લોનધારકો માટે ગુડ ન્યૂઝ, RBIએ સતત બીજી વખત આપી રાહત, રેપો રેટમાં ન કર્યો ફેરફાર


  • Published By :
  • Published Date : 2023-06-08 17:29:58

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠક બાદ નીતિગત નિર્ણયની જાહેરાત કરી દીધી છે. આ નાણાકિય વર્ષમાં MPCની બીજી બેઠકમાં ફરી એકવાર રેપો રેટને લઈ મોટી ઘોષણા કરી છે. RBIએ સામાન્ય લોકોને મોટી રાહત આપતા રેપો રેટને યથાવત જાળવ્યો છે. RBIએ  રેપો રેટમાં ફેરફાર કર્યો નથી. RBIએ રેપો રેટ 6.50 ટકા પર યથાવત જાળવી રાખ્યો છે. મોંઘવારીના આંકડા જોતા RBIએ રેપો રેટને 6.50 ટકા પર સ્થિર રાખવાનો નિર્ણય કર્યો છે. અત્રે નોંધવા જેવી બાબત એ છે કે RBIએ રેપો રેટમાં બીજી વખત કોઈ ફેરફાર કર્યો નથી.


EMI ભરનારાઓને ફરી એકવાર રાહત

 

રેપો રેટમાં વધારો ન થવાના કિસ્સામાં અથવા નરમાઈના સ્થિતીમાં, બેંકો વ્યાજ દરો સ્થિર રાખે છે અથવા તેને ઘટાડે છે. તેનાથી ઋણ લેનારાઓને રાહત મળે છે કારણ કે તેમની EMI કાં તો પહેલા જેટલી જ રહે છે અથવા તો તેમાં ઘટાડો થાય છે. RBIએ રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કર્યા બાદ બેંકોએ પણ વ્યાજદરમાં નોંધપાત્ર વધારો કર્યો હતો. જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.


મોંઘવારીનું અનુમાન શું છે?


સામાન્ય માણસને સૌથી વધુ પરેશાની મોંઘવારીથી હોય છે. જો કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું અનુમાન છે કે મોંઘવારીમાં રાહત હજુ લાંબા સમય સુધી રહેવાની છે. નાણાકિય વર્ષ 2023-24માં સૌથી વધુ મોંઘવારી દર પણ સરેરાસ  5.1 ટકા રહેવાનું અનુમાન છે. એટલે કે મોંઘવારીથી રાહત આ આખા કેલેન્ડર વર્ષમાં જળવાઈ રહેવાનું અનુમાન છે. આ નાણાકિય વર્ષ 2023-24માં પણ જીડીપીમાં આ વૃધ્ધી જળવાઈ રહેવાની છે. આયાતમાં ઘટાડો થયો છે અને નિકાશ વધ્યો છે. 


દેશના જીડીપી ગ્રોથ કેટલો રહેશે?


RBI MPCની હાલની બેઠકમાં બીજા  ત્રિમાસિકમાં દેળમો જીડીપી ગ્રોથ રેટ 6.5, ત્રીજા ત્રિમાસિકમાં 6 ટકા અને ચોથા ત્રિમાસિકમાં 5.7 ટકા રહેવાનું અનુમાન છે. આ જ પ્રકારે વિશ્વ બેંકે ભારતમાં રિયલ જીડીપી ગ્રોથ રેટનું અનુમાન 6.3 ટકા, જેપી મોર્ગને 5.5 અને યુબીએસ બેંકએ 6.2 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.