BJPમાં ભરતી મેળો! Congressમાંથી 2019માં લોકસભા ચૂંટણી લડનાર બોક્સર વિજેન્દર સિંહ ભાજપમાં જોડાયા. પાર્ટીમાં જોડાતા કહી આ વાત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-03 19:01:21

ભાજપમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે. ગુજરાત હોય કે અન્ય રાજ્ય ભાજપમાં મોટી હસ્તીઓ, કોંગ્રેસના નેતાઓ જોડાઈ રહ્યા છે. ત્યારે આજે હરિયાણાના પ્રખ્યાત બોક્સર વિજેન્દર સિંહ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. તેમણે બીજેપી નેતા વિનોદ તાવડે, રામવીર સિંહ બિધુરી અને રાજીવ બબ્બરની હાજરીમાં નવી દિલ્હી BJPના હેડ ક્વાર્ટર  પર કેસરિયો ધારણ કરી લીધો છે. 2019માં તેઓ રાજકારણમાં જોડાયા હતા. કોંગ્રેસની ટિકીટ પર તેઓ લોકસભા ચૂંટણી લડ્યા હતા.

 

બીજેપી જોઈન કરતા કહ્યું કે.... 

કોંગ્રેસ છોડી બોક્સર વિજેન્દર સિંહ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. આજે દિલ્હીમાં ભાજપના મુખ્ય કાર્યાલય પણ તેઓ પહોંચ્યા હતા અને સત્તાવાર રીતે કેસરિયો ધારણ કરી લીધો હતો. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ તેમણે કોંગ્રેસના ફેવરમાં ટ્વિટ કરી હતી. બે એપ્રિલે તેમણે રાહુલ ગાંધની ટ્વિટને રિ-ટ્વિટ કરી હતી. બોક્સરે  BJP જોઈન કરતા જ કહ્યું હતું કે -  મેં BJPને દેશહિત માટે અને રાષ્ટ્રના લોકોની સેવા કરવા જોઈન કરી છે.

વિજેન્દરસિંહે કેસરિયો ધારણ કર્યો 

જો વિજેન્દરસિંહની વાત કરીએ તો 2019માં સાઉથ દિલ્હી લોકસભા બેઠક પરથી કોંગ્રેસ પાર્ટીના mandate પરથી લોકસભાનું ઇલેકશન લડ્યા હતા . પરંતુ તે ચૂંટણી હારી ગયા હતા. તેમની હાર BJPના રમેશ બિધુરીની સામે થઈ હતી. સૂત્રો દ્વારા હાલમાં માહિતી મળી રહી છે કે , કોંગ્રેસ પાર્ટી તેમને મથુરા લોકસભા પરથી હેમા માલિનીની સામે લડાવવા માંગતી હતી પણ હવે તેઓએ કોંગ્રેસ છોડી BJPનો કેસરિયો ધારણ કરી લીધો છે. તેઓ જાટ સમાજમાંથી આવે છે. આ જાટ સમાજ હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમા જોવા મળે છે. અને હરિયાણા રાજ્યમાંતો તે ડૉમિનન્ટ કાસ્ટ એટલેકે તેમની વસ્તી આશરે ૩૦ ટકા જેટલી છે . 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે...  

જોકે માર્ચની 30 તારીખે તો તેમણે પ્લેટફોર્મ x લખી દીધું હતું કે જનતા જ્યાંથી ઇચ્છશે ત્યાંથી અમે તૈયાર છીએ , અને કિસાન શુભકર્ણંસિંહ અમર રહે ની ટવિટ પણ કરી હતી. વિજેન્દરસિંહ તો ગયા વર્ષે હરિયાણાના કર્નાલ ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પણ જોડાયા હતા . વાત કરીએ તેમની ખેલ કુદ્દની કારકિર્દીની તો તો તે પહેલા એવા ભારતીય બોક્સર છે કે જેમણે 2008ના બેઈજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. 2010માં તો વિજેન્દરસિંઘને રાષ્ટ્રપતિ દ્વારા પ્રદ્મશ્રી પણ અપાયો હતો. 



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.