રૂ.1.80 લાખ કરોડની 2000ની નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી, રૂ. 500 અને 1000ની નોટો અંગે RBI ગવર્નરે કહીં આ વાત


  • Published By :
  • Published Date : 2023-06-08 21:11:00

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેની ક્લીન નોટ પોલીસી હેઠળ રૂ2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. 2000 રૂપિયાની નોટ ચલણમાં બંધ થઈ શકે છે પરંતુ 2000 રૂપિયાની નોટ કાયદેસર રીતે માન્ય રહેશે. RBIએ કહ્યું છે કે 30 સપ્ટેમ્બર 2023 સુધી બેંકોમાં 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. આ સાથે, બેંકોની શાખાઓમાં અને RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં 2000 રૂપિયાની નોટ અન્ય મૂલ્યના ચલણ સાથે બદલી શકાય છે.  આ અંગે RBI ગવર્નર શક્તિકાંત દાસે જાણકારી આપતા કહ્યું હતું કે અત્યાર સુધીમાં 1.80 લાખ કરોડ રૂપિયાની 2000ની નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે. તેમણે કહ્યું કે 31 માર્ચ 2023 સુધી ચલણમાં હતી તે 2000 રૂપિયાની 50 ટકા નોટો એટલે કે 50 ટકા નોટો પાછી આવી ગઈ છે. RBI ગવર્નરે જણાવ્યું કે આ સમયગાળા સુધી બેંકિંગ સિસ્ટમમાં 3.62 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી.


85 ટકા નોટો બેંક ખાતામાં જમા થઈ 


RBI ગવર્નરે કહ્યું કે 2,000 રૂપિયાની બેંક નોટમાંથી 85 ટકા સીધી બેંક ખાતામાં જમા થઈ રહી છે. તેમણે કહ્યું કે આ સંપૂર્ણપણે અમારી અપેક્ષાઓ અનુસાર છે અને બેંકોમાં નોટો જમા કરાવવા માટે કોઈ ઉતાવળ કે ગભરાટ નથી. RBI ગવર્નરે કહ્યું કે 2000 રૂપિયાની નોટો જમા કરાવવા અથવા બદલવા માટે 4 મહિનાનો સમય છે અને તેમણે કહ્યું કે નોટો જમા કરાવવા માટે ઉતાવળ કરવાની જરૂર નથી.


રૂ. 500 અને 1000ની નોટો અંગે કહીં આ વાત 



RBI ગવર્નર શક્તિકાંત દાસને જ્યારે પૂછવામાં આવ્યું કે શું 1000 રૂપિયાની નોટને ફરીથી શરૂ કરી શકાય છે કે 500 રૂપિયાની નોટ પાછી ખેંચી શકાય છે? આરબીઆઈ ગવર્નરે તેના જવાબમાં કહ્યું કે તેમની પાસે આ વિશે કોઈ માહિતી નથી. તેમણે 500 રૂપિયાની નોટ અંગે પણ જણાવ્યું કે આ નોટોને ચલણમાંથી બહાર કરવાનો કોઈ ઈરાદો નથી. આ સંબંધમાં ચાલી રહેલી ચર્ચા ભ્રામક છે. તેમણે લોકોને આ પ્રકારની અફવા પર વિશ્વાસ નહીં કરવાની અપીલ કરી હતી.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.