RBI લોન્ચ કરશે ડિજિટલ કરન્સી, ચુકવણીની પદ્ધતિમાં એક નવા વિકલ્પનો થશે ઉમેરો


  • Published By :
  • Published Date : 2022-12-01 09:31:03

ભારતીય રિઝવ બેંક ઓફ ઈન્ડિયાએ 8 શહેરોમાં ડિજિટલ કરન્સીનો પ્રારંભ કરી દીધો છે. આરબીઆઈએ આ યોજનાને પાઈલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવાની જાહેરાત કરી હતી. ઉપરાંત આ સિસ્ટમ લાગુ કરવાથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળશે. ડિજિટલ કરન્સી એવી રીતે જ કામ કરશે જેમ કરન્સી નોટ કામ કરે છે. ચુકવણી પદ્ધતિમાં એક નવો ઉમેરો થઈ ગયો છે. ઈ-રૂપીએ ડિજિટલ ટોકન તરીકે કામ કરશે. 

PM Modi launches 2 RBI schemes. All about the central bank initiatives -  Hindustan Times

ઓનલાઈન પેમેન્ટની મળશે સુવિધા 

આ પાયલટ પ્રોજેક્ટ હાલ દિલ્હી, મુંબઈ, બેંગલુર અને ભુવનેશ્વરમાં શરૂ કરવામાં આવ્યો છે જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ICICI બેંક, યસ બેંક તેમજ આઈડીએફસી બેંકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પેમેન્ટ સિસ્ટમ લાગુ થવાથી ગ્રાહકો વ્યવહાર માટે તેમજ કોઈ પણ ખરીદી માટે આનો ઉપયોગ કરી શકે છે. ઉપરાંત ઓનલાઈન પેમેન્ટ માટે પણ આ માધ્યમનો ઉપયોગ થઈ શકશે. આ કરન્સીને રાખવા બેંક ડિજિટલ વોલેટ પણ આપવામાં આવશે. 

હાલ ચાર શહેરોમાં શરૂ કરાશે સુવિધા  

શરૂઆતના સમયમાં માત્ર ચાર શહેરોમાં અને અમુક બેંકોમાં આ જ સિસ્ટમ લોન્ચ કરવામાં આવશે પરંતુ થોડા સમય બાદ વધુ નવ શહેરો અને વધુ બેંકોમાં આને લોન્ચ કરવામાં આવશે. જેમાં અમદાવાદ, ગુવાહાટી, ઈન્દોર, ગંગટોક, હૈદરાબાદ, કોચી, પટના, લખનઉ અને શિમલામાં લાગુ કરાશે. ઉપરાંત બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, HDFC બેંક તેમજ કોટક મહેન્દ્રા બેંકમાં આ સુવિધા મળશે. આ કરન્સીને અન્ય પ્રકારના ચલણમાં રૂપાતરિત કરી શકાય છે પરંતુ આની પર કોઈ વ્યાજ નહીં મળે.     




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.