અટકળોનો આવ્યો અંત, પ્રખ્યાત પત્રકાર રવીશ કુમારે NDTVમાંથી આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2022-12-01 09:53:19

NDTVના પ્રખ્યાત પત્રકાર અને એક્ઝિક્યુટિવ એડિટર રવીશ કુમારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મેગ્સેસે એવોર્ડ વિજેતા પત્રકાર રાજીનામું આપશે તેવી અટકળો છેલ્લા ઘણા દિવસોથી થઈ રહી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે NDTVના સંસ્થાપક પ્રણવ રોય અને તેમના પત્ની રાધિકા રોયે પણ રાજીનામું આપી દીધું છે. રવીશ કુમારે જ રાજીનામાનો મેઈલ ચેનલને કર્યો હતો.


શા માટે આપ્યું રાજીનામું? 


અદાણી ગ્રુપ  NDTVના અધિગ્રહણની  નજીક પહોંચી ગયું છે. NDTVની પેરેન્ટ કંપની RRPR હોલ્ડિંગના ડિરોક્ટર પદેથી રોય દંપતી રાજીનામું આપી દીધું છે. અત્રે ઉલ્લેખનિય છે કે અદાણી ગ્રૂપે RRPRનું અધિગ્રહણ કરી લીધું હતું. RRPR પાસે  NDTVનો 29.18 ટકા હિસ્સો છે.




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.