લોનધારકો માટે ગુડ ન્યૂઝ, RBIએ સતત બીજી વખત આપી રાહત, રેપો રેટમાં ન કર્યો ફેરફાર


  • Published By :
  • Published Date : 2023-06-08 17:29:58

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠક બાદ નીતિગત નિર્ણયની જાહેરાત કરી દીધી છે. આ નાણાકિય વર્ષમાં MPCની બીજી બેઠકમાં ફરી એકવાર રેપો રેટને લઈ મોટી ઘોષણા કરી છે. RBIએ સામાન્ય લોકોને મોટી રાહત આપતા રેપો રેટને યથાવત જાળવ્યો છે. RBIએ  રેપો રેટમાં ફેરફાર કર્યો નથી. RBIએ રેપો રેટ 6.50 ટકા પર યથાવત જાળવી રાખ્યો છે. મોંઘવારીના આંકડા જોતા RBIએ રેપો રેટને 6.50 ટકા પર સ્થિર રાખવાનો નિર્ણય કર્યો છે. અત્રે નોંધવા જેવી બાબત એ છે કે RBIએ રેપો રેટમાં બીજી વખત કોઈ ફેરફાર કર્યો નથી.


EMI ભરનારાઓને ફરી એકવાર રાહત

 

રેપો રેટમાં વધારો ન થવાના કિસ્સામાં અથવા નરમાઈના સ્થિતીમાં, બેંકો વ્યાજ દરો સ્થિર રાખે છે અથવા તેને ઘટાડે છે. તેનાથી ઋણ લેનારાઓને રાહત મળે છે કારણ કે તેમની EMI કાં તો પહેલા જેટલી જ રહે છે અથવા તો તેમાં ઘટાડો થાય છે. RBIએ રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કર્યા બાદ બેંકોએ પણ વ્યાજદરમાં નોંધપાત્ર વધારો કર્યો હતો. જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.


મોંઘવારીનું અનુમાન શું છે?


સામાન્ય માણસને સૌથી વધુ પરેશાની મોંઘવારીથી હોય છે. જો કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું અનુમાન છે કે મોંઘવારીમાં રાહત હજુ લાંબા સમય સુધી રહેવાની છે. નાણાકિય વર્ષ 2023-24માં સૌથી વધુ મોંઘવારી દર પણ સરેરાસ  5.1 ટકા રહેવાનું અનુમાન છે. એટલે કે મોંઘવારીથી રાહત આ આખા કેલેન્ડર વર્ષમાં જળવાઈ રહેવાનું અનુમાન છે. આ નાણાકિય વર્ષ 2023-24માં પણ જીડીપીમાં આ વૃધ્ધી જળવાઈ રહેવાની છે. આયાતમાં ઘટાડો થયો છે અને નિકાશ વધ્યો છે. 


દેશના જીડીપી ગ્રોથ કેટલો રહેશે?


RBI MPCની હાલની બેઠકમાં બીજા  ત્રિમાસિકમાં દેળમો જીડીપી ગ્રોથ રેટ 6.5, ત્રીજા ત્રિમાસિકમાં 6 ટકા અને ચોથા ત્રિમાસિકમાં 5.7 ટકા રહેવાનું અનુમાન છે. આ જ પ્રકારે વિશ્વ બેંકે ભારતમાં રિયલ જીડીપી ગ્રોથ રેટનું અનુમાન 6.3 ટકા, જેપી મોર્ગને 5.5 અને યુબીએસ બેંકએ 6.2 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.