RBI લોન્ચ કરશે ડિજિટલ કરન્સી, ચુકવણીની પદ્ધતિમાં એક નવા વિકલ્પનો થશે ઉમેરો


  • Published By :
  • Published Date : 2022-12-01 09:31:03

ભારતીય રિઝવ બેંક ઓફ ઈન્ડિયાએ 8 શહેરોમાં ડિજિટલ કરન્સીનો પ્રારંભ કરી દીધો છે. આરબીઆઈએ આ યોજનાને પાઈલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવાની જાહેરાત કરી હતી. ઉપરાંત આ સિસ્ટમ લાગુ કરવાથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળશે. ડિજિટલ કરન્સી એવી રીતે જ કામ કરશે જેમ કરન્સી નોટ કામ કરે છે. ચુકવણી પદ્ધતિમાં એક નવો ઉમેરો થઈ ગયો છે. ઈ-રૂપીએ ડિજિટલ ટોકન તરીકે કામ કરશે. 

PM Modi launches 2 RBI schemes. All about the central bank initiatives -  Hindustan Times

ઓનલાઈન પેમેન્ટની મળશે સુવિધા 

આ પાયલટ પ્રોજેક્ટ હાલ દિલ્હી, મુંબઈ, બેંગલુર અને ભુવનેશ્વરમાં શરૂ કરવામાં આવ્યો છે જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ICICI બેંક, યસ બેંક તેમજ આઈડીએફસી બેંકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પેમેન્ટ સિસ્ટમ લાગુ થવાથી ગ્રાહકો વ્યવહાર માટે તેમજ કોઈ પણ ખરીદી માટે આનો ઉપયોગ કરી શકે છે. ઉપરાંત ઓનલાઈન પેમેન્ટ માટે પણ આ માધ્યમનો ઉપયોગ થઈ શકશે. આ કરન્સીને રાખવા બેંક ડિજિટલ વોલેટ પણ આપવામાં આવશે. 

હાલ ચાર શહેરોમાં શરૂ કરાશે સુવિધા  

શરૂઆતના સમયમાં માત્ર ચાર શહેરોમાં અને અમુક બેંકોમાં આ જ સિસ્ટમ લોન્ચ કરવામાં આવશે પરંતુ થોડા સમય બાદ વધુ નવ શહેરો અને વધુ બેંકોમાં આને લોન્ચ કરવામાં આવશે. જેમાં અમદાવાદ, ગુવાહાટી, ઈન્દોર, ગંગટોક, હૈદરાબાદ, કોચી, પટના, લખનઉ અને શિમલામાં લાગુ કરાશે. ઉપરાંત બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, HDFC બેંક તેમજ કોટક મહેન્દ્રા બેંકમાં આ સુવિધા મળશે. આ કરન્સીને અન્ય પ્રકારના ચલણમાં રૂપાતરિત કરી શકાય છે પરંતુ આની પર કોઈ વ્યાજ નહીં મળે.     




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.