ગુજરાત સમગ્ર દેશમાં પર્યાવરણની સુરક્ષામાં પણ મોખરે!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-30 17:30:48

આપણું ગુજરાત રાજ્ય દરેક ક્ષેત્રમાં પ્રગતિના પંથે છે . તે પછી ઇન્ફ્રાસ્ટ્રકચર હોય કે પછી વ્યાપાર , ઉદ્યોગ. પરંતુ ગુજરાતમાં હમણાં જે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સોલાર સેલ મેનુફેક્ટઉરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તે આ દેશનો સૌથી મોટો  મેનુફેક્ટઉરિંગ પ્લાન્ટ છે. એટલે કે , ગુજરાત પર્યાવરણની સુરક્ષામાં પણ હવે અવ્વલ નંબરે પહોંચી ચૂક્યું છે. આ સૌથી મોટો પ્લાન્ટ નવસારી જિલ્લાના ચીખલી ગામે બનાવવામાં આવ્યો છે . તે પણ એક ખાનગી કંપની દ્વારા જેનું નામ છે વારી એનર્જી લિમિટેડ . ભારતમાં કાર્બન ઉત્સર્જનમાં હાલમાં ખુબ નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ કાર્બન ઉત્સર્જનએ ગ્રીનહાઉસ વાયુઓ થકી થાય છે અને આ ગ્રીનહાઉસ વાયુઓ કોલસો , ખનીજ તેલ અને કુદરતી ગેસ જેવા અશ્મિભૂતને જયારે બાળવામાં આવે ત્યારે તેમનો ઉદ્ભવ થાય છે . પરંતુ હવે આ કાર્બન ઉત્સર્જન સામે લડત આપવા આપણી પાસે કુદરતનો આખો ભંડાર એવો સૌર ઉર્જાનો ખજાનો છે.  પરંતુ કુદરતના આ અખૂટ ભંડારનો આપણે ઉપયોગ કેવી રીતે કરી શકીએ , તો સોલાર પાવર થકી . આ સોલાર પાવર પ્લાન્ટ ચાલે છે સોલાર સેલ થકી . હવે કાર્બન ઉત્સર્જન સામેની આ લડાઈમાં સમગ્ર ભારતમાં ગુજરાત મોખરાના સ્થાને છે. કેમ કે , નવસારી જિલ્લાના ચીખલી ખાતે દેશનો સૌથી મોટો 5.4 ગીગાવોટ ક્ષમતાનો સોલર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કાર્યરત થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ,  કેન્દ્રીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી આર પાટીલની  ઉપસ્થિતિમાં આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વારી સોલર કંપની દ્વારા સ્થાપિત આ પ્લાન્ટ ભારતની સૌર ઊર્જા ક્ષમતામાં મહત્વપૂર્ણ વધારો કરશે. 

Image

હવે આપણે જાણીએ કે કઈ રીતે આ સોલાર સેલનું ઉત્પાદન કરતો પ્લાન્ટ રાષ્ટ્રનિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે ઘણાબધા સોલાર સેલને ભેગા કરોને તો સોલાર મોડ્યૂલ બને છે. અને આ બે થી ત્રણ સોલાર મોડ્યૂલને ભેગા કરો તો એક આખી સોલાર પેનલ બની જાય. જે આપણે આપણા ધાબામાં કે પછી ખુલ્લી જગ્યામાં લગાડીએ છીએ . ભારતમાં આ સોલાર મોડ્યૂલનું માર્કેટ ૮ બિલિયન ડોલર એટલેકે ,  લગભગ ૬૮,૦૦૦ કરોડનું આ માર્કેટ છે. ભારત એમાંથી લગભગ મોટાભાગના સોલાર મોડ્યૂલ ચાઇનાથી આયાત કરે છે. આટલુંજ નહીં , ચાઈના આ સોલાર મૉડ્યૂલ્સને આપણા માર્કેટમાં ડમ્પ કરે છે પરંતુ હવે ભારત સરકારે સોલાર મૉડ્યૂલ્સમાં આત્મનિર્ભર બનવા માટે ૨૪,૦૦૦ કરોડની પ્રોડકશન લિંકડ ઈંસેન્ટિવ સ્કીમ બહાર પાડી હતી . વારી એનર્જી લિમિટેડ આ યોજનાની મદદ લઇને સમગ્ર ભારતમાં સોલાર મોડ્યૂલનું ઉત્પાદન કરતી સૌથી મોટી કંપની બની ગઈ છે . હવે , તેના સૌથી મોટા સોલાર મૉડ્યૂલ્સના મેનુફેક્ચરિંગ પ્લાન્ટનું નવસારીના ચીખલી ગામે ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ , કેન્દ્રીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે . મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પ્લાન્ટના ઉદ્ઘાટન વખતે કહ્યું છે કે , વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વન અર્થ, વન સન વન ગ્રીડનો મંત્ર આપ્યો છે. તેમના વિઝનને સાકાર કરતો આ પ્રોજેક્ટ છે. વારી એનર્જી દ્વારા ભારતના સૌથી મોટા ૫.૪ ગીગા વોટની ક્ષમતાના સોલર સેલ મેન્યુફેક્ચરીંગ યુનિટનું ઉદધાટન થયું છે. નવસારી જિલ્લામાં ૧૫૦ એકરમાં ફેલાયેલો આ સોલર સેલ પ્લાન્ટ નવીનીકરણીય ઊર્જા માં ઐતિહાસિક સીમાચિહ્નરૂપ બનશે. જે ભારતની નવીનીકરણીય ઊર્જા યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ભારત રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં રિન્યુએબલ એનર્જી હબ બનવા જઇ રહ્યું છે. જે વિશ્વનું આપણા રાષ્ટ્ર પ્રત્યેની વિશ્વસનિયતા દર્શાવે છે.

Image

ગુજરાતમાં જે રીતે પર્યાવરણની જાગૃતિ આવી છે તે સમગ્ર ભારત માટે માર્ગદર્શક બની રહેશે . આ જમાનો તો "કોઓપરેટીવ ફેડરાલીઝમ " એટલેકે , જ્યાં રાજ્યો એક બીજા સાથે વિકાસના કામોને લઇને સ્પર્ધા કરતા હોય છે તેનો છે . ગુજરાતનું જોઇને હવે બીજા રાજ્યો પણ વિવિધ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા પ્રયાસો કરશે . ગુજરાત બીજા અન્ય તમામ રાજ્યો માટે દીવાદાંડી સમાન બની રહેશે .     



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.