અટકળોનો આવ્યો અંત, પ્રખ્યાત પત્રકાર રવીશ કુમારે NDTVમાંથી આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2022-12-01 09:53:19

NDTVના પ્રખ્યાત પત્રકાર અને એક્ઝિક્યુટિવ એડિટર રવીશ કુમારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મેગ્સેસે એવોર્ડ વિજેતા પત્રકાર રાજીનામું આપશે તેવી અટકળો છેલ્લા ઘણા દિવસોથી થઈ રહી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે NDTVના સંસ્થાપક પ્રણવ રોય અને તેમના પત્ની રાધિકા રોયે પણ રાજીનામું આપી દીધું છે. રવીશ કુમારે જ રાજીનામાનો મેઈલ ચેનલને કર્યો હતો.


શા માટે આપ્યું રાજીનામું? 


અદાણી ગ્રુપ  NDTVના અધિગ્રહણની  નજીક પહોંચી ગયું છે. NDTVની પેરેન્ટ કંપની RRPR હોલ્ડિંગના ડિરોક્ટર પદેથી રોય દંપતી રાજીનામું આપી દીધું છે. અત્રે ઉલ્લેખનિય છે કે અદાણી ગ્રૂપે RRPRનું અધિગ્રહણ કરી લીધું હતું. RRPR પાસે  NDTVનો 29.18 ટકા હિસ્સો છે.




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.