વૈશ્વિક મંદીથી IT સેક્ટરને ફટકો, દુનિયાની આ જાયન્ટ ટેક કંપનીઓએ કરી છટણીની જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-11-08 15:00:59


દુનિયાભરમાં મંદીના ભણકારા વાગી રહ્યા છે, વિશ્વની અગ્રણી અને જાયન્ટ ટેક કંપનીઓેની આવક ઘટતા નવી ભરતી અટકાવી દીધી છે. તે ઉપરાંત કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે છટણીની પણ જાહેરાત કરી છે. હાલ આઈટી સેક્ટર વૈશ્વિક મંદીનો સૌથી વધુ ભોગ બન્યું છે.


આ કંપનીઓએ કરી છટણીની જાહેરાત


વૈશ્વિક સ્તરે મોટી કંપનીઓ એમેઝોન, ગુગલ, ફેસબુક, ટ્વિટર, એપલ, જેવી કંપનીઓ આ છટણીની જાહેરાત કરી છે. ભારતમાં પણ આઈટી કંપનીઓએ કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે. ભારતની અનએકેડેમી, બાયજૂ જેવા સ્ટાર્ટઅપે પણ કર્મચારીઓની સંખ્યા ઘટાડી છે.  


ટેક કંપનીઓને શા માટે ફટકો?


વિશ્વભરમાં મંદીનો માહોલ હોવાથી આઈ ટી સેક્ટરની આવક ઘટી છે. તીવ્ર સ્પર્ધાના કારણે વિજ્ઞાપનોની આવક ઘટી છે. તે ઉપરાંત નવા ઓર્ડર પણ મળવાના બંધ થયા છે. અમેરિકાની ફેડ રિઝર્વએ વ્યાજ દર વધારતા ટેક કંપનીઓ પર વ્યાજ બોજો વધ્યો છે, હવે આ જ સ્થિતી યુરોપની આઈ ટી કંપનીઓ સાથે જ પણ જોવા મળી રહી છે. ભારતની આઈ ટી કંપનીઓને અમેરિકા અને યુરોપના દેશોમાંથી આઉટ સોર્સિંગનું કામ મળવાનું ઓછું થયું છે. યુરોપ અને અમેરિકામાં હાલ તીવ્ર મંદી છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .