રૂ.1.80 લાખ કરોડની 2000ની નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી, રૂ. 500 અને 1000ની નોટો અંગે RBI ગવર્નરે કહીં આ વાત


  • Published By :
  • Published Date : 2023-06-08 21:11:00

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેની ક્લીન નોટ પોલીસી હેઠળ રૂ2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. 2000 રૂપિયાની નોટ ચલણમાં બંધ થઈ શકે છે પરંતુ 2000 રૂપિયાની નોટ કાયદેસર રીતે માન્ય રહેશે. RBIએ કહ્યું છે કે 30 સપ્ટેમ્બર 2023 સુધી બેંકોમાં 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. આ સાથે, બેંકોની શાખાઓમાં અને RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં 2000 રૂપિયાની નોટ અન્ય મૂલ્યના ચલણ સાથે બદલી શકાય છે.  આ અંગે RBI ગવર્નર શક્તિકાંત દાસે જાણકારી આપતા કહ્યું હતું કે અત્યાર સુધીમાં 1.80 લાખ કરોડ રૂપિયાની 2000ની નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે. તેમણે કહ્યું કે 31 માર્ચ 2023 સુધી ચલણમાં હતી તે 2000 રૂપિયાની 50 ટકા નોટો એટલે કે 50 ટકા નોટો પાછી આવી ગઈ છે. RBI ગવર્નરે જણાવ્યું કે આ સમયગાળા સુધી બેંકિંગ સિસ્ટમમાં 3.62 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી.


85 ટકા નોટો બેંક ખાતામાં જમા થઈ 


RBI ગવર્નરે કહ્યું કે 2,000 રૂપિયાની બેંક નોટમાંથી 85 ટકા સીધી બેંક ખાતામાં જમા થઈ રહી છે. તેમણે કહ્યું કે આ સંપૂર્ણપણે અમારી અપેક્ષાઓ અનુસાર છે અને બેંકોમાં નોટો જમા કરાવવા માટે કોઈ ઉતાવળ કે ગભરાટ નથી. RBI ગવર્નરે કહ્યું કે 2000 રૂપિયાની નોટો જમા કરાવવા અથવા બદલવા માટે 4 મહિનાનો સમય છે અને તેમણે કહ્યું કે નોટો જમા કરાવવા માટે ઉતાવળ કરવાની જરૂર નથી.


રૂ. 500 અને 1000ની નોટો અંગે કહીં આ વાત 



RBI ગવર્નર શક્તિકાંત દાસને જ્યારે પૂછવામાં આવ્યું કે શું 1000 રૂપિયાની નોટને ફરીથી શરૂ કરી શકાય છે કે 500 રૂપિયાની નોટ પાછી ખેંચી શકાય છે? આરબીઆઈ ગવર્નરે તેના જવાબમાં કહ્યું કે તેમની પાસે આ વિશે કોઈ માહિતી નથી. તેમણે 500 રૂપિયાની નોટ અંગે પણ જણાવ્યું કે આ નોટોને ચલણમાંથી બહાર કરવાનો કોઈ ઈરાદો નથી. આ સંબંધમાં ચાલી રહેલી ચર્ચા ભ્રામક છે. તેમણે લોકોને આ પ્રકારની અફવા પર વિશ્વાસ નહીં કરવાની અપીલ કરી હતી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.