કાયમી ભરતીને લઈ Gujarat Congressએ Social Media પર કરી ટ્વિટ, લખ્યું આટલી જગ્યાઓ ખાલી છતાં ભરતી કેમ નહીં?


  • Published By :
  • Published Date : 2024-02-12 11:51:08

બાળકો ભણે તે માટે અનેક અભિયાનો ચાલી રહ્યા છે. ગુજરાતને વિકસીત રાજ્ય માનવામાં આવે છે પરંતુ શિક્ષણનું સ્તર પ્રતિદિન ઘટી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ થઈ રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે કે ગુજરાત સરકાર કાયમી ભરતી કરો... આટલી જગ્યાઓ ખાલી છતાં ભરતી કેમ નહીં? વિદ્યાર્થી વિરોધી ભાજપ સરકાર... અનેક એવી સરકારી નોકરી છે જ્યાં જગ્યા ખાલી હોવા છતાંય કાયમી ભરતી નથી કરવામાં આવતી!

ગુજરાતની શાળાઓમાં છે શિક્ષકોની ઘટ! 

બાળક ભણીને આગળ વધે છે ત્યારે દેશની પ્રગતિ થાય છે. અનેક જગ્યાઓ પર વિદ્યાર્થીઓ હોય છે પરંતુ શાળામાં શિક્ષકો નથી હોતા. ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે વાત અનેક વખત ઉઠી છે. શાળામાં શિક્ષકો નથી હોતા જેને કારણે બાળકના ભણતર પર અસર પડે છે. ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે. 


ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી ટ્વિટ

ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે આપણે જાણીએ છીએ. અનેક જગ્યાઓ ખાલી છે પરંતુ શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી કરી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે ગુજરાત સરકાર કાયમી ભરતી કરો... આટલી જગ્યાઓ ખાલી છતાં ભરતી કેમ નહીં? વિદ્યાર્થી વિરોધી ભાજપ સરકાર...  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.