ગુજરાત સમગ્ર દેશમાં પર્યાવરણની સુરક્ષામાં પણ મોખરે!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-30 17:30:48

આપણું ગુજરાત રાજ્ય દરેક ક્ષેત્રમાં પ્રગતિના પંથે છે . તે પછી ઇન્ફ્રાસ્ટ્રકચર હોય કે પછી વ્યાપાર , ઉદ્યોગ. પરંતુ ગુજરાતમાં હમણાં જે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સોલાર સેલ મેનુફેક્ટઉરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તે આ દેશનો સૌથી મોટો  મેનુફેક્ટઉરિંગ પ્લાન્ટ છે. એટલે કે , ગુજરાત પર્યાવરણની સુરક્ષામાં પણ હવે અવ્વલ નંબરે પહોંચી ચૂક્યું છે. આ સૌથી મોટો પ્લાન્ટ નવસારી જિલ્લાના ચીખલી ગામે બનાવવામાં આવ્યો છે . તે પણ એક ખાનગી કંપની દ્વારા જેનું નામ છે વારી એનર્જી લિમિટેડ . ભારતમાં કાર્બન ઉત્સર્જનમાં હાલમાં ખુબ નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ કાર્બન ઉત્સર્જનએ ગ્રીનહાઉસ વાયુઓ થકી થાય છે અને આ ગ્રીનહાઉસ વાયુઓ કોલસો , ખનીજ તેલ અને કુદરતી ગેસ જેવા અશ્મિભૂતને જયારે બાળવામાં આવે ત્યારે તેમનો ઉદ્ભવ થાય છે . પરંતુ હવે આ કાર્બન ઉત્સર્જન સામે લડત આપવા આપણી પાસે કુદરતનો આખો ભંડાર એવો સૌર ઉર્જાનો ખજાનો છે.  પરંતુ કુદરતના આ અખૂટ ભંડારનો આપણે ઉપયોગ કેવી રીતે કરી શકીએ , તો સોલાર પાવર થકી . આ સોલાર પાવર પ્લાન્ટ ચાલે છે સોલાર સેલ થકી . હવે કાર્બન ઉત્સર્જન સામેની આ લડાઈમાં સમગ્ર ભારતમાં ગુજરાત મોખરાના સ્થાને છે. કેમ કે , નવસારી જિલ્લાના ચીખલી ખાતે દેશનો સૌથી મોટો 5.4 ગીગાવોટ ક્ષમતાનો સોલર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કાર્યરત થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ,  કેન્દ્રીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી આર પાટીલની  ઉપસ્થિતિમાં આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વારી સોલર કંપની દ્વારા સ્થાપિત આ પ્લાન્ટ ભારતની સૌર ઊર્જા ક્ષમતામાં મહત્વપૂર્ણ વધારો કરશે. 

Image

હવે આપણે જાણીએ કે કઈ રીતે આ સોલાર સેલનું ઉત્પાદન કરતો પ્લાન્ટ રાષ્ટ્રનિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે ઘણાબધા સોલાર સેલને ભેગા કરોને તો સોલાર મોડ્યૂલ બને છે. અને આ બે થી ત્રણ સોલાર મોડ્યૂલને ભેગા કરો તો એક આખી સોલાર પેનલ બની જાય. જે આપણે આપણા ધાબામાં કે પછી ખુલ્લી જગ્યામાં લગાડીએ છીએ . ભારતમાં આ સોલાર મોડ્યૂલનું માર્કેટ ૮ બિલિયન ડોલર એટલેકે ,  લગભગ ૬૮,૦૦૦ કરોડનું આ માર્કેટ છે. ભારત એમાંથી લગભગ મોટાભાગના સોલાર મોડ્યૂલ ચાઇનાથી આયાત કરે છે. આટલુંજ નહીં , ચાઈના આ સોલાર મૉડ્યૂલ્સને આપણા માર્કેટમાં ડમ્પ કરે છે પરંતુ હવે ભારત સરકારે સોલાર મૉડ્યૂલ્સમાં આત્મનિર્ભર બનવા માટે ૨૪,૦૦૦ કરોડની પ્રોડકશન લિંકડ ઈંસેન્ટિવ સ્કીમ બહાર પાડી હતી . વારી એનર્જી લિમિટેડ આ યોજનાની મદદ લઇને સમગ્ર ભારતમાં સોલાર મોડ્યૂલનું ઉત્પાદન કરતી સૌથી મોટી કંપની બની ગઈ છે . હવે , તેના સૌથી મોટા સોલાર મૉડ્યૂલ્સના મેનુફેક્ચરિંગ પ્લાન્ટનું નવસારીના ચીખલી ગામે ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ , કેન્દ્રીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે . મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પ્લાન્ટના ઉદ્ઘાટન વખતે કહ્યું છે કે , વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વન અર્થ, વન સન વન ગ્રીડનો મંત્ર આપ્યો છે. તેમના વિઝનને સાકાર કરતો આ પ્રોજેક્ટ છે. વારી એનર્જી દ્વારા ભારતના સૌથી મોટા ૫.૪ ગીગા વોટની ક્ષમતાના સોલર સેલ મેન્યુફેક્ચરીંગ યુનિટનું ઉદધાટન થયું છે. નવસારી જિલ્લામાં ૧૫૦ એકરમાં ફેલાયેલો આ સોલર સેલ પ્લાન્ટ નવીનીકરણીય ઊર્જા માં ઐતિહાસિક સીમાચિહ્નરૂપ બનશે. જે ભારતની નવીનીકરણીય ઊર્જા યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ભારત રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં રિન્યુએબલ એનર્જી હબ બનવા જઇ રહ્યું છે. જે વિશ્વનું આપણા રાષ્ટ્ર પ્રત્યેની વિશ્વસનિયતા દર્શાવે છે.

Image

ગુજરાતમાં જે રીતે પર્યાવરણની જાગૃતિ આવી છે તે સમગ્ર ભારત માટે માર્ગદર્શક બની રહેશે . આ જમાનો તો "કોઓપરેટીવ ફેડરાલીઝમ " એટલેકે , જ્યાં રાજ્યો એક બીજા સાથે વિકાસના કામોને લઇને સ્પર્ધા કરતા હોય છે તેનો છે . ગુજરાતનું જોઇને હવે બીજા રાજ્યો પણ વિવિધ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા પ્રયાસો કરશે . ગુજરાત બીજા અન્ય તમામ રાજ્યો માટે દીવાદાંડી સમાન બની રહેશે .     



"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.