 200 કે તેથી વધુ વિકેટ લેનાર બીજા ભારતીય અને વિશ્વનો 14મો ક્રિકેટર બન્યો છે. રવિન્દ્ર જાડેજાએ તેની 182મી વન ડે ઈન્ટરનેશનલ મેચ રમી, બાંગ્લાદેશ સામે એશિયા કપ 2023ની સુપર મેચ દરમિયાન શમીમ હુસેનને આઉટ કરીને ODIમાં તેની 200 વિકેટ પૂરી કરી હતી. ક્રિકેટના આ ફોર્મેટમાં તેના નામે 2578 રન છે.


કપિલ દેવની બરાબરી કરી


રવિન્દ્ર જાડેજા પહેલા આ સિદ્ધિ ભારતના મહાન ઓલરાઉન્ડર કપિલ દેવે હાંસલ કરી હતી. કપિલ દેવે 225 મેચમાં 3783 રન બનાવવા ઉપરાંત 253 વિકેટ પણ લીધી હતી. રવિન્દ્ર જાડેજા વનડેમાં 200 વિકેટ લેનારો સાતમો ભારતીય બોલર બની ગયો છે. રવિન્દ્ર જાડેજા પહેલા અનિલ કુંબલે (337 વિકેટ), જવાગલ શ્રીનાથ (315), અજીત અગરકર (288), ઝહીર ખાન (282), હરભજન સિંહ (269) અને કપિલ દેવ (253) એ આ માઈલસ્ટોન બનાવ્યો હતો.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.