RBI લોન્ચ કરશે ડિજિટલ કરન્સી, ચુકવણીની પદ્ધતિમાં એક નવા વિકલ્પનો થશે ઉમેરો


  • Published By :
  • Published Date : 2022-12-01 09:31:03

ભારતીય રિઝવ બેંક ઓફ ઈન્ડિયાએ 8 શહેરોમાં ડિજિટલ કરન્સીનો પ્રારંભ કરી દીધો છે. આરબીઆઈએ આ યોજનાને પાઈલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવાની જાહેરાત કરી હતી. ઉપરાંત આ સિસ્ટમ લાગુ કરવાથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળશે. ડિજિટલ કરન્સી એવી રીતે જ કામ કરશે જેમ કરન્સી નોટ કામ કરે છે. ચુકવણી પદ્ધતિમાં એક નવો ઉમેરો થઈ ગયો છે. ઈ-રૂપીએ ડિજિટલ ટોકન તરીકે કામ કરશે. 

PM Modi launches 2 RBI schemes. All about the central bank initiatives -  Hindustan Times

ઓનલાઈન પેમેન્ટની મળશે સુવિધા 

આ પાયલટ પ્રોજેક્ટ હાલ દિલ્હી, મુંબઈ, બેંગલુર અને ભુવનેશ્વરમાં શરૂ કરવામાં આવ્યો છે જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ICICI બેંક, યસ બેંક તેમજ આઈડીએફસી બેંકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પેમેન્ટ સિસ્ટમ લાગુ થવાથી ગ્રાહકો વ્યવહાર માટે તેમજ કોઈ પણ ખરીદી માટે આનો ઉપયોગ કરી શકે છે. ઉપરાંત ઓનલાઈન પેમેન્ટ માટે પણ આ માધ્યમનો ઉપયોગ થઈ શકશે. આ કરન્સીને રાખવા બેંક ડિજિટલ વોલેટ પણ આપવામાં આવશે. 

હાલ ચાર શહેરોમાં શરૂ કરાશે સુવિધા  

શરૂઆતના સમયમાં માત્ર ચાર શહેરોમાં અને અમુક બેંકોમાં આ જ સિસ્ટમ લોન્ચ કરવામાં આવશે પરંતુ થોડા સમય બાદ વધુ નવ શહેરો અને વધુ બેંકોમાં આને લોન્ચ કરવામાં આવશે. જેમાં અમદાવાદ, ગુવાહાટી, ઈન્દોર, ગંગટોક, હૈદરાબાદ, કોચી, પટના, લખનઉ અને શિમલામાં લાગુ કરાશે. ઉપરાંત બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, HDFC બેંક તેમજ કોટક મહેન્દ્રા બેંકમાં આ સુવિધા મળશે. આ કરન્સીને અન્ય પ્રકારના ચલણમાં રૂપાતરિત કરી શકાય છે પરંતુ આની પર કોઈ વ્યાજ નહીં મળે.     




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.