વૈશ્વિક મંદીથી IT સેક્ટરને ફટકો, દુનિયાની આ જાયન્ટ ટેક કંપનીઓએ કરી છટણીની જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-11-08 15:00:59


દુનિયાભરમાં મંદીના ભણકારા વાગી રહ્યા છે, વિશ્વની અગ્રણી અને જાયન્ટ ટેક કંપનીઓેની આવક ઘટતા નવી ભરતી અટકાવી દીધી છે. તે ઉપરાંત કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે છટણીની પણ જાહેરાત કરી છે. હાલ આઈટી સેક્ટર વૈશ્વિક મંદીનો સૌથી વધુ ભોગ બન્યું છે.


આ કંપનીઓએ કરી છટણીની જાહેરાત


વૈશ્વિક સ્તરે મોટી કંપનીઓ એમેઝોન, ગુગલ, ફેસબુક, ટ્વિટર, એપલ, જેવી કંપનીઓ આ છટણીની જાહેરાત કરી છે. ભારતમાં પણ આઈટી કંપનીઓએ કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે. ભારતની અનએકેડેમી, બાયજૂ જેવા સ્ટાર્ટઅપે પણ કર્મચારીઓની સંખ્યા ઘટાડી છે.  


ટેક કંપનીઓને શા માટે ફટકો?


વિશ્વભરમાં મંદીનો માહોલ હોવાથી આઈ ટી સેક્ટરની આવક ઘટી છે. તીવ્ર સ્પર્ધાના કારણે વિજ્ઞાપનોની આવક ઘટી છે. તે ઉપરાંત નવા ઓર્ડર પણ મળવાના બંધ થયા છે. અમેરિકાની ફેડ રિઝર્વએ વ્યાજ દર વધારતા ટેક કંપનીઓ પર વ્યાજ બોજો વધ્યો છે, હવે આ જ સ્થિતી યુરોપની આઈ ટી કંપનીઓ સાથે જ પણ જોવા મળી રહી છે. ભારતની આઈ ટી કંપનીઓને અમેરિકા અને યુરોપના દેશોમાંથી આઉટ સોર્સિંગનું કામ મળવાનું ઓછું થયું છે. યુરોપ અને અમેરિકામાં હાલ તીવ્ર મંદી છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .