કાયમી ભરતીને લઈ Gujarat Congressએ Social Media પર કરી ટ્વિટ, લખ્યું આટલી જગ્યાઓ ખાલી છતાં ભરતી કેમ નહીં?


  • Published By :
  • Published Date : 2024-02-12 11:51:08

બાળકો ભણે તે માટે અનેક અભિયાનો ચાલી રહ્યા છે. ગુજરાતને વિકસીત રાજ્ય માનવામાં આવે છે પરંતુ શિક્ષણનું સ્તર પ્રતિદિન ઘટી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ થઈ રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે કે ગુજરાત સરકાર કાયમી ભરતી કરો... આટલી જગ્યાઓ ખાલી છતાં ભરતી કેમ નહીં? વિદ્યાર્થી વિરોધી ભાજપ સરકાર... અનેક એવી સરકારી નોકરી છે જ્યાં જગ્યા ખાલી હોવા છતાંય કાયમી ભરતી નથી કરવામાં આવતી!

ગુજરાતની શાળાઓમાં છે શિક્ષકોની ઘટ! 

બાળક ભણીને આગળ વધે છે ત્યારે દેશની પ્રગતિ થાય છે. અનેક જગ્યાઓ પર વિદ્યાર્થીઓ હોય છે પરંતુ શાળામાં શિક્ષકો નથી હોતા. ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે વાત અનેક વખત ઉઠી છે. શાળામાં શિક્ષકો નથી હોતા જેને કારણે બાળકના ભણતર પર અસર પડે છે. ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે. 


ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી ટ્વિટ

ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે આપણે જાણીએ છીએ. અનેક જગ્યાઓ ખાલી છે પરંતુ શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી કરી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે ગુજરાત સરકાર કાયમી ભરતી કરો... આટલી જગ્યાઓ ખાલી છતાં ભરતી કેમ નહીં? વિદ્યાર્થી વિરોધી ભાજપ સરકાર...  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .