BJPમાં ભરતી મેળો! Congressમાંથી 2019માં લોકસભા ચૂંટણી લડનાર બોક્સર વિજેન્દર સિંહ ભાજપમાં જોડાયા. પાર્ટીમાં જોડાતા કહી આ વાત


  • Published By :
  • Published Date : 2024-04-03 19:01:21

ભાજપમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે. ગુજરાત હોય કે અન્ય રાજ્ય ભાજપમાં મોટી હસ્તીઓ, કોંગ્રેસના નેતાઓ જોડાઈ રહ્યા છે. ત્યારે આજે હરિયાણાના પ્રખ્યાત બોક્સર વિજેન્દર સિંહ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. તેમણે બીજેપી નેતા વિનોદ તાવડે, રામવીર સિંહ બિધુરી અને રાજીવ બબ્બરની હાજરીમાં નવી દિલ્હી BJPના હેડ ક્વાર્ટર  પર કેસરિયો ધારણ કરી લીધો છે. 2019માં તેઓ રાજકારણમાં જોડાયા હતા. કોંગ્રેસની ટિકીટ પર તેઓ લોકસભા ચૂંટણી લડ્યા હતા.

 

બીજેપી જોઈન કરતા કહ્યું કે.... 

કોંગ્રેસ છોડી બોક્સર વિજેન્દર સિંહ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. આજે દિલ્હીમાં ભાજપના મુખ્ય કાર્યાલય પણ તેઓ પહોંચ્યા હતા અને સત્તાવાર રીતે કેસરિયો ધારણ કરી લીધો હતો. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ તેમણે કોંગ્રેસના ફેવરમાં ટ્વિટ કરી હતી. બે એપ્રિલે તેમણે રાહુલ ગાંધની ટ્વિટને રિ-ટ્વિટ કરી હતી. બોક્સરે  BJP જોઈન કરતા જ કહ્યું હતું કે -  મેં BJPને દેશહિત માટે અને રાષ્ટ્રના લોકોની સેવા કરવા જોઈન કરી છે.

વિજેન્દરસિંહે કેસરિયો ધારણ કર્યો 

જો વિજેન્દરસિંહની વાત કરીએ તો 2019માં સાઉથ દિલ્હી લોકસભા બેઠક પરથી કોંગ્રેસ પાર્ટીના mandate પરથી લોકસભાનું ઇલેકશન લડ્યા હતા . પરંતુ તે ચૂંટણી હારી ગયા હતા. તેમની હાર BJPના રમેશ બિધુરીની સામે થઈ હતી. સૂત્રો દ્વારા હાલમાં માહિતી મળી રહી છે કે , કોંગ્રેસ પાર્ટી તેમને મથુરા લોકસભા પરથી હેમા માલિનીની સામે લડાવવા માંગતી હતી પણ હવે તેઓએ કોંગ્રેસ છોડી BJPનો કેસરિયો ધારણ કરી લીધો છે. તેઓ જાટ સમાજમાંથી આવે છે. આ જાટ સમાજ હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમા જોવા મળે છે. અને હરિયાણા રાજ્યમાંતો તે ડૉમિનન્ટ કાસ્ટ એટલેકે તેમની વસ્તી આશરે ૩૦ ટકા જેટલી છે . 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે...  

જોકે માર્ચની 30 તારીખે તો તેમણે પ્લેટફોર્મ x લખી દીધું હતું કે જનતા જ્યાંથી ઇચ્છશે ત્યાંથી અમે તૈયાર છીએ , અને કિસાન શુભકર્ણંસિંહ અમર રહે ની ટવિટ પણ કરી હતી. વિજેન્દરસિંહ તો ગયા વર્ષે હરિયાણાના કર્નાલ ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પણ જોડાયા હતા . વાત કરીએ તેમની ખેલ કુદ્દની કારકિર્દીની તો તો તે પહેલા એવા ભારતીય બોક્સર છે કે જેમણે 2008ના બેઈજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. 2010માં તો વિજેન્દરસિંઘને રાષ્ટ્રપતિ દ્વારા પ્રદ્મશ્રી પણ અપાયો હતો. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.