લોનધારકો માટે ગુડ ન્યૂઝ, RBIએ સતત બીજી વખત આપી રાહત, રેપો રેટમાં ન કર્યો ફેરફાર


  • Published By :
  • Published Date : 2023-06-08 17:29:58

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠક બાદ નીતિગત નિર્ણયની જાહેરાત કરી દીધી છે. આ નાણાકિય વર્ષમાં MPCની બીજી બેઠકમાં ફરી એકવાર રેપો રેટને લઈ મોટી ઘોષણા કરી છે. RBIએ સામાન્ય લોકોને મોટી રાહત આપતા રેપો રેટને યથાવત જાળવ્યો છે. RBIએ  રેપો રેટમાં ફેરફાર કર્યો નથી. RBIએ રેપો રેટ 6.50 ટકા પર યથાવત જાળવી રાખ્યો છે. મોંઘવારીના આંકડા જોતા RBIએ રેપો રેટને 6.50 ટકા પર સ્થિર રાખવાનો નિર્ણય કર્યો છે. અત્રે નોંધવા જેવી બાબત એ છે કે RBIએ રેપો રેટમાં બીજી વખત કોઈ ફેરફાર કર્યો નથી.


EMI ભરનારાઓને ફરી એકવાર રાહત

 

રેપો રેટમાં વધારો ન થવાના કિસ્સામાં અથવા નરમાઈના સ્થિતીમાં, બેંકો વ્યાજ દરો સ્થિર રાખે છે અથવા તેને ઘટાડે છે. તેનાથી ઋણ લેનારાઓને રાહત મળે છે કારણ કે તેમની EMI કાં તો પહેલા જેટલી જ રહે છે અથવા તો તેમાં ઘટાડો થાય છે. RBIએ રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કર્યા બાદ બેંકોએ પણ વ્યાજદરમાં નોંધપાત્ર વધારો કર્યો હતો. જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.


મોંઘવારીનું અનુમાન શું છે?


સામાન્ય માણસને સૌથી વધુ પરેશાની મોંઘવારીથી હોય છે. જો કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું અનુમાન છે કે મોંઘવારીમાં રાહત હજુ લાંબા સમય સુધી રહેવાની છે. નાણાકિય વર્ષ 2023-24માં સૌથી વધુ મોંઘવારી દર પણ સરેરાસ  5.1 ટકા રહેવાનું અનુમાન છે. એટલે કે મોંઘવારીથી રાહત આ આખા કેલેન્ડર વર્ષમાં જળવાઈ રહેવાનું અનુમાન છે. આ નાણાકિય વર્ષ 2023-24માં પણ જીડીપીમાં આ વૃધ્ધી જળવાઈ રહેવાની છે. આયાતમાં ઘટાડો થયો છે અને નિકાશ વધ્યો છે. 


દેશના જીડીપી ગ્રોથ કેટલો રહેશે?


RBI MPCની હાલની બેઠકમાં બીજા  ત્રિમાસિકમાં દેળમો જીડીપી ગ્રોથ રેટ 6.5, ત્રીજા ત્રિમાસિકમાં 6 ટકા અને ચોથા ત્રિમાસિકમાં 5.7 ટકા રહેવાનું અનુમાન છે. આ જ પ્રકારે વિશ્વ બેંકે ભારતમાં રિયલ જીડીપી ગ્રોથ રેટનું અનુમાન 6.3 ટકા, જેપી મોર્ગને 5.5 અને યુબીએસ બેંકએ 6.2 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.